જૂનાગઢમાં આજે ઇતિહાસ રચાયો છે. ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે પહેલીવાર તમામ સંપ્રદાયના સાધુ-સંતો એક જ મંચ પર એકત્ર થયા અને વિશાળ મહારેલી યોજી ગિરનાર પર્વત બચાવવા સાધુ-સંતો એક મંચ પર — જૂનાગઢમાં ઐતિહાસિક મહારેલી, પ્રશાસનને આવેદનપત્ર જૂનાગઢમાં આજે ઇતિહાસ રચાયો છે. ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે પહેલીવાર તમામ સંપ્રદાયના સાધુ-સંતો એક જ મંચ પર એકત્ર થયા અને વિશાળ મહારેલી યોજી. ગિરનાર ઉપર ચાલી રહેલા જમીન અધિગ્રહણ વિવાદને લઈને આંદોલનને નવા વળાંક મળ્યો છે. જૂનાગઢના પવિત્ર અને ઐતિહાસિક ધરોહર સમાન ગિરનાર પર્વતને બચાવવા માટે આજે અદ્વિતીય એકતા જોવા મળી. વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો, ધાર્મિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો એક મંચ પર આવ્યા અને એક જ અવાજે ગિરનારના સંરક્ષણ માટે સંદેશ આપ્યો. આ મહારેલી દરમિયાન શહેરના વિવિધ માર્ગો પર ભક્તિ અને એકતાનું અનોખું દૃશ્ય સર્જાયું. આકાશી દૃશ્યોમાં સ્પષ્ટ જોવા મળ્યું કે લોકોનો વિશાળ જનસેલાબ ઉમટી પડ્યો હતો. ગિરનાર પ્રત્યેની આસ્થા અને પરંપરા જાળવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સાધુ-સંતોએ જણાવ્યું કે ગિરનાર માત્ર એક પર્વત નથી, પરંતુ કરોડો લોકોની આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ પવિત્ર સ્થાન છે. ગિરનાર પર ચાલી રહેલા જમીન અધિગ્રહણ મુદ્દે તેમણે ચિંતા વ્યક્ત કરી અને તેને તરત જ રોકવા માટે માંગ ઉઠાવી. મહારેલી પૂર્ણ થયા બાદ સાધુ-સંતોના પ્રતિનિધિમંડળે પ્રશાસન અને સરકારને વિગતવાર આવેદનપત્ર રજૂ કર્યું. આ આવેદનમાં ગિરનારના સંરક્ષણ માટે કડક પગલાં લેવાની તેમજ ધાર્મિક અને પર્યાવરણ સંવેદનશીલતા જાળવવાની માંગ કરવામાં આવી છે. “ગિરનાર અમારી આસ્થા છે, અમારી ઓળખ છે. તેને નુકસાન પહોંચે તેવો કોઈપણ નિર્ણય સ્વીકાર્ય નહીં હોય.” જૂનાગઢના ઇતિહાસમાં પહેલીવાર આવી ભવ્ય અને સર્વધર્મ સમભાવ દર્શાવતી મહારેલી યોજાઈ છે, જેનાથી સરકાર અને પ્રશાસન પર હવે શું અસર થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. જગદીશ યાદવ જૂનાગઢ
જૂનાગઢમાં આજે ઇતિહાસ રચાયો છે. ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે પહેલીવાર તમામ સંપ્રદાયના સાધુ-સંતો એક જ મંચ પર એકત્ર થયા અને વિશાળ મહારેલી યોજી ગિરનાર પર્વત બચાવવા સાધુ-સંતો એક મંચ પર — જૂનાગઢમાં ઐતિહાસિક મહારેલી, પ્રશાસનને આવેદનપત્ર જૂનાગઢમાં આજે ઇતિહાસ રચાયો છે. ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે પહેલીવાર તમામ સંપ્રદાયના સાધુ-સંતો એક જ મંચ પર એકત્ર થયા અને વિશાળ મહારેલી યોજી. ગિરનાર ઉપર ચાલી રહેલા જમીન અધિગ્રહણ વિવાદને લઈને આંદોલનને નવા વળાંક મળ્યો છે. જૂનાગઢના પવિત્ર અને ઐતિહાસિક ધરોહર સમાન ગિરનાર પર્વતને બચાવવા માટે આજે અદ્વિતીય એકતા જોવા મળી. વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો, ધાર્મિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો એક મંચ પર આવ્યા અને એક જ અવાજે ગિરનારના સંરક્ષણ માટે સંદેશ આપ્યો. આ મહારેલી દરમિયાન શહેરના વિવિધ માર્ગો પર ભક્તિ અને એકતાનું અનોખું દૃશ્ય સર્જાયું. આકાશી દૃશ્યોમાં સ્પષ્ટ જોવા મળ્યું કે લોકોનો વિશાળ
