Shuru
Apke Nagar Ki App…
બનાસકાંઠામાં દેશનું સૌથી મોટું પશુ સંવર્ધન કેન્દ્ર તૈયાર
Gujarat crime news
બનાસકાંઠામાં દેશનું સૌથી મોટું પશુ સંવર્ધન કેન્દ્ર તૈયાર
More news from ગુજરાત and nearby areas
- *વાવ-થરાદ જિલ્લાના નાણીમાં વડાપ્રધાન મોદીનું આગમન: 19,800 કરોડના વિકાસ કાર્યો સાથે વાવ-થરાદમાં ઉત્સાહનો માહોલ* *વાવ-થરાદને નવી ઓળખ અને વિકાસનો વેગ આપનાર વડાપ્રધાનનું નાણી ગામ હાર્દિક સ્વાગત કરે છે: પાંચાભાઈ દેસાઈ* *વડાપ્રધાનના આગમનથી નાણી સહિત સમગ્ર વિસ્તાર વિકાસના નવા માર્ગે આગળ વધશે: રમેશભાઈ રબારી* ઉત્તર ગુજરાતના પ્રવાસે આવેલા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. ૩૧ માર્ચે વાવ-થરાદ જિલ્લાના નાણી ગામ ખાતે વિશાળ જનમેદનીને સંબોધન કરશે. આ કાર્યક્રમને લઈને સમગ્ર વાવ-થરાદ જિલ્લો તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તાર તરીકે ઓળખાતા વાવ-થરાદને જિલ્લાનું સ્વરૂપ મળતા અહીંના લોકોમાં નવી ઓળખ અને વિકાસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. અગાઉ સરકારી કામકાજ માટે લોકોને પાલનપુર સુધી જવું પડતું હતું, પરંતુ નવા જિલ્લાની રચનાથી સ્થાનિક સ્તરે જ સુવિધાઓ ઉપલબ્ધ થતાં લોકોની મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પ્રધાનમંત્રીશ્રીના આગમનને લઈને નાણી ગામ સહિત સમગ્ર વિસ્તારમાં સ્વાગતની તજવીજ જોરશોરથી ચાલી રહી છે. ગામલોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ પ્રધાનમંત્રીશ્રીને આવકારવા આતુર છે. પ્રધાનમંત્રીશ્રીના આગમનને લઈને વાવ-થરાદ જિલ્લો ઉત્સાહ અને ગૌરવની લાગણીઓથી છલકાઈ રહ્યો છે. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વાવ-થરાદ જિલ્લામાં પધારી રહ્યા છે તે અમારા માટે ગૌરવની વાત છે. નાણી ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ખુબ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ટૂંકા સમયગાળામાં અમારા વિસ્તારને જિલ્લાનું સ્વરૂપ આપી ‘વાવ-થરાદ’ તરીકે નવી ઓળખ આપી, તેમજ એરપોર્ટ જેવી મહત્વપૂર્ણ સુવિધા ફાળવી અને અનેક વિકાસ કાર્યોને ગતિ આપી, જેના માટે અમે તેમના આભારી છીએ. નાણી ગામના સર્વે આગેવાનો અને ગ્રામજનો તરફથી અમે વડાપ્રધાનશ્રીનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સમગ્ર ગામ હર્ષોલ્લાસથી તેમની આવકાર માટે તૈયાર છે અને આજે અહીં એક ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 31 માર્ચ 2026ના રોજ નાણી એરફોર્સ મુકામે આવી વિશાળ જનસભાને સંબોધવા જઈ રહ્યા છે, તે અમારા માટે ગૌરવની વાત છે. નવી રચાયેલ વાવ-થરાદ જિલ્લાને વિકાસના નવા આયામ આપતા અંદાજે 19,800 કરોડના વિવિધ વિકાસકાર્યોના ઉદ્ઘાટન અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે, જે સમગ્ર વિસ્તારમાં પ્રગતિનો નવો માર્ગ ખોલશે. નાણી ગામ સહિત આજુબાજુના તમામ ગામોના લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. અમે સમગ્ર ગામજનો તરફથી વડાપ્રધાનશ્રીનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ વિકાસ યાત્રા અમારા વિસ્તારને વધુ આગળ લઈ જશે.1
