logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ (SGFI)માં પી.પી. સવાણી વિદ્યામંદિર, વ્યારાની ઉત્કૃષ્ટ સિદ્ધિ

16 hrs ago
user_Suhas valvi Tapi
Suhas valvi Tapi
કુકરમુંડા, તાપી, ગુજરાત•
16 hrs ago
76acc637-3b58-4dc4-b73a-d74278455e12
314f4fbe-926c-46b5-b7de-713673ae0a25
b74c07e4-b3ac-457a-9bb0-7e18d2f0e193

અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ (SGFI)માં પી.પી. સવાણી વિદ્યામંદિર, વ્યારાની ઉત્કૃષ્ટ સિદ્ધિ

More news from ગુજરાત and nearby areas
  • તાપી જિલ્લા માં નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી, આત્મનિર્ભરતાની નવી કેડી તાપી જિલ્લાના બોરખડી ગામના મહિલા કારીગર જયશ્રીબેન.. નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી વ્યારાની જયશ્રીબેને કંડારી આત્મનિર્ભરતાની નવી કેડી.. ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહી છે..#tapidistrict #vyara #ecofriendly friendly
    1
    તાપી જિલ્લા માં નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી, આત્મનિર્ભરતાની નવી કેડી
તાપી જિલ્લાના બોરખડી ગામના મહિલા કારીગર જયશ્રીબેન..
નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી વ્યારાની જયશ્રીબેને કંડારી આત્મનિર્ભરતાની નવી કેડી..
ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહી છે..#tapidistrict #vyara #ecofriendly friendly
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    9 hrs ago
  • છોટાઉદેપુર :જેતપુરપાવીમાં બાયપાસના સર્વે સામે ગ્રામજનોનો આક્રોશ ખેડૂતો-વેપારીઓની મિલકતો અને કબ્રસ્તાનની જમીન રૂટમાં આવતી હોવાનો આક્ષેપ; સર્વે તાત્કાલિક બંધ કરવાની માંગ જેતપુરપાવી: જેતપુરપાવી ખાતે નવા બાયપાસના નિર્માણને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સર્વે સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બાયપાસના પ્રસ્તાવિત રૂટમાં ખેડૂતોની જમીન, વેપારીઓની મિલકતો તેમજ મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની જમીન આવતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કરતાં સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, વિકાસના નામે સ્થાનિકોની જમીન અને મિલકતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ખેડૂતોની રોજીરોટી, વેપારીઓના ધંધા અને ધાર્મિક સ્થળની જમીનને અસર થાય તેવો રૂટ મંજૂર કરવામાં આવે તો સ્થાનિકોમાં અસંતોષ વધુ ઉગ્ર બની શકે છે. આ મુદ્દે ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અસરગ્રસ્ત લોકોની સંમતિ અને યોગ્ય રજૂઆતોને ધ્યાનમાં લીધા વિના સર્વેની કામગીરી આગળ વધારવી અન્યાય સમાન છે. સ્થાનિકોની માંગ છે કે, બાયપાસના રૂટ અંગે પારદર્શક રીતે માહિતી જાહેર કરવામાં આવે અને તમામ અસરગ્રસ્ત લોકો સાથે ચર્ચા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવે. ગ્રામજનોએ સર્વેની કામગીરી તાત્કાલિક અટકાવી બાયપાસના પ્રસ્તાવિત રૂટની ફરીથી સમીક્ષા કરવાની માંગ કરી છે. સાથે જ, ખેડૂતો, વેપારીઓ અને કબ્રસ્તાનની જમીનને નુકસાન ન થાય તે માટે વૈકલ્પિક રૂટ અંગે વિચારણા કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો તેમની માંગણીઓ અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. હાલ ગ્રામજનોનો સ્પષ્ટ સંદેશ છે કે, વિકાસ જોઈએ, પરંતુ સ્થાનિકોના હક અને મિલકતોના ભોગે નહીં. – ઇમરાન મિર્ઝા
    1
    છોટાઉદેપુર :જેતપુરપાવીમાં બાયપાસના સર્વે સામે ગ્રામજનોનો આક્રોશ
ખેડૂતો-વેપારીઓની મિલકતો અને કબ્રસ્તાનની જમીન રૂટમાં આવતી હોવાનો આક્ષેપ; સર્વે તાત્કાલિક બંધ કરવાની માંગ
જેતપુરપાવી: જેતપુરપાવી ખાતે નવા બાયપાસના નિર્માણને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સર્વે સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બાયપાસના પ્રસ્તાવિત રૂટમાં ખેડૂતોની જમીન, વેપારીઓની મિલકતો તેમજ મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની જમીન આવતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કરતાં સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, વિકાસના નામે સ્થાનિકોની જમીન અને મિલકતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ખેડૂતોની રોજીરોટી, વેપારીઓના ધંધા અને ધાર્મિક સ્થળની જમીનને અસર થાય તેવો રૂટ મંજૂર કરવામાં આવે તો સ્થાનિકોમાં અસંતોષ વધુ ઉગ્ર બની શકે છે.
આ મુદ્દે ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અસરગ્રસ્ત લોકોની સંમતિ અને યોગ્ય રજૂઆતોને ધ્યાનમાં લીધા વિના સર્વેની કામગીરી આગળ વધારવી અન્યાય સમાન છે. સ્થાનિકોની માંગ છે કે, બાયપાસના રૂટ અંગે પારદર્શક રીતે માહિતી જાહેર કરવામાં આવે અને તમામ અસરગ્રસ્ત લોકો સાથે ચર્ચા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવે.
ગ્રામજનોએ સર્વેની કામગીરી તાત્કાલિક અટકાવી બાયપાસના પ્રસ્તાવિત રૂટની ફરીથી સમીક્ષા કરવાની માંગ કરી છે. સાથે જ, ખેડૂતો, વેપારીઓ અને કબ્રસ્તાનની જમીનને નુકસાન ન થાય તે માટે વૈકલ્પિક રૂટ અંગે વિચારણા કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો તેમની માંગણીઓ અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. હાલ ગ્રામજનોનો સ્પષ્ટ સંદેશ છે કે, વિકાસ જોઈએ, પરંતુ સ્થાનિકોના હક અને મિલકતોના ભોગે નહીં.
– ઇમરાન મિર્ઝા
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    8 hrs ago
  • છોટાઉદેપુર: વસેડી ખાતે નવનિર્માણ પામેલ ઇકોયુનિટી શૈક્ષણિક સંકુલનું સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન છોટાઉદેપુર જિલ્લાના વસેડી ખાતે ઇકોયુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ પામેલ ‘ઇકોયુનિટી શૈક્ષણિક સંકુલ’નું ભવ્ય ઉદ્ઘાટન સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું. આદિવાસી સમાજના શિક્ષણ અને વિકાસને વેગ આપતા આ કાર્યક્રમમાં જિલ્લાના રાજકીય અને વહીવટી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ​તાજા સમાચારો માટે જોડાયેલા રહો 'E Kranti News' સાથે. ચેનલને Like, Share અને Subscribe જરૂર કરો. ​#ChhotaUdepur #EKrantiNews #Vasedi #JasvantsinhRathwa #EducationHub #TribalDevelopment #GujaratNews #BreakingNews
    1
    છોટાઉદેપુર: વસેડી ખાતે નવનિર્માણ પામેલ ઇકોયુનિટી શૈક્ષણિક સંકુલનું સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન
છોટાઉદેપુર જિલ્લાના વસેડી ખાતે ઇકોયુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ પામેલ ‘ઇકોયુનિટી શૈક્ષણિક સંકુલ’નું ભવ્ય ઉદ્ઘાટન સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું. આદિવાસી સમાજના શિક્ષણ અને વિકાસને વેગ આપતા આ કાર્યક્રમમાં જિલ્લાના રાજકીય અને વહીવટી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
​તાજા સમાચારો માટે જોડાયેલા રહો 'E Kranti News' સાથે. ચેનલને Like, Share અને Subscribe જરૂર કરો.
