પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ દ્વારા ૨૮/૦૫/૦૨૬ ના રોજ અસારવા ખાતે આવેલ ડીઆરએમ ભવનના હોલમાં યોજાયેલી પાંચમી ડીઆરયુસીસી (DRUCC) ની બેઠકમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના મેમ્બર મોહનભાઈ પટેલે હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન માટે વિવિધ માંગો રજૂ કરી હતી. આ રેલવે લાઇન પર મેમુ ટ્રેન કાર્યરત થઈ ગઈ છે, ત્યારે મોહનભાઈ પટેલે ડીઆરએમ (અમદાવાદ) સમક્ષ ખાસ કરીને જાદર અને વડાલી સ્ટેશનો પર ટ્રેનનું સ્ટોપેજ આપવાની ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે હાલમાં આ સ્ટેશનો પર પ્લેટફોર્મ નાના હોવાને કારણે ટ્રેનને ઉભી રાખવામાં અગવડતા પડી રહી છે, જેના જવાબમાં ડીઆરએમ અધિકારીએ નજીકના સમયમાં ક્ષતિઓ દૂર કરીને મેમુ ટ્રેનનું સ્ટોપેજ મળે તેવી ખાતરી આપી હતી. આ ઉપરાંત, મોહનભાઈ પટેલે આ લાઇન પર લાંબા રૂટની નવી ટ્રેનો શરૂ કરવા માટે પણ ધારદાર રજૂઆત કરી. જેમાં ખેડબ્રહ્માથી મુંબઈ વાયા અમદાવાદ ટ્રેન, તેમજ ખેડબ્રહ્માથી કટરા (માતા વૈષ્ણોદેવી) અને ખેડબ્રહ્માથી હરિદ્વાર-ઋષિકેશ માટે બે સાપ્તાહિક ટ્રેનો અમદાવાદ-ગોધરા-રતલામ-મથુરા રૂટ પર દોડાવવાની માંગ મૂકી. સાથે જ ખેડબ્રહ્મા-ભુજ-માતાનો-મઠ સાપ્તાહિક ટ્રેન પણ ચાલુ કરવાની માંગ કરાઈ હતી. તેમણે એમ પણ જણાવ્યું કે હાલમાં સવારે અને સાંજે દોડતી મેમુ ટ્રેન સારી આવક અને વધતા મુસાફરોના ઘસારાને કારણે લોકો બપોરના સમયે બીજી બે મેમુ ટ્રેનો ચાલુ કરવાની માંગ કરી રહ્યા છે, જેનાથી મધ્યમ અને ગરીબ વર્ગને મોટો ફાયદો થશે. ડીઆરએમએ આ તમામ માંગણીઓ પર સકારાત્મક વલણ અપનાવીને મોહનભાઈ પટેલને ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે મોહનભાઈ પટેલે સાબરકાંઠાના બંને સાંસદો શોભના બારૈયા (લોકસભા) અને રમીલા બારા (રાજ્યસભા) ને પણ રૂબરૂ અને લેખિતમાં રજૂઆત કરી હતી. બંને સાંસદોએ હકારાત્મક વલણ અપનાવતા આ રેલવે લાઇન પર વધુ સુવિધાઓ અને ટ્રેનો મળે તે માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ દ્વારા ૨૮/૦૫/૦૨૬ ના રોજ અસારવા ખાતે આવેલ ડીઆરએમ ભવનના હોલમાં યોજાયેલી પાંચમી ડીઆરયુસીસી (DRUCC) ની બેઠકમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના મેમ્બર મોહનભાઈ પટેલે હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન માટે વિવિધ માંગો રજૂ કરી હતી. આ રેલવે લાઇન પર મેમુ ટ્રેન કાર્યરત થઈ ગઈ છે, ત્યારે મોહનભાઈ પટેલે ડીઆરએમ (અમદાવાદ) સમક્ષ ખાસ કરીને જાદર અને વડાલી સ્ટેશનો પર ટ્રેનનું સ્ટોપેજ આપવાની ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે હાલમાં આ સ્ટેશનો પર પ્લેટફોર્મ નાના હોવાને કારણે ટ્રેનને ઉભી રાખવામાં અગવડતા પડી રહી છે, જેના જવાબમાં ડીઆરએમ અધિકારીએ નજીકના સમયમાં ક્ષતિઓ દૂર કરીને મેમુ ટ્રેનનું સ્ટોપેજ મળે તેવી ખાતરી આપી હતી. આ ઉપરાંત, મોહનભાઈ પટેલે આ લાઇન પર લાંબા રૂટની નવી ટ્રેનો શરૂ કરવા માટે પણ ધારદાર રજૂઆત કરી. જેમાં ખેડબ્રહ્માથી મુંબઈ વાયા અમદાવાદ ટ્રેન, તેમજ ખેડબ્રહ્માથી કટરા
