Shuru
Apke Nagar Ki App…
મોરબીમાં લેન્સકાર્ટ શોરૂમ સામે વિહિપ-બજરંગદળનો વિરોધ નોંધાયો. ધાર્મિક ચિહ્નોને લગતા કંપનીના કથિત પરિપત્રને લઈ કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો હતો. વિહિપ અને બજરંગદળના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો કે કંપની દ્વારા હિન્દુ કર્મચારીઓને તિલક, શિખા, કલાવા અને મહિલાઓને બિન્દી ન લગાડવા સૂચના આપવામાં આવી છે, જે હિન્દુ લાગણીઓને ઠેસ પહોંચાડે છે. આ વિરોધના ભાગરૂપે મોરબીના રવાપર રોડ પર આવેલ લેન્સકાર્ટ શોરૂમ ખાતે કાર્યકર્તાઓ એકત્ર થયા અને કર્મચારીઓને તિલક કરીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો. સંગઠનના આગેવાનોના જણાવ્યા મુજબ, આવા નિયમો હિન્દુ સમાજ સ્વીકારશે નહીં અને આવનારા સમયમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad Morbi
મોરબીમાં લેન્સકાર્ટ શોરૂમ સામે વિહિપ-બજરંગદળનો વિરોધ નોંધાયો. ધાર્મિક ચિહ્નોને લગતા કંપનીના કથિત પરિપત્રને લઈ કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો હતો. વિહિપ અને બજરંગદળના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો કે કંપની દ્વારા હિન્દુ કર્મચારીઓને તિલક, શિખા, કલાવા અને મહિલાઓને બિન્દી ન લગાડવા સૂચના આપવામાં આવી છે, જે હિન્દુ લાગણીઓને ઠેસ પહોંચાડે છે. આ વિરોધના ભાગરૂપે મોરબીના રવાપર રોડ પર આવેલ લેન્સકાર્ટ શોરૂમ ખાતે કાર્યકર્તાઓ એકત્ર થયા અને કર્મચારીઓને તિલક કરીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો. સંગઠનના આગેવાનોના જણાવ્યા મુજબ, આવા નિયમો હિન્દુ સમાજ સ્વીકારશે નહીં અને આવનારા સમયમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh thakor Halvad Morbi1
- સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 01 માં કાર્યાલયનું ઉદ્ઘાટન શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો હાજર રહ્યા હતા. દર્શનાબેન વાઘેલાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે મોદી સરકારના સારા કામોમાં હંમેશા અવરોધ ઉભા કરવામાં આવે છે અને ગુજરાતની પ્રજા 26 તારીખે તેનો જવાબ આપશે. 👉 વધુ અપડેટ માટે પેજને Follow કરો1
- Post by Nationgujarat.com1
- gegegegegeg1
- દેશની સરહદો પર રહીને રાષ્ટ્રની રક્ષા કરતા જવાનો જ્યારે પોતાની માતૃસંસ્થા અને ગામના બાળકોને યાદ કરે છે, ત્યારે એક અનોખો સેવાનો સંગમ રચાય છે. આવું જ કંઈક પ્રેરણાદાયી કાર્ય નવા નાવડા ગામના પનોતા પુત્ર અને ભારતીય સૈન્યના જવાન દ્વારા કરવામાં આવ્યું છે. નવા નાવડા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ભારતીય સૈન્યમાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પ્રેમજીભાઈ પરમારે પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ પ્રેરણાદાયી અને સેવાકીય રીતે કરી હતી. ઉનાળાની આ આકરી ગરમીમાં બાળકોને રાહત મળે તેવા ઉમદા હેતુથી, ભરતભાઈ તરફથી શાળાના તમામ બાળકો તેમજ આંગણવાડીના નાના ભૂલકાઓ માટે 'સુકામેવા થી ભરપૂર' ખાસ બરફ ગોળા (આઈસ ડિશ)નું આયોજન કરવામાં આવ્યું હતું. ધોમધખતા ઉનાળામાં ઠંડી-મીઠી આઈસ ડિશ મળતા જ બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને સ્મિત જોવા મળ્યું હતું. જવાન ભરતભાઈએ લશ્કરમાં રહીને દેશસેવા કરવાની સાથે-સાથે પોતાની માતૃસંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરી 'બાળ દેવો'નો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. શાળા પરિવાર અને ગ્રામજનોએ ભરતભાઈના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું અને તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સૈનિકના આ સેવાકાર્યથી બાળકોમાં પણ દેશપ્રેમ અને પરોપકારની ભાવના જાગૃત થઈ હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *ધંધુકા હત્યાંકાંડના આરોપીનું સરઘસ કાઢ્યું.* બે આરોપીને કોર્ટમાં રજુ કરાયા બાદ બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા. ધંધુકા બિરલા સર્કલથી લઈને ધંધુકા પોલીસ સ્ટેશન સુધી બંને આરોપીનું સરઘસ કાઢયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીનું સરઘસ નીકળ્યું.1
- પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતો માટે જોડાયેલા રહો…1
- Post by Nationgujarat.com1