બરવાળા તાલુકાના રાણપરી ગામે ખેડૂત શિબિરમાં “પ્રાકૃતિક ખેતી અને બાગાયતી યોજના" અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું બોટાદ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા તા.૨૮/૦૭/૨૦૨૬ના રોજ બરવાળા તાલુકાના રાણપરી ગામે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીના બાગાયત અધિકારીશ્રી એમ. એન. રાઠોડ દ્વારા ખેડુતોને પ્રાકૃતિક ખેતી, બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી તેમજ સરકારશ્રીની બાગાયત ખાતા લગત વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ આ તાલીમ કાર્યક્રમમાં અધિકારીશ્રી દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાનાં લાભો અંગે માહિતી આપી હતી. પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અંગે પણ વિગતવાર માહિતી આપી હતી. તેમજ ખેતીમાં તેના અમલીકરણથી ખેતી ખર્ચમાં ઘટાડો તેમજ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાનાં લાભો વિષે ખેડૂતોને સમજાવ્યા હતા. સંકલિત પોષણ વ્યવસ્થાપન દ્વારા પાકની ગુણવત્તા અને ઉત્પાદન વધારવા અંગેની સમજ આપવામાં આવી હતી. બાગાયત વિભાગ દ્વારા અમલમાં રહેલી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતો મેળવી શકે તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યાં હતા. આ તાલીમ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહિને પ્રાકૃતિક ખેતી અને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. શિબિરમાં જિલ્લા ખેતી અધિકારી, મદદનીશ ખેતી નિયામક, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીના બાગાયત અધિકારીશ્રી એમ. એન. રાઠોડ સહીત અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
બરવાળા તાલુકાના રાણપરી ગામે ખેડૂત શિબિરમાં “પ્રાકૃતિક ખેતી અને બાગાયતી યોજના" અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું બોટાદ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા તા.૨૮/૦૭/૨૦૨૬ના રોજ બરવાળા તાલુકાના રાણપરી ગામે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીના બાગાયત અધિકારીશ્રી એમ. એન. રાઠોડ દ્વારા ખેડુતોને પ્રાકૃતિક ખેતી, બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી તેમજ સરકારશ્રીની બાગાયત ખાતા લગત વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ આ તાલીમ
કાર્યક્રમમાં અધિકારીશ્રી દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાનાં લાભો અંગે માહિતી આપી હતી. પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અંગે પણ વિગતવાર માહિતી આપી હતી. તેમજ ખેતીમાં તેના અમલીકરણથી ખેતી ખર્ચમાં ઘટાડો તેમજ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાનાં લાભો વિષે ખેડૂતોને સમજાવ્યા હતા. સંકલિત પોષણ વ્યવસ્થાપન દ્વારા પાકની ગુણવત્તા અને ઉત્પાદન વધારવા અંગેની સમજ આપવામાં આવી હતી. બાગાયત વિભાગ દ્વારા અમલમાં રહેલી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતો મેળવી
શકે તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યાં હતા. આ તાલીમ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહિને પ્રાકૃતિક ખેતી અને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. શિબિરમાં જિલ્લા ખેતી અધિકારી, મદદનીશ ખેતી નિયામક, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીના બાગાયત અધિકારીશ્રી એમ. એન. રાઠોડ સહીત અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
- ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ. *ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ.* આજ અમદાવાદ ગ્રામ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય અમદાવાદ ગ્રામ્યના ધંધુકા શહેર વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારો તેમજ ગામડાઓની મુલાકાત લેવામાં આવું. હવામાન વિભાગ દ્વારા તા. 31/07/2026 થી 02/08/2026 દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ હોય. જે ધ્યાનમાં રાખી ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પાણી ભરાવાની શક્યતા ધરાવતા ગામો " મોટાત્રાડીયા " " બાજરડા "તથા સંવેદનશીલ સ્થળોની મુલાકાત કરી ગામના આગેવાનો સરપંચો સાથે તકેદારી અંગે કેવા કેવા પગલાં ભરવા શું તકેદારી રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી. પાણી ભરાયેલા રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવી. કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક 112 અથવા ધંધુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અફવાઓથી દૂર રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવું.1
- લીંબડી બ્લોક હેલ્થ કચેરી ખાતે હવામાન વિભાગની આગાહીને લઈને PHC ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અતિ ભારે વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી અનુસંધાને લીંબડી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા તત્કાલ PHC ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજી અને phc લેવલે ડોક્ટરો અને સુપરવાઇઝર ની ટીમ બનાવવામાં આવી તેમજ આ ટીમો દ્વારા શું કામગીરી કરવી તે બાબતની તમામ સૂચનાઓ તાલુકા હેલ્થ ઓફિસર ડો, હર્ષિલ સોલંકી, હેલ્થ સુપરવાઇઝર મનોજભાઈ ભટ્ટ દ્વારા સૂચના આપવામાં આવી તેમજ લીબડી બ્લોક લેવલથી જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ દરેક પ્રકારનો આરોગ્યલક્ષી દવાનો જથ્થો પહોંચતો કરી દેવામાં આવ્યો છે તેમજ સહગર્ભા બહેનો માટે પણ અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે તેમજ સુપરવાઇઝર દ્વારા તેમજ THO દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગાહી સમય દરમિયાન તેમજ આગાહી પૂર્ણ થયા બાદ પણ ગ્રામ્ય કક્ષાએ લોકોને તમામ પ્રકારની આરોગ્ય સુવિધા મળી રહે અને લોકોને મુશ્કેલી ઉભી ના થાય તે બાબતની તમામ પ્રકારની કાળજી આ ટીમો બનાવી આવરી લેવામાં આવી છે.1
- શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ. શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.1
- युवा पीढी का आक्रोस हम को सभी को ऐक समजना नहि चाहिये ।1
- બોટાદ બ્રેકિંગ બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મુખ્ય બજારમાં દિવાલ ધરાશાયી થઈ રાત્રિના સમયે સતત વરસાદ ને કારણે દિવાલ ધરાશાયી થઈ, સદનશીબે જાનહાની ટળી.... હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે તે રીતે જ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગતરાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો છે... સતત વરસાદને કારણે રાણપુર શહેરની મુખ્ય બજારમાં એક દિવાલ ધરાસાઈ થયાની ઘટના સામે આવી છે... મુખ્ય રોડ ઉપર મેન બજારમાં દિવાલ ધરાસાઈ થઈ છે જોકે રાત્રિના સમયે દીવાલ ધરાસાઈ થતાં કોઈ જાનહાની થઈ નથી... રાણપુર શહેરની મુખ્ય બજારમાં આ દિવાલ છે તે ધરાશાયી થઈ છે.. સદનશીબે રાત્રીનો સમય હોવાથી ત્યા કોઈ લોકો હાજર નહી હોવાથી મોટી જાનહાની ટળી.. આ રોડ ઉપર મુખ્ય બજાર છે અહીં દિવાલ પાસે લારી ધારકો ધંધો રોજગાર કરતા હોય છે ત્યારે આ દિવાલ રાત્રીના સમયે ધરાશાય થતાં સદનશીબે કોઈ જાનહાની થઈ નથી... સતત વરસાદને કારણે આ દિવાલ ધરાશાયી થઈ હોય તેવી માહીતી સામે આવી છે... રીપોર્ટર/ ચિંતન વાગડીયા મો/80008348884