logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

૨૮ જૂનના રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ દિવસ નિમિત્તે વંથલી તાલુકાના થાણાપીપળી ગામમાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ દિવસે તમામ પોલિયો બુથ પર રસીકરણ સ્ટાફ દ્વારા સુચારુ આયોજન સાથે ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓએ એકપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેની વિશેષ કાળજી લીધી હતી અને વાલીઓને પણ બાળકોને રસી અપાવવા અપીલ કરી હતી. રસીકરણના બીજા દિવસે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામ તેમજ વાડી વિસ્તારોમાં ઘર-ઘર મુલાકાત લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ મુલાકાતનો હેતુ પ્રથમ દિવસે રસીથી વંચિત રહી ગયેલા બાળકોને સ્થળ પર જ પોલિયોની રસી પીવડાવી સંપૂર્ણ આવરી લેવાનો છે. આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થાણાપીપળીના આરોગ્ય કર્મચારીઓ, આશા કાર્યકરો, આંગણવાડી બહેનો તેમજ ગ્રામજનોનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો.

14 hrs ago
user_Samir Bhalodiya
Samir Bhalodiya
Vanthali, Junagadh•
14 hrs ago

૨૮ જૂનના રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ દિવસ નિમિત્તે વંથલી તાલુકાના થાણાપીપળી ગામમાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ દિવસે તમામ પોલિયો બુથ પર રસીકરણ સ્ટાફ દ્વારા સુચારુ આયોજન સાથે ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓએ એકપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેની વિશેષ કાળજી લીધી હતી અને વાલીઓને પણ બાળકોને રસી અપાવવા અપીલ કરી હતી. રસીકરણના બીજા દિવસે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામ તેમજ વાડી વિસ્તારોમાં ઘર-ઘર મુલાકાત લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ મુલાકાતનો હેતુ પ્રથમ દિવસે રસીથી વંચિત રહી ગયેલા બાળકોને સ્થળ પર જ પોલિયોની રસી પીવડાવી સંપૂર્ણ આવરી લેવાનો છે. આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થાણાપીપળીના આરોગ્ય કર્મચારીઓ, આશા કાર્યકરો, આંગણવાડી બહેનો તેમજ ગ્રામજનોનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો.

More news from Junagadh and nearby areas
  • ૨૮ જૂનના રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ દિવસ નિમિત્તે વંથલી તાલુકાના થાણાપીપળી ગામમાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ દિવસે તમામ પોલિયો બુથ પર રસીકરણ સ્ટાફ દ્વારા સુચારુ આયોજન સાથે ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓએ એકપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેની વિશેષ કાળજી લીધી હતી અને વાલીઓને પણ બાળકોને રસી અપાવવા અપીલ કરી હતી. રસીકરણના બીજા દિવસે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામ તેમજ વાડી વિસ્તારોમાં ઘર-ઘર મુલાકાત લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ મુલાકાતનો હેતુ પ્રથમ દિવસે રસીથી વંચિત રહી ગયેલા બાળકોને સ્થળ પર જ પોલિયોની રસી પીવડાવી સંપૂર્ણ આવરી લેવાનો છે. આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થાણાપીપળીના આરોગ્ય કર્મચારીઓ, આશા કાર્યકરો, આંગણવાડી બહેનો તેમજ ગ્રામજનોનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો.
    1
    ૨૮ જૂનના રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ દિવસ નિમિત્તે વંથલી તાલુકાના થાણાપીપળી ગામમાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ દિવસે તમામ પોલિયો બુથ પર રસીકરણ સ્ટાફ દ્વારા સુચારુ આયોજન સાથે ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓએ એકપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેની વિશેષ કાળજી લીધી હતી અને વાલીઓને પણ બાળકોને રસી અપાવવા અપીલ કરી હતી.

રસીકરણના બીજા દિવસે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામ તેમજ વાડી વિસ્તારોમાં ઘર-ઘર મુલાકાત લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ મુલાકાતનો હેતુ પ્રથમ દિવસે રસીથી વંચિત રહી ગયેલા બાળકોને સ્થળ પર જ પોલિયોની રસી પીવડાવી સંપૂર્ણ આવરી લેવાનો છે.

આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થાણાપીપળીના આરોગ્ય કર્મચારીઓ, આશા કાર્યકરો, આંગણવાડી બહેનો તેમજ ગ્રામજનોનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો.
    user_Samir Bhalodiya
    Samir Bhalodiya
    Vanthali, Junagadh•
    14 hrs ago
  • જૂનાગઢના કેશોદમાં વેરાવળ રોડ પર પટેલ સમાજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2026 અંતર્ગત પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના મહામંત્રી ભરત કોરિયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ પ્રશિક્ષણ વર્ગમાં માત્ર અપેક્ષિત કાર્યકરોને જ હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરેલી એક નાની વયની બાળકીની હાજરીથી સમગ્ર આયોજન સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જો કાર્યક્રમમાં ફક્ત અધિકૃત અને અપેક્ષિત કાર્યકરોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો, તો પછી આ બાળકી કયા આધારે અને કોની મંજૂરીથી હાજર રહી તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય પ્રશિક્ષણ જેવા ગંભીર અને સંગઠનાત્મક કાર્યક્રમોમાં સગીર વયના બાળકને સામેલ કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવતા ભાજપના સ્થાનિક નેતૃત્વની કામગીરી અને નિયમોના પાલન અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. એક તરફ 'માત્ર અપેક્ષિત કાર્યકરો'ની વાત કરવામાં આવે અને બીજી તરફ નાની બાળકી ભાજપનો ખેસ પહેરીને કાર્યક્રમમાં હાજર જોવા મળે, ત્યારે નિવેદન અને વાસ્તવિકતા વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ ઘટના અંગે સ્થાનિક લોકોમાં પણ ચર્ચા શરૂ થઈ છે કે, શું રાજકીય કાર્યક્રમોમાં બાળકોની હાજરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? અને શું પક્ષના આંતરિક નિયમો તથા માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું છે કે પછી નિયમો માત્ર જાહેર નિવેદનો પૂરતા જ સીમિત રહી ગયા છે? આ સમગ્ર ઘટનાએ માત્ર કાર્યક્રમના આયોજન પર જ નહીં, પરંતુ જવાબદાર હોદ્દેદારોની ભૂમિકા અને રાજકીય કાર્યક્રમોમાં સગીર બાળકોની હાજરી અંગે પણ અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, જેના જવાબ હવે સંબંધિત આગેવાનો અને આયોજકોએ આપવા જરૂરી બન્યા છે.
    4
    જૂનાગઢના કેશોદમાં વેરાવળ રોડ પર પટેલ સમાજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2026 અંતર્ગત પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના મહામંત્રી ભરત કોરિયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ પ્રશિક્ષણ વર્ગમાં માત્ર અપેક્ષિત કાર્યકરોને જ હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી છે.

જોકે, કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરેલી એક નાની વયની બાળકીની હાજરીથી સમગ્ર આયોજન સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જો કાર્યક્રમમાં ફક્ત અધિકૃત અને અપેક્ષિત કાર્યકરોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો, તો પછી આ બાળકી કયા આધારે અને કોની મંજૂરીથી હાજર રહી તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય પ્રશિક્ષણ જેવા ગંભીર અને સંગઠનાત્મક કાર્યક્રમોમાં સગીર વયના બાળકને સામેલ કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવતા ભાજપના સ્થાનિક નેતૃત્વની કામગીરી અને નિયમોના પાલન અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. એક તરફ 'માત્ર અપેક્ષિત કાર્યકરો'ની વાત કરવામાં આવે અને બીજી તરફ નાની બાળકી ભાજપનો ખેસ પહેરીને કાર્યક્રમમાં હાજર જોવા મળે, ત્યારે નિવેદન અને વાસ્તવિકતા વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

