સુરેન્દ્રનગરમાં પેરોલ ફલો સ્ક્વોડની ટીમે ટાગોર બાગ વિસ્તારમાંથી છેલ્લા એક વર્ષથી ફરાર પોક્સો કેસના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ મૂળી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. તેમજ પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો હતો અને તે એક વર્ષથી પોલીસથી બચતો ફરતો હતો. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના નિર્દેશ હેઠળ પેરોલ ફલો સ્ક્વોડે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી મળેલી ચોક્કસ બાતમીના આધારે, ટીમે બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ તાલુકાના બિયોકના રહેવાસી પરેશભાઈ રૂપસિંહભાઈ લુહારને સુરેન્દ્રનગરના ટાગોર બાગમાંથી દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ અને કાર્યવાહી માટે મૂળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ બી.એચ. સિગરખિયા, પીએસઆઈ એન.એ. રાયમા અને પીએસઆઈ આર.જે. ગોહિલ સહિત પેરોલ ફલો સ્ક્વોડની ટીમે આરોપીને પકડી પાડ્યો હતો.
સુરેન્દ્રનગરમાં પેરોલ ફલો સ્ક્વોડની ટીમે ટાગોર બાગ વિસ્તારમાંથી છેલ્લા એક વર્ષથી ફરાર પોક્સો કેસના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ મૂળી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. તેમજ પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો હતો અને તે એક વર્ષથી પોલીસથી બચતો ફરતો હતો. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના નિર્દેશ હેઠળ પેરોલ ફલો સ્ક્વોડે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી મળેલી ચોક્કસ બાતમીના આધારે, ટીમે બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ તાલુકાના બિયોકના રહેવાસી પરેશભાઈ રૂપસિંહભાઈ લુહારને સુરેન્દ્રનગરના ટાગોર બાગમાંથી દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ અને કાર્યવાહી માટે મૂળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ બી.એચ. સિગરખિયા, પીએસઆઈ એન.એ. રાયમા અને પીએસઆઈ આર.જે. ગોહિલ સહિત પેરોલ ફલો સ્ક્વોડની ટીમે આરોપીને પકડી પાડ્યો હતો.
- મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આગામી અષાઢી બીજ તહેવાર પહેલાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે. આ અંગે હળવદથી અહેવાલકર્તા રમેશ ઠાકોર દ્વારા વિગતો આપવામાં આવી છે.1
- મોરબીમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ PGVCL તંત્રની લાલિયાવાડી અને બેદરકારી સામે આવી છે. અહીં જેતપર રોડ પર લગાવેલા વીજપોલ સામાન્ય પવનમાં પણ જોરથી ડોલી રહ્યા છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ઊભી થયેલી આ પરિસ્થિતિના કારણે અહીંના ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે.1
- અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ઓતારિયા ગામમાં છેલ્લા સાત વર્ષથી મોબાઇલ ટાવર અને નેટવર્કની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. નેટવર્કના અભાવને કારણે ગ્રામજનોનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને કટોકટીના સમયે 108 સેવા મેળવવી પણ મુશ્કેલ બની રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગામમાં પંચાયત, પોસ્ટ ઓફિસ અને ભાલ સેવા સમિતિ જેવી અનેક સંસ્થાઓ ડિજિટલ માધ્યમથી કામગીરી કરે છે, પરંતુ નેટવર્કની અછતને લીધે આ તમામ સેવાઓ ખોરવાઈ ગઈ છે. આ સમસ્યાને કારણે બેંકમાં ડિજિટલ ખાતાં ખોલાવવા, ઓનલાઇન એન્ટ્રી કરવી તેમજ સરકારી પોર્ટલ પરની કામગીરીમાં સતત વિલંબ થઈ રહ્યો છે. ગ્રામજનોએ આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.1
