લાંબા સમયથી ચાલી રહેલા પ્રયત્નો, ગ્રામજનોના અમૂલ્ય સહયોગ અને શિક્ષણપ્રેમી નાગરિકોના આશીર્વાદથી તાંતીથૈયા ગામમાં પ્રાથમિક શાળાનું નવનિર્મિત ભવન તૈયાર થતાં ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો. બારડોલી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદહસ્તે આ આધુનિક શાળા ભવનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામના સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગામ પંચાયતના સ્વભંડોળમાંથી આશરે ₹90 લાખના ખર્ચે આ ભવનનું નિર્માણ કરાયું છે. ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ સહિત કુલ 8,900 ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલા આ ભવનમાં 8 વિશાળ વર્ગખંડો અને એક હોલ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે શાળામાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ શૌચાલય, ઇન્ડોર કનેક્ટિવિટી, મિનરલ વોટર પ્લાન્ટ, તેમજ મધ્યાહન ભોજન માટે આધુનિક રસોડું (કિચન) અને શેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ તમામ સુવિધાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી થઈ હતી, જેમાં શાળા પરિવાર તરફથી નિલેશભાઈ નાયકે ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો અને મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા સંગઠન ઉપપ્રમુખ મોહનભાઈ પટેલ, પલસાણા તાલુકા સંગઠન પ્રમુખ કૃણાલભાઈ પટેલ, તાલુકા મહામંત્રી કૃણાલસિંહ ગોહિલ, તાલુકા ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલ અને મનીષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનીકુમારી નિકુંજકુમાર વાંસીયા, તાંતીથૈયા ગામ પંચાયતના સરપંચ જિગીષાબેન નાયક, પલસાણા તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ બી. પરમાર, તાલુકા શિક્ષણાધિકારી વિરલભાઈ ચૌધરી, યુવા મંત્રી નવગણભાઈ ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. કે. ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો, શિક્ષણપ્રેમીઓ, ગ્રામજનો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળામાં નવા પ્રવેશ મેળવનાર તમામ નાનાં ભૂલકાઓનું શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉષ્માભર્યો આવકાર કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, શિક્ષણને જીવનનું શ્રેષ્ઠ સાધન બનાવી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા આપી હતી.
લાંબા સમયથી ચાલી રહેલા પ્રયત્નો, ગ્રામજનોના અમૂલ્ય સહયોગ અને શિક્ષણપ્રેમી નાગરિકોના આશીર્વાદથી તાંતીથૈયા ગામમાં પ્રાથમિક શાળાનું નવનિર્મિત ભવન તૈયાર થતાં ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો. બારડોલી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદહસ્તે આ આધુનિક શાળા ભવનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામના સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગામ પંચાયતના સ્વભંડોળમાંથી આશરે ₹90 લાખના ખર્ચે આ ભવનનું નિર્માણ કરાયું છે. ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ સહિત કુલ 8,900 ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલા આ ભવનમાં 8 વિશાળ વર્ગખંડો અને એક હોલ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે શાળામાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ શૌચાલય, ઇન્ડોર કનેક્ટિવિટી, મિનરલ વોટર પ્લાન્ટ, તેમજ મધ્યાહન ભોજન માટે આધુનિક રસોડું (કિચન) અને શેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ તમામ સુવિધાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી થઈ હતી, જેમાં શાળા પરિવાર તરફથી નિલેશભાઈ નાયકે ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો અને મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા સંગઠન ઉપપ્રમુખ મોહનભાઈ પટેલ, પલસાણા તાલુકા સંગઠન પ્રમુખ કૃણાલભાઈ પટેલ, તાલુકા મહામંત્રી કૃણાલસિંહ ગોહિલ, તાલુકા ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલ અને મનીષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનીકુમારી નિકુંજકુમાર વાંસીયા, તાંતીથૈયા ગામ પંચાયતના સરપંચ જિગીષાબેન નાયક, પલસાણા તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ બી. પરમાર, તાલુકા શિક્ષણાધિકારી વિરલભાઈ ચૌધરી, યુવા મંત્રી નવગણભાઈ ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. કે. ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો, શિક્ષણપ્રેમીઓ, ગ્રામજનો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળામાં નવા પ્રવેશ મેળવનાર તમામ નાનાં ભૂલકાઓનું શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉષ્માભર્યો આવકાર કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, શિક્ષણને જીવનનું શ્રેષ્ઠ સાધન બનાવી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા આપી હતી.
