logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

दाहोद में 'नादस्पंदन' द्वारा महान गायक मोहम्मद रफी साहब की पुण्यतिथि पर संगीतमय श्रद्धांजलि का आयोजन कार्यक्रम के अंत में डॉ. कपिल भाई त्रिवेदी जी ने उपस्थित सभी अतिथियों, कलाकारों और संगीत प्रेमियों का इस कार्यक्रम को सफल बनाने के लिए हृदय से आभार व्यक्त किया।

1 hr ago
user_BHARAT SAMACHAR LIVE707
BHARAT SAMACHAR LIVE707
Logistics service દાહોદ, દાહોદ, ગુજરાત•
1 hr ago

दाहोद में 'नादस्पंदन' द्वारा महान गायक मोहम्मद रफी साहब की पुण्यतिथि पर संगीतमय श्रद्धांजलि का आयोजन कार्यक्रम के अंत में डॉ. कपिल भाई त्रिवेदी जी ने उपस्थित सभी अतिथियों, कलाकारों और संगीत प्रेमियों का इस कार्यक्रम को सफल बनाने के लिए हृदय से आभार व्यक्त किया।

More news from ગુજરાત and nearby areas
  • કરોડો ના ખર્ચે રીનોવેટ થયેલી સુખી કેનાલમાં પડ્યું  મોટું ગાબડું: નબળી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ .   પ્રાપ્ત વિગતો મુજબ જૂની અને જર્જરિત થઈ ગયેલી સિંચાઈ કેનાલોને કારણે થતા પાણીના બગાડ અને લીકેજની સમસ્યા ઉકેલવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલો કરોડો રૂપિયાનો રીનોવેશન પ્રોજેક્ટ હાલ ક્ષતિગ્રસ્ત કામગીરીને કારણે વિવાદમાં સપડાયો છે. મુધિયારી નજીક ભારે વરસાદને કારણે સુખી કેનાલમાં આશરે   મોટું ગાબડું પડતાં  ગાબડાં ની સામે ની બાજુ ના ભાગ માં 10મીટર જેટલો ભાગ ક્ષતિ ગ્રસ્ત  થતા કેનાલને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે વિરોધનો સૂર ઊઠ્યો છે
    1
    કરોડો ના ખર્ચે રીનોવેટ થયેલી સુખી કેનાલમાં પડ્યું  મોટું ગાબડું: નબળી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ
.   પ્રાપ્ત વિગતો મુજબ જૂની અને જર્જરિત થઈ ગયેલી સિંચાઈ કેનાલોને કારણે થતા પાણીના બગાડ અને લીકેજની સમસ્યા ઉકેલવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલો કરોડો રૂપિયાનો રીનોવેશન પ્રોજેક્ટ હાલ ક્ષતિગ્રસ્ત કામગીરીને કારણે વિવાદમાં સપડાયો છે. મુધિયારી નજીક ભારે વરસાદને કારણે સુખી કેનાલમાં આશરે   મોટું ગાબડું પડતાં  ગાબડાં ની સામે ની બાજુ ના ભાગ માં 10મીટર જેટલો ભાગ ક્ષતિ ગ્રસ્ત  થતા કેનાલને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે વિરોધનો સૂર ઊઠ્યો છે
    user_OUR JAMBUGHODA
    OUR JAMBUGHODA
    Voice of people જાંબુઘોડા, પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • ચાટકા બેલી બારીયા ફળિયું તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર ગામ ચાટ કાપેલી તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર સરકારને એટલી વિનંતી છે કે ચાટકામાં રસ્તા નો કોઈ આયોજન નહીં તો સરકાર શું કરે છે ઉગે છે કે જાગે છે ડેરીમાં જવા માટે રસ્તો નહીં ઇમર્જન છે માટે કોઈ ગાડી આવી શકતી નથી
    1
    ચાટકા બેલી બારીયા ફળિયું તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર
ગામ ચાટ કાપેલી તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર સરકારને એટલી વિનંતી છે કે ચાટકામાં રસ્તા નો કોઈ આયોજન નહીં તો સરકાર શું કરે છે ઉગે છે કે જાગે છે ડેરીમાં જવા માટે રસ્તો નહીં ઇમર્જન છે માટે કોઈ ગાડી આવી શકતી નથી
    user_Rajesh bariya
    Rajesh bariya
    લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    13 hrs ago
  • જયા પાર્વતી વ્રતની ભાવભેર પૂર્ણાહુતિ: તળાવો પર જવારા વિસર્જન માટે ઉમટી મહિલાઓ મહીસાગર લુણાવાડા સહિત સમગ્ર ગુજરાતમાં જયા પાર્વતી વ્રતની આજે ભાવભેર પૂર્ણાહુતિ કરવામાં આવી. અષાઢ સુદ તેરસથી શરૂ થયેલા પાંચ દિવસના આ કઠોર અલૂણા વ્રતનું આજે પાંચમા દિવસે વિસર્જન સાથે સમાપન થયું. વહેલી સવારથી જ શહેરના વિવિધ તળાવો અને નદી કિનારે સૌભાગ્યવતી મહિલાઓ અને કુંવારી કન્યાઓની ભીડ જોવા મળી હતી. પાંચ દિવસ સુધી ઘરમાં ઉગાડેલા ઘઉંના જવારાની પૂજા કરી, મહિલાઓએ તેને પવિત્ર જળમાં પધરાવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અકબંધ રહ્યો હતો. માન્યતા મુજબ, માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા આ વ્રત કર્યું હતું. આજે પણ કુંવારિકાઓ સારા વર માટે અને પરિણીતાઓ પતિની લાંબી ઉંમર તથા અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ માટે આ વ્રત કરે છે. વ્રતધારીઓએ પાંચ દિવસ મીઠા વગર ભોજન કરી, રાત્રિ જાગરણ અને શિવ-પાર્વતીની કથા સાંભળી હતી. અંતે સૌભાગ્યની વસ્તુઓનું દાન કરી વ્રત પૂર્ણ કરાયું. સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક સંસ્થાઓ દ્વારા તળાવ કિનારે સ્વચ્છતા અને સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાઓએ એકબીજાને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપી, પ્રસાદ વહેંચ્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જયા પાર્વતી વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પણ નારી શક્તિ, શ્રદ્ધા અને પરિવાર કલ્યાણની ભાવનાનું પ્રતીક છે. દર વર્ષે હજારો મહિલાઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે અને સમાજમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
    2
    જયા પાર્વતી વ્રતની ભાવભેર પૂર્ણાહુતિ: તળાવો પર જવારા વિસર્જન માટે ઉમટી મહિલાઓ
મહીસાગર લુણાવાડા સહિત સમગ્ર ગુજરાતમાં જયા પાર્વતી વ્રતની આજે ભાવભેર પૂર્ણાહુતિ કરવામાં આવી. અષાઢ સુદ તેરસથી શરૂ થયેલા પાંચ દિવસના આ કઠોર અલૂણા વ્રતનું આજે પાંચમા દિવસે વિસર્જન સાથે સમાપન થયું.
વહેલી સવારથી જ શહેરના વિવિધ તળાવો અને નદી કિનારે સૌભાગ્યવતી મહિલાઓ અને કુંવારી કન્યાઓની ભીડ જોવા મળી હતી. પાંચ દિવસ સુધી ઘરમાં ઉગાડેલા ઘઉંના જવારાની પૂજા કરી, મહિલાઓએ તેને પવિત્ર જળમાં પધરાવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અકબંધ રહ્યો હતો.
માન્યતા મુજબ, માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા આ વ્રત કર્યું હતું. આજે પણ કુંવારિકાઓ સારા વર માટે અને પરિણીતાઓ પતિની લાંબી ઉંમર તથા અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ માટે આ વ્રત કરે છે.
વ્રતધારીઓએ પાંચ દિવસ મીઠા વગર ભોજન કરી, રાત્રિ જાગરણ અને શિવ-પાર્વતીની કથા સાંભળી હતી. અંતે સૌભાગ્યની વસ્તુઓનું દાન કરી વ્રત પૂર્ણ કરાયું.
સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક સંસ્થાઓ દ્વારા તળાવ કિનારે સ્વચ્છતા અને સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાઓએ એકબીજાને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપી, પ્રસાદ વહેંચ્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જયા પાર્વતી વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પણ નારી શક્તિ, શ્રદ્ધા અને પરિવાર કલ્યાણની ભાવનાનું પ્રતીક છે. દર વર્ષે હજારો મહિલાઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે અને સમાજમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
    user_Hasmukh Bhoi
    Hasmukh Bhoi
    Local News Reporter લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    14 hrs ago
  • આ રહ્યું G Live 24 News માટે અસરકારક અને સમાચાર શૈલીનું ગુજરાતી લખાણ: 🚨 સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સમગ્ર નગર જળબંબાકાર 🚨 ડાકોર, તા. 1 ઓગસ્ટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર નગર પાણીમાં ગરકાવ થઈ ગયું. સતત વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વિશ્વવિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિર શ્રી રણછોડરાયજી મંદિર બહાર પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્શનાર્થે આવતા ભક્તો અને સ્થાનિક લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. નગરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચવાની સ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળ્યો કે દર વર્ષે વરસાદ પહેલાં કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આખું ડાકોર નગર ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે. પ્રશાસન દ્વારા વહેલી તકે પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.
    1
    આ રહ્યું G Live 24 News માટે અસરકારક અને સમાચાર શૈલીનું ગુજરાતી લખાણ:

