બોટાદમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા મધમાખી પાલન અંગે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો આ તાલીમ કાર્યક્રમમાં કુલ 80 ખેડૂતોમિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મધમાખી પાલન અંગેનાં પ્રશ્નોનાં સંતોષકારક જવાબ મેળવ્યાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા દ્વારા નેશનલ મિશન ફોર સસ્ટેઈનેબલ એગ્રિકલ્ચર– રેઇનફેડ એરિયા ડેવલોપમેન્ટ (NMSA-RAD) યોજના અંતર્ગત લોકલ નેચરલ ફાર્મિંગ ઇન્સ્ટિટ્યૂટ (BAPS), સારંગપુર ખાતે “મધમાખી પાલન અંગે એક દિવસીય તાલીમ કાર્યક્રમ” સફળતાપૂર્વક યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, બોટાદનાશ્રી બી. બી. કાનડે, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ડો. જે. એચ. કાહોદરિયા, બાગાયત અધિકારી રાણપુરના પી. એન. એલિયા, બાગાયત અધિકારી બરવાળાના શ્રી એમ. એન. રાઠોડ તેમજ ગુજરાત બીકીપર ડેવલોપમેન્ટ એન્ડ હની પ્રોડ્યુસર કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, વડોદરાના વાઇસ પ્રેસિડેન્ટશ્રી વિનોદભાઇ નકુમ ઉપસ્થિત રહ્યાં હતાં વિનોદભાઇ નકુમ દ્વારા પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો માટે મધમાખી પાલનનું મહત્વ સમજાવવામાં આવ્યું. તેમણે મધમાખીની મુખ્ય પાંચ જાતોમાંથી એ. સેરેના અને એ. મેલીફેરા વિશે વિગતવાર માહિતી આપી. સાથે જ મધમાખી બોક્સની રચના, મધમાખી પરાગણ દ્વારા ખેતી પાકોમાં 15 ટકા થી 35 ટકા સુધી વધતાં ઉત્પાદન વિશે સમજણ આપી તાલીમ દરમિયાન મધમાખી પાલન શરૂ કરવાની પદ્ધતિ, રોગ અને જીવાત નિયંત્રણ, શુદ્ધ મધનું ઉત્પાદન અને માર્કેટિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે મધમાખી પાલન આજનાં સમયમાં ઊભરતો અને આવકવર્ધક પૂરક વ્યવસાય છે. ત્યારબાદ બાગાયત અધિકારીશ્રી રાણપુર દ્વારા મધમાખી પાલન માટે મળતી વિવિધ બાગાયત કક્ષાની સહાય યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં કુલ 80 ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રાયોગિક માર્ગદર્શન અને સાધનોનું પ્રદર્શન યોજાયું, જેમાં ખેડૂતોએ પોતાનાં પ્રશ્નોનાં સંતોષકારક જવાબ મેળવ્યાં હતાં આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોમાં મધમાખી પાલન પ્રત્યે જાગૃતિ વધારવાનો તથા ખેતી સાથે પૂરક વ્યવસાય અપનાવી આર્થિક સશક્તિકરણ તરફ આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
બોટાદમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા મધમાખી પાલન અંગે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો આ તાલીમ કાર્યક્રમમાં કુલ 80 ખેડૂતોમિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મધમાખી પાલન અંગેનાં પ્રશ્નોનાં સંતોષકારક જવાબ મેળવ્યાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા દ્વારા નેશનલ મિશન ફોર સસ્ટેઈનેબલ એગ્રિકલ્ચર– રેઇનફેડ એરિયા ડેવલોપમેન્ટ (NMSA-RAD) યોજના અંતર્ગત લોકલ નેચરલ ફાર્મિંગ ઇન્સ્ટિટ્યૂટ (BAPS), સારંગપુર ખાતે “મધમાખી પાલન અંગે એક દિવસીય તાલીમ કાર્યક્રમ” સફળતાપૂર્વક યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, બોટાદનાશ્રી બી. બી. કાનડે, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ડો. જે. એચ. કાહોદરિયા, બાગાયત અધિકારી રાણપુરના પી. એન. એલિયા, બાગાયત અધિકારી બરવાળાના શ્રી એમ. એન. રાઠોડ તેમજ ગુજરાત બીકીપર ડેવલોપમેન્ટ એન્ડ હની પ્રોડ્યુસર કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, વડોદરાના વાઇસ પ્રેસિડેન્ટશ્રી વિનોદભાઇ નકુમ ઉપસ્થિત રહ્યાં હતાં વિનોદભાઇ નકુમ દ્વારા પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો માટે મધમાખી પાલનનું મહત્વ સમજાવવામાં આવ્યું. તેમણે મધમાખીની મુખ્ય પાંચ જાતોમાંથી એ. સેરેના અને એ. મેલીફેરા વિશે વિગતવાર માહિતી આપી. સાથે જ મધમાખી બોક્સની રચના, મધમાખી પરાગણ દ્વારા ખેતી પાકોમાં 15 ટકા થી 35 ટકા સુધી વધતાં ઉત્પાદન વિશે સમજણ આપી તાલીમ દરમિયાન મધમાખી પાલન શરૂ કરવાની પદ્ધતિ, રોગ અને જીવાત નિયંત્રણ, શુદ્ધ મધનું ઉત્પાદન અને માર્કેટિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે મધમાખી પાલન આજનાં સમયમાં ઊભરતો અને આવકવર્ધક પૂરક વ્યવસાય છે. ત્યારબાદ બાગાયત અધિકારીશ્રી રાણપુર દ્વારા મધમાખી પાલન માટે મળતી વિવિધ બાગાયત કક્ષાની સહાય યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં કુલ 80 ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રાયોગિક માર્ગદર્શન અને સાધનોનું પ્રદર્શન યોજાયું, જેમાં ખેડૂતોએ પોતાનાં પ્રશ્નોનાં સંતોષકારક જવાબ મેળવ્યાં હતાં આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોમાં મધમાખી પાલન પ્રત્યે જાગૃતિ વધારવાનો તથા ખેતી સાથે પૂરક વ્યવસાય અપનાવી આર્થિક સશક્તિકરણ તરફ આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
- બોટાદ. બોટાદ જિલ્લા પંચાયત ની ૨૧ મી સામા1
- બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ 106-ગઢડા (અ.જા.) અને 107-બોટાદ વિધાનસભા મતવિભાગોની મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ અને તેમને આખરી મતદારયાદીની નકલ સુપ્રત કરવામાં આવી ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરાયેલ તા. 01/01/2026ની લાયકાત તારીખના આધારે યોજાયેલા સઘન સુધારણા કાર્યક્રમ મુજબ બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને 01/01/2026ની સ્થિતિએ કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે જેમાં ગઢડા વિધાનસભા મતવિભાગમાં 2,47,313 મતદારો તથા બોટાદ વિધાનસભા મતવિભાગમાં 2,74,664 મતદારોનો સમાવેશ થાય છે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કાર્યક્રમની તમામ પ્રક્રિયામાં સહકાર આપનાર જિલ્લાના નાગરિકો તથા માન્ય રાજકીય પક્ષોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ જણાવાયું કે આખરી મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ તમામ મતદાન મથકો ખાતે પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેથી જાહેર જનતા સરળતાથી તેનો અભ્યાસ કરી શકે આ પ્રસિદ્ધિ દ્વારા મતદાર નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જનસહભાગિતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by સંતકુપા સ્ટુડિયો ગોરડકા1
- જસદણ ના કાસલોલીયા સીમમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કરતા ધટના સ્થળે વન વિભાગ દોડી ગયા હતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો1
- 12 દિવસથી હજારો કામદારો બન્યા બેરોજગાર કામદારોએ વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપ્યું સાયલા મામલતદાર નેં આવેદનપત્ર આપ્યું હતું1
- સુરેન્દ્રનગર ખાતે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન ઉમેદવાર દીપેન દવેએ પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમને વકીલ મંડળનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને ચૂંટણીમાં સકારાત્મક પરિણામની અપેક્ષા છે. આ વખતે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે. જેના કારણે રાજ્યભરના વકીલ વર્ગમાં ચૂંટણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 6 માર્ચના રોજ મતદાન યોજાવાનું છે, જેને લઈને તમામ ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં દીપેન દવેએ જણાવ્યું હતું કે ચૂંટાયા બાદ તેઓ વકીલોના વિવિધ પ્રશ્નો, જેમ કે સુવિધાઓનો અભાવ, વ્યવસાયિક સુરક્ષા અને વેલફેર સંબંધિત મુદ્દાઓ પર પ્રાથમિકતા આપીને કામ કરશે.1
- Post by બાપા સીતારામ ન્યુઝ6
- હાજીયાણી બિલકિશ હોલ ગઢડા ખાતે ચાલી રહેલ મદ્રાસાએ તાલીમુલ ઇસ્લામ દ્વારા વાર્ષીક જલસાનુ આયોજન થયું તમામ તાલીમાર્થી ઓનું આકર્ષક ગીફ્ટ આપી સન્માન કરાયુંગઢડા ખાતે રાબિયા પાર્ક મા આવેલ હા જયજીયાણી બિલકિશ હોલ ખાતે ચાલી રહેલ ઓરતો ની દીની તાલીમ માટે મદ્રાસાએ તઆ લીમૂલ ઇસ્લામ મા ફાતિમાબહેન ઉવેશભાઈ કાસ્માણી દ્વારા અપાઈ રહેલ દીની તાલીમ મા 70 બહેનો તાલીમ લઇ રહી છે જેની વાર્ષિક પરીક્ષા વિવિધ પાંચ કેટેગરી મા લેવાયેલ જેમાં પ્રથમ બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર બહેનો ને ગઢડા મુસ્લિમ સમાજ ના સખી દાતાઓ દ્વારા તેમજ હાજીયાણી બિલકિશબેન મજીદભાઈ ખીમાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇનામો આપી સન્માનિત કરવામાંટે એક સાલાના જલસાનુ આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ વિષયો પર બાળાઓ દ્વારા દીની માલુમાંત વિશે સ્ટેજ પર્ફોમન્સ આપવામાં આવેલ કાર્યક્રમ મા બહોળી સંખ્યા મા બહેનો હાજર રહેલ અને દરેક તાલીમાર્થી નું વિવિધ ઇનામો આપી તેમના હોસલાને બુલંદ કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ નું ઇસ્લામી તોર તરીકા મુજબ સંચાલન ઉજમા અમીનભાઈ ગનિયાણી અને અક્સા સમીરભાઈ અન્સારી દ્વારા ખુબજ સરસ અંદાજ મા કરવામાં આવેલ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1