હળવદ વૈજનાથ પાર્કમાં પોલીસનો જુગારધામ પર દરોડો, છ આરોપી ઝડપાયા હળવદ: હળવદ તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના વૈજનાથ પાર્ક વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં જુગાર રમતા કુલ છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, વૈજનાથ પાર્ક ખાતે પ્રવીણ ચંદુભાઈ ઠાકરના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરમિયાન પ્રવીણ ચંદુભાઈ ઠાકર, હિતુભા સામંતસિંહ ઝાલા, અશ્વિન ગટુરભાઈ વડેચા, ભરત ગાડુભાઈ છનિયારા, મહેન્દ્રનગરના પ્રવીણ દોલુભાઈ રાઠોડ તથા રસિક રેવાભાઈ ઉઘરેજા સહિત કુલ છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 63,200/- સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીને પગલે હળવદ શહેરમાં ચાલતા જુગારધામોમાં ફફડાટ ફેલાયો છે.
હળવદ વૈજનાથ પાર્કમાં પોલીસનો જુગારધામ પર દરોડો, છ આરોપી ઝડપાયા હળવદ: હળવદ તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના વૈજનાથ પાર્ક વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં જુગાર રમતા કુલ છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, વૈજનાથ પાર્ક ખાતે પ્રવીણ ચંદુભાઈ ઠાકરના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરમિયાન પ્રવીણ ચંદુભાઈ ઠાકર, હિતુભા સામંતસિંહ ઝાલા, અશ્વિન ગટુરભાઈ વડેચા, ભરત ગાડુભાઈ છનિયારા, મહેન્દ્રનગરના પ્રવીણ દોલુભાઈ રાઠોડ તથા રસિક રેવાભાઈ ઉઘરેજા સહિત કુલ છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 63,200/- સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીને પગલે હળવદ શહેરમાં ચાલતા જુગારધામોમાં ફફડાટ ફેલાયો છે.
- હળવદ હાઇવે પર ખુલ્લા ડમ્પરોનો આતંક! તંત્રની રહેમ નજર કે બેદરકારી? હપ્તા રાજની લોકચર્ચાથી ઉઠ્યા સવાલો હળવદ: હળવદના હાઇવે પર ખુલ્લા ડમ્પરો બેફામ દોડતા હોવાની ફરિયાદો વચ્ચે વાહનચાલકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ડમ્પરમાંથી રસ્તા પર પડતા કોંક્રેટ, પથ્થર અને અન્ય સામગ્રીના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલતા વાહનોની આગળ અચાનક કોંક્રેટ કે પથ્થર આવી જતા ક્યાંક વાહનચાલકો સ્લીપ મારી જાય છે તો ક્યાંક વાહનના ટાયરમાં પંચર પડવાની ઘટનાઓ સામે આવી રહી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. ખાસ કરીને રાત્રિના સમયે આવા ખુલ્લા ડમ્પરો જોખમરૂપ બની રહ્યા હોવાની લોકોની ફરિયાદ છે. આ સમગ્ર મામલે તંત્રની રહેમ નજર છે કે કાર્યવાહીનો અભાવ? તેવો સવાલ હવે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. બીજી તરફ ખુલ્લા ડમ્પરો સામે કાર્યવાહી ન થવા પાછળ ‘હપ્તા રાજ’ ચાલતું હોવાની લોકચર્ચા પણ ઉઠી છે, જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ સામે આવી નથી. હાઇવે પર ખુલ્લા ડમ્પરો અને રસ્તા પર પડતી સામગ્રીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી નિયમોનો ભંગ કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. લોકોમાં એક જ સવાલ—તંત્ર ક્યારે જાગશે? રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ2
- સુરેન્દ્રનગર:-ધ્રાંગધ્રા ડિવિઝનની રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્રારા મુલાકાત કરવામાં આવી1
- મોરબી મહાનગરપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ પાણીને લાકડા શહેર કોંગ્રેસ પ્રમુખનો ગંભીર આક્ષેપ મોરબી મહાનગરપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ પાણીને લાકડા શહેર કોંગ્રેસ પ્રમુખનો ગંભીર આક્ષેપ1
- સાંતલપુરમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી, શાંતિ અને ભાઈચારાનો સંદેશ સાંતલપુર | પાટણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મુખ્ય મથક સાંતલપુરમાં આજે ઈદ-એ-મિલાદ (મિલાદુન નબી) પવિત્ર પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે. આ પ્રસંગે તેમના જીવન, સંદેશ અને માનવતા તથા ભાઈચારાના ઉપદેશોને યાદ કરવામાં આવ્યા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે સાંતલપુરની મસ્જિદથી જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલૂસ સાંતલપુરની વિવિધ શેરીઓ અને મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જુલૂસમાં જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. જુલૂસ દરમિયાન પોલીસ તંત્ર પણ સ્થળ પર હાજર રહ્યું હતું અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જુલૂસ શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. આ પ્રસંગે નાત, ધાર્મિક કાર્યક્રમો અને પ્રાર્થના સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે સાંતલપુરમાં શાંતિ, એકતા, અમન અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્થાનિક આગેવાનો અને સમાજના લોકોએ સૌને પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સાંતલપુરમાં હંમેશા શાંતિ તથા કોમી એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. રીપોર્ટર: બલદેવ મકવાણા4
- લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યોગેન્દ્રસિંહ ઝાલા સાહેબના સહયોગ અને જાખણ યોગ વિધાલયના પ્રોફેસર બહેન શ્રી વનીતાબહેનના માર્ગદર્શન હેઠળ યોગીની બહેનો દ્વારા બાળકોને યોગ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી તેમજ શાળાના આચાર્યશ્રી બળદેવભાઈ સાહેબ તથા ભાવિનભાઈ સાહેબ દ્વારા યોગના ફાયદા અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પ્રારંભિક યોગ નિદર્શન અને યોગિક ક્રિયાઓ તથા વિવિધ આસનો કરાવી યૌગિક અનુભવ કરાવવામાં આવ્યો.1
- સમીમાં ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમી: સમી-રાધનપુર હાઇવે પર વઢીયાર પેટ્રોલ પંપની સામે આવેલ રામ્ય શોપિંગ સેન્ટર-3 ખાતે આજે ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું શુભ મુહૂર્ત સાથે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવા શરૂ થયેલા આ વર્કશોપને લઈને વાહનચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપમાં હવે તમામ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના સર્વિસિંગ, રિપેરિંગ તેમજ વાહનને લગતા વિવિધ કામો કરવામાં આવશે. ગ્રાહકોને પોતાના વાહનની જાળવણી અને રિપેરિંગ માટે એક જ સ્થળે સારી સુવિધા મળી રહે તે હેતુથી વર્કશોપ શરૂ કરવામાં આવ્યું છે. વર્કશોપમાં વિવિધ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના કામકાજ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહનચાલકોને તેમની ગાડીના સર્વિસિંગ તથા રિપેરિંગ માટે યોગ્ય માર્ગદર્શન અને સેવા મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. ગજજર ઓટોમોબાઇલ્સના ઓનર વિમલભાઈ વિનોદભાઈ ગજજરે જણાવ્યું હતું કે, ગ્રાહકોને વિશ્વસનીય સેવા અને સંતોષકારક કામ મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફોરવ્હીલર વાહનધારકોને સર્વિસિંગ તથા રિપેરિંગ માટે સરળ અને સુવિધાજનક સેવા મળી રહે તે માટે આ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો.3
- બોટાદ ઈદ-એ-મિલાદ નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ આજે ઈદ-એ-મિલાદ નિમિત્તે રાણપુર શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ. રાણપુર શહેરની મુખ્ય બજારમાંથી જુલુસ પસાર થયું હતુ. કાંકરિયાચોરા, આંબલીયા ચોરા, દેસાઈ વોરા ચોરા, મોટાપીર ચોક,રતન ચોક,મેઈન બજાર,બસ સ્ટેશન ચાર રસ્તા થઈને આંબલીયા ચોરા ખાતે આ જૂલુસ પૂરું થયું હતું.જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા જ્યારે ઈદ-એ-મિલાદ ની સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જુલુસના રૂટ ઉપર વિવિધ જગ્યાએ ચા,પાણી,ઠંડાપીણા, આઈસ્ક્રીમ, ચોકલેટ સહિતની વસ્તુઓનું મુસ્લિમ સમાજના લોકો દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- મીતાણા બ્રિજ પાસે સ્કૂલ બસમાં ભેસાણ આગ મોરબી રાજકોટ હાઇવે પર મોટી દુર્ઘટના સહેજ માં પડી 40 બાળકોનો આબાદ બચાવ મીતાણા બ્રિજ પાસે સ્કૂલ બસમાં ભેસાણ આગ મોરબી રાજકોટ હાઇવે પર મોટી દુર્ઘટના સહેજ માં પડી 40 બાળકોનો આબાદ બચાવ1