આ ઘટના અંગે સ્થાનિક લોકોમાં પણ ચર્ચા શરૂ થઈ છે કે, શું રાજકીય કાર્યક્રમોમાં બાળકોની હાજરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? અને શું પક્ષના આંતરિક નિયમો તથા માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું છે કે પછી નિયમો માત્ર જાહેર નિવેદનો પૂરતા જ સીમિત રહી ગયા છે? આ સમગ્ર ઘટનાએ માત્ર કાર્યક્રમના આયોજન પર જ નહીં, પરંતુ જવાબદાર હોદ્દેદારોની ભૂમિકા અને રાજકીય કાર્યક્રમોમાં સગીર બાળકોની હાજરી અંગે પણ અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, જેના જવાબ હવે સંબંધિત આગેવાનો અને આયોજકોએ આપવા જરૂરી બન્યા છે.
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    7 hrs ago
  • રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને રવિભાઈ મકવાણા નામના એક યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મૃતકની માતા નિર્મળાબેન મકવાણાએ ભાયાવદર પોલીસ મથકે ચાર વ્યાજખોરો — દેવાંગ ભાવેશભાઈ વિરડા, જસ્મીન અરવિંદભાઈ ચાવડા, મિહીર જીતેશભાઇ ચોવટીયા અને ઇન્દ્રજીતસિંહ ખીમસીહ ચૌહાણ — સામે નામજોગ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે એક ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, રવિભાઈને ખેતીકામમાં સુધારણા માટે નાણાંની જરૂરિયાત હોવાથી ગયા વર્ષે શ્રાવણ માસમાં સીદસર ગૌશાળા ખાતે દેવાંગ ભાવેશભાઈ વિરડા સાથે તેમનો સંપર્ક થયો હતો. રવિભાઈએ દેવાંગ પાસેથી પહેલા રૂ. ૨ લાખ અને પછી રૂ. ૪ લાખ, એમ કુલ રૂ. ૬ લાખ ૩ ટકા વ્યાજે લીધા હતા, જે વ્યાજ અને મૂળ રકમ સાથે ચૂકવી દેવાયા હતા. જોકે, છ મહિના પહેલા રવિભાઈએ ફરી દેવાંગ પાસેથી ૩ ટકા વ્યાજે રૂ. ૭ લાખ લીધા હતા, જેનું તેઓ દર મહિને રૂ. ૨૧,૦૦૦ વ્યાજ ચૂકવતા હતા. આ વ્યાજની રકમ ભરવા માટે રવિભાઈએ અન્ય વ્યાજખોરો પાસેથી પણ નાણાં લીધા હતા, જેમાં જસ્મીન અરવિંદભાઈ ચાવડા પાસેથી રૂ. ૩ લાખ ૧૦ ટકા વ્યાજે, મિહીર જીતેશભાઇ ચોવટીયા પાસેથી રૂ. ૫૦ હજાર ૩ ટકા વ્યાજે, અને ઇન્દ્રજીતસિંહ ખીમસીહ ચૌહાણ પાસેથી રૂ. ૩ લાખ ૩ ટકા વ્યાજે મેળવ્યા હતા. રવિભાઈ આ તમામ લોકોને નિયમિત વ્યાજ ચૂકવતા હોવા છતાં, લોકડાઉન કે અન્ય આર્થિક ભીંસના કારણે જ્યારે વ્યાજ ચૂકવવામાં વિલંબ થતો ત્યારે આ વ્યાજખોરો અવારનવાર રૂબરૂ આવીને અને ફોન પર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આત્મહત્યા કરતા પહેલા રવિભાઈએ પોતાની માતાને જણાવ્યું હતું કે તેઓ વ્યાજના ડાકણમાં ખરાબ રીતે ફસાઈ ગયા છે અને વ્યાજખોરો મૂળ રકમ કરતાં પણ વધુ રૂપિયાની માંગણી કરી રહ્યા છે. માતાએ તેમને સાંત્વના આપી હતી કે બધું સારું થઈ જશે, પરંતુ વ્યાજખોરો દ્વારા આપવામાં આવેલો