Shuru
Apke Nagar Ki App…
DAHOD_આદિવાસી ભીલ સમાજમાં લગ્ન સમારોહ અંગેના ખાસ નિયમો અને નિયમો. #news #dahod #breaking #adivasi
RJ BHARAT NEWS7...सदैव सत्य के
DAHOD_આદિવાસી ભીલ સમાજમાં લગ્ન સમારોહ અંગેના ખાસ નિયમો અને નિયમો. #news #dahod #breaking #adivasi
More news from Gujarat and nearby areas
- દાહોદ GSRTC વર્ક શોપ ખાતે સ્ટાફ દ્વારા હોળી ધુળેટી પર્વની કરાઈ ઉજવણી આજે તારીખ 04/03/2026 બુધવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણીનો ઉત્સાહ સર્વત્ર જોવા મળ્યો હતો. ત્યારે દાહોદ સ્થિત GSRTC વર્કશોપ ખાતે પણ સ્ટાફ દ્વારા હોળી ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. વર્કશોપના અધિકારીઓ અને કર્મચારીઓએ એકબીજાને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવી અને ભાઈચારો, એકતા તથા સૌહાર્દનો સંદેશ આપ્યો. ઉજવણી દરમિયાન સ્ટાફે મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું કે આવા તહેવારો માત્ર આનંદનો પ્રસંગ નથી, પરંતુ સહકર્મચારીઓ વચ્ચે પરસ્પર સ્નેહ અને સંકલન વધારવાનો અવસર પણ છે. કાર્યસ્થળ પર સકારાત્મક વાતાવરણ સર્જાઈ રહે તે માટે આવા સામૂહિક કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થાય છે. ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે, જેમાં લોકો વચ્ચે આનંદ અને એકતાનો ભાવ વધુ મજબૂત બન્યો છે.1
- DAHOD_આદિવાસી ભીલ સમાજમાં લગ્ન સમારોહ અંગેના ખાસ નિયમો અને નિયમો. #news #dahod #breaking #adivasi1
- Post by Salman moravala1
- સંતરામપુર તાલુકાના ભમરી ( હોળી ફળીયા ) ખાતે લીમડાના ઝાડ માંથી કુદરતી રીતે નિકળતા દૂધ જેવા પ્રવાહીની વિસ્તારના ધારાસભ્ય ડૉ.કુબેરભાઈ ડીંડોરે મુલાકાત લીધી. આ લીમડો વરસો પૌરાણિક હોવાનું જાણવા મળેલ છે જ્યારે આ લીમડામાથી સફેદ કલરના દૂધ જેવું પ્રવાહી વહ્યા કરે છે આ સફેદ દૂધ જેવા પ્રવાહીની શરુઆત શિવરાત્રીના દિવસથી શરુ થતા એક આસપાસના વિસ્તારોમાં લોકો જોવા માટે ઉમટી પડતા હોય છે આજે ધુળેટીના પાવન પર્વે નિમિત્તે સંતરામપુરના ધારાસભ્ય ડૉ કુબેરભાઇ ડીડોરે પણ પૂજા અર્ચના કરી હતી જે કોય હોય કુદરતી અથવા જે કોઈ હશે તે તપાસનો વિષય છે જેને લઇને નજીકમાં માનગઢની પવિત્ર ભૂમિ પણ કહી શકાય1
- છોટાઉદેપુર : વિશેષ અહેવાલ આદિવાસી સંસ્કૃતિ અને અડગ શ્રદ્ધાનો જીવંત પ્રતિક ગણાતો ચુલનો મેળો દર વર્ષે હોળી પર્વ નિમિત્તે અનોખી ભવ્યતા સાથે યોજાય છે. Chhota Udepur જિલ્લામાં ધુળેટીના દિવસે ધગધગતા અંગારાઓ પર નિર્ભયતાથી ચાલવાની પરંપરા આજે પણ યથાવત્ છે અને આ અદભુત દૃશ્ય જોવા માટે હજારો લોકો ઉમટી પડે છે. હોળી આદિવાસી સમાજનો સૌથી મોટો અને પ્રિય તહેવાર માનવામાં આવે છે. રોજગાર માટે રાજ્યના વિવિધ ભાગોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ વિસ્તારમાં ગયેલા પરિવારો પણ આ પર્વે પોતાના વતન પરત ફરે છે. લોકમાન્યતા મુજબ “દિવાળી-દશેરા જ્યાં પણ ઉજવાય, પરંતુ હોળી તો વતનમાં જ.” આ કહેવત અહીં સાકાર થતી જોવા મળે છે. હોળીના સાત દિવસ પહેલાંથી જ જિલ્લામાં વિવિધ સ્થળોએ મેળાઓનો પ્રારંભ થાય છે. આદિવાસી ભાઈ-બહેનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ઢોલ, તાસા, ખંજરી અને વાંસળીના તાલે નૃત્ય-ગાન કરે છે અને ઉત્સવની મજા માણે છે. છોટાઉદેપુર નગરમાં એસ.