સંતરામપુરના વાંકા નાળા પાસે CNG ઓટો અને સ્વીફ્ટ કાર વચ્ચે સર્જાયો અકસ્માત, અનેક લોકોને ઇજા; લોક ટોળા ઉમટ્યા.. તારીખ: 04 એપ્રિલ 2026 સંતરામપુર ની વાત કરીએ તો આજે તા. 04 એપ્રિલ 2026ના રોજ સવારે લગભગ 11 વાગ્યાના બાદ સમયે સંતરામપુર શહેરના વાંકા નાળા નજીક CNG ઓટો રિક્ષા અને સ્વીફ્ટ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઓટો રિક્ષા નંબર GJ20Y0194 અને સ્વીફ્ટ કાર નંબર GJ20AH 8030 સામેલ હતાં. આ અકસ્માત થતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થયા હતા. બંને વાહનચાલકો તથા સવાર મુસાફરોને ઇજાઓ પહોંચતાં સ્થાનિક ટ્રાફિક પોલીસ અને રહીશો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા બોલાવવામાં આવી હતી. અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ઓટો રિક્ષામાં સવાર વ્યક્તિઓ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને રિક્ષામાં ડિલિવરી કેસ પણ સવાર હતો. સ્વીફ્ટ કારમાં બે વ્યક્તિઓ સવાર હતાં, જેમને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત કેવી રીતે બન્યો અને બંને વાહનોના મુસાફરો ક્યાંથી આવ્યા હતા તથા ક્યાં જઈ રહ્યા હતા તેની ચોક્કસ માહિતી હજી પ્રાપ્ત થઈ નથી. આ બનાવ અંગે સંતરામપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
સંતરામપુરના વાંકા નાળા પાસે CNG ઓટો અને સ્વીફ્ટ કાર વચ્ચે સર્જાયો અકસ્માત, અનેક લોકોને ઇજા; લોક ટોળા ઉમટ્યા.. તારીખ: 04 એપ્રિલ 2026 સંતરામપુર ની વાત કરીએ તો આજે તા. 04 એપ્રિલ 2026ના રોજ સવારે લગભગ 11 વાગ્યાના બાદ સમયે સંતરામપુર શહેરના વાંકા નાળા નજીક CNG ઓટો રિક્ષા અને સ્વીફ્ટ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઓટો રિક્ષા નંબર GJ20Y0194
અને સ્વીફ્ટ કાર નંબર GJ20AH 8030 સામેલ હતાં. આ અકસ્માત થતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થયા હતા. બંને વાહનચાલકો તથા સવાર મુસાફરોને ઇજાઓ પહોંચતાં સ્થાનિક ટ્રાફિક પોલીસ અને રહીશો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા બોલાવવામાં આવી હતી. અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ઓટો રિક્ષામાં સવાર વ્યક્તિઓ દાહોદ જિલ્લાના ફતેપુરા
તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને રિક્ષામાં ડિલિવરી કેસ પણ સવાર હતો. સ્વીફ્ટ કારમાં બે વ્યક્તિઓ સવાર હતાં, જેમને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત કેવી રીતે બન્યો અને બંને વાહનોના મુસાફરો ક્યાંથી આવ્યા હતા તથા ક્યાં જઈ રહ્યા હતા તેની ચોક્કસ માહિતી હજી પ્રાપ્ત થઈ નથી. આ બનાવ અંગે સંતરામપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
- Post by Salman moravala3
- મહીસાગર જિલ્લાના કોઠંબા બારોટ સમાજના માં ચામુંડા માના મંદિરના ૧૩ માં પાટોત્સવની નિમિત્તે બારોટજી સમાજના ભજનીક ,ડાયરાના કલાકારો દ્વારા લોકડાયરાનીકોઠંબા ખાતે મોજ*1
- Gujarat के पूर्व CM शंकर सिंह वाघेला (बापू) ने आदिवासियों की विशेषता को लेकर कहीं मुख्य बातें। #news #breaking1
- દાહોદના સુખસર તાલુકામાં મોટી ઢઢેલીમાં સર્જાયો અકસ્માત આજે તારીખ 04/04/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ મજૂરો ભરેલો આયસર ટેમ્પો પલટી ખાતા દુર્ઘટના એક બાળકનું મોત,18 લોકો થયા ઇજાગ્રસ્ત 108 મારફતે 18 ઇજાગ્રસ્ત શ્રમિકોને ઝાલોદ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા મજૂરી કરીને વતન પરત ફરતા શ્રમિકો સાથે બની અકસ્માતની ઘટના બેદરકારીથી હંકારી આવતા ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો ઘઉંની બોરીઓ નીચે દબાતા શ્રમીકો થયા ઈજાગ્રસ્ત ચાલક વિરુદ્ધ સુખસર પોલીસમાં ગુનો દાખલ કરાતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ1