માનસિક ત્રાસ સહન ન થતાં અંતે રવિભાઈએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું. ભાયાવદર પોલીસે માતાની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી દેવાંગ વિરડા, જસ્મીન ચાવડા અને ઇન્દ્રજીતસિંહ ચૌહાણની ધરપકડ કરી લીધી છે. ફરાર આરોપી મિહીર ચોવટીયાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ધોરાજીના ASP સિમરન ભારદ્વાજે પણ આ બનાવની પુષ્ટિ કરી હતી કે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી લીધી છે અને મૃતકની માતાએ ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.
    1
    રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને રવિભાઈ મકવાણા નામના એક યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મૃતકની માતા નિર્મળાબેન મકવાણાએ ભાયાવદર પોલીસ મથકે ચાર વ્યાજખોરો — દેવાંગ ભાવેશભાઈ વિરડા, જસ્મીન અરવિંદભાઈ ચાવડા, મિહીર જીતેશભાઇ ચોવટીયા અને ઇન્દ્રજીતસિંહ ખીમસીહ ચૌહાણ — સામે નામજોગ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે એક ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, રવિભાઈને ખેતીકામમાં સુધારણા માટે નાણાંની જરૂરિયાત હોવાથી ગયા વર્ષે શ્રાવણ માસમાં સીદસર ગૌશાળા ખાતે દેવાંગ ભાવેશભાઈ વિરડા સાથે તેમનો સંપર્ક થયો હતો. રવિભાઈએ દેવાંગ પાસેથી પહેલા રૂ. ૨ લાખ અને પછી રૂ. ૪ લાખ, એમ કુલ રૂ. ૬ લાખ ૩ ટકા વ્યાજે લીધા હતા, જે વ્યાજ અને મૂળ રકમ સાથે ચૂકવી દેવાયા હતા. જોકે, છ મહિના પહેલા રવિભાઈએ ફરી દેવાંગ પાસેથી ૩ ટકા વ્યાજે રૂ. ૭ લાખ લીધા હતા, જેનું તેઓ દર મહિને રૂ. ૨૧,૦૦૦ વ્યાજ ચૂકવતા હતા. આ વ્યાજની રકમ ભરવા માટે રવિભાઈએ અન્ય વ્યાજખોરો પાસેથી પણ નાણાં લીધા હતા, જેમાં જસ્મીન અરવિંદભાઈ ચાવડા પાસેથી રૂ. ૩ લાખ ૧૦ ટકા વ્યાજે, મિહીર જીતેશભાઇ ચોવટીયા પાસેથી રૂ. ૫૦ હજાર ૩ ટકા વ્યાજે, અને ઇન્દ્રજીતસિંહ ખીમસીહ ચૌહાણ પાસેથી રૂ. ૩ લાખ ૩ ટકા વ્યાજે મેળવ્યા હતા. રવિભાઈ આ તમામ લોકોને નિયમિત વ્યાજ ચૂકવતા હોવા છતાં, લોકડાઉન કે અન્ય આર્થિક ભીંસના કારણે જ્યારે વ્યાજ ચૂકવવામાં વિલંબ થતો ત્યારે આ વ્યાજખોરો અવારનવાર રૂબરૂ આવીને અને ફોન પર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આત્મહત્યા કરતા પહેલા રવિભાઈએ પોતાની માતાને જણાવ્યું હતું કે તેઓ વ્યાજના ડાકણમાં ખરાબ રીતે ફસાઈ ગયા છે અને વ્યાજખોરો મૂળ રકમ કરતાં પણ વધુ રૂપિયાની માંગણી કરી રહ્યા છે. માતાએ તેમને સાંત્વના આપી હતી કે બધું સારું થઈ જશે, પરંતુ વ્યાજખોરો દ્વારા આપવામાં આવેલો માનસિક ત્રાસ સહન ન થતાં અંતે રવિભાઈએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું.

