Shuru
Apke Nagar Ki App…
જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
સરદાર સંદેશ ન્યુઝ
જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
More news from ગુજરાત and nearby areas
- Post by ગ્રીન સીટી ન્યૂઝ1
- Post by Chandana naresh bhai soma bhai5
- ગિરનાર પર્વત બચાવવા સાધુ-સંતો એક મંચ પર — જૂનાગઢમાં ઐતિહાસિક મહારેલી, પ્રશાસનને આવેદનપત્ર જૂનાગઢમાં આજે ઇતિહાસ રચાયો છે. ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે પહેલીવાર તમામ સંપ્રદાયના સાધુ-સંતો એક જ મંચ પર એકત્ર થયા અને વિશાળ મહારેલી યોજી. ગિરનાર ઉપર ચાલી રહેલા જમીન અધિગ્રહણ વિવાદને લઈને આંદોલનને નવા વળાંક મળ્યો છે. જૂનાગઢના પવિત્ર અને ઐતિહાસિક ધરોહર સમાન ગિરનાર પર્વતને બચાવવા માટે આજે અદ્વિતીય એકતા જોવા મળી. વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો, ધાર્મિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો એક મંચ પર આવ્યા અને એક જ અવાજે ગિરનારના સંરક્ષણ માટે સંદેશ આપ્યો. આ મહારેલી દરમિયાન શહેરના વિવિધ માર્ગો પર ભક્તિ અને એકતાનું અનોખું દૃશ્ય સર્જાયું. આકાશી દૃશ્યોમાં સ્પષ્ટ જોવા મળ્યું કે લોકોનો વિશાળ જનસેલાબ ઉમટી પડ્યો હતો. ગિરનાર પ્રત્યેની આસ્થા અને પરંપરા જાળવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સાધુ-સંતોએ જણાવ્યું કે ગિરનાર માત્ર એક પર્વત નથી, પરંતુ કરોડો લોકોની આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ પવિત્ર સ્થાન છે. ગિરનાર પર ચાલી રહેલા જમીન અધિગ્રહણ મુદ્દે તેમણે ચિંતા વ્યક્ત કરી અને તેને તરત જ રોકવા માટે માંગ ઉઠાવી. મહારેલી પૂર્ણ થયા બાદ સાધુ-સંતોના પ્રતિનિધિમંડળે પ્રશાસન અને સરકારને વિગતવાર આવેદનપત્ર રજૂ કર્યું. આ આવેદનમાં ગિરનારના સંરક્ષણ માટે કડક પગલાં લેવાની તેમજ ધાર્મિક અને પર્યાવરણ સંવેદનશીલતા જાળવવાની માંગ કરવામાં આવી છે. “ગિરનાર અમારી આસ્થા છે, અમારી ઓળખ છે. તેને નુકસાન પહોંચે તેવો કોઈપણ નિર્ણય સ્વીકાર્ય નહીં હોય.” જૂનાગઢના ઇતિહાસમાં પહેલીવાર આવી ભવ્ય અને સર્વધર્મ સમભાવ દર્શાવતી મહારેલી યોજાઈ છે, જેનાથી સરકાર અને પ્રશાસન પર હવે શું અસર થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. જગદીશ યાદવ જૂનાગઢ2
- Post by Gautam Patel1
- માંડલ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આજે માંડલની મહાત્મા હાઈસ્કૂલ ખાતે ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યાંથી મતદાન મથકો પર મશીનો રવાના કરવામાં આવ્યા. આ ચૂંટણીમાં કુલ 53 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેઓનું રાજકીય ભવિષ્ય હવે EVM મશીનમાં સીલ થવાનું છે. મતદાન પ્રક્રિયા માટે તાલુકા વિસ્તારમાં કુલ 77 મતદાન મથકો (બુથ) તૈયાર કરવામાં આવ્યા છે. ચૂંટણીને શાંતિપૂર્ણ અને પારદર્શક બનાવવા માટે પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 400 થી વધુ કર્મચારીઓ મતદાન કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા મતદારોને નિર્ભય અને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી લોકશાહીનો આ મહાપર્વ સફળ બને. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે. ✍️ રિપોર્ટર: જગદીશ રાવળ4
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ ખેડા જિલ્લાના મતદારો તા.૨૬ એપ્રિલ, રવિવારના રોજ અચૂક મતદાન કરે ખેડા જિલ્લામાં આગામી તા.૨૬ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે જે સંદર્ભે મતદારોને લોકશાહી પ્રત્યે પોતાની ફરજ નિભાવતા મતદાન કરવા જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવે ખાસ અપીલ કરી.1
- BHARAT KA NO 1 NEWS CHENNAL DESH KI AAWAJ JANTA KI AAWAJ.3
- Post by ગ્રીન સીટી ન્યૂઝ1
- કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇ મેસવાણ જિલ્લા પંચાયતમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મેસવાણ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારના નિવેદનને લઈ માહોલ ગરમાયો હતો. કેવદ્રા ગામે યોજાયેલ સભામાં નવી ચૂંટાયેલી પંચાયતે નબળા કામો કર્યા હોવાનું મેસવાણ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારે નિવેદન આપ્યું હતું. તો સામે કેવદ્રાના યુવા લોક પ્રતિનિધિ પ્રશાંતભાઇ ખાણિયાએ વળતો જવાબ આપતા કહ્યું કે અમે કોઇ નબળા કામો કર્યા નથી, પંચાયતની શ્રેષ્ઠ કામગીરીથી પૂર ઝડપે થતો ગામનો વિકાસ તમે જોઈ શકતા નથી. આવા ખોટા નિવેદનો આપી જનતાને ગુમરાહ ના કરો ગામની જનતા સમજદાર છે અને બધું જાણે છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ2