Shuru
Apke Nagar Ki App…
માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામે હત્યાની કોશિશના ગુનામાં રીમાન્ડ પર રહેલા આરોપીના ઘરેથી દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા છે. માળીયા(મી) પોલીસે આરોપી કીશોરભાઈ દેવદાનભાઈ લોખીલના રહેણાંક મકાનમાં દરોડો પાડી એક દેશી પિસ્તોલ અને 9 જીવતા કારતૂસ કબ્જે કર્યા હતા. કુલ રૂ. 5,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે હથિયારધારા હેઠળ વધુ એક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad Morbi
માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામે હત્યાની કોશિશના ગુનામાં રીમાન્ડ પર રહેલા આરોપીના ઘરેથી દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા છે. માળીયા(મી) પોલીસે આરોપી કીશોરભાઈ દેવદાનભાઈ લોખીલના રહેણાંક મકાનમાં દરોડો પાડી એક દેશી પિસ્તોલ અને 9 જીવતા કારતૂસ કબ્જે કર્યા હતા. કુલ રૂ. 5,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે હથિયારધારા હેઠળ વધુ એક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh thakor Halvad Morbi1
- સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાંગોઈ ગામની સીમમાં ધજાળા પોલીસે મોટી કાર્યવાહી કરતા ભોંયરામાં છુપાવેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ PSI એસ.પી. ઝાલાની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 1704 બોટલ (750 મીલી) અને 12,246 ચપલા મળી કુલ ₹42 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ મામલે આરોપી રામકુભાઈ ઉર્ફે લાલો તકમરીયા ફરાર હોવાનું સામે આવ્યું છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ધજાળા પોલીસની આ સફળ કામગીરીથી ગેરકાયદેસર દારૂના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. 👉 વધુ અપડેટ માટે અમારી ચેનલને Subscribe કરો અને Video ને Like & Share કરો.1
- મિતભાઈ કાસોદરીયાએ આ ઘટનામાં ભરત વેરશી સાથળીયા, પ્રેમ ભરત સાથળીયા, સચિન ભરત સાથળીયા સામે ગઢડા પોલીસમા નોંધાવી છે ફરીયાદ.. ગઢડા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી એકની કરી ધરપકડ જ્યારે બે ને પકડવાના બાકી..1
- વિનાયક પાર્ક સોસાયટી બોટાદ ખાતે તારીખ.૨૮/૦૩/૨૦૨૬ના રોજ મિતેશકુમાર રાઠોડ નો ભવ્ય વિદાય સમારંભ યોજાયો ગઢડા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સરળ સ્વભાવ અને અરજદારોના પ્રશ્નો શાંતિપૂર્ણ સાંભળીને કામનો જડપી નિકાલ કરનાર એવા મિતેશકુમાર ડાહ્યાભાઈ રાઠોડ તેમને બદલી સાથે મહિસાગર જિલ્લામાં નાયબ મામલતદાર નું પ્રમોશન મળવા બદલ તેમના નિવાસસ્થાને વિનાયક પાર્ક સોસાયટીના મિત્રો મળીને રાત્રીના સમયે મિતેશકુમાર રાઠોડ નો ભવ્ય સ્વાગત અને વિદાય સમારંભ નું આયોજન રાખવામાં આવેલ જેમા સમતા બુદ્ધ વિહાર.બોટાદ પ્રમુખ.બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ દ્વારા પંચશીલ અને ડૉ.બાબાસાહેબ નું પુસ્તક આપીને મિતેશકુમાર રાઠોડનું સન્માન અને શુભેચ્છા પાઠવી હતી તેમજ વિનાયક સોસાયટીના રહિશો અને મિત્રોએ ઉત્સાહભેર શુભકામનાઓ પાઠવવા માટે ડાયાભાઈ ચાવડા ગીરીશભાઈ પરમાર જીતુભાઈ કારેલીયા મુળજીભાઈ સાગઠીયા મૌલેશભાઈ સોલંકી સહદેવભાઈ પરમાર ભાવિનભાઈ સોલંકી રાહુલભાઈ ચાવડા મહેશભાઈ ચાવડા સહીત મોટી સંખ્યામા સ્નેહીજન તથા મિત્રો ઉપસ્થિત રહી મિતેશકુમાર રાઠોડ ને બદલી સાથે નાયબ મામલતદાર નું પ્રમોશન મળવા બદલ અઢળક શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *ચંદનનગરી ગામે ગૌચરની જમીન પર ગેરકાયદેસર ખોદકામ થવાના મામલે ગામલોકોમાં ભારે રોષ ફેલાયો છે*. મળતી માહિતી મુજબ સર્વે નંબર 241 હેઠળ આવતી રેવન્યુ વલાણી ગૌચરની જમીન પર ખનિજ માફિયાઓ દ્વારા સતત ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે ચંદનનગરીના પૂર્વ સરપંચ દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામલોકોનું કહેવું છે કે ગૌચર જમીન પશુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, છતાં તેનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે.1
- વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા1
- अहमदाबाद के साणंद: हरेकृष्ण सोसाइटी में गोगा महाराज जोगनीमाताजी प्राण प्रतिस्ठा माताजी नी प्राण प्रतिष्ठा महोत्सव संपन्न साणंद: साणंद शहर की हरेकृष्ण सोसाइटी में माताजी की प्राण प्रतिष्ठा महोत्सव अत्यंत हर्षोल्लास और भक्तिमय वातावरण में संपन्न हुआ इस अवसर पर मुख्य महेमान महंत श्री ऋषिभारती बापू ए हाजरी आपी हती अने सोसायटी ना भक्तो करण भाई पटेल जिगरभाई ठक्कर गौतमभाई चौहान जे. बी. भरवाड़ जवाभाई भरवाड़ आवाभाई भरवाड़ सभी निवासियों द्वारा विभिन्न धार्मिक कार्यक्रमों का भव्य आयोजन किया गया भव्य शोभायात्रा और मूर्ति स्थापना कार्यक्रम की शुरुआत सुबह खोड़ियार माता मंदिर से की गई वहां से हरेकृष्ण सोसाइटी के कॉमन प्लॉट तक बैंड-बाजों के साथ भुवाजी का भव्य स्वागत किया गया। इसके पश्चात शास्त्रीय विधि-विधान के साथ माताजी की मूर्ति की पदरामणी (स्थापना) की गई, जिसमें बड़ी संख्या में श्रद्धालु शामिल हुए दोपहर 4:15 बजे पवित्र श्रीफल होम यज्ञ आहुति की विधि पूर्ण की गई मंत्रोच्चार और भक्ति गीतों से पूरी सोसाइटी का वातावरण मंगलमय हो गया। शाम 6:00 बजे सोसाइटी के सभी सदस्यों और भक्तों के लिए महाप्रसाद का आयोजन किया गया सोसाइटी के सभी निवासियों ने इस अवसर को अपने परिवार का प्रसंग मानकर उत्साहपूर्वक अपनी उपस्थिति दर्ज कराई और कार्यक्रम को सफल बनाया रिपोट भरतसिंह चौहान अहमदाबाद4
- મોરબીમાં મેટ્રો ગ્રુપના ઉદ્યોગપતિ પર થયેલ હુમલા મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના પૂર્વ ચેરમેન અને કહેવાતા રાષ્ટ્રભક્ત અજય લોરીયાની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવ અંગે ડિવિઝનલ એસપી જે.એમ.આલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. વેપારી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં અજય લોરીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1