એફ. હાઈસ્કૂલ પાછળના મેદાન ખાતે વર્ષોથી ચુલનો મેળો ભરાતો આવ્યો છે. કહેવાય છે કે સદીથી પણ વધુ સમયથી આ પરંપરા અવિરત ચાલી રહી છે. વર્ષ દરમિયાન મનમાં રાખેલી માનતા પૂર્ણ કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહે છે અને ધગધગતા અંગારાઓ પર ચાલી પોતાની બાધા પૂર્ણ કરે છે. ચુલના મેળાની ખ્યાતિ રાજ્યની સીમાઓ પાર કરી દેશ-વિદેશ સુધી પહોચી છે. પરિણામે રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય પ્રદેશોમાંથી પણ સહેલાણીઓ અહીં આવે છે. વિદેશી પર્યટકો પણ આ અનોખી પરંપરા અને આદિવાસી સંસ્કૃતિના રંગોને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળે છે. મેળામાં રંગબેરંગી પરંપરાગત પહેરવેશ, ઢોલ-નગારાના ગર્જતા તાલ અને ઉમંગભેર નૃત્ય સમગ્ર વાતાવરણને ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર બનાવી દે છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સળગતા અંગારાઓ પર ચાલવા છતાં શ્રદ્ધાળુઓને સામાન્ય રીતે કોઈ ઈજા થતી નથી કે પગમાં છાલા પડતા નથી. શ્રદ્ધા અને પરંપરાની આ અનોખી સંગમભૂમિ તરીકે ચુલનો મેળો આજે પણ આદિવાસી અસ્મિતા અને સાંસ્કૃતિક વારસાનું ગૌરવસભર પ્રતિબિંબ બની રહ્યો છે.1
- સંખેડાની પરંપરાગત કળા દ્વારા બહેનો બની આત્મનિર્ભર1
- પુષ્ટિભકિતમાં અનન્ય માહાત્મય ધરાવતા ફૂલફાગ હોળી રસીયા મહોત્સવની કાલોલના વૈષ્ણવ સમાજ દ્વારા એનએમજી હોસ્પિટલ ચોક આંગણે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખાતે પુષ્ટિ ભકિત પ્રેરક પૂ. પા. ગો. 108 શ્રી રવિકુમારજી મહારાજશ્રી (મથુરા-કાંકરોલી-વડોદરા-ભરૂચ) , અ . સૌ શ્રીયાંગના વહુજી મહારાજ , ચી.પૂ પા.ગૌ ૧૦૮ શ્રી મધુરમકુમાર મહોદય (વ્રજપાલ લાલજી) અ. સૌ. વૃજાંગના વહુજી સમેત વલ્લભકુળ પરીવારની મંગલ ઉપસ્થિતીમાં વૈષ્ણવ સમાજ આયોજીત ફૂલફાગ મનોરથમાં કાલોલ નગર સહિત આસપાસના અંદાજે ૨૦૦૦ જેટલા વૈષ્ણવ ખેલૈયાઓ સ્વયંભૂ ઉમટી પડતા મનોરથ સ્થળે વ્રજભૂમિ જેવો અલૌકિક માહોલ સર્જાયો હતો. કાલોલ વૈષ્ણવ સમાજ અને ખાસ કરીને યુવા વૈષ્ણવો ઘ્વારા મનોરથની જાજવલ્યમાન ઉજવણીના ઉપલક્ષમાં પાછલા કેટલાક દિવસોથી ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આજે વહેલી સવારથી જ કાલોલ અને આસપાસના વૈષ્ણવો આગમન થતાં કાલોલ વૈષ્ણવ સમાજે સૌને ઉષ્માભેર આવકાર્યા હતા.આ પ્રસગે તમામ વૈષ્ણવજન કેસરી પરીધાનમાં સજ્જ રહેતા કેશૂડીયો માહોલ સર્જાર્યો હતો. જયાં સાયંકાલે વલ્વકુળ પરીવારના પ્રેરક આશિર્વચનો - ચરણ સ્પર્શ અને વૈષ્ણવાચાર્ય પુ પા ગૌ ૧૦૮ શ્રી રવીકુમાર તેમજ વહુજી મહારાજ અને વલ્લભકુલ પરીવાર ની અલૌકિક ઉપસ્થિતીમાં વૈષ્ણવ સમાજે ફૂલફાગ હોળી ખેલ અને રસીયાનો લોકિક લ્હાવો લૂટયો હતો.