જનસેલાબ ઉમટી પડ્યો હતો. ગિરનાર પ્રત્યેની આસ્થા અને પરંપરા જાળવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સાધુ-સંતોએ જણાવ્યું કે ગિરનાર માત્ર એક પર્વત નથી, પરંતુ કરોડો લોકોની આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ પવિત્ર સ્થાન છે. ગિરનાર પર ચાલી રહેલા જમીન અધિગ્રહણ મુદ્દે તેમણે ચિંતા વ્યક્ત કરી અને તેને તરત જ રોકવા માટે માંગ ઉઠાવી. મહારેલી પૂર્ણ થયા બાદ સાધુ-સંતોના પ્રતિનિધિમંડળે પ્રશાસન અને સરકારને વિગતવાર આવેદનપત્ર રજૂ કર્યું. આ આવેદનમાં ગિરનારના સંરક્ષણ માટે કડક પગલાં લેવાની તેમજ ધાર્મિક અને પર્યાવરણ સંવેદનશીલતા જાળવવાની માંગ કરવામાં આવી છે. “ગિરનાર અમારી આસ્થા છે, અમારી ઓળખ છે. તેને નુકસાન પહોંચે તેવો કોઈપણ નિર્ણય સ્વીકાર્ય નહીં હોય.” જૂનાગઢના ઇતિહાસમાં પહેલીવાર આવી ભવ્ય અને સર્વધર્મ સમભાવ દર્શાવતી મહારેલી યોજાઈ છે, જેનાથી સરકાર અને પ્રશાસન પર હવે શું અસર થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. જગદીશ યાદવ જૂનાગઢ
- કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇ મેસવાણ જિલ્લા પંચાયતમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મેસવાણ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારના નિવેદનને લઈ માહોલ ગરમાયો હતો. કેવદ્રા ગામે યોજાયેલ સભામાં નવી ચૂંટાયેલી પંચાયતે નબળા કામો કર્યા હોવાનું મેસવાણ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારે નિવેદન આપ્યું હતું. તો સામે કેવદ્રાના યુવા લોક પ્રતિનિધિ પ્રશાંતભાઇ ખાણિયાએ વળતો જવાબ આપતા કહ્યું કે અમે કોઇ નબળા કામો કર્યા નથી, પંચાયતની શ્રેષ્ઠ કામગીરીથી પૂર ઝડપે થતો ગામનો વિકાસ તમે જોઈ શકતા નથી. આવા ખોટા નિવેદનો આપી જનતાને ગુમરાહ ના કરો ગામની જનતા સમજદાર છે અને બધું જાણે છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ2
- JAI SHRE RAM JAY SHANI DHAM4
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- मेरा नाम रिंकी है मै वीडियो रिकॉर्डिंग मैंने पब्लिक एप पर डाला है लोग देख सकते हैं सुन सकते हैं मैं पब्लिक एप वालों से गुजारिश करूंगी की आप मुझे मेरा हक हिस्सा दिलवाइये मेरे मायके वालों ने झूठ बोलकर पिताजी रामप्रवेश प्रसाद ओ मेरी माता पुष्पा प्रसाद मेरा भाई राहुल मेरी भाभी चांदनी ने मुझसे झूठ बोलकर मेरे ससुराल में साइन कर रहा है बोला कि दीदी आप ससुराल में साइन कर दूं हम आपके मकान मकान और बच्चे के नाम पर पैसे कर देंगे आप बच्चे को लेकर मेहसाणा रहना मेरे पिताजी ना तो मुझे मकान दे रहे हैं मेरे पिताजी रामप्रवेश प्रसाद ने मुझे फोन करके झूठ बोलकर बुलवाया मेरे पिताजी ने मुझे फोन में कहा तू जैसा बोलेगी मैं वैसा कर दूंगा मेरे पिताजी ने बोला कि अब तुझे अहमदाबाद रहने की जरूरत नहीं है काम करने की तू यही आज मेहसाणा तेरे नाम पर मैं कोने वाला जो मकान है वह तेरे नाम पर कर दूंगा बच्चों के नाम पर एवरी कर दूंगा तू यही रहना बच्चों को पढ़ना दिखाना यही नौकरी करना हमारे साथ रहना मेरा भाई राहुल और मेरी भाभी ज्ञानी मुझे धमकी देते फोन में मरवाने की यह सब झगड़ा ज्यादा प्रॉपर्टी के लिए हो रहा है कल के जगह मुझे और मेरे बच्चे की मर्डर होती है इसका जिमवाल इसका कातिल मेरा भाई राहुल और मेरी भाभी चांदनी होगी कल के जगह मेरे पिता राम प्रवेश प्रसाद मेरी माता पुष्पा प्रसाद को कुछ भी होता है तो उसका जीवन भर मेरा भाई राहुल मेरी भाभी चांदनी होगी बस1
