Shuru
Apke Nagar Ki App…
રાજુલા છતડીયા રોડ ઉપર ફોર વ્હીલ નો વીજ પોલ સાથે અકસ્માત .વીજ વાયરો તૂટ્યા ચાલકનો આબાદ બચાવ રાજુલા છતડીયા રોડ ઉપર ફોર વ્હીલ નો વીજ પોલ સાથે અકસ્માત .વીજ વાયરો તૂટ્યા ચાલકનો આબાદ બચાવ... રાજુલાના છતડીયા રોડ ઉપર અવારનવાર અકસ્માતોની ઘટના બની રહી છે આજરોજ સાંજના સમયે સમયે આવતા કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા વીજ પોલ સાથે કાર અથડાઈ હતી સાલુ વીજ લાઈન ના વાયર ભડકા સાથે તૂટી ગયા હતા
Virji shiyal
રાજુલા છતડીયા રોડ ઉપર ફોર વ્હીલ નો વીજ પોલ સાથે અકસ્માત .વીજ વાયરો તૂટ્યા ચાલકનો આબાદ બચાવ રાજુલા છતડીયા રોડ ઉપર ફોર વ્હીલ નો વીજ પોલ સાથે અકસ્માત .વીજ વાયરો તૂટ્યા ચાલકનો આબાદ બચાવ... રાજુલાના છતડીયા રોડ ઉપર અવારનવાર અકસ્માતોની ઘટના બની રહી છે આજરોજ સાંજના સમયે સમયે આવતા કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા વીજ પોલ સાથે કાર અથડાઈ હતી સાલુ વીજ લાઈન ના વાયર ભડકા સાથે તૂટી ગયા હતા
More news from ગુજરાત and nearby areas
- રાજુલા શહેરમાં આવેલ કાશીબા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ની ડોક્ટર ટીમે અત્યંત ઓછા વજન સાથે જન્મેલી નવજાત બાળકીનો જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉના તાલુકાના ગીર કોદીયા ગામે રહેતા અલ્પેશભાઈ મકવાણાના ઘરે તા. 06-01-2026ના રોજ પુત્રીનો જન્મ થયો હતો. જન્મ સમયે બાળકીનું વજન માત્ર 590 ગ્રામ હતું. સામાન્ય રીતે આટલા ઓછા વજનની નવજાત માટે જીવતા રહેવું ખૂબ જ કઠિન માનવામાં આવે છે, જેથી પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા. બાળકીની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારજનો તેને તાત્કાલિક રાજુલા શહેરમાં આવેલ કાશીબા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે દાખલ કરી હતી. અહીં બાળરોગ નિષ્ણાત ડો. દિનેશ કલસરીયા અને તેમની ટીમ દ્વારા બાળકીની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલની ટીમે બે મહિના સુધી સતત દેખરેખ, જરૂરી દવાઓ, ખાસ નર્સિંગ કાળજી અને આધુનિક સાધનોની મદદથી સારવાર આપી હતી. ડોક્ટરોની અવિરત મહેનત અને યોગ્ય સારવારના પરિણામે બે મહિના બાદ બાળકીનું વજન વધીને 1 કિલો 200 ગ્રામ થયું હતું. હાલ બાળકીની તબિયત સ્થિર અને તંદુરસ્ત હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાળકીની તમામ સારવાર રાજ્ય સરકારની PM-JAY યોજના હેઠળ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ યોજના પરિવાર માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ઓછા વજનની નવજાત બાળકીનો જીવ બચાવી કાશીબા હોસ્પિટલની ડોક્ટર ટીમે પ્રેરણાદાયી અને માનવતાભર્યું કાર્ય કર્યું છે, જે સમગ્ર રાજુલા શહેર માટે ગૌરવની વાત બની છે.1
- Post by Dharmik Parmar1
- રાજુલા છતડીયા રોડ ઉપર ફોર વ્હીલ નો વીજ પોલ સાથે અકસ્માત .વીજ વાયરો તૂટ્યા ચાલકનો આબાદ બચાવ... રાજુલાના છતડીયા રોડ ઉપર અવારનવાર અકસ્માતોની ઘટના બની રહી છે આજરોજ સાંજના સમયે સમયે આવતા કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા વીજ પોલ સાથે કાર અથડાઈ હતી સાલુ વીજ લાઈન ના વાયર ભડકા સાથે તૂટી ગયા હતા2
- બાબરકોટ ગામે ફાગણ સુદ પૂનમ ના રોજ હોળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. બાબરકોટ ગામે દર વર્ષે સાંજે હોલિકા દહન થયા બાદ ગામના જન્મ થયેલા પુત્રોની ગિમ્ભ ધામધુમથી કાઢવામાં આવે છે. અને હોળીકા માતાજીના દર્શન કરાવવામાં આવે છે. હોલિકા માતાજીના ફરતા પ્રદક્ષિણા કરીને દર્શન કરવામાં આવે છે. ગામમાં હોલિકા દહન થયા બાદ આખી રાત દરમ્યાન ગામની મહિલાઓ દ્વારા ગામના ચોકમાં રાસ ગરબાઓ રમવામાં આવે છે. જેમાં બાબરકોટ ગામની પરંપરા મુજબ વિવિધ ગીતો ગાવામાં આવે છે. અને ઢોલ નગારા વગાડીને રાસ રમવામાં આવે છે. બાબરકોટ ગામે વર્ષો જૂની પરંપરા આજે પણ ગામની મહિલાઓ દ્વારા પાળવામાં આવે છે. બાબરકોટ ગામે ધુળેટીના રોજ વહેલી સવારથી સાંજ સુધી ગેરૈયા દ્વારા ગેર કાઢીને મનોરંજન કરવામાં આવે છે. તેમજ ગામમાં જેમના ઘેર ગિમ્ભ હોઈ છે તેમના ઘેર લાણ લેવા માટે જાય છે. અને વિવિધ પ્રકારની વેશભૂષા કાઢીને અને ઢોલ નગારા સાથે તથા રામ ધૂન સાથે ગામમાં ફરવામાં આવે છે. અને આનંદ ઉલ્લાસ કરવામાં આવે છે. બાબરકોટ ગામે આવેલ ગૌ સેવા ધૂન કીર્તન મંડળ દ્વારા રામ ધૂન કીર્તન કરીને ગેર કાઢવામાં આવે છે. સાથો સાથ હોલિકા માતાજીની પ્રસાદ ઘેર ઘેર પહોંચાડવામાં આવે છે. અને તેમાં જે કઈ રકમ દાન મળે છે તે રકમ ગૌશાળામાં વારપવામા આવે છે. આ હોળી અને ધૂળેટીમાં પાવન પર્વ પ્રસંગે બાબરકોટ ગામના યુવા સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા ગામના તમામ લોકોને હોળી અને ધૂળેટીમાં પર્વની શુભકામનાઓ પાઠવી હતી. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ4
- Post by Chauhan Haresh1
- rj devaki જનહિત મે જારી.1
- સુરત જહાંગીરપુરા સ્કૂલ મા બીજ હોળી ની અનોખી રીતે કરાય ઉજવણી1
- અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં મોડી રાત્રે એક પંચર બનાવવાની કેબિનમાં આગ લાગી હતી. શહેરના જૂના રેલ્વે સ્ટેશન પાસે આવેલી હાજીભાઈ પંચરવાલાની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, 112 ટીમ અને ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં મોડી રાત્રે એક પંચર બનાવવાની કેબિનમાં આગ લાગી હતી. શહેરના જૂના રેલ્વે સ્ટેશન પાસે આવેલી હાજીભાઈ પંચરવાલાની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, 112 ટીમ અને ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. માહિતી અનુસાર, 112 ઇમરજન્સી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમની નજરે આ આગ પડી હતી. ટીમના સ્ટાફે તાત્કાલિક નજીકની ચાની હોટલમાંથી પાણી મેળવી આગ બુઝાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, આગ વધુ વિકરાળ બનતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.1