Shuru
Apke Nagar Ki App…
આજે અમદાવાદ શહેરના પરીક્ષા કેન્દ્રો પર RE-NEET પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષાના સુચારુ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રો પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. વધુમાં, પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને.
Gujrati samachar
આજે અમદાવાદ શહેરના પરીક્ષા કેન્દ્રો પર RE-NEET પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષાના સુચારુ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રો પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. વધુમાં, પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને.
More news from ગુજરાત and nearby areas
- આજે અમદાવાદ શહેરના પરીક્ષા કેન્દ્રો પર RE-NEET પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષાના સુચારુ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રો પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. વધુમાં, પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને.1
- થરાદ તાલુકાના લોરવાડા ગામે ગ્રામજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને એક વિશાળ મફત આરોગ્ય તપાસ અને દવા વિતરણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગામના ઉત્સાહી યુવાન જોરાભાઈ દેસાઈ (જે.ડી. દેસાઈ) દ્વારા આ સમગ્ર સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામલોકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ફિઝિશિયન, આંખ અને ઓર્થોપેડીક વિભાગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દર્દીઓને તેમની તકલીફ મુજબ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જરૂરી દવા અને ગોળીઓનું મફતમાં વિતરણ કરાયું હતું. ડૉ. રામભાઈ ચૌધરી (ફિઝિશિયન), ડૉ. ધનજીભાઈ ચૌધરી (ઓર્થોપેડીક સર્જન) અને ડૉ. અશોકભાઈ ચૌધરી (આંખના સર્જન) દ્વારા નિઃસ્વાર્થ સેવાઓ આપી દર્દીઓની તપાસ કરાઈ હતી અને તેમને આરોગ્ય સંબંધિત જરૂરી સલાહ આપવામાં આવી હતી. આ કેમ્પમાં અંદાજે ૨૫૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. જોરાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગામના લોકોને આરોગ્ય માટે બહાર ધક્કા ખાવા ન પડે, ખર્ચાળ સારવારનો બોજ ઓછો થાય અને તેમને પોતાના ગામમાં જ સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે શુભ હેતુથી આ કેમ્પનું નિસ્વાર્થ ભાવથી આયોજન કરાયું હતું. આ પ્રકારના સેવાકીય કાર્યક્રમથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે આયોજકો તથા ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ગામમાં યોજાયેલ આ આરોગ્ય કેમ્પ સમાજ માટે એક ઉત્તમ અને પ્રેરણાદાયક ઉદાહરણ સાબિત થયો છે.4
- થરાદ ખાતે સૌપ્રથમવાર આંતરરાષ્ટ્રીય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતો ૧૨મો યોગ કાર્યક્રમ હતો અને થરાદમાં તેનું આયોજન પહેલીવાર થયું હતું.1
- થરાદ શહેરના આઈકોનિક રોડ પર સર્કિટ હાઉસ નજીક ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે "Yoga for Healthy Ageing" થીમ હેઠળ સામૂહિક યોગાભ્યાસનું આયોજન થયું હતું. કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષશ્રીએ ઉપસ્થિત નાગરિકોને 'ૐ કાર મંત્ર'ના ઉચ્ચારણ અને તેના વૈજ્ઞાનિક મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ હજારો લોકોએ એકસાથે યોગાભ્યાસ કર્યો હતો. આ ઉજવણીનું એક ખાસ આકર્ષણ એ હતું કે ઉપસ્થિત નાગરિકોએ થરાદના 'T' અક્ષરના આકારમાં બેઠક વ્યવસ્થા ગોઠવીને યોગ કર્યો હતો. અધ્યક્ષશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે યોગ આજે એક વૈશ્વિક ધરોહર બની ગયો છે અને વિશ્વભરના લોકોના જીવનનો અભિન્ન ભાગ બન્યો છે. તેમણે તમામ નગરજનોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, સામાજિક અને રાજકીય ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. યોગ દિવસની આ ભવ્ય ઉજવણી થરાદ જિલ્લામાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ અને યોગ પ્રત્યે વધતા જનઉત્સાહનું સ્પષ્ટ પ્રતિબિંબ બની રહી હતી.2
- વાવ થરાદ જિલ્લામાં, થરાદના આઈકોનિક રોડ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. "Yoga for Healthy Ageing" થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. નોંધનીય છે કે વાવ થરાદ જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવી ભવ્ય ઉજવણી પ્રથમ વાર થઈ છે. આ ઉજવણી દરમિયાન શંકર ચૌધરીએ ‘ૐ કાર મંત્ર’ના વૈજ્ઞાનિક મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ એ હતું કે ઉપસ્થિત લોકોએ ‘T’ (થરાદ) આકારમાં બેસીને સામૂહિક યોગ કર્યો હતો. આ પ્રસંગે તેમણે યોગને વૈશ્વિક ઓળખ અપાવવામાં નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સહિત અનેક અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.4
- બનાસકાંઠાના અસાણા ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા ઈશ્વરભાઈ મકવાણાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં એક ગ્રાહક દ્વારા દુકાન સંચાલક ઈશ્વરભાઈ મકવાણા પર અનાજ ઓછું આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રાહકે જ્યારે પૂરું અનાજ આપવા માટે માંગણી કરી, ત્યારે સંચાલક દ્વારા વીડિયોમાં સ્પષ્ટપણે 'નથી આપવાનું, નથી આપવાનું' એમ કહેવામાં આવતું સંભળાઈ રહ્યું છે.1
- આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે થરાદના આઇકોન રોડ પર આવેલા વિશ્રામ ગૃહ નજીક જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અધ્યક્ષતા ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરીએ કરી હતી. યોગ ગુરુ તરીકે શ્રી ડૉ. રિતિશભાઈ પ્રજાપતિ અને દીપેશ સોનીના માર્ગદર્શન હેઠળ આ યોગ દિવસ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.3
- વડોદરામાં કેનાલનું પાણી અચાનક રાતું ચોળ થઈ જતાં સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચિંતાનો માહોલ છે. કેનાલનું પાણી કેવી રીતે આ રીતે લાલચોળ થઈ ગયું તે એક મોટો પ્રશ્ન બન્યો છે, કારણ કે આ અસામાન્ય ઘટનાને કારણે વડોદરાના ત્રણ ગામોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.1