Shuru
Apke Nagar Ki App…
Patel nil bhai
More news from ગુજરાત and nearby areas
- 🗞️ બ્રેકિંગ ન્યૂઝ | પોરબંદર વિવાદ પોરબંદરમાં વાઈન શોપ શરૂ કરવાની પ્રસ્તાવને લઈને રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ નિર્ણય સામે કડક વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પાસે વાઈન શોપ શરૂ કરવાનું “દુઃખદ અને નિંદનીય” છે. પોરબંદર દેશના આદર્શો અને અહિંસાનું પ્રતિક છે, ત્યારે આવો નિર્ણય અસંવેદનશીલ હોવાનું પણ તેમણે જણાવ્યું. કોંગ્રેસે સરકારને આ પ્રસ્તાવ તાત્કાલિક પાછો ખેંચવા અપીલ કરી છે અને ગાંધીજીના સન્માનને જાળવવા માંગ કરી છે. 👉 હાલ આ મુદ્દે રાજકીય ચર્ચાઓ તેજ બની રહી છે.1
- Post by मानव सेवा केंद्र अहमदाबाद1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- સાંભળો યુવરાજસિંહ જાડેજાએ શું કહી1
- अहमदाबाद के साणंद: हरेकृष्ण सोसाइटी में गोगा महाराज जोगनीमाताजी प्राण प्रतिस्ठा माताजी नी प्राण प्रतिष्ठा महोत्सव संपन्न साणंद: साणंद शहर की हरेकृष्ण सोसाइटी में माताजी की प्राण प्रतिष्ठा महोत्सव अत्यंत हर्षोल्लास और भक्तिमय वातावरण में संपन्न हुआ इस अवसर पर मुख्य महेमान महंत श्री ऋषिभारती बापू ए हाजरी आपी हती अने सोसायटी ना भक्तो करण भाई पटेल जिगरभाई ठक्कर गौतमभाई चौहान जे. बी. भरवाड़ जवाभाई भरवाड़ आवाभाई भरवाड़ सभी निवासियों द्वारा विभिन्न धार्मिक कार्यक्रमों का भव्य आयोजन किया गया भव्य शोभायात्रा और मूर्ति स्थापना कार्यक्रम की शुरुआत सुबह खोड़ियार माता मंदिर से की गई वहां से हरेकृष्ण सोसाइटी के कॉमन प्लॉट तक बैंड-बाजों के साथ भुवाजी का भव्य स्वागत किया गया। इसके पश्चात शास्त्रीय विधि-विधान के साथ माताजी की मूर्ति की पदरामणी (स्थापना) की गई, जिसमें बड़ी संख्या में श्रद्धालु शामिल हुए दोपहर 4:15 बजे पवित्र श्रीफल होम यज्ञ आहुति की विधि पूर्ण की गई मंत्रोच्चार और भक्ति गीतों से पूरी सोसाइटी का वातावरण मंगलमय हो गया। शाम 6:00 बजे सोसाइटी के सभी सदस्यों और भक्तों के लिए महाप्रसाद का आयोजन किया गया सोसाइटी के सभी निवासियों ने इस अवसर को अपने परिवार का प्रसंग मानकर उत्साहपूर्वक अपनी उपस्थिति दर्ज कराई और कार्यक्रम को सफल बनाया रिपोट भरतसिंह चौहान अहमदाबाद4
- સાણંદની હરેકૃષ્ણ સોસાયટીમાં ભક્તિમય માહોલમાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન સાણંદ: સાણંદ શહેરની હરેકૃષ્ણ સોસાયટી ખાતે આયોજિત માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગેમહંત ઋષિભારતી બાપુ એ હાજરી આપીઅને સોસાયટીના કરણભાઇ પટેલ જીગરભાઈ ઠક્કર ગૌત્તમભાઇ ચૌહાણ જાવાભાઈ ભરવાડ આવાભાઈ ભરવાડ શંકરચંદભાઈ પંચાલ જે બી ભરવાડ તમામ રહીશો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય શોભાયાત્રા અને મૂર્તિ પધરામણી કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ખોડિયાર માતાના મંદિરેથી કરવામાં આવી હતી. ત્યાંથી હરેકૃષ્ણ સોસાયટીના કોમન પ્લોટ સુધી બેન્ડવાજાના તાલે ભુવાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે માતાજીની મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. બપોરે ૪:૧૫ કલાકે પવિત્ર શ્રીફળ હોમવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. મંત્રોચ્ચાર અને ભક્તિ ગીતોથી સમગ્ર સોસાયટીનું વાતાવરણ મંગલમય બની ગયું હતું સાંજે ૬:૦૦ કલાકે સોસાયટીના તમામ સભ્યો અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ્રસંગે ઋષિભારતી બાપુ હાજરી આપી હતી સોસાયટીના તમામ રહીશોએ આ પ્રસંગને પોતાના ઘરનો પ્રસંગ સમજીને ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ધરા પટેલ અમદાવાદ4
- road rasta Koi Kam nahin kar raha hai sadak ka kam koi nahin kar raha hai Kheda jila taluka Kheda1