​#ChhotaUdepur #EKrantiNews #Vasedi #JasvantsinhRathwa #EducationHub #TribalDevelopment #GujaratNews #BreakingNews
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    12 hrs ago
  • શિનોર મુકામે નર્મદા નદીના કિનારે આવેલા અતિ પૌરાણિક શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો ભવ્ય શ્રૃંગાર કરવામાં આવે છે. જોકે,વહીવટી તંત્ર દ્વારા આજે બપોર ના સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા દર્શન માટે આવેલા ગણેશ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડોદરા જિલ્લાના શિનોર મુકામે નર્મદા નદીના ઉત્તર તટે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર સાથે ગાયકવાડી શાસનકાળની ઐતિહાસિક પરંપરા પણ જોડાયેલી છે. મળતી માહિતી મુજબ, સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા મહારાજાની માનતા પૂર્ણ થતા ગણપતિ બાપાને અંદાજે દોઢ કરોડ રૂપિયાની કિંમતના સોના, હીરા, માણેક સહિતના કિંમતી ઝવેરાત અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કિંમતી ગાયકવાડી ઘરેણાં હાલ શિનોર મામલતદાર હસ્તક રાખવામાં આવે છે અને સરકારી ટ્રેઝરીમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા છે. દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન દિવસે આ ઐતિહાસિક ઘરેણાઓ સરકારી ટ્રેઝરીમાંથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મંદિરે લાવવામાં આવે છે.અને સવાર ના 9 થી 10 વાગ્યાના અરસામાં શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરના પૂજારી દ્વારા મૂર્તિઓને શણગારવામાં આવે છે.ગાયકવાડી ઘરેણાંથી શણગારવામાં આવેલી ગણપતિ બાપાની મૂર્તિઓના દર્શન કરવા માટે દૂર-દૂરથી ગણેશ ભક્તો શિનોર ખાતે ઉમટી પડતા હોય છે. ગણેશ ચતુર્થીના દિવસે આ અનોખા શ્રૃંગારના દર્શન કરવાનું ભક્તો માટે વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ વર્ષે પણ ગણપતિ બાપાના ગાયકવાડી ઘરેણાંથી કરવામાં આવનાર શ્રૃંગારના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા. પરંતુ આજે બપોરે સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા શ્રૃંગારના દર્શનની આશાએ આવેલા ભક્તોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સમયસર ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો શ્રૃંગાર કરવામાં આવે તેવી ગણેશ ભક્તોની અપેક્ષા હતી. ત્યારે આ વર્ષે શ્રૃંગારમાં વિલંબ થતાં મંદિર ખાતે આવેલા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
    3
    શિનોર મુકામે નર્મદા નદીના કિનારે આવેલા અતિ પૌરાણિક શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો ભવ્ય શ્રૃંગાર કરવામાં આવે છે. જોકે,વહીવટી તંત્ર દ્વારા આજે બપોર ના સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા દર્શન માટે આવેલા ગણેશ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વડોદરા જિલ્લાના શિનોર મુકામે નર્મદા નદીના ઉત્તર તટે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર સાથે ગાયકવાડી શાસનકાળની ઐતિહાસિક પરંપરા પણ જોડાયેલી છે.
મળતી માહિતી મુજબ, સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા મહારાજાની માનતા પૂર્ણ થતા ગણપતિ બાપાને અંદાજે દોઢ કરોડ રૂપિયાની કિંમતના સોના, હીરા, માણેક સહિતના કિંમતી ઝવેરાત અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કિંમતી ગાયકવાડી ઘરેણાં હાલ શિનોર મામલતદાર હસ્તક રાખવામાં આવે છે અને સરકારી ટ્રેઝરીમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા છે.
દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન દિવસે આ ઐતિહાસિક ઘરેણાઓ સરકારી ટ્રેઝરીમાંથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મંદિરે લાવવામાં આવે છે.અને સવાર ના 9 થી 10 વાગ્યાના અરસામાં શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરના પૂજારી દ્વારા મૂર્તિઓને શણગારવામાં આવે છે.ગાયકવાડી ઘરેણાંથી શણગારવામાં આવેલી ગણપતિ બાપાની મૂર્તિઓના દર્શન કરવા માટે દૂર-દૂરથી ગણેશ ભક્તો શિનોર ખાતે ઉમટી પડતા હોય છે. ગણેશ ચતુર્થીના દિવસે આ અનોખા શ્રૃંગારના દર્શન કરવાનું ભક્તો માટે વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
આ વર્ષે પણ ગણપતિ બાપાના ગાયકવાડી ઘરેણાંથી કરવામાં આવનાર શ્રૃંગારના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા.
પરંતુ આજે બપોરે સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા શ્રૃંગારના દર્શનની આશાએ આવેલા ભક્તોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી.
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સમયસર ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો શ્રૃંગાર કરવામાં આવે તેવી ગણેશ ભક્તોની અપેક્ષા હતી. ત્યારે આ વર્ષે શ્રૃંગારમાં વિલંબ થતાં મંદિર ખાતે આવેલા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    6 hrs ago
  • અમદાવાદમાં વરસાદે ખોલી તંત્રની પોલ! રસ્તા પર ભરાયેલા પાણીના કારણે એમ્બ્યુલન્સ પહોંચી ન શકતાં દર્દીને પીઠ પર બેસાડીને લઈ જવા સ્વજનો મજબૂર બન્યા. વિકાસના દાવાઓ વચ્ચે સામે આવેલા આ દર્દનાક દૃશ્યો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે—જો ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ જ દર્દી સુધી ન પહોંચી શકે, તો આવી વ્યવસ્થાનો અર્થ શું?
    1
    અમદાવાદમાં વરસાદે ખોલી તંત્રની પોલ!

રસ્તા પર ભરાયેલા પાણીના કારણે એમ્બ્યુલન્સ પહોંચી ન શકતાં દર્દીને પીઠ પર બેસાડીને લઈ જવા સ્વજનો મજબૂર બન્યા. વિકાસના દાવાઓ વચ્ચે સામે આવેલા આ દર્દનાક દૃશ્યો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે—જો ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ જ દર્દી સુધી ન પહોંચી શકે, તો આવી વ્યવસ્થાનો અર્થ શું?
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    5 hrs ago
  • કડોદરા GIDC પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કડોદરા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે.
    1
    કડોદરા GIDC પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ
કડોદરા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે.
પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે.
ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.
કડોદરા GIDC પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩 kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩
    1
    kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩
kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩
    user_Dhart_news_kadodar_2296
    Dhart_news_kadodar_2296
    Mill Owner બારડોલી, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • શિનોર તાલુકાના છાણભોઈ ગામે આજ રોજ ગણપતિ બાપાનું જૂની પરંપરા મુજબ ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. વસાવા સમાજ દ્વારા ગણપતિ બાપાનું ડોલ-નગારાના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગમન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. છાણભોઈ ગામે વસાવા સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગણપતિ બાપાનું આગમન કરવામાં આવ્યું હતું. ડોલ-નગારાના તાલ સાથે ગણપતિ બાપાની મૂર્તિને ભક્તિભાવપૂર્વક ગામમાં લાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો અને શ્રદ્ધાળુઓ જોડાતા સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.
    4
    શિનોર તાલુકાના છાણભોઈ ગામે આજ રોજ ગણપતિ બાપાનું જૂની પરંપરા મુજબ ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. વસાવા સમાજ દ્વારા ગણપતિ બાપાનું ડોલ-નગારાના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગમન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

છાણભોઈ ગામે વસાવા સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગણપતિ બાપાનું આગમન કરવામાં આવ્યું હતું. ડોલ-નગારાના તાલ સાથે ગણપતિ બાપાની મૂર્તિને ભક્તિભાવપૂર્વક ગામમાં લાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો અને શ્રદ્ધાળુઓ જોડાતા સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.