(માતા વૈષ્ણોદેવી) અને ખેડબ્રહ્માથી હરિદ્વાર-ઋષિકેશ માટે બે સાપ્તાહિક ટ્રેનો અમદાવાદ-ગોધરા-રતલામ-મથુરા રૂટ પર દોડાવવાની માંગ મૂકી. સાથે જ ખેડબ્રહ્મા-ભુજ-માતાનો-મઠ સાપ્તાહિક ટ્રેન પણ ચાલુ કરવાની માંગ કરાઈ હતી. તેમણે એમ પણ જણાવ્યું કે હાલમાં સવારે અને સાંજે દોડતી મેમુ ટ્રેન સારી આવક અને વધતા મુસાફરોના ઘસારાને કારણે લોકો બપોરના સમયે બીજી બે મેમુ ટ્રેનો ચાલુ કરવાની માંગ કરી રહ્યા છે, જેનાથી મધ્યમ અને ગરીબ વર્ગને મોટો ફાયદો થશે. ડીઆરએમએ આ તમામ માંગણીઓ પર સકારાત્મક વલણ અપનાવીને મોહનભાઈ પટેલને ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે મોહનભાઈ પટેલે સાબરકાંઠાના બંને સાંસદો શોભના બારૈયા (લોકસભા) અને રમીલા બારા (રાજ્યસભા) ને પણ રૂબરૂ અને લેખિતમાં રજૂઆત કરી હતી. બંને સાંસદોએ હકારાત્મક વલણ અપનાવતા આ રેલવે લાઇન પર વધુ સુવિધાઓ અને ટ્રેનો મળે તે માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
- વડાલી શહેરમાં વાવાઝોડા સાથે વીજળીના કડાકાભડાકા વચ્ચે ભારે વરસાદ શરૂ થયો છે. રિપોર્ટર નરેન્દ્ર સિહ રાઠોડના જણાવ્યા અનુસાર, વડાલીમાં વાવાઝોડા સાથે વીજળીના કડાકા વચ્ચે વરસાદ વરસી રહ્યો છે.3
- એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ મેડમની જે પ્રતિક્રિયા જોવા મળી, તે ખાસ ધ્યાન ખેંચનારી છે.1
- ખેડબ્રહ્મામાં રાજસ્થાન નાગરિક સહકારી શરાફી મંડળી લિમિટેડની વ્યવસ્થાપક કમિટી માટે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી, જેમાં સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 32 વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત આ મંડળીમાં અગાઉ સમજૂતીના આધારે ડિરેક્ટરશ્રીઓની નિમણૂક કરવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હોવાથી પ્રક્રિયા વધુ રસપ્રદ બની છે. આ ચૂંટણીમાં 'વિકાસ પેનલ' અને 'સદભાવના પેનલ' વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. મંડળીના કુલ 1,162 સભાસદ ભાઈઓ અને બહેનોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળી હતી, જેમાં કુલ 19 ઉમેદવારોનું રાજકીય અને સામાજિક ભાવિ મતપેટીમાં સીલ થયું હતું. બંને પેનલો દ્વારા સભાસદોનો વિશ્વાસ જીતવા માટે સતત સંપર્ક અને સઘન પ્રચાર કરવામાં આવ્યો હતો. મતદાન પ્રક્રિયા ખેડબ્રહ્મા જૂના માર્કેટ યાર્ડ ખાતે આજે સવારે 7:00 વાગ્યાથી શરૂ થઈ સાંજે 4:00 વાગ્યા સુધી શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી. હવે સૌની નજર મતગણતરી અને પરિણામો પર ટકેલી છે. મૌન રહેલા સભાસદોનો જનાદેશ 'વિકાસ પેનલ' તરફ રહેશે કે 'સદભાવના પેનલ' તરફ, તે મતગણતરી બાદ સ્પષ્ટ થશે. આ ચૂંટણી માત્ર ઉમેદવારો માટે જ નહીં, પરંતુ મંડળીના ભાવિ વિકાસ અને દિશા નક્કી કરતી એક અત્યંત મહત્વપૂર્ણ ચૂંટણી તરીકે જોવામાં આવી રહી છે.4
- સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અદાપુરમાં વાવાઝોડા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે.1
- સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા ભારે ઉકળાટ બાદ આ સીઝનનો પ્રથમ વરસાદ નોંધાયો છે. આ વરસાદ ગાજવીજ સાથે પડ્યો હતો, જેણે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી.1
- બનાસકાંઠા LCB ટીમે એક સફળ કાર્યવાહી હાથ ધરીને ડુંગરાસણ ગામના એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલા શખ્સ પાસેથી ₹2.85 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો છે, જેને પોલીસે તાત્કાલિક કબજે લીધો હતો. આ મામલે પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.2
- વિજાપુર ખાતે 31 મે, 2026 ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે જિલ્લા ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ રેલી અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ "અપીલનો પર્દાફાશ, તમાકુ અને નિકોટીનના વ્યસનનો સામનો કરો" થીમ પર આધારિત હતો. આ જનજાગૃતિ રેલી સવારે એસડીએચ વિજાપુરથી શરૂ થઈને તાલુકા પંચાયત, ખત્રી કુવા, નગરપાલિકા અને બીઆરસી ભવન સહિતના જાહેર માર્ગો પર ફરી હતી. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓ અને નર્સિંગના વિદ્યાર્થીઓએ બેનર તથા પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને અને સૂત્રોચ્ચાર દ્વારા લોકોને તમાકુના દુષણથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. રેલીનું સમાપન પરત એસડીએચ ખાતે થયું હતું. આ રેલીમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ, કે.જે. પટેલ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ, અર્બન વિજાપુરની આશા બહેનો, મેલ અને ફિમેલ હેલ્થ વર્કર, અર્બન હેલ્થ ઓફિસર વિજાપુર, એસટીએસ પ્રકાશ નાયી તેમજ ફિમેલ સુપરવાઈઝર ભાનુબેન સહિત મોટી સંખ્યામાં આરોગ્ય સ્ટાફ જોડાયો હતો. રેલી બાદ તાલુકા હેલ્થ કચેરી વિજાપુર ખાતે યોજાયેલા વર્કશોપમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 COTPA ની કલમ 4, 5, 6A, 6B વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે તેમણે તમાકુ અને તેની બનાવટોના સેવનથી થતા મોઢાના કેન્સર, ટીબી, લકવો, બીપી, ડાયાબિટીસ જેવા ગંભીર રોગો અંગે પણ લોકોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ તમાકુમુક્ત વિજાપુર તાલુકો બનાવવાનો સંકલ્પ લીધો હતો અને જન સમુદાયની ભાગીદારીથી લોકોને તમાકુના દુષણથી દૂર રાખવા ખાસ અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે વિજાપુર તાલુકાના 10 પીએચસી કેન્દ્રો ખાતે પણ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.2
- આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પંજાબમાં યોજાયેલી નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રાપ્ત થયેલા ભવ્ય વિજયની ખુશીમાં ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી, જ્યાં વિજયનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો.1