મેરા યુવા ભારત, NSS અને SAIનો સંયુક્ત ઉપક્રમ: બનાસકાંઠાના યુવાનો રમતગમત દ્વારા વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાશે *હોકી લિજેન્ડ મેજર ધ્યાનચંદની સ્મૃતિમાં વિશેષ આયોજન: પાલનપુર-ડીસામાં રમતવીરો સાથે યોજાશે સ્થાનિક યુવા સંવાદ* મેરા યુવા ભારત (માય ભારત) બનાસકાંઠા, રાષ્ટ્રીય સેવા યોજના (NSS) તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય રમત દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે 27 ઓગસ્ટ, 2026ના રોજ “ખેલો ઈન્ડિયા સંવાદ – ખેલ કી બાત પીએમ કે સાથ” કાર્યક્રમનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ, પાલનપુર તથા ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસા ખાતે એકસાથે કરવામાં આવશે. આ કાર્યક્રમ ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલયની રાષ્ટ્રવ્યાપી પહેલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રમતગમત, તંદુરસ્તી, શિસ્ત તથા રાષ્ટ્રનિર્માણની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે. મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા રાષ્ટ્રીય રમત દિવસને સમર્પિત આ કાર્યક્રમ દ્વારા યુવાનોને રમતગમતના માધ્યમથી વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરિત કરવામાં આવશે. આ કાર્યક્રમ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંબોધનથી થશે. ત્યારબાદ સ્થાનિક કક્ષાએ યોજાનારા યુવા સંવાદમાં પ્રતિષ્ઠિત ખેલાડીઓ તથા મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવશે. આ દરમિયાન રમત સંસ્કૃતિ, ફિટ ઈન્ડિયા, યુવા નેતૃત્વ તથા ભારતના રમતગમતના ભવિષ્ય જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. બંને મહાવિદ્યાલયોમાં યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, NSS સ્વયંસેવકો તથા માય ભારત સ્વયંસેવકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ અંતર્ગત નોંધણી, રમતગમતની સિદ્ધિઓ આધારિત ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિ, રાષ્ટ્રીય રમત દિવસ પર લઘુ ફિલ્મનું પ્રદર્શન, પ્રધાનમંત્રીશ્રીનું સંબોધન તથા સ્થાનિક યુવા સંવાદ સહિતના કાર્યક્રમો યોજાશે. જિલ્લા યુવા અધિકારી સુશ્રી સી.એ. કંચન રામરખ્યાણીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રમતગમત સાથે જોડવા, સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવા તેમજ વિકસિત ભારત @2047ના લક્ષ્યની પ્રાપ્તિમાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. માય ભારત બનાસકાંઠા દ્વારા તમામ વિદ્યાર્થીઓ, યુવાનો તથા સ્વયંસેવકોને આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાષ્ટ્રીય રમત દિવસ 2026ને રમતભાવના, એકતા અને યુવા શક્તિના ઉત્સવ તરીકે સફળ બનાવવાની અપીલ કરવામાં આવી છે.
મેરા યુવા ભારત, NSS અને SAIનો સંયુક્ત ઉપક્રમ: બનાસકાંઠાના યુવાનો રમતગમત દ્વારા વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાશે *હોકી લિજેન્ડ મેજર ધ્યાનચંદની સ્મૃતિમાં વિશેષ આયોજન: પાલનપુર-ડીસામાં રમતવીરો સાથે યોજાશે સ્થાનિક યુવા સંવાદ* મેરા યુવા ભારત (માય ભારત) બનાસકાંઠા, રાષ્ટ્રીય સેવા યોજના (NSS) તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય રમત દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે 27 ઓગસ્ટ, 2026ના રોજ “ખેલો ઈન્ડિયા સંવાદ – ખેલ કી બાત પીએમ કે સાથ” કાર્યક્રમનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ, પાલનપુર તથા ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસા ખાતે એકસાથે કરવામાં આવશે. આ કાર્યક્રમ ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલયની રાષ્ટ્રવ્યાપી પહેલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રમતગમત, તંદુરસ્તી, શિસ્ત તથા રાષ્ટ્રનિર્માણની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે. મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા રાષ્ટ્રીય રમત દિવસને સમર્પિત આ કાર્યક્રમ દ્વારા યુવાનોને રમતગમતના માધ્યમથી વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરિત કરવામાં આવશે. આ કાર્યક્રમ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંબોધનથી થશે. ત્યારબાદ સ્થાનિક કક્ષાએ યોજાનારા યુવા સંવાદમાં પ્રતિષ્ઠિત ખેલાડીઓ તથા મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવશે. આ દરમિયાન રમત સંસ્કૃતિ, ફિટ ઈન્ડિયા, યુવા નેતૃત્વ તથા ભારતના રમતગમતના ભવિષ્ય જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. બંને મહાવિદ્યાલયોમાં યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, NSS સ્વયંસેવકો તથા માય ભારત સ્વયંસેવકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ અંતર્ગત નોંધણી, રમતગમતની સિદ્ધિઓ આધારિત ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિ, રાષ્ટ્રીય રમત દિવસ પર લઘુ ફિલ્મનું પ્રદર્શન, પ્રધાનમંત્રીશ્રીનું સંબોધન તથા સ્થાનિક યુવા સંવાદ સહિતના કાર્યક્રમો યોજાશે. જિલ્લા યુવા અધિકારી સુશ્રી સી.એ. કંચન રામરખ્યાણીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રમતગમત સાથે જોડવા, સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવા તેમજ વિકસિત ભારત @2047ના લક્ષ્યની પ્રાપ્તિમાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. માય ભારત બનાસકાંઠા દ્વારા તમામ વિદ્યાર્થીઓ, યુવાનો તથા સ્વયંસેવકોને આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાષ્ટ્રીય રમત દિવસ 2026ને રમતભાવના, એકતા અને યુવા શક્તિના ઉત્સવ તરીકે સફળ બનાવવાની અપીલ કરવામાં આવી છે.
- લાખણી-દિયોદરના ખેડૂતોની વીડિયો કોલથી રજૂઆતને ત્વરિત પ્રતિસાદ, સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતો લાંબા સમયથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા. ચોમાસાની અનિયમિતતા વચ્ચે ખેતરમાં ઉભા પાકને પાણીની તાતી જરૂરિયાત હોય, ત્યારે ખેડૂતોએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને વીડિયો કોલના માધ્યમથી સીધી રજૂઆત કરી હતી. ખેડૂત આગેવાનોએ વીડિયો કોલમાં કેનાલ વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવી અને તાત્કાલિક પાણી છોડવા વિનંતી કરી હતી. ખેડૂતોની આ લાગણી અને માંગને માનનીય અધ્યક્ષશ્રીએ ગંભીરતાથી લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી. જેના પરિણામ સ્વરૂપે બીજા જ દિવસે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા સમગ્ર લાખણી અને દિયોદર પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો છે. ખેતરોમાં પાણી પહોંચતા ખેડૂતોએ માનનીય શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની આ ત્વરિત કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.1
- ઈશ્વરે આપણંને વાવતાં જ શીખવાડયું છે, બાકી ઉગાડવાનું આજે પણ એના હાથમાં જ રાખ્યું છે... *પછી એ ખેતર હોય કે જીવતર...*🌱🌿1
- થરાદ-સાંચોર હાઇવે પર સ્વિફ્ટની છોટા હાથીને ટક્કર, રામદેવરાથી પરત ફરતા મુસાફરો ઈજાગ્રસ્ત..... પાછળથી પૂરઝડપે આવેલી સ્વિફ્ટ કારે છોટા હાથીને અડફેટે લેતાં અકસ્માત; ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા....1
- થરાદ મા ઈદે મિલાદનો ભવ્ય જુલૂસ કોમી એકતા નો સુંદર સંદેશ હજરત મહંમદ સાહેબના જન્મ દિવસ નિમિત્તે પવિત્ર તહેવાર ની ઉજવણી. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- થરાદ ના શિવનગરની સુફ કશીદાકારીનું દેશના સર્વોચ્ચ નેતૃત્વ સુધી પહોંચવું સમગ્ર વાવ-થરાદ માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ બની છે. થરાદ: વાવ-થરાદ જિલ્લાના સરહદી થરાદ તાલુકાના શિવનગર ગામની પેઢીઓ જૂની પરંપરાગત ‘સુફ કશીદાકારી’ને રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ ઓળખ મળી છે. નવી દિલ્હી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને શિવનગરની અસલ સુફ કશીદાકારીથી તૈયાર કરાયેલી વિશિષ્ટ શાલ અર્પણ કરી હતી. સુફ કશીદાકારીમાં કોઈ પૂર્વ રેખાંકન કે છાપકામ વિના માત્ર દોરાના તારની ગણતરી કરીને ત્રિકોણાકાર અને ભૌમિતિક ભાતો તૈયાર કરવામાં આવે છે. શિવનગરના સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલી આ હસ્તકળાની ઝીણવટભરી કારીગરી અને પરંપરાગત કળાને વડાપ્રધાનશ્રીએ નિહાળી તેની પ્રશંસા કરી હતી. શિવનગરની આ કળા દેશના વડાપ્રધાન સુધી પહોંચતા સ્થાનિક કારીગરો અને સમગ્ર વાવ-થરાદ પંથકમાં ગૌરવની લાગણી પ્રસરી છે. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયાસોથી સરહદી વિસ્તારની આ પરંપરાગત હસ્તકળાને રાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ મળી છે. વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલથી શિવનગરની સુફ કશીદાકારી સાથે જોડાયેલા કારીગરોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે. આ સન્માનથી સ્થાનિક હસ્તકળાને આગામી સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી તકો મળવાની સંભાવના પણ ઉભી થઈ છે.1
- સમીમાં ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમી: સમી-રાધનપુર હાઇવે પર વઢીયાર પેટ્રોલ પંપની સામે આવેલ રામ્ય શોપિંગ સેન્ટર-3 ખાતે આજે ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું શુભ મુહૂર્ત સાથે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવા શરૂ થયેલા આ વર્કશોપને લઈને વાહનચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપમાં હવે તમામ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના સર્વિસિંગ, રિપેરિંગ તેમજ વાહનને લગતા વિવિધ કામો કરવામાં આવશે. ગ્રાહકોને પોતાના વાહનની જાળવણી અને રિપેરિંગ માટે એક જ સ્થળે સારી સુવિધા મળી રહે તે હેતુથી વર્કશોપ શરૂ કરવામાં આવ્યું છે. વર્કશોપમાં વિવિધ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના કામકાજ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહનચાલકોને તેમની ગાડીના સર્વિસિંગ તથા રિપેરિંગ માટે યોગ્ય માર્ગદર્શન અને સેવા મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. ગજજર ઓટોમોબાઇલ્સના ઓનર વિમલભાઈ વિનોદભાઈ ગજજરે જણાવ્યું હતું કે, ગ્રાહકોને વિશ્વસનીય સેવા અને સંતોષકારક કામ મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફોરવ્હીલર વાહનધારકોને સર્વિસિંગ તથા રિપેરિંગ માટે સરળ અને સુવિધાજનક સેવા મળી રહે તે માટે આ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો.3
- ઇદે મિલાદૂન નબી નિમિત્તે ધાનેરામાં ભવ્ય જુલુસ યોજાયું: મુસ્લિમ સમુદાય દ્વારા પયગંબર સાહેબના જન્મદિનની શ્રદ્ધાપૂર્વક ઉજવણી ઇદે મિલાદૂન નબી નિમિત્તે ધાનેરામાં ભવ્ય જુલુસ યોજાયું: મુસ્લિમ સમુદાય દ્વારા પયગંબર સાહેબના જન્મદિનની શ્રદ્ધાપૂર્વક ઉજવણી ધાનેરામાં ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર ઇદે મિલાદૂન નબી (પેગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મજિન) નિમિત્તે શહેરભરમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. આ પવિત્ર અવસર પર મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નબીના આશિકો અને શહેરીજનો જોડાયા હતા. મુખ્ય આકર્ષણો: * શાંતિ અને ભાઈચારો: જુલુસ દરમિયાન સહુએ અમીની અને ભાઈચારાનો સંદેશો ફેલાવ્યો હતો. * નારે તકબીરનો ગુંજારવ: નબીની શાનમાં નારાઓ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. * રૂટ અને સુરક્ષા: ધાનેરાના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા આ જુલુસને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ ઉજવી શકાય. > આ પ્રસંગે વિવિધ સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહીને માનવતા, શાંતિ અને પરસ્પર પ્રેમનો સંદેશો આપ્યો હતો. ધાનેરામાં આ તહેવાર ઉત્સાહભેર ઉજવાતા સર્વધર્મ સમભાવનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું.4
- ખેડુત ની માંગ છે કેનાલ માં પાણી છોડાવો .,,,,,,,,,,,,,,,1