લોક ગાયિકા કાજલ મહેરિયાની લગ્ન મામલે સ્પષ્ટતા કરતા વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો લોકપ્રિય લોક ગાયિકા કાજલ મહેરિયા એ પોતાના લગ્ન અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. કાજલ મહેરિયાએ જણાવ્યું કે તેમણે પોતાની મરજીથી અને પુખ્તવયે લગ્ન કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “મેં કોઈપણ પ્રકારના દબાણ કે ધમકી હેઠળ લગ્ન કર્યા નથી.” આગળ તેમણે ઉમેર્યું કે, “હું દોઢ વર્ષથી અલ્પેશ સાથે સંબંધમાં હતી અને અમારી સહમતીથી જ આ નિર્ણય લીધો છે.” કાજલ મહેરિયાએ જણાવ્યું કે તેમણે તેમના પરિવારને આ બાબતે પૂર્વ જાણ કરી હતી, પરંતુ પરિવારનો સંપૂર્ણ રાજીપો નહોતો. તેમ છતાં, તેમણે પોતાના જીવનનો નિર્ણય સ્વતંત્ર રીતે લીધો હોવાનું જણાવ્યું. આ સમગ્ર મામલે ચાલી રહેલી અફવાઓ અંગે પ્રતિક્રિયા આપતા કાજલ મહેરિયાએ કહ્યું કે, “હદનો છેડો પાર થયો હોય એમ લાગે છે. કૃપા કરીને ખોટી વાતો પર વિશ્વાસ ન રાખવો.” અંતમાં તેમણે તમામ ચાહકો અને જનતાને અપીલ કરી કે તેઓ સત્ય માહિતી પર જ વિશ્વાસ રાખે અને તેમની વ્યક્તિગત જીવનને લઈને ફેલાતી અફવાઓથી દૂર રહે.
લોક ગાયિકા કાજલ મહેરિયાની લગ્ન મામલે સ્પષ્ટતા કરતા વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો લોકપ્રિય લોક ગાયિકા કાજલ મહેરિયા એ પોતાના લગ્ન અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. કાજલ મહેરિયાએ જણાવ્યું કે તેમણે પોતાની મરજીથી અને પુખ્તવયે લગ્ન કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “મેં કોઈપણ પ્રકારના દબાણ કે ધમકી હેઠળ લગ્ન કર્યા નથી.” આગળ તેમણે ઉમેર્યું કે, “હું દોઢ વર્ષથી અલ્પેશ સાથે સંબંધમાં હતી અને અમારી સહમતીથી જ આ નિર્ણય લીધો છે.” કાજલ મહેરિયાએ જણાવ્યું કે તેમણે તેમના પરિવારને આ બાબતે પૂર્વ જાણ કરી હતી, પરંતુ પરિવારનો સંપૂર્ણ રાજીપો નહોતો. તેમ છતાં, તેમણે પોતાના જીવનનો નિર્ણય સ્વતંત્ર રીતે લીધો હોવાનું જણાવ્યું. આ સમગ્ર મામલે ચાલી રહેલી અફવાઓ અંગે પ્રતિક્રિયા આપતા કાજલ મહેરિયાએ કહ્યું કે, “હદનો છેડો પાર થયો હોય એમ લાગે છે. કૃપા કરીને ખોટી વાતો પર વિશ્વાસ ન રાખવો.” અંતમાં તેમણે તમામ ચાહકો અને જનતાને અપીલ કરી કે તેઓ સત્ય માહિતી પર જ વિશ્વાસ રાખે અને તેમની વ્યક્તિગત જીવનને લઈને ફેલાતી અફવાઓથી દૂર રહે.
- ભાભર શહેરમાં આજે સાંજના સમયે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બાઈકને પાછળથી એક કાર દ્વારા ટક્કર મારતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. ઘટના બસ સ્ટેન્ડ પાસે આવેલ પેટ્રોલ પંપ સામે બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ઘુમજીભા માલસિંહ રાઠોડ અને હરેશભા અરવિંદસિંહ રાઠોડ બન્ને રહે ભાભર જુના. તેઓ બાઈકમાં પેટ્રોલ ભરાવીને નીકળ્યા બાદ કાર નં. GJ 01 KP 0604 દ્વારા પાછળથી જોરદાર ટક્કર મારતાં. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બન્ને વ્યક્તિઓ રોડ પર ફેંકાઈ ગયા અને ઈજાગ્રસ્ત બન્યા હતા. એટલું જ નહીં, ટક્કર બાદ ગાડી ચાલકે નિયંત્રણ ગુમાવતા ગાડી ડીવાઈડર પર ચડી ગઈ હતી, જેના કારણે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને થોડા જ સમયમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોની મદદથીબન્ને ઈજાગ્રસ્તોને તરત જ ભાભરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે.2
- Post by Gujarat crime news1
- Post by Kinzz Thakor1
- Post by Kamalesh sih Rajput1
- અમદાવાદ સેન્ટ જેવીયર્સ કોલેજ અમદાવાદ ફરી આવી વિવાદમાં પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા 50થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા થી વંચિત પ્રશાસન દ્વારા મળતી માહિતી પ્રમાણે માત્ર કોલેજમાં હાજરી જેવા સામાન્ય મુદ્દા ઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ સાથે થયો મોટો અન્યાય વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ રિપોર્ટ મૂકવા છતાં કોલેજ પ્રશાસન પોતાની દાદાગીરી અને મનમાનીથી વિદ્યાર્થીઓને તથા વાલીઓને કોલેજ બહાર કાઢ્યા. જ્યાં સરકાર નારી શક્તિ તથા શિક્ષણ ઉપર ભાર મુકતા હોય છે તેવામાં આ પ્રકારની કોલેજો દ્વારા વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરતા રોકવાના પ્રયાસો સામે આવ્યા. શું અમદાવાદના શૈક્ષણિક સંસ્થા ના અધિકારીઓ આ કોલેજ પર કોઈ એક્શન લેશે કે નહીં એ જોવાનું રહ્યું. અમદાવાદ જિલ્લા શિક્ષણ દ્વારા કોઈ જ પગલાં લે તેવી વિદ્યાર્થીઓના વાલીઓની માંગ એક વિદ્યાર્થીનીએ પોતાના મેડિકલ ઇસ્યુ ના વીડીયો બતાવ્યા છતાં પણ પરીક્ષા ખંડમાં પ્રવેશ ન આપતા પરીક્ષાથી વંચિત રિપોર્ટર ભાવિન ભાવસાર અમદાવાદ4
- સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 01 માં કાર્યાલયનું ઉદ્ઘાટન શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો હાજર રહ્યા હતા. દર્શનાબેન વાઘેલાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે મોદી સરકારના સારા કામોમાં હંમેશા અવરોધ ઉભા કરવામાં આવે છે અને ગુજરાતની પ્રજા 26 તારીખે તેનો જવાબ આપશે. 👉 વધુ અપડેટ માટે પેજને Follow કરો1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by Gujarat crime news1
- Post by Ramesh thakor Halvad Morbi1