મહેસાણામાં ડુપ્લીકેટ આઈફોન એસેસરીઝ વેચતી 4 દુકાનો પર દરોડા: 6 લાખનો મુદ્દામાલ જપ્ત મહેસાણા શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. મહેસાણાના હાઈવે વિસ્તારમાં આવેલી 4 જેટલી મોબાઈલ શોપમાં એપલ કંપનીના લોગોવાળી ડુપ્લીકેટ એસેસરીઝ વેચાતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં આશરે 6 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મહેસાણાના હબટાઉન માં આવેલી 4 મોબાઈલ શોપમાં આઈફોનના ડુપ્લીકેટ કવર, ડેટા કેબલ, એડેપ્ટર અને એરપોડ્સ સહિત કુલ 6 લાખનો સામાન જપ્ત કરવામાં આવી હતી બ્રાન્ડેટ કંપનીના ટ્રેડમાર્ક અને કોપીરાઈટ સુરક્ષા માટે કામ કરતી ખાનગી એજન્સીના મેનેજર પોલીસે બાતમીના આધારે ઉમા મોબાઈલ કવર હાઉસ મિસ્ટર મોબાઈલ પોઈન્ટ મહાદેવ મોબાઈલ, સ્માર્ટ સેલ હબ સામે કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ વેપારીઓ ગ્રાહકોને એપલ કંપનીના અસલી સિમ્બોલ (લોગો) વાળી ડુપ્લીકેટ એસેસરીઝ પધરાવી રહ્યા હતા. આ મામલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારેય દુકાન માલિકો સામે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહેસાણામાં ડુપ્લીકેટ આઈફોન એસેસરીઝ વેચતી 4 દુકાનો પર દરોડા: 6 લાખનો મુદ્દામાલ જપ્ત મહેસાણા શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. મહેસાણાના હાઈવે વિસ્તારમાં આવેલી 4 જેટલી મોબાઈલ શોપમાં એપલ કંપનીના લોગોવાળી ડુપ્લીકેટ એસેસરીઝ વેચાતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં આશરે 6 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મહેસાણાના હબટાઉન માં આવેલી 4 મોબાઈલ શોપમાં આઈફોનના ડુપ્લીકેટ કવર, ડેટા કેબલ, એડેપ્ટર અને એરપોડ્સ સહિત કુલ 6 લાખનો સામાન જપ્ત કરવામાં આવી હતી બ્રાન્ડેટ કંપનીના ટ્રેડમાર્ક અને કોપીરાઈટ સુરક્ષા માટે કામ કરતી ખાનગી એજન્સીના મેનેજર પોલીસે બાતમીના આધારે ઉમા મોબાઈલ કવર હાઉસ મિસ્ટર મોબાઈલ પોઈન્ટ મહાદેવ મોબાઈલ, સ્માર્ટ સેલ હબ સામે કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ વેપારીઓ ગ્રાહકોને એપલ કંપનીના અસલી સિમ્બોલ (લોગો) વાળી ડુપ્લીકેટ એસેસરીઝ પધરાવી રહ્યા હતા. આ મામલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારેય દુકાન માલિકો સામે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
- Post by Pankaj Parmar1
- વિજાપુર:મણિપુરા ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા: જિલ્લા પ્રમુખ જયદેવસિંહે ઉમેદવારોને વોટ આપી પરિવર્તન લાવવા અપીલ કરી, આગેવાનો અને ગ્રામજનોની ભારે ભીડ મહેસાણા: વિજાપુર તાલુકાના મણિપુરા ગામે ગઈ રાત્રે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહે સભાને સંબોધતા પાર્ટીના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોને વોટ આપીને ગામડાઓમાં સાચું પરિવર્તન લાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી. મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક પાર્ટીના નેતાઓના સંબોધનને સાંભળ્યું હતું. સભામાં જયદેવસિંહે કહ્યું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાચા અર્થમાં આમ આદમીના મુદ્દાઓને આગળ લઈ જશે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચન આપ્યા. જનસભામાં જયદેવસિંહે ગ્રામજનોને જાગૃત કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા જરૂરી છે. આ વખતે પરિવર્તનની તક છે અને તેને વેગ આપવો જોઈએ. વિજાપુર તાલુકા પ્રમુખ તરુણ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ, યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી-2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જનસભામાં જોડાયા હતા. જનસભાના અંતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જનતાને અપીલ કરી કે, “આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂર આપજો.” આમ આદમી પાર્ટી વિજાપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી જનસભાઓ અને પ્રચાર અભિયાન વેગવંતો બનાવવા માટે આયોજન કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં લોકોના સમર્થનથી સકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે.1
- પાટણ: શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા 'ઉડાન વિદ્યાલય' દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને મનોરંજનના હેતુથી સાત દિવસીય વિશેષ શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન શાળાના પ્રાંગણમાં વિવિધ પ્રવૃત્તિઓ અને ઉત્સવોના માધ્યમથી શિક્ષણને આનંદદાયી બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે શાળાના ભૂલકાઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્પર્ધાઓ અને કલાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું. બાળકોમાં કુતૂહલ અને આનંદનો સંચાર કરવા માટે શાળામાં જાદુગરના ખેલ યોજવામાં આવ્યા હતા, જેમાં અવનવા જાદુઈ કરતબો જોઈને નાના બાળકો મંત્રમુગ્ધ બન્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં, મંગળવારના રોજ નર્સરી તેમજ જુનિયર અને સિનિયર કે.જી.ના નાના બાળકો માટે એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બાળકોને ચાણસ્મા તાલુકાના ઐતિહાસિક રૂપપુર ગામે આવેલ સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે લઈ જવામાં આવ્યા હતા. અહીં બાળકોએ ધાર્મિક સ્થાનના દર્શન કરવાની સાથે કુદરતી સાનિધ્યમાં આવેલા તળાવની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન શિસ્ત અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ પ્રકૃતિ તથા પર્યટનનો ભરપૂર આનંદ માણ્યો હતો. શાળા દ્વારા આયોજિત આ બહુવિધ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પુસ્તકીયા જ્ઞાનની સાથે વ્યવહારુ અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાનો રહ્યો હતો. પાટણ રિપોર્ટર વિજય વડલિયા2
- Post by AZAJDHUKKA1
- Post by Natvar D Solanki1
- બનાસકાંઠા ડીસા- ધાનેરા હાઇવે પર ટેટોડા નજીક થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો... અમદવાદની સોના ચાંદીની ખાનગી પેઢીના કર્મીઓની થઇ હતી લૂંટ... કારમાં 13 કિલો ચાંદી લઇ પસાર થઇ રહ્યા હતા તે સમયે થઇ હતી લૂંટ... સામેથી અજાણી કારમાં આવેલા 4 શખ્સઓ કારમાંથી 13 કિલો ચાંદીની લૂંટ કરી થયા હતા ફરાર... ઘટનાની જાણ પોલીસને થતા પોલીસએ ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર શખ્સઓને દબોચ્યા.. લૂંટારાઓએ પોલીસની પ્રાઇવેટ કારને પણ ટક્કર મારી ફરાર થવાનો કર્યો હતો પ્રયાસ... પેઢીમાંથી 15 દિવસ પહેલા છુટા થયેલા કર્મીએ જ આખી લૂંટનું કાવતરું ગોઠવ્યું હોવાનું આવ્યું સામે... પોલીસએ 5 આરોપીઓની અટકાયત કરી તો આખી લૂંટનો માસ્ટર માઈન્ડ હજુ ફરાર... સમગ્ર મામલે પોલીસએ ગુનો દાખલ કરી હાથ ધરી વધુ તપાસ...1
- helpful और trusted ऐप है। इसका इस्तेमाल करना आसान है और performance भी शानदार है। 5 स्टार deserve करता है! ⭐⭐⭐⭐⭐"use me social saving app1
- Post by Pankaj Parmar1