- બોટાદ જિલ્લાના ઢસા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે સમયસૂચકતા અને ઉત્કૃષ્ટ તબીબી સેવાનું ઉદાહરણ પૂરું પાડતાં પીપળવા (લાઠી) ગામના વાડી વિસ્તારમાં જ એક સગર્ભા મહિલાની સફળ નોર્મલ પ્રસૂતિ કરાવી છે. આજે સવારે આશરે ૧૧:૩૫ વાગ્યે મહિલાની ગંભીર સ્થિતિ અંગે ૧૦૮ ઇમરજન્સી સેવામાં કોલ મળતા જ ઇ.એમ.ટી. જયેશભાઈ વાળા અને પાયલોટ અબ્બાસભાઈ મહેતર વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સગર્ભાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી અને પ્રસૂતિની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાથી તેને હોસ્પિટલ લઈ જવી જોખમી જણાતા ટીમે સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. ૧૦૮ના ઈઆરસીપી (ERCP) ડૉ. મહેશના સતત માર્ગદર્શન હેઠળ ઇ.એમ.ટી. જયેશભાઈ વાળાએ પોતાની તાલીમ અને અનુભવનો ઉપયોગ કરી સફળતાપૂર્વક નોર્મલ પ્રસૂતિ કરાવી હતી. એમ્બ્યુલન્સમાં રહેલી ડિલિવરી કિટ અને આધુનિક તબીબી સાધનોની મદદથી માતા અને નવજાત શિશુને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ચાવંડ પીએચસી ખાતે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કર્યા હતા. મુશ્કેલ સમયમાં દેવદૂત બનીને આવેલી ૧૦૮ની ટીમને કારણે બંનેના જીવ બચી જતાં પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેમણે આ સેવાને સાચા અર્થમાં 'જીવનદાયી સેવા' ગણાવી હતી. આ પ્રશંસનીય કામગીરી બદલ બોટાદ જિલ્લાના યુનિટ હેડ યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર કપિલ સોલંકીએ ૧૦૮ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.4
- પાટણના રાધનપુર એપીએમસી ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કૃષિ-સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ત્રિવિધ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ખેડૂતોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે બનાસ બેંકની નવી શાખા, કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ અને ઓપન ઓક્શન શેડ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ અવસરે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં લેવામાં આવી રહેલા નિર્ણયો રાજ્યના કૃષિ વિકાસને નવી ગતિ આપી રહ્યા છે. આ સાથે જ કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ આ વિસ્તારના ખેડૂતો દ્વારા ઊભા કરવામાં આવેલા વિકાસના પ્રેરણાદાયી મોડેલની વિશેષ પ્રશંસા કરી હતી.1
- સુરેન્દ્રનગરમાં વર્ષ 1880માં બ્રિટિશ શાસન દરમિયાન નિર્મિત પૌરાણિક અને ઐતિહાસિક બિલ્ડીંગોના વિકાસ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાય દ્વારા આ જર્જરિત ઇમારતોનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ડેવલોપમેન્ટ માટેનો પ્લાન અને નકશો તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કંપનીના કોન્ટ્રાક્ટરોને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઐતિહાસિક બિલ્ડીંગોને તોડી પાડવાને બદલે તેનું નવ નિર્માણ કરીને તેને ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવાયો છે, જેથી આ હેરિટેજ ઇમારતોનું જતન થઈ શકે. આ ડેવલોપમેન્ટ બાદ પોલીસ અધિકારીઓ દ્વારા આ બિલ્ડીંગોનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાયના હસ્તે ભૂમિપૂજન પણ સંપન્ન થયું છે, જેની માહિતી સુરેન્દ્રનગર હેડક્વાર્ટરના DySP પાર્થ પરમારે આપી હતી.1
- સુરેન્દ્રનગરમાં પેરોલ ફલો સ્ક્વોડની ટીમે ટાગોર બાગ વિસ્તારમાંથી છેલ્લા એક વર્ષથી ફરાર પોક્સો કેસના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ મૂળી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. તેમજ પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો હતો અને તે એક વર્ષથી પોલીસથી બચતો ફરતો હતો. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના નિર્દેશ હેઠળ પેરોલ ફલો સ્ક્વોડે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી મળેલી ચોક્કસ બાતમીના આધારે, ટીમે બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ તાલુકાના બિયોકના રહેવાસી પરેશભાઈ રૂપસિંહભાઈ લુહારને સુરેન્દ્રનગરના ટાગોર બાગમાંથી દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ અને કાર્યવાહી માટે મૂળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ બી.એચ. સિગરખિયા, પીએસઆઈ એન.એ. રાયમા અને પીએસઆઈ આર.જે. ગોહિલ સહિત પેરોલ ફલો સ્ક્વોડની ટીમે આરોપીને પકડી પાડ્યો હતો.1