Shuru
Apke Nagar Ki App…
જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
સરદાર સંદેશ ન્યુઝ
જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
More news from ગુજરાત and nearby areas
- દેશનો એક બદલાવ જરૂરી છે જે નવી પાર્ટીઓને સપોર્ટ આપવાથી ઘણો બદલાવ આવી શકે છે1
- Post by Gautam Patel1
- ગાંધીનગરના માધવગઢમાં ગઈકાલે સાંજે શાળાની જર્જરિત દીવાલ ધરાશાયી થતા માસૂમ રઘુનંદનસિંહના મોત મામલે હવે વિરોધનો વંટોળ વકર્યો છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા અને દુઃખની આ ઘડીમાં એક પણ જવાબદાર અધિકારી પરિવારની મુલાકાતે ન આવતા રોષે ભરાયેલા પરિવારે ન્યાયની માંગ સાથે લાશ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે.માધવગઢની શાળામાં દીવાલ પડતા કિશોરના મોતનો મામલો:ગ્રામજનો સિવિલમાં ધરણાં બેઠા, ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારશાળાની જર્જરિત દીવાલ પડતા 11 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું ગાંધીનગરના માધવગઢ ગામની ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1 તોડવાનું કામ અધૂરું મૂકી દેનાર કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે ગઈકાલે સાંજે 11 વર્ષીય રઘુનંદનસિંહ રાઠોડ પર જર્જરિત દીવાલ ધરાશાયી થતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આજે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા છે. અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હોસ્પિટલ પરિસરમાં જ ધરણાં પર બેસી જતા મામલો ગરમાયો છે1
- માધવગઢની શાળામાં દીવાલ પડતા કિશોરના મોતનો મામલો:ગ્રામજનો સિવિલમાં ધરણાં બેઠા, ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારશાળાની જર્જરિત દીવાલ પડતા 11 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું ગાંધીનગરના માધવગઢ ગામની ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1 તોડવાનું કામ અધૂરું મૂકી દેનાર કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે ગઈકાલે સાંજે 11 વર્ષીય રઘુનંદનસિંહ રાઠોડ પર જર્જરિત દીવાલ ધરાશાયી થતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આજે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા છે. અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હોસ્પિટલ પરિસરમાં જ ધરણાં પર બેસી જતા મામલો ગરમાયો છે1
- ખેડામા 17 વર્ષીય સગીરાના ગેંગરેપ કેસમાં 9 આરોપી, 8 ઝડપાયા; પોલીસનું રિ-કંટ્રકશન . ખેડા એસ. પી. વિજયભાઈ પટેલ ની પ્રતિક્રિયા1
- વિજાપુરમાં તાજગી અને શુદ્ધતાનો અનોખો સંગમ: ‘પંડિતજી લસ્સી પાર્લર’નો ધામધૂમથી શુભારંભ વિજાપુર શહેરમાં આજે પાર્લર – જી-એફ-૧૬, ફાઉન્ટેન હોટેલ, મામલતદાર કચેરી પાસે, વિજાપુર ખાતે એક નવા ધંધાનો શુભારંભ થયો છે. પ્રેમલ હરિશના પુત્ર પિનાક હરિશ પંડિતે સવારે ૯ વાગ્યે ‘પંડિતજી લસ્સી પાર્લર’નું ઉદ્ઘાટન કર્યું છે. સંવત ૨૦૮૩ના વૈશાખ સુદ-૩ (અખાત્રીજ)ના રોજ આ પાર્લરની શરૂઆત થઈ છે. આ સ્થળે તાજા ઘરેલુ દહીં અને શુદ્ધ સામગ્રીમાંથી બનાવેલી વિવિધ પ્રકારની લસ્સી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાર્લરની ખાસિયત એ છે કે અહીં "પંડિતજી ની ગેરંટી શુદ્ધતા ની ઓળખ" ના બેનર હેઠળ ૧૦૦% શુદ્ધતાની ગેરંટી આપવામાં આવી છે. અહીં માત્ર તાજું ઘરેલું દહીં, શુદ્ધ દૂધ અને તાજા ફળોનો જ વપરાશ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારનું કૃત્રિમ રંગ, ફ્લેવર કે પ્રિઝર્વેટિવ વાપરવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ગેરંટી આપવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા વ્યવસાયને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રસંગે સ્નેહસંબંધીઓ, મિત્રવર્તુળ, તાલુકા મામલતદાર સહિત કચેરીના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવા સોપાનને શુભકામનાઓ પાઠવી અને આ ધંધો સફળતાની ઊંચાઈઓ સર કરે તેવી અપીલ કરી હતી. પરિવારના સભ્યો હારિત હરિશ પંડિત અને હારિત પંડિતે આશીર્વાદ આપ્યા હતા. પિનાક હરિશ પંડિતે જણાવ્યું કે, “અમે ગ્રાહકોને સૌથી તાજી અને શુદ્ધ લસ્સી પીરસવા માટે પ્રતિબદ્ધ છીએ. સાદી મીઠી લસ્સીથી માંડીને આંબા, કેસર-કાજુ, મસાલા, રોઝ અને અન્ય વિવિધ ફ્લેવર્સમાં અહીં લસ્સી મળશે. ગરમીના દિવસોમાં ઠંડક અને તાજગી માટે આ એક સારો વિકલ્પ સાબિત થશે. અમારી મુખ્ય ઓળખ જ શુદ્ધતા છે.” પરિવારજનોએ સહપરિવાર સૌને આમંત્રણ આપ્યું છે અને નવા વ્યવસાયને સફળ બનાવવા માટે સૌના સહયોગની અપીલ કરી છે. વિજાપુર અને આસપાસના વિસ્તારના લોકો માટે આ નવો વિકલ્પ બની રહેશે.1
- Post by Gautam Patel1
- ધંધુકામાં ખેલાયો લોહિયાળ ખેલ! ફાટી નીકળી હિંસા; દુકાનો-વાહનો સળગાવ્યા, યુવકનું સામે આવ્યું નામ ધંધુકા શહેરમાં એક યુવાનની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને પગલે પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી. જોકે, હાલ સ્થિતિ કાબૂમાં છે અને મૃતક યુવકનું નામ ધર્મેશ ગમારા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી છે. મૃતકના મૃતદેહને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો છે. ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ માથાકૂટે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવકના બંને ભાઈઓ પોલીસ દળમાં ફરજ બજાવે છે. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. યુવાનની હત્યાના વિરોધમાં ઉશ્કેરાયેલા ટોળાએ બજાર વિસ્તારમાં હંગામો મચાવ્યો હતો. ટોળા દ્વારા કેટલીક દુકાનોમાં આગચંપી કરવામાં આવી હતી અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. હિંસા ફાટી નીકળતા જ વેપારીઓએ ડરના માર્યા પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ભય અને અજંપાભર્યો માહોલ જોવા મળ્યો હતો. પોલીસની કડક કાર્યવાહી અને અટકાયત સ્થિતિ વણસતા જિલ્લા પોલીસ વડા (SP) ઓમપ્રકાશ જાટ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યાના કેસમાં રીઝવાન નામના મુખ્ય આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. શહેરમાં SOG, LCB અને અન્ય પોલીસ મથકોની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. તોડફોડ અને આગચંપી કરનારા તત્વોને સીસીટીવી ફૂટેજ દ્વારા ઓળખી કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. હાલમાં આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- Post by Pooja patel1