વાવના માવસરી ગૌશાળા વિવાદે લીધો રાજકીય રંગ: ₹1.24 કરોડના હિસાબમાં ગોટાળોનો આક્ષેપ, ₹71 લાખ પરત જમા કરાવવાની ચર્ચા ઠાકોર સમાજના આગેવાનો અને ગૌશાળા પૂજારી વચ્ચે બેઠક બાદ ખુલાસા; ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ પ્રકાશ વ્યાસ પર ગંભીર આક્ષેપ, જિલ્લામાં ચર્ચા ગરમાઈ વાવ-થરાદ તાલુકાના માવસરી ગામે આવેલી ગૌશાળાના વહીવટ અને નાણાકીય હિસાબને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ગૌશાળાના હિસાબમાં ગોટાળો થયાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે કોંગ્રેસના નેતા ઠાકરસી રબારીએ ગૌશાળાના નાણાંમાં ઉચાપત થયાના ગંભીર આક્ષેપ કર્યા હતા. આ મુદ્દે આજે માવસરી ગામે ગૌશાળામાં ઠાકોર સમાજના આગેવાનો, ગૌશાળાના સંચાલકો અને ધાર્મિક સ્થળના પૂજારી વચ્ચે બેઠક યોજાઈ હતી. માવસરીમાં આવેલી ગૌશાળા લખીરામ બાપુના ધાર્મિક સ્થળના નેજા હેઠળ સંચાલિત થાય છે, જેને ઠાકોર સમાજની ધાર્મિક આસ્થાથી પણ જોડાયેલી માનવામાં આવે છે. બેઠક દરમિયાન ગૌશાળાના હિસાબ અંગે ચર્ચા થઈ અને તેમાં વાવ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ તથા માવસરી ગામના સરપંચપતિ પ્રકાશ વ્યાસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. માહિતી મુજબ ગૌશાળાના અંદાજે ₹1.24 કરોડના હિસાબમાં ગોટાળો થયો હોવાની ચર્ચા છે. જેમાંથી લગભગ ₹71 લાખની રકમ બે હપ્તામાં પરત જમા કરાવવાની વાત પણ સામે આવી હોવાનું જણાવાયું છે. આક્ષેપો મુજબ ગૌશાળાના નાણાંનો ઉપયોગ એગ્રો, પેટ્રોલ પંપ, રેડીમેડ ગાર્મેન્ટ્સ સહિતના બિઝનેસમાં ખર્ચ બતાવવામાં આવ્યો હોવાનો આરોપ પણ લાગ્યો છે. બીજી તરફ ગૌ પોષણ યોજના હેઠળ 2023થી અત્યાર સુધીમાં માવસરી ગૌશાળાને અંદાજે ₹97 લાખથી વધુની સહાય મળ્યાનું કહેવામાં આવે છે, જ્યારે ગૌશાળાના સંચાલકોના જણાવ્યા મુજબ ગૌશાળાને વાસ્તવમાં માત્ર ₹8 થી ₹10 લાખ જેટલી રકમ જ મળી હોવાનું જણાવાયું છે. આ સમગ્ર મામલે બનાસકાંઠા જિલ્લા ગૌસંસદ રામભાઈનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગૌશાળાના હિસાબ અંગે ગામલોકોમાં છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે અને આ મુદ્દે તાત્કાલિક પારદર્શક તપાસ કરીને નિરાકરણ લાવવું જરૂરી છે. ગૌશાળાના નાણાં અંગેનો વિવાદ સમગ્ર જિલ્લાની ગૌશાળાઓ અને ગૌ પોષણ યોજનાની વિશ્વસનીયતા પર પણ અસર કરી શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. હાલ સમગ્ર મામલે ગામલોકો, ટ્રસ્ટીઓ અને સંચાલકો વચ્ચે ચર્ચા ચાલી રહી છે અને આક્ષેપોની સત્યતા અંગે તપાસ પછી જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.
