દાહોદ લીમખેડાના મોટા હાથી ધરા હર હર હર મહાદેવના નાથ સાથે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં દાહોદ લીમખેડાના મોટા હાથી ધરા ખાતે ‘હર હર મહાદેવ’ના નાદ સાથે મહાશિવરાત્રી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે લીમખેડા તાલુકાના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા મોટા હાથી ધરા સ્થિત હસ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી ની ભવ્ય ઉજવણી કરી શિવભક્તોએ મહાપ્રસાદનો લ્હાવો ઓ લીધો હતો વહેલી સવારથી જ શિવાલયમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તિ અને સંસ્કૃતિનો સંગમ હસ્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ લીમખેડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભગવાન શિવને જલાભિષેક અને દૂધનો અભિષેક કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં મેળાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા હાથી ધરાના પથ્થરો અને નદી કિનારે લોકોએ હરવા-ફરવાનો આનંદ માણ્યો હતો. રિપોર્ટર -: અભેસિંહ રાવલ દાહોદ
દાહોદ લીમખેડાના મોટા હાથી ધરા હર હર હર મહાદેવના નાથ સાથે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં દાહોદ લીમખેડાના મોટા હાથી ધરા ખાતે ‘હર હર મહાદેવ’ના નાદ સાથે મહાશિવરાત્રી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે લીમખેડા તાલુકાના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા મોટા હાથી ધરા સ્થિત
હસ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી ની ભવ્ય ઉજવણી કરી શિવભક્તોએ મહાપ્રસાદનો લ્હાવો ઓ લીધો હતો વહેલી સવારથી જ શિવાલયમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તિ અને સંસ્કૃતિનો સંગમ હસ્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ લીમખેડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
હતા. ભગવાન શિવને જલાભિષેક અને દૂધનો અભિષેક કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં મેળાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા હાથી ધરાના પથ્થરો અને નદી કિનારે લોકોએ હરવા-ફરવાનો આનંદ માણ્યો હતો. રિપોર્ટર -: અભેસિંહ રાવલ દાહોદ
- ગુજરાતમાં બજેટ રજુ થતા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બજેટને લોલીપોપ ગણાવી સરકાર પર પ્રહારો કર્યા1
- ગુજરાત રાજ્યનું આજે રજૂ થયેલ નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગતિમાન અને સર્વાંગી વિકાસને વધુ વેગ આપનારું છે. ગુજરાત સતત પ્રગતિના માર્ગ પર આગળ વધતું રહ્યું છે અને આ અંદાજપત્ર રાજ્યને “વિકસિત ગુજરાત” તરફ દ્રઢ પગલાં ભરવા માટે સશક્ત બનાવશે. #aimi midiya gujrati #અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ1
- દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા લવારીયા અને કાકલપુર ગામની મુલાકાત લઈ વિવિધ કચેરીઓની કરાઈ આકસ્મિક ચકાસણી આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારીએ લવારીયા અને કાકલપુર ગામોની મુલાકાત લઈને વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓની તપાસણી હાથ ધરી. લવારીયા ગામે તલાટી કચેરીમાં Appendix-A મુજબ દફતર તપાસવામાં આવ્યા અને દફતર અધ્યતન રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ગ્રામ પ્રવાસ દરમિયાન લવારીયા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ સબ સેન્ટર-લવારીયાની મુલાકાત લઈને ગ્રામજનોને આરોગ્ય સેવાઓ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે મળે તે માટે CHOને જરૂરી તાકીદ કરવામાં આવી. આકસ્મિક મુલાકાત અંતર્ગત કાકલપુર ગામે તલાટી કચેરીની તપાસણી કરી અને ગ્રામ પંચાયતની સ્વચ્છતા, યોજનાઓ હેઠળ થયેલ કામો તથા અન્ય વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી. બાકી રહેલ કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી. તે ઉપરાંત કાકલપુર પ્રાથમિક શાળા અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈને બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે તેની તકેદારી રાખવા આચાર્યને સૂચના આપવામાં આવી. પ્રાંત અધિકારીએ બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું. આ મુલાકાત દ્વારા સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા તથા ગ્રામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.1
- આપના દાહોદ જિલ્લા કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે રાજ્યપાલને સંબોધિત આવેદન પત્ર આપીને ટ્રેડ ડીલને તાત્કાલિક રદ્દ કરવાની માંગણી કરી છે.1
- લીમડાબરા ગ્રામ પંચાયત ના તલાટી અને ડેપ્યુટી સરપંચ દ્વારા ડિસેમ્બર 2025 માં મીની યોજના અને હેડપંપ નું કામ કરવામાં આવ્યું હતું તેમાં સ્થળ તપાસ કયૉ વગર સીધું 15 નું પેમેન્ટ કરવામાં આવ્યું હતું તેમાં તલાટી અને સરપંચ ને પુછતાં 05 હેડપંપ નું કામ બાકી છે તેવું જાણવા મળ્યું છે ત્યારે સરકાર શ્રી દ્વારા 05 હેડપંપ નું કામ બાકી હોવા છતાં સીધું પેમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું છે તેની તપાસ કરવા માટે ટી.ડી.ઓ સાહેબ શ્રી ને રૂબરૂ રજૂઆત કરવા માં આવી.1
- કમોસમી વરસાદે ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ઠંડક ફેલાવી, ખેડૂતોમાં ચિંતા ગોધરા સહિત પંચમહાલ જિલ્લોના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે વહેલી સવારે વરસેલા આ ઝાપટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાતાવરણ ડહોળાયેલું જોવા મળતું હતું, જેના અનુસંધાને આજે સવારે મેઘરાજાની અચાનક એન્ટ્રીથી કેટલાક વિસ્તારોમાં જનજીવન થોડાક સમય માટે પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદને પગલે હવામાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.4
- ગોધર તાલુકામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. તાલુકાના નસીકપુર સહિત આસપાસના વિસ્તારમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ હળવું કમોસમી વરસાદનું જાગતું વર્ષયુ હતું. ખેતરોમાં ઘઉં મકાઈ ચણા સહિત ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર થયેલા છે તેવામાં વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદી જાપતાને લઇ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે વહેલી સવારે સામાન્ય ઝાપટું પડ્યા બાદ વરસાદી છાંટા બંધ થઈ ચૂક્યા હતા.1
- દાહોદ:ગુજરાતના બજેટને ભાજપના નેતાઓએ આવકાર આપ્યો1