- સુરતમાં તાંતિથૈયા પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આધુનિક સુવિધાઓથી સુસજ્જ શાળા ૯૦ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને તેને બાળકોને સમર્પિત કરવામાં આવી છે. બારડોલી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે આ ભવનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. લાંબા સમયથી કરાયેલા અથાક પ્રયાસો, ગ્રામજનોના અમૂલ્ય સહયોગ અને શિક્ષણ પ્રેમી નાગરિકોના આશીર્વાદથી તાંતિથૈયા ગામમાં આ નવનિર્મિત પ્રાથમિક શાળા ભવનનું નિર્માણ શક્ય બન્યું છે. નવા ભવનના લોકાર્પણથી ગામમાં ખુશી અને ગર્વનો માહોલ જોવા મળ્યો. તાંતિથૈયા ગામમાં શિક્ષણના વિકાસ માટે તૈયાર કરાયેલું આ આધુનિક શાળા ભવન ગ્રામજનોના સહયોગ, સંકલ્પ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.1
- લાંબા સમયથી ચાલી રહેલા પ્રયત્નો, ગ્રામજનોના અમૂલ્ય સહયોગ અને શિક્ષણપ્રેમી નાગરિકોના આશીર્વાદથી તાંતીથૈયા ગામમાં પ્રાથમિક શાળાનું નવનિર્મિત ભવન તૈયાર થતાં ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો. બારડોલી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદહસ્તે આ આધુનિક શાળા ભવનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામના સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગામ પંચાયતના સ્વભંડોળમાંથી આશરે ₹90 લાખના ખર્ચે આ ભવનનું નિર્માણ કરાયું છે. ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ સહિત કુલ 8,900 ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલા આ ભવનમાં 8 વિશાળ વર્ગખંડો અને એક હોલ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે શાળામાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ શૌચાલય, ઇન્ડોર કનેક્ટિવિટી, મિનરલ વોટર પ્લાન્ટ, તેમજ મધ્યાહન ભોજન માટે આધુનિક રસોડું (કિચન) અને શેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ તમામ સુવિધાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી થઈ હતી, જેમાં શાળા પરિવાર તરફથી નિલેશભાઈ નાયકે ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો અને મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા સંગઠન ઉપપ્રમુખ મોહનભાઈ પટેલ, પલસાણા તાલુકા સંગઠન પ્રમુખ કૃણાલભાઈ પટેલ, તાલુકા મહામંત્રી કૃણાલસિંહ ગોહિલ, તાલુકા ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલ અને મનીષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનીકુમારી નિકુંજકુમાર વાંસીયા, તાંતીથૈયા ગામ પંચાયતના સરપંચ જિગીષાબેન નાયક, પલસાણા તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ બી. પરમાર, તાલુકા શિક્ષણાધિકારી વિરલભાઈ ચૌધરી, યુવા મંત્રી નવગણભાઈ ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. કે. ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો, શિક્ષણપ્રેમીઓ, ગ્રામજનો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળામાં નવા પ્રવેશ મેળવનાર તમામ નાનાં ભૂલકાઓનું શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉષ્માભર્યો આવકાર કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, શિક્ષણને જીવનનું શ્રેષ્ઠ સાધન બનાવી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા આપી હતી.1
- સુરતના ડિન્ડોલી વિસ્તારમાં સુમુખ સર્કલ નજીક એક બજરંગ દળના સામાજિક કાર્યકર પર અજાણ્યા બદમાશો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, પીડિત પોતાના બે મિત્રો સાથે બ્રધર ટી પોઈન્ટ પાસે હાજર હતો. તે સમયે કેટલાક અજાણ્યા યુવકો ત્યાં આવ્યા અને પાછળથી આવીને પીડિતની પીઠમાં ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર, પીડિતને કોઈની સાથે કોઈ ઝઘડો ન હોવા છતાં અચાનક પાછળથી આવીને તેના પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. આ હુમલાને કારણે આસપાસના વેપારી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ ડિન્ડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ હુમલાખોરોની ઓળખ અને હુમલા પાછળના કારણો જાણવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસી રહી છે અને અન્ય પુરાવા એકત્રિત કરી રહી છે. આ ઘટના બાદ વિસ્તારમાં દહેશતનો માહોલ છે અને પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ વધુ તેજ કરી છે.1
- કડોદરા ખાતે બિઝનેસ નેટવર્કિંગ સંસ્થા LNG (Learn • Network • Grow) ઉત્કર્ષ ચેપ્ટરનો જુલાઈથી ડિસેમ્બર 2026ના કાર્યકાળ માટેની નવી નેતૃત્વ ટીમનો ભવ્ય પદસ્થાપન સમારોહ યોજાયો હતો. કડોદરાના ધ ફર્ન વિશ્રાંતા રિસોર્ટમાં 27 જૂન, 2026ના રોજ આ સમારોહ સંપન્ન થયો. આ સમારોહમાં નિર્લય પટેલે અધ્યક્ષ, સંજય વર્માએ ઉપાધ્યક્ષ અને વિઘ્નેશ બલદાણીયાએ માનદ સચિવ તરીકેની જવાબદારી સંભાળી હતી. પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ ચેતન પટેલે પદસ્થાપન અધિકારી તરીકે નવી ટીમને શપથ લેવડાવ્યા હતા. મુખ્ય અતિથિ મોહન પટેલ અને વિશેષ અતિથિ કિરણ દેસાઈએ આ પ્રસંગે ઉપસ્થિત ઉદ્યોગસાહસિકોને સુમેળભર્યા નેટવર્કિંગ, સતત શીખવા અને વ્યવસાય દ્વારા સકારાત્મક પરિવર્તન લાવવાનો સંદેશ આપ્યો હતો.1
- મહારાષ્ટ્રના પનવેલના નાંદગાંવ સ્થિત એક આંગણવાડીમાં નાની બાળકી સાથે કથિત મારપીટ અને દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને સંબંધિત અધિકારીઓ પાસે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હાલમાં સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે અને વાયરલ વીડિયોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસના આધારે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.1