- પુષ્ટિ સંપ્રદાયનું વૈશ્વિક ગૌરવ: શ્રી અભિષેકલાલજી મહારાજને ફ્રાંસની યુનિવર્સિટી દ્વારા ‘ડોક્ટરેટ’ની પદવી એનાયત પુષ્ટિ સંપ્રદાયનું વૈશ્વિક ગૌરવ: શ્રી અભિષેકલાલજી મહારાજને ફ્રાંસની યુનિવર્સિટી દ્વારા ‘ડોક્ટરેટ’ની પદવી એનાયત *જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના ૧૬મા વંશજની ૨૬ વર્ષની અવિરત સેવાયાત્રાને આંતરરાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવી* પંચમહાલ જિલ્લાના કાલોલ સ્થિત ગોવર્ધનનાથજી મંદિરના ગાદીપતિ અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં અનેરું સ્થાન ધરાવતા પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ (કાલોલ-મથુરા-રાજકોટ) ને તેમની વર્ષોની નિઃસ્વાર્થ સમાજસેવા અને માનવતાવાદી કાર્યો બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે. ફ્રાંસની પ્રતિષ્ઠિત કેનેડી યુનિવર્સિટી દ્વારા મહારાજશ્રીને ‘ફિલોસોફી ઈન સોશિયલ સર્વિસ’ વિષયમાં માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે, જે સમગ્ર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય માટે ગૌરવની ક્ષણ છે.સેવા અને ભક્તિનો ત્રિવેણી સંગમ મહારાજશ્રી છેલ્લા ૨૬ વર્ષોથી સમાજ સેવા, ગૌ સેવા અને સનાતન ધર્મના પ્રચારમાં સક્રિય છે. તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માત્ર ધાર્મિક સીમાઓ સુધી મર્યાદિત ન રહેતા માનવતાના દરેક પાસાને સ્પર્શે છે. ગાયો પ્રત્યે અપાર સ્નેહ ધરાવતા મહારાજશ્રી દ્વારા અનેક ગૌશાળાઓનું સંચાલન અને કેટલ કેમ્પના આયોજનો કરવામાં આવે છે. જીવદયાના ભાગરૂપે ચકલીઓ અને પક્ષીઓ માટે હજારોની સંખ્યામાં માટીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવે છે.કોવિડ-૧૯ જેવી કપરી મહામારી દરમિયાન ગરીબો માટે ટિફિન સેવા, અનાજ અને ધાબળા વિતરણ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને મેડિકલ સહાય અને આરોગ્ય કેમ્પ દ્વારા તેમણે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.જરૂરિયાતમંદ બાળકો માટે શિક્ષણ સહાય અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના જતન માટે 'પખાવજ મૃદંગ'ની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. તેમની એકેડેમી દ્વારા હજારો લોકોને નિઃશુલ્ક માર્ગદર્શન અને ધર્મના સંસ્કારો આપવામાં આવે છે. રાષ્ટ્રહિત: સમાજમાં જાગૃતિ લાવવા અને રાષ્ટ્રહિતની ભાવના પ્રબળ કરવા માટે તેઓ સતત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.મહારાજશ્રીની અવિરત સેવાઓની નોંધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પણ લેવામાં આવી છે. તેમને અત્યાર સુધીમાં અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે: ગુજરાત સરકાર દ્વારા વિશેષ સન્માન. સૌરાષ્ટ્ર રત્ન પુરસ્કાર અને દિવ્ય ભાસ્કર દ્વારા ‘કોહિનૂર ઓફ સૌરાષ્ટ્ર’ પુરસ્કાર. રાજકોટ, પંચમહાલ અને મથુરાના વૈષ્ણવ સમાજ તેમજ ચતુર્વેદી, તૈલંગ અને ગિરિનારાયણ બ્રાહ્મણ સમાજ દ્વારા સન્માન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), સદ્ભાવના પરિવાર અને આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા વિશેષ અભિવાદન. કાલોલ કેળવણી પ્રચારક મંડળ અને લાઈફ બ્લડ સેન્ટર જેવી સંસ્થાઓ દ્વારા સન્માનિત. સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ શ્રી અભિષેકલાલજી મહારાજને મળેલી આ આંતરરાષ્ટ્રીય ઉપલબ્ધિને પગલે કાલોલ સહિત સમગ્ર દેશ-વિદેશના વૈષ્ણવોમાં આનંદની લહેર ફેલાઈ છે. એક ધર્મગુરુ તરીકેની જવાબદારી નિભાવવાની સાથે એક સાચા સમાજ સેવક તરીકેની તેમની ભૂમિકાને આજે વૈશ્વિક સ્તરે બિરદાવવામાં આવી છે. તેઓ ખરા અર્થમાં માનવતા અને ભક્તિનો સંદેશ ફેલાવી પ્રેરણારૂપ બની રહ્યા છે.4
- હાલોલ-વડોદરા હાઈવેના સર્વિસ રોડ ઉપર આણંદપૂરા નજીક આજે શનિવારે બપોરના સમયે બાઇક ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલક યુવક ગંભીર રીતે ઘવાયો હતો, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ બાઇક પર સવાર યુવક હાલોલ તાલુકાના અભેટવા ગામનો રાકેશ રમેશભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ રાકેશ હાલોલ તરફથી વડોદરા તરફ જવાના સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડમાં હાલોલ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન નશાની હાલતમાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક ડિવાઈડર સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ રોડ ઉપર પટકાયેલા રાકેશને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલોલ સરકારી હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી રહી છે.આ બનાવને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે કે નશો કરવાની ટેવને કારણે હાલોલ તાલુકામાં બાઇક અકસ્માતોના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. અનેક યુવકો આવા અકસ્માતોમાં જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા હાઈવે તેમજ ગામડાના રસ્તાઓ પર બેફામ અને નશાની હાલતમાં વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.1
- ગુમ થયેલ વ્યક્તિને જમ્મુ કશ્મીર રાજ્યમાંથી પરત લાવી તેના પરિવાર સાથે મિલન કરાવતી ઝોઝ પોલીસ તા. 13/03/2026 ના રોજ ચીમનભાઈ દરસિંગભાઈ રાઠવા (ઉ.વ. 74), રહે. બાંડીભીંત, તા. જી. છોટાઉદેપુર ગુમ થયેલ હોવાની જાણ થતાં ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે મિસિંગ જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુમ થયેલ વ્યક્તિને શોધવા માટે ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાં વ્યાપક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન જમ્મુ કાશ્મીર રાજ્યના ઉધમપુર વિસ્તારમાં વ્યક્તિ મળી આવતા ત્યાંની પોલીસ દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઝોઝ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જમ્મુ કાશ્મીર જઈ ગુમ થયેલ વ્યક્તિને સલામત રીતે પરત લાવી તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું. ટૂંકા સમયમાં ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવામાં ઝોઝ પોલીસ સ્ટેશનને સફળતા પ્રાપ્ત થઈ છે1
- દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કુલ 254 તાલુકા પંચાયત બેઠકો પર 11,51,114 મતદારો મતદાન કરશે આજે તારીખ 04/03/2026 શનિવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કુલ 254 તાલુકા પંચાયત બેઠકો પર 11 તાલુકામાં કુલ 5,79,158 પુરુષો અને 5,71,948 સ્ત્રીઓ એમ કુલ 11,51,114 મતદારો મતદાન કરશે.1