- Post by Nareandrasinh Rathod1
- વિજાપુર ટી.બી. રોડ પર બિનઅધિકૃત દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ વિજાપુર, તા. ૮ માર્ચ, ૨૦૨૮ : વિજાપુર ટી.બી. રોડ ઉપર માઢી આશ્રમ પાસે આવેલ રોડ પર બિનઅધિકૃત દબાણને દૂર કરવાની કામગીરી આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબીની મદદથી સંપૂર્ણ દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ અંગે અગાઉ તા. ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ અધિક કલેક્ટર શ્રી દેવાંગ રાઠોડની અધ્યક્ષતામાં વિજાપુર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સ્થાનિક સંસ્થાઓ તરફથી મામલતદાર કચેરીને અરજી પણ કરવામાં આવી હતી, જેમાં રોડ પર દબાણને કારણે અવરજવરમાં મુશ્કેલી અને વિદ્યાર્થીઓને અસુવિધા થતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમના સમયસરના પ્રયાસોથી આ મુદ્દાનું નિરાકરણ થયું છે. આ કામગીરીથી સ્થાનિક રહેવાસીઓ તથા અવરજવર કરતા લોકોને રાહત મળી છે અને રોડ પર સરળ તેમજ સલામત વાહન વ્યવહાર શક્ય બન્યો છે. સંકલ્પ સોસાયટી, ન્યુ આશ્રય બંગ્લોઝ તથા મહર્ષિ સોસાયટીના પ્રમુખો તથા વિસ્તારના લોકોએ તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. વિજાપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં અનેક જગ્યાએ રોડ, પાદર અને સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણને કારણે અવરજવરમાં મુશ્કેલી, ટ્રાફિકની અવરોધ અને સલામતીના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને મુખ્ય રસ્તાઓ, બજાર વિસ્તારો અને ગામડાઓના પ્રવેશ માર્ગો પર આવા દબાણ વધુ જોવા મળે છે.હવે લોકો અપેક્ષા રાખે છે કે વહીવટી તંત્ર આવા અન્ય દબાણોને પણ નિયમિત અને ત્વરિત રીતે દૂર કરે, જેથી વિસ્તારમાં સ્વચ્છ અને સુગમ વાહન વ્યવહાર સુનિશ્ચિત થાય.1
- Post by Thakor Suresh1
- વાવ થરાદ.. વાવ થરાદમાં વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા વિવાદ ઉગ્ર શિક્ષકોને ફરજિયાત હાજરીના આદેશ સામે ઉઠ્યો સવાલ.. શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર... મહિલા શિક્ષકોને વહેલી સવારે હાજર રહેવા આદેશ સરકારી બસમાં મુસાફરી કરાવવાનો પણ નિર્દેશ.. હાજર ન રહે તો ફરજિયાત રજા લેવી પડશે આદેશ સામે શિક્ષકોમાં અસંતોષનો માહોલ.. શિક્ષણ છોડાવી કાર્યક્રમમાં મોકલાતા પ્રશ્નો ઉઠ્યા વિદ્યાર્થીઓના ભણતર પર અસર થવાની ચિંતા.. શિક્ષકોનો ઉપયોગ ઇવેન્ટ મેનેજમેન્ટ માટે નહીં થાય” શિક્ષણ વિભાગને તાત્કાલિક આદેશ પાછો ખેંચવાની માંગ..1
- બનાસકાંઠા જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ નું નિવેદન..... ૩૧ માર્ચ એટલે આવતી કાલે PM નરેન્દ્ર મોદી સાહેબ વાવ થરાદ જિલ્લાના આવી રહ્યા છે તને લઈને માંગીલાલ પટેલ ની માંગ.... રિપોર્ટર કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:-70461838401
- Post by Thakor Suresh1
- Post by BANAS TV HD1
- સાંભળો યુવરાજસિંહ જાડેજાએ શું કહી1