- 🎓 શિક્ષણધામ કે છબરડાધામ? શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની 'ભવ્ય' બેદરકારી! "B.Com સેમેસ્ટર 4ની પરીક્ષામાં સેમેસ્ટર 2નું પેપર – શિક્ષણ જગતની એક શરમજનક ઘટના." ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં જ્યારે પણ લાગે કે હવે સુધારો થશે, ત્યારે જ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ પોતાના 'અનોખા છબરડા' દ્વારા સાબિત કરી દે છે કે – "અમે નહીં સુધરીએ!" 📍 ઘટનાનો ઘટનાક્રમ: સત્તાધીશોની ઊંઘ અને વિદ્યાર્થીઓની પીડા ગઈકાલે બિઝનેસ મેનેજમેન્ટના પેપરમાં જે જોવા મળ્યું તે કોઈ સામાન્ય ભૂલ નથી. સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓને જ્યારે સેમેસ્ટર 2 ના પ્રશ્નો પીરસવામાં આવ્યા, ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું યુનિવર્સિટીમાં બેઠેલા બાબુઓને '2' અને '4' વચ્ચેનો તફાવત પણ ખબર નથી ?❓ એક કલાકનો વેડફાટ: વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો ત્યારે એક કલાક પછી પેપર બદલાયું. આ એક કલાક દરમિયાન વિદ્યાર્થીઓની જે માનસિક સ્થિતિ થઈ, તેનો જવાબદાર કોણ ?❓ 📌કરોડોની ગ્રાન્ટ અને ફી, પરંતુ શૂન્ય વ્યવસ્થા: વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફીના નામે તગડી રકમ વસૂલતી યુનિવર્સિટી એક સાચું પેપર સેટ કરવામાં પણ લાચાર છે ? 🚫તંત્રને સીધા સવાલો: આ લોકશાહી છે કે શાસકોની મનમાની? ❓પેપર સેટરની લાયકાત શું?: જે વ્યક્તિ સેમેસ્ટર 4 ના અભ્યાસક્રમને બદલે સેમેસ્ટર 2 નું પેપર પકડાવી દે, શું તેને 'શિક્ષક' કહેવો જોઈએ? આવા બિનજવાબદાર લોકોને શા માટે હજુ સુધી બચાવવામાં આવે છે? ❓મોડરેટરની ગેરહાજરી કે મીલીભગત?: નિયમ મુજબ પેપર સેટ થયા પછી 'સબ્જેક્ટ એક્સપર્ટ' દ્વારા તેને વેરિફાય કરવાનું હોય છે. તો શું આ એક્સપર્ટ્સ માત્ર સહીઓ કરવા અને માનદ વેતન લેવા માટે જ બેઠા છે? ❓કાયમી પરીક્ષા નિયામકની ખોટ: યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકની આ ઘોર બેદરકારી છે શું આવા પરીક્ષા નિયામકના ભરોસે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાડવું એ જ નવી શિક્ષણ નીતિ છે ? 📌"ધન્ય છે એ પેપર સેટરને અને ધન્ય છે એ સીસ્ટમને, જેમને એ પણ ખબર નથી કે જે વિદ્યાર્થી સેમેસ્ટર 2 પાસ કરીને 4 માં આવ્યો છે, તેને ફરી એ જ જૂનું ભાણું પીરસવું એ મજાક નહીં પણ ગુનો છે!" 📌આ એક પ્રકારની બૌદ્ધિક આતંકવાદ જેવી સ્થિતિ છે. વિદ્યાર્થી મહેનત કરીને પરીક્ષાખંડમાં જાય અને ત્યાં તેને ખબર પડે કે યુનિવર્સિટીના સત્તાધીશો નશામાં છે કે ઘોર નિદ્રામાં! શું આ અધિકારીઓને UGC ના કડક નિયમોનો ડર નથી? ✅અમારી સ્પષ્ટ માંગણીઓ અને સુધારાના સૂચનો: માત્ર 'સોરી' કહેવાથી કે પેપર બદલવાથી વાત પૂરી થતી નથી. સિસ્ટમમાં ધરખમ ફેરફારની જરૂર છે: 🚫કડક આર્થિક દંડ: જે પેપર સેટરે આ છબરડો કર્યો છે તેને UGC ના નિયમો મુજબ તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આર્થિક દંડ ફટકારવામાં આવે. 🚫સબ્જેક્ટ એક્સપર્ટ દ્વારા ક્રોસ-ચેકિંગ: દરેક પેપર પ્રિન્ટિંગમાં જાય તે પહેલાં ઓછામાં ઓછા બે વિષય નિષ્ણાતો (Moderators) પાસે તેને ફરજિયાત ક્રોસ-ચેક કરાવવામાં આવે. જો પેપરમાં ભૂલ નીકળે તો મોડરેટર પર પણ કાયદેસરની કાર્યવાહી થાય. 🚫કોમ્યુનિકેશન ગેપ દૂર કરો: યુનિવર્સિટી અને કોલેજો વચ્ચેના સંવાદના અભાવે હંમેશા ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થીઓ ભોગ બને છે. આ ડિજિટલ યુગમાં પણ જો પેપર બદલવામાં એક કલાક લાગતો હોય, તો એ વહીવટી નિષ્ફળતાની ચરમસીમા છે. 🚫કાયમી નિમણૂક: પરીક્ષા વિભાગમાં લાયક અને કાયમી અધિકારીઓની નિમણૂક કરો, નિવૃત્ત કે ઇન્ચાર્જ લોકોના ભરોસે યુનિવર્સિટી ચલાવવાનું બંધ કરો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGW) અને એમ.એમ. ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કાલોલની આ ઘટના માત્ર એક 'ટેકનિકલ ભૂલ' નથી, પણ શિક્ષણના નામે ચાલતા તમાશાનું જીવંત ઉદાહરણ છે. હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતી આ યુનિવર્સિટીની બેદરકારી છે.વિદ્યાર્થીઓ એ યુનિવર્સિટીની કમાણીનું સાધન નથી, પણ દેશનું ભવિષ્ય છે. જો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પોતાની કાર્યશૈલી નહીં સુધારે, તો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનો આ રોષ આંદોલનનું સ્વરૂપ લેશે અને તેની જવાબદારી સંપૂર્ણપણે યુનિવર્સિટી પ્રશાસનની રહેશે. "જાગો યુનિવર્સિટી જાગો, નહિતર તાળાં મારો!"2