🚨 સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સમગ્ર નગર જળબંબાકાર 🚨

ડાકોર, તા. 1 ઓગસ્ટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર નગર પાણીમાં ગરકાવ થઈ ગયું. સતત વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

વિશ્વવિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિર શ્રી રણછોડરાયજી મંદિર બહાર પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્શનાર્થે આવતા ભક્તો અને સ્થાનિક લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી.

નગરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચવાની સ્થિતિ ઊભી થઈ હતી.

સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળ્યો કે દર વર્ષે વરસાદ પહેલાં કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આખું ડાકોર નગર ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે.

પ્રશાસન દ્વારા વહેલી તકે પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    7 hrs ago
  • હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભારે વરસાદ વચ્ચે વધુ એક કરુણ ઘટના સામે આવી છે.તા.31 જુલાઈ શુક્રવારના રોજ મોટી ઉભરવાણ ગામે કોતરના વધેલા પાણીમાં તણાઈ જતા 46 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ રેવજીભાઈ કાળુભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના રહેવાસી હતા અને છેલ્લા એક સપ્તાહથી પોતાની બહેનના ઘરે મોટી ઉભરવાણ ગામે રહેતા હતા.ઘટનાના દિવસે રેવજીભાઈ ગામમાં દુકાને સામાન લેવા ગયા હતા. પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે કોતરમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા અને આગળ નાળામાં ફસાઈ જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
    1
    હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત
હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભારે વરસાદ વચ્ચે વધુ એક કરુણ ઘટના સામે આવી છે.તા.31 જુલાઈ શુક્રવારના રોજ મોટી ઉભરવાણ ગામે કોતરના વધેલા પાણીમાં તણાઈ જતા 46 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ રેવજીભાઈ કાળુભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના રહેવાસી હતા અને છેલ્લા એક સપ્તાહથી પોતાની બહેનના ઘરે મોટી ઉભરવાણ ગામે રહેતા હતા.ઘટનાના દિવસે રેવજીભાઈ ગામમાં દુકાને સામાન લેવા ગયા હતા. પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે કોતરમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા અને આગળ નાળામાં ફસાઈ જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    12 hrs ago
  • પરીક્ષાની પારદર્શિતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે ઐતિહાસિક નિર્ણય : ધારાસભ્ય માનસિંહ ચૌહાણ બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ કે. ચૌહાણે જણાવ્યું કે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંસદ દ્વારા Public Examinations Amendment Bill, 2026 પસાર કરવામાં આવ્યો છે, જે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવશે. ધારાસભ્ય માનસિંહ ચૌહાણે જણાવ્યું કે આ કાયદાનો મુખ્ય હેતુ પરીક્ષાઓમાં ગેરરીતિ, પ્રશ્નપત્ર લીક અને અન્ય અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે, જેથી મહેનતુ વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થઈ શકે. તેમણે જણાવ્યું કે ગુનો કરનાર વ્યક્તિ ગમે તેટલી પહોંચ ધરાવતી હોય કે શક્તિશાળી હોય, કાયદા મુજબ તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, "મોદીજીની ગેરંટી એટલે કામ પૂરું થવાની ગેરંટી." આ કાયદો દેશના લાખો વિદ્યાર્થીઓની મહેનત, તેમના સપનાઓ અને ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. અંતમાં તેમણે વિદ્યાર્થીઓને નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરીને પોતાના લક્ષ્યો હાંસલ કરવા શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે સરકાર હંમેશા મહેનતુ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. – ધારાસભ્ય માનસિંહ કે. ચૌહાણ ૧૨૧-બાલાસિનોર વિધાનસભા
    1
    પરીક્ષાની પારદર્શિતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે ઐતિહાસિક નિર્ણય : ધારાસભ્ય માનસિંહ ચૌહાણ
બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ કે. ચૌહાણે જણાવ્યું કે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંસદ દ્વારા Public Examinations Amendment Bill, 2026 પસાર કરવામાં આવ્યો છે, જે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવશે.
ધારાસભ્ય માનસિંહ ચૌહાણે જણાવ્યું કે આ કાયદાનો મુખ્ય હેતુ પરીક્ષાઓમાં ગેરરીતિ, પ્રશ્નપત્ર લીક અને અન્ય અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે, જેથી મહેનતુ વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થઈ શકે. તેમણે જણાવ્યું કે ગુનો કરનાર વ્યક્તિ ગમે તેટલી પહોંચ ધરાવતી હોય કે શક્તિશાળી હોય, કાયદા મુજબ તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, "મોદીજીની ગેરંટી એટલે કામ પૂરું થવાની ગેરંટી." આ કાયદો દેશના લાખો વિદ્યાર્થીઓની મહેનત, તેમના સપનાઓ અને ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
અંતમાં તેમણે વિદ્યાર્થીઓને નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરીને પોતાના લક્ષ્યો હાંસલ કરવા શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે સરકાર હંમેશા મહેનતુ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.
– ધારાસભ્ય માનસિંહ કે. ચૌહાણ
૧૨૧-બાલાસિનોર વિધાનસભા
    user_Sagar Zala
    Sagar Zala
    Photographer બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • પાવાગઢ નજીક ટ્રાવેલ્સ બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત, લુણાવાડાના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત પાવાગઢ નજીક ટ્રાવેલ્સ બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત, લુણાવાડાના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત પાવાગઢ નજીક આવેલી કંકુની વાડી પાસે આજે શનિવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક ટ્રાવેલ્સ લક્ઝરી બસે બાઇકને જોરદાર અડફેટે લેતાં બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, મૂળ મુનપુર (લુણાવાડા)ના વતની અને હાલ અરાદ ગામે પોતાના સગાને ત્યાં રહેતા આદિત્ય યોગેશભાઈ ભાટિયા તેમના મિત્ર મિત પટેલ સાથે બોડેલી ખાતે કોઈ કામ અર્થે ગયા હતા. કામ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કંકુની વાડી નજીક કાળ બનીને આવેલી લક્ઝરી બસે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલક આદિત્ય ભાટિયાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા મિત પટેલનો સામાન્ય ઈજાઓ સાથે આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જાયા બાદ લક્ઝરી બસનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૂર્તદેહ નો કબજો મેળવી તેને પીએમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને ફરાર બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    પાવાગઢ નજીક ટ્રાવેલ્સ બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત, લુણાવાડાના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત
પાવાગઢ નજીક ટ્રાવેલ્સ બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત, લુણાવાડાના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત
પાવાગઢ નજીક આવેલી કંકુની વાડી પાસે આજે શનિવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક ટ્રાવેલ્સ લક્ઝરી બસે બાઇકને જોરદાર અડફેટે લેતાં બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, મૂળ મુનપુર (લુણાવાડા)ના વતની અને હાલ અરાદ ગામે પોતાના સગાને ત્યાં રહેતા આદિત્ય યોગેશભાઈ ભાટિયા તેમના મિત્ર મિત પટેલ સાથે બોડેલી ખાતે કોઈ કામ અર્થે ગયા હતા. કામ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કંકુની વાડી નજીક કાળ બનીને આવેલી લક્ઝરી બસે તેમને અડફેટે લીધા હતા.
આ અકસ્માતમાં બાઇક ચાલક આદિત્ય ભાટિયાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા મિત પટેલનો સામાન્ય ઈજાઓ સાથે આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જાયા બાદ લક્ઝરી બસનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૂર્તદેહ નો કબજો મેળવી તેને પીએમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને ફરાર બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.