ભાયાવદર પોલીસે માતાની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી દેવાંગ વિરડા, જસ્મીન ચાવડા અને ઇન્દ્રજીતસિંહ ચૌહાણની ધરપકડ કરી લીધી છે. ફરાર આરોપી મિહીર ચોવટીયાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ધોરાજીના ASP સિમરન ભારદ્વાજે પણ આ બનાવની પુષ્ટિ કરી હતી કે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી લીધી છે અને મૃતકની માતાએ ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    14 hrs ago
  • અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં મોહરમ પર્વ દરમિયાન કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. બગસરાના નટવર નગરના દલિત સમાજના યુવાનો દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને આઇસક્રીમનું વિતરણ કરીને ભાઈચારા અને કોમી સદ્ભાવનો સંદેશો આપવામાં આવ્યો.
    1
    અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં મોહરમ પર્વ દરમિયાન કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. બગસરાના નટવર નગરના દલિત સમાજના યુવાનો દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને આઇસક્રીમનું વિતરણ કરીને ભાઈચારા અને કોમી સદ્ભાવનો સંદેશો આપવામાં આવ્યો.
    user_Ashok manvar
    Ashok manvar
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    4 hrs ago
  • સાવરકુંડલામાં ચાલી રહેલા ગટર લાઇનના કામ દરમિયાન એક મોટી બેદરકારી સામે આવી છે, જેના કારણે ગુજરાત ગેસની મેઈન લાઇન તોડી નાખવામાં આવી હતી. આ ઘટનાને બેદરકારીનો મોટો ફડાકો ગણાવવામાં આવ્યો છે.
    1
    સાવરકુંડલામાં ચાલી રહેલા ગટર લાઇનના કામ દરમિયાન એક મોટી બેદરકારી સામે આવી છે, જેના કારણે ગુજરાત ગેસની મેઈન લાઇન તોડી નાખવામાં આવી હતી. આ ઘટનાને બેદરકારીનો મોટો ફડાકો ગણાવવામાં આવ્યો છે.
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    4 hrs ago
  • ગીર સોમનાથ જિલ્લાના ઉના અંજાર રોડ પર સ્થિત ઐતિહાસિક કરબલા ખાતે ઈમામ હુસેનની યાદમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ન્યાઝ અને દુઆ સહિતના ધાર્મિક વિધિઓ યોજવામાં આવી હતી.
    1
    ગીર સોમનાથ જિલ્લાના ઉના અંજાર રોડ પર સ્થિત ઐતિહાસિક કરબલા ખાતે ઈમામ હુસેનની યાદમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ન્યાઝ અને દુઆ સહિતના ધાર્મિક વિધિઓ યોજવામાં આવી હતી.
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    1 hr ago
  • આજે સાંજે તુલસીશ્યામ ખાતે રૂક્ષ્મણી માતાના ડુંગર પરથી અંદાજે 40થી 50 ફૂટની ઊંચાઈ પરથી એક સાબર નીચે પટકાયું હતું, જેને કારણે તેની ગરદન અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. દર્શનાર્થે આવેલા પત્રકાર વિનોદ એમ. બાંભણિયાના જણાવ્યા મુજબ, સાંજે 5 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના બાદ, ઘાયલ સાબરને આશરે 4 કલાક સુધી સારવાર ન મળવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે, જેણે વન્યજીવોના રેસ્ક્યુ તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા કર્યા છે. ઘટનાની જાણ તાત્કાલિક મંદિર ટ્રસ્ટના કર્મચારીઓને કરવામાં આવી હતી, અને ટ્રસ્ટ દ્વારા વન વિભાગને જાણ કરાઈ હોવાનું જણાવાયું હતું. જોકે, લાંબો સમય પસાર થવા છતાં કોઈ રેસ્ક્યુ ટીમ કે પશુચિકિત્સક સ્થળ પર પહોંચ્યા ન હતા. આ પછી, પત્રકારે ગૂગલ મારફતે જસાધાર અને ગીર ગઢડા રેન્જના વન વિભાગના અધિકારીઓના સંપર્ક નંબર મેળવી તેમને ફોન દ્વારા જાણ કરી હતી. તેમ છતાં, રાત્રે લગભગ 8:45 વાગ્યા સુધી પણ કોઈ જવાબદાર અધિકારી કે રેસ્ક્યુ ટીમ સ્થળ પર ન પહોંચ્યા હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત, ઘટનાનો વીડિયો બનાવવાનો પ્રયાસ કરતા સ્થળ પર હાજર એક અધિકારીએ મોબાઈલ ફોન ઝૂંટવી લેવાની અને વીડિયો ડિલીટ કરવાની ધમકી આપી હોવાનો પણ આરોપ છે. આ સમગ્ર ઘટનાએ વન્યજીવોના ઇમરજન્સી રેસ્ક્યુ તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિકો અને ભક્તોએ માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, રેસ્ક્યુમાં થયેલા વિલંબ માટે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે, અને ઘાયલ વન્યજીવોને તાત્કાલિક સારવાર મળી રહે તેવી અસરકારક વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
    2
    આજે સાંજે તુલસીશ્યામ ખાતે રૂક્ષ્મણી માતાના ડુંગર પરથી અંદાજે 40થી 50 ફૂટની ઊંચાઈ પરથી એક સાબર નીચે પટકાયું હતું, જેને કારણે તેની ગરદન અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. દર્શનાર્થે આવેલા પત્રકાર વિનોદ એમ. બાંભણિયાના જણાવ્યા મુજબ, સાંજે 5 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના બાદ, ઘાયલ સાબરને આશરે 4 કલાક સુધી સારવાર ન મળવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે, જેણે વન્યજીવોના રેસ્ક્યુ તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા કર્યા છે.