વાવના માવસરી ગૌશાળા વિવાદે લીધો રાજકીય રંગ: ₹1.24 કરોડના હિસાબમાં ગોટાળોનો આક્ષેપ, ₹71 લાખ પરત જમા કરાવવાની ચર્ચા ઠાકોર સમાજના આગેવાનો અને ગૌશાળા પૂજારી વચ્ચે બેઠક બાદ ખુલાસા; ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ પ્રકાશ વ્યાસ પર ગંભીર આક્ષેપ, જિલ્લામાં ચર્ચા ગરમાઈ વાવ-થરાદ તાલુકાના માવસરી ગામે આવેલી ગૌશાળાના વહીવટ અને નાણાકીય હિસાબને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ગૌશાળાના હિસાબમાં ગોટાળો થયાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે કોંગ્રેસના નેતા ઠાકરસી રબારીએ ગૌશાળાના નાણાંમાં ઉચાપત થયાના ગંભીર આક્ષેપ કર્યા હતા. આ મુદ્દે આજે માવસરી ગામે ગૌશાળામાં ઠાકોર સમાજના આગેવાનો, ગૌશાળાના સંચાલકો અને ધાર્મિક સ્થળના પૂજારી વચ્ચે બેઠક યોજાઈ હતી. માવસરીમાં આવેલી ગૌશાળા લખીરામ બાપુના ધાર્મિક
સ્થળના નેજા હેઠળ સંચાલિત થાય છે, જેને ઠાકોર સમાજની ધાર્મિક આસ્થાથી પણ જોડાયેલી માનવામાં આવે છે. બેઠક દરમિયાન ગૌશાળાના હિસાબ અંગે ચર્ચા થઈ અને તેમાં વાવ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ તથા માવસરી ગામના સરપંચપતિ પ્રકાશ વ્યાસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. માહિતી મુજબ ગૌશાળાના અંદાજે ₹1.24 કરોડના હિસાબમાં ગોટાળો થયો હોવાની ચર્ચા છે. જેમાંથી લગભગ ₹71 લાખની રકમ બે હપ્તામાં પરત જમા કરાવવાની વાત પણ સામે આવી હોવાનું જણાવાયું છે. આક્ષેપો મુજબ ગૌશાળાના નાણાંનો ઉપયોગ એગ્રો, પેટ્રોલ પંપ, રેડીમેડ ગાર્મેન્ટ્સ સહિતના બિઝનેસમાં ખર્ચ બતાવવામાં આવ્યો હોવાનો આરોપ પણ લાગ્યો છે. બીજી તરફ ગૌ પોષણ યોજના હેઠળ 2023થી અત્યાર સુધીમાં માવસરી ગૌશાળાને અંદાજે ₹97 લાખથી વધુની સહાય મળ્યાનું
કહેવામાં આવે છે, જ્યારે ગૌશાળાના સંચાલકોના જણાવ્યા મુજબ ગૌશાળાને વાસ્તવમાં માત્ર ₹8 થી ₹10 લાખ જેટલી રકમ જ મળી હોવાનું જણાવાયું છે. આ સમગ્ર મામલે બનાસકાંઠા જિલ્લા ગૌસંસદ રામભાઈનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગૌશાળાના હિસાબ અંગે ગામલોકોમાં છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે અને આ મુદ્દે તાત્કાલિક પારદર્શક તપાસ કરીને નિરાકરણ લાવવું જરૂરી છે. ગૌશાળાના નાણાં અંગેનો વિવાદ સમગ્ર જિલ્લાની ગૌશાળાઓ અને ગૌ પોષણ યોજનાની વિશ્વસનીયતા પર પણ અસર કરી શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. હાલ સમગ્ર મામલે ગામલોકો, ટ્રસ્ટીઓ અને સંચાલકો વચ્ચે ચર્ચા ચાલી રહી છે અને આક્ષેપોની સત્યતા અંગે તપાસ પછી જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.
- Post by Vaghela Janak3
- ભાભર પ્રેમ પ્રકરણ માં હત્યા ચાર આરોપી ઝડપાયા વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના અબાસણા ગામે થી ગુમ યુવક ની લાશ નો ભેદ આખરે ઉકેલાયો છે જેમાં પ્રેમ પ્રકરણ માં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું તપાસ માં બહાર આવ્યું છે પોલીસે એક સગીર સહિત કુલ ચાર આરોપીને ઝડપી લીધા છે ભાભર તાલુકાના અબાસણા ગામે 5 માર્ચ ના રોજ ગામમાં રહેતો જગદીશ હેમતાજી ઠાકોર નામનો યુવક ગુમ થયો હતો જે અંગે ની ભાભર પોલીસ મથકે ગુમ યુવકના ભાઈ અશોકભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુમ યુવક અંગે ની શોધખોળ હાથ ધરતા 9 માર્ચ ના રોજ ચરાડા કેનાલ માંથી ગુમ યુવકની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે તરવૈયા ની મદદ લઈ લાશ ને કેનાલ માંથી બહાર કાઢી પી એમ અર્થ ભાભર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરિવારે યુવકની હત્યા કરી હોવાનો આક્ષેપ કરતા ભાભર પોલીસે હત્યા નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી ભાભર પોલીસે શંકાસ્પદ એક સગીર આરોપીની અટકાયત કરી પૂછ પરછ કરતા ગુમ યુવક ની પ્રેમ પ્રકરણ માં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી ભાભર પોલીસે સમગ્ર હત્યા નો ભેદ ઉકેલવા આરોપી (૧) અશોક શાંતિજી ઠાકોર તેમજ (૨) શાંતિજી ચહેરાજી ઠાકોર અને (૩) સુરેશ હરજીભાઈ ઠાકોર ત્રણે આરોપી ને ઝડપી પોલીસે યુક્તિ રીતે પૂછ પરછ કરતા ગુમ યુવકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી આરોપી અશોકજી શાંતિજી ઠાકોરે તેના કુટુંબી ભાઈ કિશોર સાથે મળી મૃતક જગદીશ ઠાકોર ને ગામમાં એક ખેતરમાં બોલાવી જગદીશ ઠાકોર સાથે બોલાચાલી કરી હતી અને બોલાચાલી નુ સ્વરૂપ ધારણ કરી છરી વડે હુમલો કરી જગદીશ ઠાકોરની હત્યા કરી નાખી હતી મૃતક ની લાશને ત્યાં જ ખેતરમાં સંતાડી દઈ આરોપીઓ નીકળી ગયા હતા બને મુખ્ય આરોપીઓ તેના પિતા શાંતિજી ચહેરાજી ઠાકોર તેમજ અન્ય કુટુંબીભાઈ સુરેશ હરજીભાઈ ઠાકોરની મદદ લઈ મૃતક જગદીશ ઠાકોર ની લાશ ને અબાસણા ગામ થી પ્રાઇવેટ ગાડી માં 25 કિમી દૂર ચરાડા કેનાલ પાસે લઈ જઈ મૃતક જગદીશ ઠાકોરની લાશ ને કેનાલ માં ફેકી દઈ પુરાવા નો નાશ કરવાનો પ્રયત્નો કર્યા હતા2
- શુભમ પાર્ટી પ્લોટ સામે ક્રિષ્ના વુડ વર્કસ ની બાજુમાં લાગી આગ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવતા આગને કાબુમાં લેવામાં આવી1
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 10/3/26, મંગળવાર1
- મહેસાણા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની અનોખી શિવભક્તિ પ્રશ્ન પૂછવાની શરૂઆત જય સોમનાથ સાથે કરી ગ્રાહકોના હિતના રક્ષણ માટે સરકાર દ્વારા થયેલ વ્યવસ્થા બાબતે સવાલ ડાર્ક પેર્ટન બાબતે પણ પૂછ્યો સવાલ કેન્દ્રીય મંત્રીએ આપ્યો સવાલનો જવાબ1
- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહેસાણામાં પ્રેરણાદાયી સંમેલન : ઘરેલુ હિંસા અધિનિયમ પર પણ પ્રકાશ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી હોલ, મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ અવસરે મહિલાઓની પ્રતિભા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવતા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારીશક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાકક્ષાના મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સભ્ય