કાલોલ તાલુકાના ખંડોળી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહેલા એક મજૂર વર્ગના આધેડ પર ગામના જ એક યુવકે 'પાર્ટી કરવા' માટે પૈસા ન આપતા હુમલો કર્યો હતો. આરોપી યુવકે આધેડને ગાળો આપી, લાતો વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, કાલોલ તાલુકાના સમા ગામે બહાર ફળિયામાં રહેતા ૪૨ વર્ષીય અનિલભાઇ સાલમભાઇ સોલંકી, જેઓ મજૂરી કામ કરે છે, તેઓ ગત તારીખ ૨૯/૦૫/૨૦૨૬ ના રોજ સવારે આશરે નવ વાગ્યે રીક્ષામાં ખંડોળી ગામે મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને સાડા દશેક વાગ્યાના સુમારે તેઓ રીક્ષામાં પરત ઘરે આવી રહ્યા હતા. તે સમયે ખંડોળી ગામે કેનાલથી થોડે આગળ, ભારતમાલા રોડ પાસેના વળાંક નજીક, ગામનો વિજયકુમાર જશવંતભાઇ સોલંકી મોટરસાયકલ લઈને આવ્યો અને અનિલભાઈને રીક્ષામાંથી નીચે ઉતારી પોતાની મોટરસાયકલ પર સાથે જવાનું કહી તેમની પાસે 'પાર્ટી કરવા' માટે પૈસાની માંગણી કરી. અનિલભાઈએ પૈસા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતા વિજયકુમાર ઉશ્કેરાઈ ગયો અને ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો. વાત વણસતા, આરોપી વિજયકુમારે અનિલભાઈને લાતો વડે માર મારી રોડ પર નીચે પાડી દીધા, જેના કારણે તેમને ડાબા હાથે ગંભીર ઈજાઓ થઈ. અનિલભાઈએ બૂમાબૂમ કરતા આરોપી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને મોટરસાયકલ પર ફરાર થઈ ગયો. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત અનિલભાઈએ તેમના મિત્ર જનકભાઈ સોલંકીને બોલાવ્યા. જનકભાઈ તેમને મોટરસાયકલ પર કાલોલની સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા, જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ તેમને રજા આપવામાં આવી. સારવારમાં વ્યસ્ત હોવાને કારણે અનિલભાઈ સમયસર પોલીસ સ્ટેશને પહોંચી શક્યા ન હતા. ત્યારબાદ, તેમણે કાલોલ પોલીસ સ્ટેશને પહોંચીને આરોપી વિજયકુમાર જશવંતભાઇ સોલંકી વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
કાલોલ તાલુકાના ખંડોળી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહેલા એક મજૂર વર્ગના આધેડ પર ગામના જ એક યુવકે 'પાર્ટી કરવા' માટે પૈસા ન આપતા હુમલો કર્યો હતો. આરોપી યુવકે આધેડને ગાળો આપી, લાતો વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, કાલોલ તાલુકાના સમા ગામે બહાર ફળિયામાં રહેતા ૪૨ વર્ષીય અનિલભાઇ સાલમભાઇ સોલંકી, જેઓ મજૂરી કામ કરે છે, તેઓ ગત તારીખ ૨૯/૦૫/૨૦૨૬ ના રોજ સવારે આશરે નવ વાગ્યે રીક્ષામાં ખંડોળી ગામે મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને સાડા દશેક વાગ્યાના સુમારે તેઓ રીક્ષામાં પરત ઘરે આવી રહ્યા હતા. તે સમયે ખંડોળી ગામે કેનાલથી થોડે આગળ, ભારતમાલા રોડ પાસેના વળાંક નજીક, ગામનો વિજયકુમાર જશવંતભાઇ સોલંકી મોટરસાયકલ લઈને આવ્યો અને અનિલભાઈને રીક્ષામાંથી નીચે ઉતારી પોતાની મોટરસાયકલ પર સાથે જવાનું કહી તેમની પાસે 'પાર્ટી કરવા' માટે પૈસાની માંગણી કરી. અનિલભાઈએ પૈસા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતા વિજયકુમાર ઉશ્કેરાઈ ગયો અને ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો. વાત વણસતા, આરોપી વિજયકુમારે અનિલભાઈને લાતો વડે માર મારી રોડ પર નીચે પાડી દીધા, જેના કારણે તેમને ડાબા હાથે ગંભીર ઈજાઓ થઈ. અનિલભાઈએ બૂમાબૂમ કરતા આરોપી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને મોટરસાયકલ પર ફરાર થઈ ગયો. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત અનિલભાઈએ તેમના મિત્ર જનકભાઈ સોલંકીને બોલાવ્યા. જનકભાઈ તેમને મોટરસાયકલ પર કાલોલની સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા, જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ તેમને રજા આપવામાં આવી. સારવારમાં વ્યસ્ત હોવાને કારણે અનિલભાઈ સમયસર પોલીસ સ્ટેશને પહોંચી શક્યા ન હતા. ત્યારબાદ, તેમણે કાલોલ પોલીસ સ્ટેશને પહોંચીને આરોપી વિજયકુમાર જશવંતભાઇ સોલંકી વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
- કાલોલ શહેર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ગતરોજ મોડી રાત્રીએ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાત્રીના આશરે દોઢ વાગ્યાના સુમારે કડાકા ભડાકા અને ભારે પવનના સુસવાટા સાથે મેઘરાજાની એન્ટ્રી થતાં કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી કાલોલ શહેર સહિત તાલુકાના વિસ્તારો તેમજ રાજ્યના અન્ય અનેક જિલ્લાઓમાં તાપમાન સતત ઊંચું રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે વહેલી સવારે પડેલા વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કાલોલ પંથકના વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પણ ભીના બન્યા હતા. ગરમીનો પ્રકોપ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા લોકોને આ વરસાદથી ઘણી રાહત મળી હતી. આ ઉપરાંત, ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે પડેલા વરસાદે સમગ્ર વિસ્તારના વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું, જેનાથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. હવામાનમાં આવેલા આ બદલાવથી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે અને આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.1
- પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજભાઈ પટેલે એક આગવી પહેલ કરી છે.1
- આ સંદેશમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે ખરાબ કાર્યો કર્યા પછી સારા નસીબની અપેક્ષા રાખવી એ મૂર્ખામી છે. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ જે પ્રકારના કર્મો કરશે, તેને તેનું જ ફળ મળશે, જે ક્રિયાઓ અને પરિણામો વચ્ચેના સીધા સંબંધ પર ભાર મૂકે છે.1
- આ પોસ્ટમાં ભાગ્યશાળી લોકોને સંતના દુર્લભ દર્શન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે, જેને એક અત્યંત ભાગ્યશાળી અવસર તરીકે રજૂ કરવામાં આવ્યો છે. અહીં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે સાચા સંત એ જ હોય છે જે શાસ્ત્રો અનુસાર ભક્તિનો માર્ગ બતાવે. વર્તમાનમાં, સંત રામપાલ જી મહારાજ જી તે જ તત્વજ્ઞાન પ્રદાન કરી રહ્યા છે, જે શાસ્ત્રોક્ત સિદ્ધાંતો પર આધારિત છે. આથી, ભાગ્યશાળી લોકોએ તેમના દર્શન કરી લેવા જોઈએ, કારણ કે આવા સંતના દર્શન દુર્લભ હોય છે.1
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GTની લાઇવ ફાઇનલ મેચ ચાલી રહી છે, જેમાં GTના ચાહકો ઉપસ્થિત છે.1