વલ્લભકુલ પરિવાર સાથે વૈષ્ણવોએ ફૂલો ની પાંખડીઓ થી ફુલફાગ ની ઉજવણી કરી હતી.ડેરોલ સ્ટેશન ના શ્રી કૃષ્ણ ભજન મંડળ દ્વારા રસીયા નુ ગાન કરવામાં આવ્યુ હતુ. વૈષ્ણવ સમાજ ની લાગણીને માન આપી વલ્લભકુલ પરીવાર દ્વારા પણ રસીયા ગાન કરવામાં આવ્યું હતુ.મનોરથના અંતે સમૂહ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર ઉત્સવ કાલોલ વૈષ્ણવ સમાજના મનોરથ સ્વપે ઉજવાયો હતોફૂલફાગ મનોરથ અંતર્ગત અંદાજીત 1.5 મે.ટન ઉપરાંતના ગુલાબપર્ણો ઉપયોગમાં લેવાયા હતા જેને ચૂંટી કાઢવા મહિલા મંડળ સહિત વૈષ્ણવોએ સેવાઓ આપી હતી.2
- ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ધૂળેટીની ઉજવણી કરાઈ,DYSP પણ ઉજવણીમાં જોડાયા આજે તારીખ 04/03/2026 બુધવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં ઝાલોદ શહેરના ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે હોળી-ધૂળેટીનો પર્વ ઉત્સાહ, આનંદ અને સામાજિક સમરસતાના સંદેશ સાથે ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર દાહોદ જિલ્લામાં રંગોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રંગોનો આ પર્વ ઉજવાયો હતો. ઝાલોદ ડિવિઝનના ડૉ. ડી.આર. પટેલ, પોલીસ સ્ટેશનના પી.આઈ. રવિ ગામીત તેમજ પી.એસ.આઇ સીસોદીયા સહિત સમગ્ર પોલીસ સ્ટાફે ડીજેના તાલે ટીમલી રમતા એકબીજાને અબીલ-ગુલાલ, કંકુ અને કુદરતી કેશુડાના રંગોથી રંગી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. *“રંગો ભળે ત્યારે દિલો ભળે” – ડી.વાય.એસ.પી ડી.આર. પટેલનો સંદેશ* ડી.વાય.એસ.પી ડી.આર. પટેલે ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ તે સમાજમાં રહેલી ભેદભાવની દીવાલોને દૂર કરી સૌને એક મંચ પર લાવવાનો અવસર છે. તેમણે જણાવ્યું કે પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસ, પારદર્શિતા અને મિત્રતા વધુ મજબૂત બને તે માટે આવા ઉત્સવો મહત્વપૂર્ણ છે. તેમણે નાગરિકોને શાંતિપૂર્ણ, સલામત અને સૌહાર્દપૂર્ણ રીતે તહેવાર ઉજવવા અનુરોધ કર્યો હતો. *“પોલીસ તમારી મિત્ર” – પી.આઈ. રવિ ગામીતનો સંદેશ* પી.આઈ. રવિ ગામીતે જણાવ્યું હતું કે પોલીસ માત્ર કાયદો-વ્યવસ્થા જાળવતી સંસ્થા નથી, પરંતુ સમાજનો એક અભિન્ન ભાગ છે. તહેવારો દરમિયાન પ્રજાની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારી પ્રથમ ફરજ છે. તેમણે ઉમેર્યું કે હોળી-ધૂળેટી જેવા પર્વો સમાજમાં સકારાત્મક ઉર્જા, પરસ્પર સન્માન અને એકતાનો ભાવ પ્રગટ કરે છે. *સામાજિક સમરસતાનો જીવંત ઉદાહરણ* ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી આ ઉજવણી એ પ્રજા-પોલીસ મિત્રતાનું જીવંત ઉદાહરણ બની રહી. રંગોની મસ્તીમાં પણ જવાબદારી અને સંવેદનશીલતા જાળવી પોલીસ સ્ટાફે સંદેશ આપ્યો કે શાંતિ, સમરસતા અને સહઅસ્તિત્વ જ સાચા ઉત્સવની ઓળખ છે. હોળી-ધૂળેટીનો આ રંગોત્સવ માત્ર આનંદ સુધી સીમિત ન રહી, પરંતુ સમગ્ર સમાજને એકતા, ભાઈચારા અને માનવતા તરફ આગળ વધવા પ્રેરિત કરતો સંદેશ આપી ગયો.1