ઘટનાની જાણ તાત્કાલિક મંદિર ટ્રસ્ટના કર્મચારીઓને કરવામાં આવી હતી, અને ટ્રસ્ટ દ્વારા વન વિભાગને જાણ કરાઈ હોવાનું જણાવાયું હતું. જોકે, લાંબો સમય પસાર થવા છતાં કોઈ રેસ્ક્યુ ટીમ કે પશુચિકિત્સક સ્થળ પર પહોંચ્યા ન હતા. આ પછી, પત્રકારે ગૂગલ મારફતે જસાધાર અને ગીર ગઢડા રેન્જના વન વિભાગના અધિકારીઓના સંપર્ક નંબર મેળવી તેમને ફોન દ્વારા જાણ કરી હતી. તેમ છતાં, રાત્રે લગભગ 8:45 વાગ્યા સુધી પણ કોઈ જવાબદાર અધિકારી કે રેસ્ક્યુ ટીમ સ્થળ પર ન પહોંચ્યા હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત, ઘટનાનો વીડિયો બનાવવાનો પ્રયાસ કરતા સ્થળ પર હાજર એક અધિકારીએ મોબાઈલ ફોન ઝૂંટવી લેવાની અને વીડિયો ડિલીટ કરવાની ધમકી આપી હોવાનો પણ આરોપ છે.

આ સમગ્ર ઘટનાએ વન્યજીવોના ઇમરજન્સી રેસ્ક્યુ તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિકો અને ભક્તોએ માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, રેસ્ક્યુમાં થયેલા વિલંબ માટે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે, અને ઘાયલ વન્યજીવોને તાત્કાલિક સારવાર મળી રહે તેવી અસરકારક વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
    user_Sorath Ni Dharohar🔴 (SD-news)
    Sorath Ni Dharohar🔴 (SD-news)
    News Anchor ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.