- કાલોલ તાલુકાના ડેરોલ ગામમાં ગ્રામ પંચાયત હસ્તકનું વર્ષો જૂનું ગ્રામ સેવકનું ક્વાર્ટર અને ઓફિસ કોઈપણ વહીવટી મંજૂરી વિના જે.સી.બી. મશીન વડે તોડી પાડવામાં આવ્યું છે. આ મામલે મકાનમાં વપરાયેલ લોખંડ અને બારી-બારણાં ભંગારમાં વેચી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત ફરિયાદ કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ફરિયાદ મુજબ, આ સરકારી મકાન સારી હાલતમાં હતું અને રિપેરિંગ કરીને ફરીથી તેનો ઉપયોગ કરી શકાય તેમ હતો. તેમ છતાં, ગત તારીખ ૨૮/૦૫/૨૦૨૬ ને ગુરુવારના રોજ, જે બકરી ઈદની જાહેર રજાનો દિવસ હતો, ત્યારે વહીવટી તંત્રની કોઈપણ પૂર્વ મંજૂરી વગર આ મકાન તોડી પાડવામાં આવ્યું હતું. અરજદારોએ ગામના સરપંચ, તેમના પતિ રાજેન્દ્રભાઈ બળવંતભાઈ પટેલ અને વોર્ડ નંબર-૭ ના સભ્ય જયવીરસિંહ વિક્રમસિંહ સોલંકી પર પરસ્પર મિલીભગત કરીને આ કૃત્ય આચરવાનો આરોપ મૂક્યો છે. આક્ષેપો અનુસાર, મકાન તોડ્યા બાદ તેમાંથી નીકળેલી લોખંડની જાળીઓ, દરવાજા અને સળિયા ભંગારમાં વેચી દઈ નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી છે. સરકારી નાણાંનો દુરુપયોગ કરવા અને ત્યાં નવીન હવાડાની ગ્રાન્ટ વાપરવાના બહાને નાણાકીય કૌભાંડ આચરવાના ઈરાદે આ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અરજદારોએ આ મામલે કાલોલ તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી (DDO) ગોધરા અને કાલોલ પોલીસ મથકે પણ લેખિત નકલ રવાના કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને ગુનો નોંધવા માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ મામલે તટસ્થ તપાસ કરી કડક પગલાં ભરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામજનો સાથે મળી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.1
- હાલોલ શહેરમાં અસામાજિક તત્વોની દાદાગીરી અને વારંવાર બનતી મારામારીની ઘટનાઓ વચ્ચે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં, મકાનમાલિક પિતા-પુત્રએ નજીવી બાબતે ભાડુઆત પરિવાર પર હિંસક હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ગાયત્રીનગરમાં ભાડાના મકાનમાં રહેતા વિજયસિંહ તખતસિંહ રાઠોડ દર મહિને નિયમિત રીતે ભાડું ચૂકવતા હતા અને બે મહિનાનું ભાડું એડવાન્સમાં જમા હતું. તેમ છતાં, ગત સાંજે મકાનમાલિક સુરેશસિંઘે લાઈટ બિલ અને વધારાના એડવાન્સ ભાડાની માંગણી કરી હતી, જેના પગલે મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઝપાઝપી પણ થઈ હતી. વાત આટલેથી ન અટકતા, થોડીવાર પછી મકાનમાલિક સુરેશસિંઘ પોતાના પુત્ર સચિન સાથે ફરીથી વિજયસિંહના ઘરે ધસી આવ્યા હતા. ત્યાં પુત્ર સચિને હાઈડ્રો પાઇપ વડે વિજયસિંહ રાઠોડ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન, વિજયસિંહના પત્ની અને તેમના પુત્ર અક્ષય રાઠોડ બચાવવા વચ્ચે પડતાં, મકાનમાલિક પિતા-પુત્રએ તેમને પણ બેરહેમીથી માર માર્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ જતાં, હુમલાખોર પિતા-પુત્ર ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિજયસિંહ રાઠોડ અને અક્ષય રાઠોડને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત ભાડુઆતના પુત્ર અક્ષય રાઠોડે હાલોલ ટાઉન પોલીસ મથકે મકાનમાલિક પિતા-પુત્ર સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.1