Shuru
Apke Nagar Ki App…
ભાવનગર મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે હર્ષદ પટેલે સંભાળ્યો ચાર્જ આજે તારીખ 16 માર્ચના રોજ ભાવનગર મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે હર્ષદ પટેલે રવિવારે સત્તાવાર રીતે ચાર્જ સંભાળતા મનપામાં વહીવટદાર શાસનની શરૂઆત થઈ છે. ચાર્જ સંભાળ્યા બાદ હર્ષદ પટેલે મહાનગરપાલિકા કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં શહેરના વહીવટી કામકાજ, ચાલી રહેલા વિકાસકાર્યો અને નાગરિક સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નવા વહીવટદારના ચાર્જ સંભાળતા મનપાના પ્રશાસનમાં હવે વધુ ગતિ આવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
Rakesh sagathiya
ભાવનગર મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે હર્ષદ પટેલે સંભાળ્યો ચાર્જ આજે તારીખ 16 માર્ચના રોજ ભાવનગર મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે હર્ષદ પટેલે રવિવારે સત્તાવાર રીતે ચાર્જ સંભાળતા મનપામાં વહીવટદાર શાસનની શરૂઆત થઈ છે. ચાર્જ સંભાળ્યા બાદ હર્ષદ પટેલે મહાનગરપાલિકા કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં શહેરના વહીવટી કામકાજ, ચાલી રહેલા વિકાસકાર્યો અને નાગરિક સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નવા વહીવટદારના ચાર્જ સંભાળતા મનપાના પ્રશાસનમાં હવે વધુ ગતિ આવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
More news from ગુજરાત and nearby areas
- ગાયના ગોબર તથા મુત્ર જમીનને ફળદ્રુપ બનાવવા મદદરૂપ: ખેડૂતોના મિત્રો અળસિયા જળસંચય અને પાક માટે મદદરૂપ હાલમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન સન્માન નિધિ” યોજના અંતર્ગત ભારત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય અને આસામ રાજ્ય સરકારના કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે આસામના ગુવાહાટી ખાતેથી કિસાનોને ૨૨મો હપ્તો હપ્તો ચુકવવામાં આવ્યો હતો. જેનું જીવંત પ્રસારણ ભારતભરના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે બોટાદની એ.પી.એમ.સી.ખાતે આશરે ૨૫૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજ વસ્તુઓથી જમીન તથા વ્યક્તિના શરીરને થતાં ફાયદાઓ અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, વધુમાં કિસાનોને જણાવવામાં આવ્યું કે, ગાયના ગોબર, ગૌમૂત્ર તેમજ ગાય આધારિત ખેતી જમીનની ફળદ્રુપતા વધારવા ખુબ જ મદદરૂપ થાય છે. જમીનમાં રહેલા અળસિયા પાકને તથા જમીનની ગુણવતા લાંબા સમય સુધી ટકાવી રાખે છે. સાથોસાથ અળસિયા ખેતરના ભૂર્ગભ તળને સાજા કરે છે એટલે કે જળસંચય માટે ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. તેમજ પ્રાકૃતિક ચીજ વસ્તુઓ માનવ શરીરને તંદુરસ્ત અને નીરોગી બનાવે છે તે અંગેની માહિતી કિસાનોને આપી હતી તથા પ્રાકૃતિક કૃષિના અભિગમને વધુને વધુ કિસાનો અપનાવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- આ કાર્યક્રમમાં બરવાળા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, પ્રાંત અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, બરવાળા તાલુકાના તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ તથા સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.1
- Post by Vopul luhar1
- ભરુચ જીલ્લામાં બાંધકામ શ્રમિકો ને આરોગ્ય સુવિધાઓ વધુ સલામતિ રીતે મળે એવા શુભકાર્ય હેતુ સાથે નવીન ધનંતરી આરોગ્ય રથ મોબાઇલ મેડિકલ યુનિટ ને લીલી ઝંડી આપી આ પહેલ થઈ બાંધકામ શ્રમિકો ના આરોગ્ય માં સુધારો થશે. અને એમને સમયસર સારવાર મળવાથી તેમની કાર્ય ક્ષમતા અને જીવન ગણુવતા માં પણ વધારો થશે.4
- सूरत में LPG न मिलने की वजह से बाहर से आये हुवे श्रमिक अपने गांव वापस जाने को बेबस1
- અમરેલી ની એક પ્રખ્યાત હોટેલ માંથી લીધેલ પાર્સલ માંથી જીવાત નીકળ્યા નો આક્ષેપ1
- જૈન યુવતી ઓનો સારોસાચો નિર્ણય.1
- બોટાદ જિલ્લા ખાતે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં બોટાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પ્રેમ સંબંધ અને સગાઈ બાબતે થયેલા વિવાદને કારણે આરોપીએ ખેડૂતની હત્યા કરી હોવાનું કેસ દરમિયાન સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામે રહેતા ખેડૂત નિતુભા કરણુભા ગોહિલે પોતાની ખેતીની જમીન આરોપી કિરણ ઉર્ફે કિરો ભાઈલાલભાઈ પઢીયાર (રહે. ગંભીરા, તા. આંકલાવ, જી. આણંદ)ને મજુરીએ વાવવા માટે આપી હતી. આ જમીનની બાજુમાં અન્ય ખેડૂતની જમીન વાવતા એક ભાગિયાની દીકરી સાથે આરોપી કિરણનો પ્રેમ સંબંધ હતો અને તે તેની સાથે સગાઈ કરવા ઈચ્છતો હતો. આ બાબતે દીકરીના પિતાએ નિતુભા ગોહિલને ફરિયાદ કરતાં નિતુભાએ આરોપીને ઠપકો આપ્યો હતો. આ વાતથી આરોપી કિરણ ઉર્ફે કિરો નારાજ થયો હતો. તા. 16 ડિસેમ્બર 2023ના રોજ નિતુભા ગોહિલ પોતાની વાડીમાં એકલા હાજર હતા ત્યારે આરોપીએ પાછળથી હાથમાં લોખંડની કોશ વડે તેમના માથામાં ઘા કર્યો હતો. ઘટનાના બાદ આરોપી કોશ કુવામાં નાખી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નિતુભા ગોહિલનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મરણજનારના ભાઈ ધેલુભા કરણુભા ગોહિલે ગઢડા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા કલમ 302, 201 તથા જી.પી.એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધાવી હતી. ગઢડા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.જી. જાડેજાએ તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી અને પુરતા પુરાવા મળતા બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કેસ દરમિયાન 36 દસ્તાવેજી પુરાવા અને 12 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની દલીલો અને રજૂઆતો ધ્યાને લઈ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મનીષસહાય જે. પરાશરે આરોપી કિરણ ઉર્ફે કિરો ભાઈલાલભાઈ પઢીયારને IPC કલમ 302 અને 201 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા તથા દંડ ફટકાર્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Vopul luhar1