Shuru
Apke Nagar Ki App…
વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલા ભવાનીપુરા ગામે દીપડો દેખાતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ગામમાં દીપડો નજરે પડતાં જ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
LAXMAN BANIYA
વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલા ભવાનીપુરા ગામે દીપડો દેખાતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ગામમાં દીપડો નજરે પડતાં જ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
More news from Gujarat and nearby areas
- અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રથયાત્રા યોજાય તે પહેલા જ ભગવાન જગન્નાથજીના પાવન દર્શન મેળવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.1
- વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને જોડતા મુખ્ય માર્ગ અને વડોદરા-બોડેલી-ડભોઇને સાંકળતી અત્યંત મહત્વની એવી ડભોઇ વેગા ચોકડી હાલ અંધારપટ અને વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતાનો ભોગ બની છે. આ વ્યસ્ત સર્કલ પર લાખોના ખર્ચે લગાવવામાં આવેલી હાઈટેક સોલાર લાઈટો છેલ્લા ૧૦ દિવસથી તૂટીને જમીનદોસ્ત થઈ ગઈ છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. વેગા ચોકડી માત્ર સ્થાનિક લોકો માટે જ નહીં, પરંતુ દેશ-વિદેશના પર્યટકો અને ભારે વાહનોથી સતત ધમધમતી રહે છે. રાત્રિના સમયે અહીં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે અને રસ્તા પર તૂટી પડેલા થાંભલાઓને લીધે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.1
- વડોદરા શહેરના ખટી ઈમલી ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.1
- આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં યોજાનારી આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.1
- સરકાર દ્વારા પ્રજાની સુવિધા માટે લાખો-કરોડો રૂપિયાના ખર્ચે વિકાસકામો કરવામાં આવે છે, પરંતુ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતને કારણે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રામપુરાથી કરા જવાના રોડ પર લાખો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ બનાવવામાં આવેલા બે નવા નાળાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની પોલ ખુલી ગઈ છે. આ નવા બનેલા નાળા પરથી હજી તો વાહનોની અવરજવર માંડ શરૂ થઈ છે, ત્યાં જ બંને નાળાના સ્લેબની આસપાસની ભરાઈ તૂટી ગઈ છે અને અંદર ફિટ કરેલા લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, કોન્ટ્રાક્ટરે લોટ, પાણી ને લાકડા જેવું હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને આ ભ્રષ્ટાચાર આચર્યો છે. ભ્રષ્ટાચાર છુપાવવા અને તૂટેલા સ્લેબના સળિયા ઢાંકવા માટે કોન્ટ્રાક્ટરે રાતોરાત ટ્રેક્ટરો ભરીને કપચી અને માટી નાખી દીધી હતી, પરંતુ તાજેતરમાં પડેલા નજીવા વરસાદે જ આ માટી-કપચી ધોઈ નાખી અને સમગ્ર ભ્રષ્ટાચાર જગજાહેર કરી દીધો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોડ વિભાગના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે નિયમ મુજબ અધિકારીઓએ સ્થળ પર હાજર રહીને મોનિટરિંગ કરવાનું હોય છે પરંતુ અહીં એક પણ વખત કોઈ અધિકારીએ ડોકિયું સુદ્ધાં કર્યું નથી. લોકમુખે ચર્ચા છે કે સરકારી બાબુઓ માત્ર સરકારના પૈસે લહેર કરવા અને કોન્ટ્રાક્ટરોના ગુણગાન ગાવામાં જ મસ્ત રહે છે. લોકોની ઉગ્ર માંગ છે કે જો ચોમાસું પૂરેપૂરું જામ્યા પહેલા નાળાની આવી હાલત હોય, તો ભારે વરસાદમાં આ નાળા ગમે ત્યારે તૂટી પડે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આથી, તંત્ર તાત્કાલિક જાગીને આ કામની ઉચ્ચસ્તરીય તપાસ કરાવે અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર તેમજ આંખ આડા કાન કરનારા અધિકારીઓ સામે કડક પગલાં ભરે.1
- માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના મેલબોર્ન પ્રવાસના ઐતિહાસિક અવસર નિમિત્તે સિડનીથી મેલબોર્ન સુધી ખાસ "મોદી એક્સપ્રેસ" ફ્લાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ પહેલને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં માત્ર બે અઠવાડિયાના ટૂંકા ગાળામાં 70થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સાથે જ 40થી વધુ લોકોએ પોતાની ટિકિટ કન્ફર્મ કરાવીને આ ઐતિહાસિક પ્રસંગનો ભાગ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. મોદી એક્સપ્રેસના આયોજનકર્તા તરીકે પાર્થ પટેલે આ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળવાની તક મળવા બદલ અત્યંત ગર્વ અને આનંદની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આ મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી સોંપવા અને તેમના પર વિશ્વાસ રાખવા બદલ તમામ આયોજકો તથા કોર ટીમનો દિલથી આભાર માન્યો છે. આ સાથે જ રજીસ્ટ્રેશન કરાવનાર, ટિકિટ બુક કરનાર અને આ પહેલને સફળ બનાવનાર તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં પણ આવી અનેક ઐતિહાસિક યાદો સાથે મળીને બનાવી શકાય.3
- વડોદરાના એક ભરચક વિસ્તારમાં સિમેન્ટ જોવાના બહાને ₹5 હજારની ચીલઝડપ કરીને બાઇકસવારો ફરાર થઈ ગયા છે. બાઇક પર આવેલા આ શખ્સોએ ભીડભાડવાળા વિસ્તારમાં સિમેન્ટ જોવાનો ડોળ કર્યો હતો અને ત્યાંથી ₹5 હજારની રોકડ રકમ લઈને નાસી છૂટ્યા હતા.1
- અમદાવાદમાં યોજાનારી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું હતું, જેમાં લાખો લોકોએ દર્શન કર્યા હતા. આ મહોત્સવ દરમિયાન નેશન ગુજરાતે ભાજપના પૂર્વ કોર્પોરેટર ભાસ્કર ભટ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.1
- તારાપુર પંથક માટે એક ખુબ જ આનંદ અને ગૌરવના સમાચાર સામે આવ્યા છે. તારાપુર રાધાબાગ અને હાલ સિંજીવાડા ખાતે રહેતા હરીકીશન રાજપૂતની લાડકવાયી દિકરી દેવાંશી રાજપૂત હવે ટૂંક સમયમાં જ ગુજરાતી સિનેમાના પડદા પર અભિનય કરતી જોવા મળશે. બામણગામની સાગર સ્કૂલમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતી નાની વયની દેવાંશી રાજપૂતને ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આવનારી નવી ગુજરાતી ફિલ્મ "ધાયલને શું થાય છે" માં એક મહત્વનો રોલ મળ્યો છે. હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ આણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં ધૂમધામથી ચાલી રહ્યું છે, જ્યાં દેવાંશી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, પેનલ એબેરોય, ગુરુ પટેલ અને દેવા ઠાકર જેવા જાણીતા કલાકારો સાથે કેમેરા સામે પોતાના અભિનયના કામણ પાથરી રહી છે. સેટ પરથી મળતી માહિતી મુજબ નાની દેવાંશીએ પોતાના ક્યુટ અંદાજ અને ટેલેન્ટથી ફિલ્મના ક્રૂ મેમ્બર્સના દિલ જીતી લીધા છે. આ એક્શન અને ફેમિલી ડ્રામાથી ભરપૂર ફિલ્મ આવનાર પવિત્ર રક્ષાબંધનના તહેવાર પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. નાની ઉંમરે આટલી મોટી સિદ્ધિ મેળવીને દેવાંશીએ પોતાના પરિવાર સહિત સમગ્ર તારાપુર પંથકનું નામ રોશન કર્યું છે. સોશિયલ મીડિયા અને ગામ લોકો તરફથી દેવાંશી અને તેના પરિવાર પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.1