Shuru
Apke Nagar Ki App…
આગામી મહોરમ પર્વને ધ્યાનમાં રાખીને, આંકલાવ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
Charotar update 🄰🄽🄰🄽🄳
આગામી મહોરમ પર્વને ધ્યાનમાં રાખીને, આંકલાવ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
More news from ગુજરાત and nearby areas
- આગામી મહોરમ પર્વને ધ્યાનમાં રાખીને, આંકલાવ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.1
- આણંદ જિલ્લાના એક નાના ગામમાં ભણતા વિદ્યાર્થી રાહુલના શાળાના પ્રવેશ ઉત્સવ પ્રસંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અંજના રાઠોડ મેડમે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, જો વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચાર સાથે પોતાનો લક્ષ્ય નક્કી કરે, તો સફળતા નિશ્ચિત છે. રાહુલ આ વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. તે ભણવામાં સારો હોવા છતાં તેને હંમેશા લાગતું હતું કે તે જીવનમાં કઈ મોટું કરી શકશે નહીં. તે દિવસે તેણે નક્કી કર્યું કે તે પોતાની ભણતરની સાથે પોતાના સપનાઓ પર પણ ધ્યાન આપશે. તેણે મોબાઈલનો ઉપયોગ ઓછો કર્યો અને દરરોજ મહેનત કરવા લાગ્યો. ધીમે ધીમે તેનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. કેટલાક વર્ષો પછી, રાહુલે પોતાની મહેનત અને સકારાત્મક વિચારના બળ પર મોટી સફળતા પ્રાપ્ત કરી. એક દિવસ જ્યારે તે પોતાની જૂની શાળાએ પહોંચ્યો, ત્યારે તેણે બાળકોને કહ્યું કે "સપના એ જ પૂરા થાય છે, જેની સાથે આત્મવિશ્વાસ અને મહેનત જોડાયેલી હોય." બધા બાળકોએ તાળીઓ પાડીને તેનું સ્વાગત કર્યું અને તેનાથી પ્રેરણા લીધી.4
- વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. પાલિકાની વિવિધ વોર્ડ કચેરીઓ અને મુખ્ય કચેરી ખાતે છેલ્લા 8 થી 9 વર્ષથી પ્રમાણિકતાપૂર્વક ફરજ બજાવતા 80 થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને, ખાસ કરીને સૌથી મહત્વના ગણાતા કેશ વિભાગમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને, આગામી મહિનાથી નોકરી પર ન આવવા માટેનું ફરમાન સંભળાવી દેવામાં આવતા કર્મચારી આલમમાં ભારે ફફડાટ અને રોષ વ્યાપી ગયો છે. આ આક્રોશિત કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી હતી ત્યારે પણ તેમણે ફરજ નિભાવી હતી, તેમ છતાં વહીવટી તંત્ર તેમની સાથે માત્ર 'યુઝ એન્ડ થ્રો' (વાપરો અને ફેંકો) ની નીતિ અપનાવી રહ્યું છે. આ મામલે કર્મચારીઓએ પાલીતાણાના ડેપ્યુટી કમિશનર, ચેરમેન અને પાલિકાના પદ અધિકારીઓને રજૂઆત કરી હતી. જોકે, અધિકારીઓ દ્વારા તેમને યોગ્ય જવાબ ન આપતા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, તેઓ ભલે કોઈને પણ રજૂઆત કરે, તેમને નોકરી પર પાછા લેવામાં આવશે નહીં. આથી નારાજ અને ગુસ્સે ભરાયેલા તમામ કર્મચારીઓ આજે કમાટીબાગ ગેટ નંબર બે ખાતે એકઠા થયા હતા અને તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે વહીવટી તંત્ર પાસેથી તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત લેવાની માંગ કરી હતી.1
- વડોદરાના તાંદલજા વિસ્તારમાં મકરંદ દેસાઈ રોડ પર આવેલા અલ મક્કા ખાતેની દુકાન નંબર-22 પર ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.1
- વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા મકરંદ દેસાઈ રોડ પરની અલ મક્કા ખાતેની દુકાન નંબર-22 પર ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી.1
- રાજ્વીરસિંહ સિંધા પર થયેલા જીવલેણ હુમલાના કેસની તપાસના ભાગરૂપે, પોલીસે ઘટના સ્થળે ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન પોલીસ સાથે બે આરોપીઓ પણ હાજર હતા.1
- ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સજા સંબંધી આદેશ વડોદરા મધ્ય જેલ ખાતે રવાના કરવામાં આવ્યા છે.1