- મહેસાણા જિલ્લો ચૂંટણી મોડમાં: 1723 મતદાન મથકે પાણી, વ્હીલચેર અને એમ્બ્યુલન્સ સાથે તંત્ર તૈયાર, કલેક્ટરે કરી 100% મતદાનની હાકલ *મહેસાણા*: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રએ મોરચો સંભાળી લીધો છે. જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર એસ. કે. પ્રજાપતિએ જણાવ્યું કે જિલ્લામાં લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. જિલ્લાના નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે તંત્રએ વિશેષ આયોજન કર્યું છે. જિલ્લામાં તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા મળી કુલ 1723 મતદાન મથકો પર મતદાન યોજાશે. આ માટે 8134 પોલિંગ સ્ટાફ અને 3313 પોલીસ સ્ટાફ તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં, નગરપાલિકા માટે 799 પોલિંગ અને 382 પોલીસ સ્ટાફ તથા મહાનગરપાલિકા માટે 777 પોલિંગ અને 395 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. ગરમીના માહોલ વચ્ચે મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે દરેક મતદાન મથકે શુદ્ધ પાણી, મંડપની વ્યવસ્થા ગોઠવાઈ છે. દિવ્યાંગજનો માટે 852 વ્હીલચેર, આરોગ્ય સેવા માટે મોબાઈલ મેડિકલ ટીમ અને 74 એમ્બ્યુલન્સ તૈયાર રખાઈ છે. પોલિંગ સ્ટાફની અગાઉથી મેડિકલ તપાસ પણ કરાવી લેવાઈ છે. જિલ્લામાં મતદાન ટકાવારી વધારવા 'મતદાર જાગૃતિ કાર્યક્રમ' અંતર્ગત સોશિયલ મીડિયા, અખબારો અને ટીવી દ્વારા સંદેશાઓ પ્રસારિત કરાયા છે. દૂધ મંડળીઓ, શાળાઓમાં રેલીઓ, સિગ્નેચર કેમ્પેઈન, સેલ્ફી ઝોન અને ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન વાન દ્વારા ઓડિયો ક્લિપ્સથી જનજાગૃતિ લાવવામાં આવી રહી છે. કલેક્ટરે જિલ્લાવાસીઓને અપીલ કરતાં કહ્યું કે લોકશાહીને મજબૂત બનાવવા દરેક મતદારે અચૂક મતદાન કરવું જોઈએ.1
- સ્વાનિક સ્વરાજ્યની ચૂંટણીમા વધુમાં વધુ મતદાન કરવા સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીની અપીલ1
- Post by ગ્રીન સીટી ન્યૂઝ1
- BHARAT KA NO 1 CHANNEL VANDE BHARAT LIVE TV NEWS3
- વિજાપુર ના વસઈમાં ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને ડાભલા ચાર રસ્તા પાસે ગેસ્ટ હાઉસમાં પિસ્તોલ બતાવી ૬૪ લાખની લૂંટ ચલાવનાર બે આરોપી LCB એ ઝડપ્યા, ૨૪ લાખ રોકડ અને સ્વિફ્ટ કાર જપ્ત *મહેસાણા*: વિજાપુર તાલુકાના વસઈ ગામે ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને બનેલી ૬૪ લાખ રૂપિયાની લૂંટનો ભેદ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે લૂંટના બે આરોપીઓની ધરપકડ કરી ૨૪ લાખ રૂપિયા રોકડા અને ગુનામાં વપરાયેલી સ્વિફ્ટ કાર જપ્ત કરી છે. ગત ૨૦ એપ્રિલના રોજ વસઈ ગામના બળવંતસિંહ સતુજી ચાવડા પોતાના દીકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે વિદેશ એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટના સંપર્કમાં આવ્યા હતા. નિલેશે દિલ્હીથી બે માણસો મોકલ્યા હોવાનું જણાવી ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં મુલાકાત ગોઠવી હતી. ત્યાં બળવંતસિંહ અને મુકેશ વણઝારાના ભાઈ ઈશ્વર વણઝારા ૬૪ લાખ રૂપિયા લઈને પહોંચ્યા હતા. આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવી રકમ આંચકી લીધી હતી અને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ભાગી ગયા હતા. વસઈ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાતાં જ ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાથી LCBના PI એસ.આર. ચૌધરીએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજસ્થાન નંબર પ્લેટવાળી સ્વિફ્ટ ડિઝાયર કારનો સુરાગ મળ્યો હતો. તપાસમાં વિશાનસિંહ રાઠોડ અને ભાવેશ વાળંદ નામના બે આરોપીઓને રાજસ્થાન અને વડોદરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી લૂંટના ૨૪ લાખ રૂપિયા અને વપરાયેલી કાર જપ્ત કરવામાં આવી છે. DySP દીનેશ સિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે CCTV અને ટેકનિકલ તપાસના આધારે આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. LCBએ આરોપીઓને વસઈ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.1