Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુર તાલુકાના મોટી સડલી ગામના મસાણી ફળિયામાંથી યુવાનની લાશ મળી છોટાઉદેપુરના મોટી સઢલી ગામના મસાણી ફળિયામાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર, મામાને ત્યાં લગ્ન પ્રસંગે આવેલા યુવાનનૉ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો, રસીદ રાઠવા નામના યુવાનની લાશ દેખાતા ગ્રામજનો ભેગા થયા, મામલાની જાણ કરાતા રંગપુર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી, મુત્યુ પામનાર યુવાનનું નામ રસીદ રાઠવા, મધ્ય પ્રદેશ ના આંબા ડબેરી ગામનો હોવાનું સામે આવ્યું, યુવાનની હત્યા થઇ હોવાની શંકા પરિવારજનોની પોલીસ તપાસની માંગ, મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ,
Reporter MIRZA IMRAN.973789415
છોટાઉદેપુર તાલુકાના મોટી સડલી ગામના મસાણી ફળિયામાંથી યુવાનની લાશ મળી છોટાઉદેપુરના મોટી સઢલી ગામના મસાણી ફળિયામાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર, મામાને ત્યાં લગ્ન પ્રસંગે આવેલા યુવાનનૉ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો, રસીદ રાઠવા નામના યુવાનની લાશ દેખાતા ગ્રામજનો ભેગા થયા, મામલાની જાણ કરાતા રંગપુર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી, મુત્યુ પામનાર યુવાનનું નામ રસીદ રાઠવા, મધ્ય પ્રદેશ ના આંબા ડબેરી ગામનો હોવાનું સામે આવ્યું, યુવાનની હત્યા થઇ હોવાની શંકા પરિવારજનોની પોલીસ તપાસની માંગ, મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ,
More news from ગુજરાત and nearby areas
- પંચમહાલના હાલોલની કલ્પવૃક્ષ સોસાયટીમાં એસી લેવા આવેલા ભાઈ પર તેની બહેન અને બનેવીએ હુમલો કર્યો. લોખંડના સળિયાના હુમલાથી યુવકના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં બલેટીયા થી પસાર થતો દિલ્હી બોમ્બે હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા.. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં બલેટીયા થી પસાર થતો દિલ્હી બોમ્બે હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા..1
- દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પરાજિત ઉમેદવારો સાથે મુલાકાત કરી દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પરાજિત ઉમેદવારો સાથે મુલાકાત કરી આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સીમલીયા જિલ્લા પંચાયતના ઉમેદવાર અનિલાબેન સુનીલભાઈ હઠીલા, કદવાલ જિલ્લા પંચાયતના ઉમેદવાર રેખાબેન મુકેશભાઈ પરમાર તેમજ ચાકલિયા જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજુલાબેન કાળુભાઈના નિવાસસ્થાને પહોંચી ચૂંટણી પરિણામ, હારના કારણો, સ્થાનિક મુદ્દાઓ અને વિવિધ પરિસ્થિતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન નરેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં હાર-જીત લોકશાહીની પ્રક્રિયાનો ભાગ છે, પરંતુ હિંમત અને જનસેવાનો ભાવ ક્યારેય ઓછો થવો જોઈએ નહીં. આગામી સમયમાં વિસ્તારમાં પાર્ટીને વધુ મજબૂત બનાવવા તેમજ લોકો વચ્ચે સતત સેવા કાર્ય ચાલુ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ જેમણે સમર્થન આપ્યું અને જેમણે સમર્થન ન આપ્યું તે તમામ લોકો વચ્ચે રહી સેવા અને વિકાસના કાર્યો ચાલુ રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી.1
- દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાળમુખો અકસ્માત: પૂરપાટ ઝડપે દોડતી કારનું ટાયર ફાટતા ઓવરબ્રિજ પરથી નીચે ખાબકી, એક જ પરિવારના 5 સભ્યો ગંભીર ઇજાગ્રસ્ત દેશના સૌથી આધુનિક ગણાતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાલોલ નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રવિવારની રજાના માહોલ વચ્ચે પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ખાનગી કારનું ટાયર અચાનક ફાટતા ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં કાર ઓવરબ્રિજની સુરક્ષા દિવાલ તોડીને સીધી નીચે ખાબકી હતી, જેમાં સવાર એક જ પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, એક પરિવાર પોતાની કારમાં દિલ્હી-મુંબઈ કોરિડોર પરથી પસાર થઈ રહ્યો હતો. કાલોલ પાસેના ઓવરબ્રિજ પર જ્યારે કાર પહોંચી, ત્યારે અચાનક ગાડીનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર હાઈવેની રેલિંગ સાથે અથડાઈને જોતજોતામાં ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ હતી. સ્થાનિકોની સમયસૂચકતા અને બચાવ કામગીરી કાર જેવી નીચે પટકાઈ, તેવો જ પ્રચંડ અવાજ આવતા આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હોવાથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઈજાગ્રસ્તો પરિવારના 5 સભ્યો (જેમાં મહિલાઓ અને બાળકો હોવાની પણ આશંકા છે).તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ થતા જ હાઈવે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.2
- जैन समाज द्वारा दाहोद कमलम कार्यालय में आवेदन पत्र सौंपा गया दाहोद: भाजपा की पूर्व दाहोद नगरपालिका अध्यक्ष रीना पंचाल के विरुद्ध जैन समाज द्वारा एक आवेदन पत्र दिया गया है। मुख्य विवरण: विवाद का कारण: रीना पंचाल द्वारा मतदान की तारीख 26/04/2026 को जैन समाज के संबंध में की गई टिप्पणी। समाज की प्रतिक्रिया: इस टिप्पणी के कारण जैन समाज में भारी रोष और नाराजगी व्याप्त है। प्रमुख मांग: जिला भाजपा अध्यक्ष को सौंपे गए आवेदन में मांग की गई है कि रीना पंचाल को भाजपा से निलंबित (Suspend) कर उनके खिलाफ सख्त कार्रवाई की जाए। तात्कालिक मांग: जैन समाज ने प्रशासन और पार्टी से इस मामले में तुरंत उचित कानूनी और अनुशासनात्मक कार्रवाई करने का आग्रह किया है।1
- દાહોદના ફતેપુરા ગ્રામ પંચાયતમાં જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે ગેરકાયદેસર ₹200 વસૂલાતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એક જાગૃત નાગરિકે તમામ પુરાવા સાથે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે, પરંતુ તંત્રનું ભેદી મૌન ચિંતાજનક છે.1
- હાલોલના લીમડી ફળિયા બારિયા વગા વિસ્તારમાં શ્રી ભાથીજી મહારાજ મંદિર ખાતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા. બે દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ શોભાયાત્રા અને મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો, જેમાં પાલિકાના સભ્યો અને ભાજપના કાર્યકરો પણ હાજર રહ્યા હતા.1
- ખેડા-નડિયાદ LCB સ્ટાફ દ્વારા બાતમીના આધારે નડિયાદ રૂલર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શેઢી નદીના પુલ પાસે વોચ ગોઠવી તરબૂચના જથ્થા નીચે છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો..1
- દેવગઢ બારીયા ખાતે CRPFની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત આવેલા જવાનનુ ભવ્ય સ્વાગત કરાયું દેવગઢ બારીયા ખાતે CRPFની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત આવેલા જવાનનુ ભવ્ય સ્વાગત કરાયું આજે તારીખ 10/05/2026 રવિવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ CRPF ની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી પ્રથમ રજામાં પોતાના વતન પરત આવેલા રાણા નિસર્ગકુમાર જગદીશચંદ્રના આગમનને લઈને ગામમાં હર્ષ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે તેમના માન-સન્માન માટે ભવ્ય સ્વાગત અને આગમન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ટાવર વિસ્તારથી પ્રસ્થાન કરી રાણા શેરી સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો, યુવાનો તેમજ પરિવારજનો ઉત્સાહભેર જોડાયા હતા. રેલી દરમિયાન દેશભક્તિના નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સ્થાનિક લોકોએ ફૂલહાર અને શુભેચ્છાઓ પાઠવી રાણા નિસર્ગકુમારનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાણા નિસર્ગકુમારની આ સિદ્ધિને સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે. તેમની સફળતા યુવાનો માટે પ્રેરણારૂપ બની છે અને દેશસેવા પ્રત્યે નવી ઊર્જા જગાવી રહી છે.1