શ્રીમતી વર્ષાબેન પટેલે કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ રમતગમત, અવકાશ સંશોધન સહિત તમામ ક્ષેત્રોમાં મોખરે પહોંચી રહી છે. તેઓ હવે માત્ર ઘરની જવાબદારીઓ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ વિવિધ વ્યવસાયોમાં અગ્રેસર બનીને પોતાની ક્ષમતા દર્શાવી રહી છે. સરકાર દ્વારા મહિલા કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા સહાય યોજના જેવી અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા સૌએ સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે. આ પ્રસંગે ICDSના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જિજ્ઞાસાબેન ઠાકરે વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી અને તેના લાભોને વધુને વધુ મહિલાઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. મહિલા અને બાળ અધિકારી શ્રી મિતેશ ગઢવીએ સ્વાગત પ્રવચન કરી વિભાગની યોજનાઓની વિગતો રજૂ કરી હતી, જ્યારે દહેજ પ્રતિબંધક તેમજ રક્ષણ અધિકારી મુકેશભાઈ પટેલે ઘરેલુ હિંસા અધિનિયમ સહિતના કાયદાઓ અને મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાય ચેક તેમજ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર મહિલાઓને મોમેન્ટો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી ઉર્વીશ વાણંદ, પી.આઈ. ડી.આર. રાવ, CDPO શ્રીમતી ચૈતાલીબેન ચૌધરી, જિલ્લા શિક્ષણ વિભાગના ભાવનાબેન ઓઝા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉજવણીએ મહિલાઓની પ્રગતિ અને સશક્તિકરણના સંદેશને મજબૂતીથી પ્રસ્તુત કર્યો હતો.1
- મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમ હેઠળ મળેલી અરજીઓનો ત્વરિત નિકાલ: પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરી રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ ‘સ્વાગત’ (SWAGAT) કાર્યક્રમ હેઠળ મળેલી દબાણની રજૂઆતોને પગલે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા અને ચોરીવાડ ગામોમાં વર્ષોથી અવરોધરૂપ બનેલા રસ્તાના દબાણો દૂર કરી અરજદારોને ન્યાય અપાવવામાં આવ્યો છે. ચિત્રોડા ગામે રસ્તાનું દબાણ હટાવાયું ચિત્રોડા ગામના અરજદાર જ્યોત્સનાબેન મગનભાઈ વણકર દ્વારા તેમના ઘર તરફ જતા રસ્તામાં નડતરરૂપ દબાણ બાબતે તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પંચાયત દ્વારા રસ્તાની જગ્યાની ચોક્કસ માપણી કરવામાં આવી હતી. માપણી બાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ચોરીવાડ ગામે ૧૩ ઘરોના નડતરરૂપ દબાણો પર તવાઈ ચોરીવાડ ગામના પટેલ ફળિયામાં ખેતર તરફ જતો રસ્તો દબાણના કારણે સાંકડો થઈ ગયો હતો. ખેતરમાં બટેકાના પાકને લાવવા-લઈ જવા માટે વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ખેડૂતે મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.ખાસ કિસ્સામાં રવિવારે કામગીરી: હાલમાં વિધાનસભા સત્ર અને બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી ચાલુ દિવસોમાં પોલીસ બંદોબસ્ત મળવો મુશ્કેલ હતો. પરંતુ, ખેડૂતોની હાલાકીને ધ્યાને રાખી કલેક્ટરશ્રીની ખાસ સૂચનાથી રવિવારના રોજ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્ટાફે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ૧૩ જેટલા ઘરોના રસ્તાને નડતરરૂપ ભાગોને દૂર કર્યા હતા.1
- Post by Vaghela Janak3