Shuru
Apke Nagar Ki App…
અરવલ્લી જિલ્લાના માલપુર ચાર રસ્તા ઉપર આવેલી મુતરી સફાઈ કામ થયેલ નથી
Riyaj Ghachi
અરવલ્લી જિલ્લાના માલપુર ચાર રસ્તા ઉપર આવેલી મુતરી સફાઈ કામ થયેલ નથી
More news from ગુજરાત and nearby areas
- Post by Gautam Patel1
- દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે.દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે. આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય1
- દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે. આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્દૂધના વિવાદમાં દહેગામમાં આરપારની લડાઈ: ૧૯ માર્ચે પશુપાલકો દ્વારા 'દહેગામ બંધ'નું એલાન દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે. આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ તમામ વેપારીઓ અને નાગરિકોને આ લડતમાં જોડાવા નમ્ર અપીલ કરી છે. જો આગામી સમયમાં પશુપાલકોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી1
- મહેસાણા ના નુગરમાં ONGCની લાઈવ ડિઝાસ્ટર મોક ડ્રિલ યોજાયું : તમામ કર્મચારીઓ સુરક્ષિત બચાવાયા મહેસાણા, ૧૭ માર્ચ ૨૦૨૬ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)ના મહેસાણા એસેટ દ્વારા નુગર ગામ નજીક આવેલા એક્સપ્લોરેટરી વેલ #JNYB (રિગ E-760-18) ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતા તપાસવા માટે એક લાઈવ ઓફસાઈટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ કવાયતમાં કૂવામાં વેલ-કિક અને ત્યારબાદ બ્લોઆઉટ જેવી કટોકટીની પરિસ્થિતિનું અનુકરણ કરીને ઓએનજીસી તેમજ રાજ્ય વહીવટીતંત્રની વિવિધ એજન્સીઓના ત્વરિત પ્રતિસાદ, સંકલન અને અસરકારકતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડ્રિલ દરમિયાન બ્લોઆઉટ પ્રિવેન્ટર (BOP)ને તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યું અને કટોકટીમાં ફસાયેલા ત્રણ ઈજાગ્રસ્ત કર્મચારીઓ સહિત તમામ ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ બચાવ કામગીરીમાં ઓએનજીસીની ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ (CMT), સેન્ટ્રલ ફાયર સ્ટેશન, મેડિકલ ટીમ, જિલ્લા વહીવટીતંત્રની ડિઝાસ્ટર ઓથોરિટી, મહેસાણા નગરપાલિકાનું ફાયર ટેન્ડર તેમજ 108 એમ્બ્યુલન્સ સેવા વચ્ચે અદ્ભુત સંકલન જોવા મળ્યું હતું. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે CMT દ્વારા વેલ-કંટ્રોલના તમામ જરૂરી પગલાં ઝડપથી લેવામાં આવ્યા બાદ સાઇટ પરથી ગેસ ડિટેક્શન પૂર્ણ થયું અને સ્થળને સુરક્ષિત જાહેર કરીને "ઓલ ક્લિયર" સિગ્નલ આપવામાં આવ્યું હતું. આ મોક ડ્રિલનું નિરીક્ષણ ઓએનજીસી મહેસાણાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તથા એસેટ મેનેજર સુનિલ કુમાર, મામલતદાર ગૌતમ વાણિયા તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કિંજલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓએનજીસીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટીમના સામૂહિક પ્રયાસો તથા ઓપરેશનની સફળતાની પ્રશંસા કરી હતી. આ પ્રકારની નિયમિત કવાયતો ઓએનજીસીની ઈમરજન્સી સજ્જતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની મજબૂતાઈને દર્શાવે છે, જે કટોકટીની પરિસ્થિતિમાં જીવન અને સંપત્તિના રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.1
- ફતેપુરા: અગામી તહેવારોને અનુલક્ષીને ફતેપુરા પોલીસ મથકે P.I. ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં P.I. સિવિલ ટેસ્ટમાં જોવા મળ્યા1
- કઠલાલ નગરપાલિકા હોલમાં આયુષ મેળાનું આયોજન:તબીબો દ્વારા આયુર્વેદિક પદ્ધતિથી રોગોનું નિદાન કર્યું https://www.divyabhaskar.co.in/local/gujarat/kheda/kathlal/news/kathlal-ayush-mela-citizens-benefit-health-care-137460137.html દિવ્યભાસ્કર ડીજીટલ મકસુદ કારીગર ,કઠલાલ મો.૭૦૧૬૫૧૮૯૬૩1
- ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર ભગીરથ શાકમાર્કેટ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બાઈક ચાલક સગર કનુભાઈ પ્રભુભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે.આ અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને પહેલા વડાલી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સોમવારે તેનું મૃત્યુ થયું હતું1
- સુરેન્દ્રનગર: રામદેવમહારાજ ની પ્રાણપ્રતીષ્ઠા મ્હોસવ યોજવા માં આવ્યો. સુરેન્દ્રનગર જીલ્લા ના બેચરાજી તાલુકાના ના માનાવાડા ગામે રામદેવપીર મહરાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના અને ગુજરાતી ફિલ્મો ના અભીનેતા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને ગુજરાતનુ ગૌરવ એવા બેન શ્રી સલોણીબેન ઠાકોર અને રંજના ઠાકોર એ ગરબા ની રમઝટ બોલાવી હતી બે લાખ જનમેદની સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ને નિહાળવા માટે દૂર દૂર થી તેમના ચાહકો ઊમટી પડ્યા હતા આ પ્રસગે માજી ધારાસભ્ય ભરતજી ડાભીઅને ખેડા જિલ્લામાંથી રાજેન્દ્રસિંહ ઠાકોર, વિજયસિંહ સોઢા દિલીપસિંહ ઠાકોર, રાજુભાઈ ઠાકોર,સુરેશભાઈ વાઘૈલા મહેશભાઈ પરમાર અને નિકુલડાભી બધાઐ સાથે મડી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ના પ્રોગ્રામ હાજરી આપી..2
- *ટ્રાફિક હટાવવા ગયેલ ટીઆરબી જવાનનુ પણ અકસ્માતમાં મોત* કાલોલ તાલુકા વેજલપુર ગામે આવેલ ખરસલીયા ચોકડી ઉપર ગમખ્વાર અકસ્માત ૨ નાં મોત, ૮ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે મળતી માહિતી મુજબ લુણાવાડા નો એક પરિવાર રમઝાન ઈદ આવતી હોવાથી બાળકો ને ગોધરા માંથી ઈદ ના કપડાંની ખરીદી કરવાની હોવાથી લુણાવાડા થી મારૂતિ વાન લઈને વેજલપુર ખાતે તેઓના બહેન ના ઘરે આવ્યા હતા અને ત્યાં જમણવાર પતાવી રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં વેજલપુર થી ગોધરા ઈદ ના કપડાંની ખરીદી કરવા જતાં હતા તે વખતે એક સાથે ચાર ગાડી ઓનો વેજલપુર ગામે આવેલ ખરસલીયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેજલપુરના મફતભાઈ જયંતીભાઈ બારીયા એ નોંધાવેલ ફરીયાદની વિગત જોતા સોમવારે રાત્રે સાડા દસ વાગ્યે ખરસાલીયા ચોકડી પાસે એક ડમ્પર રોડ ક્રોસ કરતું હતું ત્યારે એક બાઇક ઊભી હોય ટ્રાફિક જામ થયો હોય ટીઅરબી જવાન જગદીશભાઈ બારીયા ટ્રાફિક ક્લિયર કરાવવા ગયેલ તે સમયે ગોધરા તરફથી એક લાંબુ ટ્રેલર પૂર ઝડપે આવી ડમ્પર અને આઇસર તેમજ મારૂતિવાન ને તેમજ ટીઆરબી જવાન જગદીશભાઈ બારીયા ને અડફેટે લઈ રોડ બાજુની દુકાને અથડાયું હતુ મારુતિ વાનને બન્ને બાજુથી નુકશાન કરેલ જેથી ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તો ને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.કન્ટેનર, આઇસર,ટ્રેલર,વાન સહિત ચાર વાહનો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બે લોકોના ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.આ અકસ્માતમાં વેજલપુર ગામના TRB જવાન જગદીશ મફતભાઈ બારિયા અને લુણાવાડા નો વાન ચાલક અશરફ રશીદ પઠાણ નું મોત થયું હતું અકસ્માત એટલો ભયંકર હતો કે જેમાં બે યુવાન વ્યક્તિઓએ પ્રાણ ગુમાવ્યા છે અકસ્માત માં ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહનો અને 108 એમ્બ્યુલન્સમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અકસ્માત માં એક ને બંને પગના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને વેજલપુર પોલીસ નો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા ગંભીર અકસ્માતને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આ અકસ્માત માં બાળકો સહિત ૯ સભ્યો ઇજાગ્રસ્ત થયા છે જેમાં ૧ પુરૂષ ૪ મહિલા ૪ બાળકો નો ઇજાઓ થઈ હતી જેમાંથી એક પુરૂષ ની હાલત ગંભીર હોવાથી વડોદરા રિફર કરવામાં આવ્યો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલ TRB જવાન જગદીશ મફતભાઈ બારિયા અને વાન ચાલક અશરફ રશીદ પઠાણની લાશ પીએમ અર્થે ખસેડવામાં આવી વેજલપુર પોલીસ બેડા માં અને ટીઆરબી જવાનના પરિવાર સહિત ઈદની ખરીદી માટે મારુતિ વાન માં નીકળેલ વાન ચાલક ના પરિવારજનોમાં માતમ છવાયો હતો અને વેજલપુર પોલીસે ટ્રેલર ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે4