રાણપુરમાં આજે જૈન આચાર્ય પ્રબોધચંદ્રસૂરિજી મહારાજનું આગમન,ચકાચક દાદાના આગમનને લઈ જૈન સમાજમાં ઉત્સાહનો માહોલ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવતીકાલે જૈન સમાજના હૃદય સમ્રાટ પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજય પ્રબોધચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ (ચકાચક દાદા)નું આગમન થશે.આ પ્રસંગે જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તેઓ જૈન શાસન સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન નેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના વિજય નેમી-વિજ્ઞાન કસ્તુરસૂરિજી મહારાજ સાહેબના પટ્ટધર છે. મહાન તપસ્વી સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય દેવ વિજય મુકુંદચંદ્રસૂરિશ્વર મહારાજ સાહેબના તત્પટ્ટધર અને જીવદયાપ્રેમી પરમ પૂજ્ય આચાર્ય દેવ વિજય પ્રમોદચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ આદીઠાણા તથા સાધ્વીજી ભગવંતો સહિત સાધુ-ભગવંતો પણ રાણપુર પધારશે.આવતીકાલે સવારે 6:30 કલાકે ચકાચક મહારાજ સાહેબનું આગમન થશે. રાણપુરમાં ગીબરોડ પર આવેલી એ.ડી. શેઠ હોસ્પિટલ ખાતેથી વાજતે-ગાજતે ભવ્ય સામૈયું કાઢવામાં આવશે.ત્યારબાદ મહારાજ સાહેબ રાણપુર પાંજરાપોળ ખાતે પધારી અબોલ પશુઓને માંગલિક સંભળાવશે.ત્યાંથી વાજતે-ગાજતે મોટા દેરાસર થઈને રતનચોક સાંકળીબાઈ ઉપાશ્રય ખાતે મહારાજ સાહેબ બિરાજમાન થશે. ઉપાશ્રય ખાતે માંગલિક અને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટી પડશે.વ્યાખ્યાન બાદ ઉપસ્થિત સૌ લોકો માટે મોટા ઉપાશ્રય ખાતે નવકારશીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ પવિત્ર પ્રસંગને લઈને સમગ્ર જૈન સમાજમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે..
રાણપુરમાં આજે જૈન આચાર્ય પ્રબોધચંદ્રસૂરિજી મહારાજનું આગમન,ચકાચક દાદાના આગમનને લઈ જૈન સમાજમાં ઉત્સાહનો માહોલ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવતીકાલે જૈન સમાજના હૃદય સમ્રાટ પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજય પ્રબોધચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ (ચકાચક દાદા)નું આગમન થશે.આ પ્રસંગે જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તેઓ જૈન શાસન સમ્રાટ
પરમ પૂજ્ય આચાર્ય ભગવાન નેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના વિજય નેમી-વિજ્ઞાન કસ્તુરસૂરિજી મહારાજ સાહેબના પટ્ટધર છે. મહાન તપસ્વી સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય દેવ વિજય મુકુંદચંદ્રસૂરિશ્વર મહારાજ સાહેબના તત્પટ્ટધર અને જીવદયાપ્રેમી પરમ પૂજ્ય આચાર્ય દેવ વિજય પ્રમોદચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ આદીઠાણા તથા સાધ્વીજી ભગવંતો સહિત સાધુ-ભગવંતો પણ રાણપુર પધારશે.આવતીકાલે
સવારે 6:30 કલાકે ચકાચક મહારાજ સાહેબનું આગમન થશે. રાણપુરમાં ગીબરોડ પર આવેલી એ.ડી. શેઠ હોસ્પિટલ ખાતેથી વાજતે-ગાજતે ભવ્ય સામૈયું કાઢવામાં આવશે.ત્યારબાદ મહારાજ સાહેબ રાણપુર પાંજરાપોળ ખાતે પધારી અબોલ પશુઓને માંગલિક સંભળાવશે.ત્યાંથી વાજતે-ગાજતે મોટા દેરાસર થઈને રતનચોક સાંકળીબાઈ ઉપાશ્રય ખાતે મહારાજ સાહેબ બિરાજમાન થશે. ઉપાશ્રય ખાતે
માંગલિક અને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટી પડશે.વ્યાખ્યાન બાદ ઉપસ્થિત સૌ લોકો માટે મોટા ઉપાશ્રય ખાતે નવકારશીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ પવિત્ર પ્રસંગને લઈને સમગ્ર જૈન સમાજમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે..
- Post by Vopul luhar1
- *ગુંજાર અને રોજકા ગામે સેવા સેતુ કાર્યક્રમ.* જેમાં આધાર કાર્ડની કામગીરી, મહેસુલ વિભાગની કામગીરી, વિવિધ દાખલાઓ,આરોગ્ય તપાસણી,પશુ સારવાર,વીજ કનેક્શન એસટીની સેવા વન વિભાગની સેવાઓ સહિતની સેવાઓ ખુલ્લી મુકવામાં આવી.1
- સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર પંચાલ પ્રદેશ માં વસેલું તિર્થધામ વિહળધામ પાળીયાદ સંત પરંપરા અને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્વ ધરાવતું તીર્થસ્થાન અને લાખો ધર્મપ્રેમી નું આસ્થા નુ કેન્દ્ર છે અહીં સ્થિત પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા ભક્તિ, સેવા અને માનવતાના મૂલ્યોનું પ્રતિક માનવામાં આવે છે તિર્થધામ વિહળધામ ખાતે વિસામણ બાપુના મંદિરે ભક્તિભાવથી આરતી/દર્શન મંદિર , જગ્યા પરિસર ના અદભૂત સ્થાનો તથા ૧૦૦૮ પ.પૂ.મહા મંડલેશ્વર નિર્બળા બા ના દર્શન નો લ્હાવો પ્રાપ્ત થયેલ દર્શન સાથે પાળીયાદ ના સહકારી આગેવાન ગૌસેવાભાવી સ્નેહી પત્રકાર શ્રી કનુભાઈ ખાચર દ્વારા મને શાલ ઓઢાડી ગૌમાતા સ્મૃતિ ભેટ આપી અદકેરું સન્માન કરેલ.અને અનોખી મહેમાન ગતિ ના દર્શન કરાવેલ.જગ્યા માં સ્નેહસભર ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- સગીરાને ૨૦ થી ૨૨ સપ્તાહ નો ગર્ભ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું.1
- રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે આખલા લડતાં ટ્રાફિક જામના દ્રશ્યો આટકોટ જુના બસ સ્ટેન્ડ પાસે બે આખલા જાહેરમાં લડતાં વાહન વ્યવહાર થંભી ગયો લોકો માં પણ નાસભાગ મચી ગઇ હતી અવારનવાર બસ સ્ટેશન પાસે આખલા યુધ્ધ થતાં હોય છે રાહદારીઓ ને ચાલવું મુશ્કેલ બની જાય છે હાઈવે પર ધણી વખત આખલા યુધ્ધ થતાં હોય છે ત્તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી2
- ભાવનગરના અકવાડા વિસ્તારમાં આવેલી ચન્દ્રોદય પાર્ક સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અહીં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા મનસુખભાઈ મકવાણા જ્યારે રજા પર આવ્યા હતા ત્યારે ઘરમાં જોતા ખબર પડી કે તેમના મકાનનું તાળું તોડી તસ્કરોએ પૂજાના સ્થાનમાં રાખેલા ₹1.25 લાખ રોકડાની ચોરી કરી છે. આ ઉપરાંત, સોસાયટીના અન્ય 4 મકાનો પણ તસ્કરોનો નિશાન બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ પડોશમાં ₹8 લાખ થી વધુની મત્તાની ચોરી થઈ હતી. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના અભાવે ચોરીના બનાવો વધતા રહેવાસીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.1
- જય અખંડ ધણી1
- Post by Vopul luhar1