બોટાદ પીજીવીસીએલ દ્વારા લાઈનમેન ડેની ઉજવણી, લાઈન સ્ટાફનું સન્માન વીજ પુરવઠો જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર લાઈનમેનને સન્માનપત્ર આપી બિરદાવાયા*** કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલ લાઈનમેન ડે નિમિત્તે બોટાદ ખાતે પીજીવીસીએલ દ્વારા લાઈન સ્ટાફનું સન્માન કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વીજ પુરવઠો જાળવવામાં લાઈનમેનની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કોઈપણ કુદરતી આફત જેવી કે બીપરજોય વાવાઝોડું કે તોકતે વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં પણ લાઈન સ્ટાફ પોતાના પરિવાર અને જીવની પરવા કર્યા વિના યુદ્ધના ધોરણે કામગીરી કરીને વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આવી નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવવા માટે લાઈનમેન ડે ઉજવવામાં આવે છે બોટાદ સર્કલના અધીક્ષક ઇજનેર નિનામા સાહેબ તેમજ બોટાદ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર કણજરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન નાયબ ઇજનેર પાનસુરિયા સાહેબ, એસ.કે. પરમાર સાહેબ, ડી.કે. ખૂટ સાહેબ, એસ.એન. માલકિયા સાહેબ, એન.બી. રામાનુજ તેમજ વી.આર. ઇંદ્રાણી સહિત લાઈન સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે મહેમાનો દ્વારા પ્રસંગોચિત પ્રવચન આપવામાં આવ્યું હતું અને લાઈન સ્ટાફને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
બોટાદ પીજીવીસીએલ દ્વારા લાઈનમેન ડેની ઉજવણી, લાઈન સ્ટાફનું સન્માન વીજ પુરવઠો જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર લાઈનમેનને સન્માનપત્ર આપી બિરદાવાયા*** કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલ લાઈનમેન ડે નિમિત્તે બોટાદ ખાતે પીજીવીસીએલ દ્વારા લાઈન સ્ટાફનું સન્માન કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વીજ પુરવઠો જાળવવામાં લાઈનમેનની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કોઈપણ કુદરતી આફત જેવી કે બીપરજોય વાવાઝોડું કે તોકતે વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં પણ લાઈન સ્ટાફ પોતાના પરિવાર અને જીવની પરવા કર્યા વિના યુદ્ધના ધોરણે કામગીરી કરીને વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આવી નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવવા માટે લાઈનમેન ડે ઉજવવામાં આવે છે બોટાદ સર્કલના અધીક્ષક ઇજનેર નિનામા સાહેબ તેમજ બોટાદ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર કણજરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન નાયબ ઇજનેર પાનસુરિયા સાહેબ, એસ.કે. પરમાર સાહેબ, ડી.કે. ખૂટ સાહેબ, એસ.એન. માલકિયા સાહેબ, એન.બી. રામાનુજ તેમજ વી.આર. ઇંદ્રાણી સહિત લાઈન સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે મહેમાનો દ્વારા પ્રસંગોચિત પ્રવચન આપવામાં આવ્યું હતું અને લાઈન સ્ટાફને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચાચરિયા પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ 9 માર્ચ 2026ના રોજ દેશના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે ‘મેઘાણી વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ભૂલકાઓ અને શિક્ષકોએ મેઘાણીજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ મેઘાણીજીના પ્રખ્યાત ગીતો અને કાવ્યો રજૂ કરી સાહિત્યરસિક વાતાવરણ સર્જ્યું હતું. “અષાઢી સાંજનાં અંબર ગાજે”, “ખમ્મા વિરાને જાવું”, “મારે ઘેર આવજે બેની”, “ભેટે ઝુલે છે તલવાર”, “ચારણકન્યા”, “છેલ્લો કટોરો ઝેરનો”, “આભમાં ઉગેલ ચાંદલો”, “આભમાં જીણી ઝબુકે વિજળી”, “હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ”, “સુના સમંદરની પાળે”, “રક્ત ટપકતી સો સો ઝોળી” અને “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ” જેવા જાજરમાન ગીતોથી શાળાનું પરિસર ગુંજી ઉઠ્યું હતું શાળાની દીકરીઓ દ્વારા “ઝાડ માથે જુમકડું” ગીત પર અભિનય પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો. આ પ્રસંગે શાળાના ઉત્સાહી સારસ્વત પ્રવીણભાઈ ખાચરે મેઘાણીજીના જીવન, સાહિત્ય અને તેમની રચનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. સાથે જ મેઘાણીજીના જીવનના પ્રેરક પ્રસંગો તથા સૌરાષ્ટ્રની રસધાર વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવારના સહિયારા પ્રયાસોથી સાહિત્યની દુનિયાના કોહિનૂર સમાન ઝવેરચંદ મેઘાણીજીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા લોકસાહિત્યના મહાન સર્જકને સાચા અર્થમાં વંદના કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *પ્રેસનોટ* *બોટાદ ધારાસભ્યશ્રીની સફળ રજૂઆત* *બોટાદ ની જનતા અને સાળંગપુર કષ્ટભંજન દેવ ના ભક્તો માટે ખુશીના સમાચાર* સાળંગપુર કષ્ટભંજનદેવ નું મંદિર અને બી.એ.પી.એસ પ્રમુખ સ્વામી નું સ્મૃતિ મંદિર ખૂબ જ પ્રખ્યાત હોવાથી ત્યાં શ્રધ્ધાળુ ભક્તો દર્શન માટે ઉમટી પડતા હોવાથી ટ્રાફિક નો પણ પ્રશ્ન રહેતો હતો પરંતુ હવે ટ્રાફિક નો પ્રશ્ન પણ હલ થશે.1
- Post by Vopul luhar1
- *આંગણવાડી વર્કરોનો ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કર્યો, કીધું નવા મોબાઈલ અને સુવિધા વગર કામ નહીં થાય. ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર સુપરત કર્યું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ. નવા મોબાઈલ અને જરૂરિયાત સુવિધાઓ આપવામાં આવે નહિતર કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. ઘણા વર્કરોના જુના મોબાઈલ બગડી ગયા છેં તો કેટલાક બહેનો પાસે સ્માર્ટ ફોન નથી. જરૂરિયાત સાધનોના અભાવે વર્કરો પર ભારે બોજ પડે છેં. સંગઠન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છેં જે જ્યાં સુધી આ સુવિધાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કામગીરી નહીં કરવામાં આવે તેમજ ત્યાં સુધી આ નિર્ણય યથાવત રહેશે.1
- ચિતલિયામાં માનવતા અને ગૌસેવાની મિસાલ કાયમ થઈ 30 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી, જીવ બચી જતાં લૌકોની મહેનત રંગ લાવી આટકોટ ચિતલીયા ગામે માનવતા અને ગૌસેવાની એક અદભૂત મિસાલ કાયમ થઈ હતી. ગામની સીમમાં આવેલ અંદાજે 30 ફૂટ ઊંડા કુવામાં એક ગાય અચાનક પડી જતાં સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. જોકે, ગ્રામજનોની સમયસૂચકતા અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમને કારણે ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગાય કૂવામાં પડી હોવાની જાણ થતા જ ચિતલીયા ગામના સરપંચ અશોકભાઈ બથવાર, ગૌપ્રેમી નરેશભાઈ દરેડ સહિત ગામના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કૂવો ઊંડો હોવાથી અને તેમાં પાણી પણ વધુ હોવાથી ગાયને બહાર કાઢવી પડકારજનક હતી, જેના માટે તાત્કાલિક ભારે મશીનરીની જરૂરિયાત જણાઈ હતી. તંત્ર અને ગ્રામજનોનું સંકલન આ કપરી પરિસ્થિતિમાં જસદણ મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વહીવટી અધિકારીઓએ વિલંબ કર્યા વગર તાત્કાલિક મશીનરીની વ્યવસ્થા કરી આપી, જેને પગલે રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો અને મશીનરીને સંયુક્ત પ્રયાસોથી કલાકોની મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ગૌમાતાનો જીવ બચી જતાં હાજર લોકો એ નગરપાલિકા અને મામલદાર નો આભાર માન્યો હતો તસવીરો કરશન બામટા આટકોટ4
- Post by Dinesh Kalu bhai4
- ભાવનગર તાલુકાના સોડવદરા ગામેથી ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડતી ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્ક્વોડ ભાવનગર જિલ્લામાં ડિગ્રી વગરનું દવાખાનુ આરોગ્ય સાથે છેડા કરતાં બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ચોક્કસ બાતમીના આધારે સોડવદરા ગામ તાલુકો જીલ્લો ભાવનગર રામજી મંદિર પાસે મેહુલભાઈ ધીરુભાઈ પરમાર પાસે થી દવાઓ તથા મેડિકલ સાધનો સહિત ₹55,768 ના મુદ્દા માલ સાથે મળી આવતા મેડિકલ પ્રેક્ટિસન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી1
- જિલ્લામાં ૦૮ માર્ચે જન્મ લેનારી ૧૧ નવજાત દીકરીઓના વધામણા કરાયા ગુજરાત રાજ્યની મહીલાઓ સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ સાથે તા. ૦૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની “Rights, Justice, Action for All Women and Girls” થીમ સાથે ઉજવણી અંતર્ગત આ દિવસે જન્મનાર દિકરીઓના અવતરણને હર્ષોલ્લાસથી ઉજવવાનો નિર્ણય બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો આ અભિયાન અંતર્ગત તા.૦૮/૦૩/૨૦૨૬ના રોજ 'નારી અવતરણ વધામણા' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા આરોગ્ય તંત્ર અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ૧૧ જેટલી નવજાત બાળકીઓ બેબી કીટ અને માતાઓને સાડીની ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવો અને મહિલા સશક્તિકરણનો સંદેશ ફેલાવવાનો રહ્યો હતો આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ.ધોળકિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.જયદિપ કણઝરીયા અને પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન પ્રમુખ કેતનભાઈ રોજેસરા, ડી.એ.શ્રી દીપકભાઈ માથુકીયા, યુનિટ ડાયરેક્ટરશ્રી લાલજીભાઈ કળથિયા જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ સહિત હોસ્પિટલના સ્ટાફે દીકરીઓને વધાવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1