ભારત બન્યું T20 વર્લ્ડ ચેમ્પિયન, મોડી રાત્રે ગાંધીધામમાં દિવાળી જેવો માહોલ તારીખ 8 માર્ચના રોજ અમદાવાદમાં રમાયેલી T20 વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. ભારતે અત્યાર સુધીમાં કુલ ત્રણ વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. યજમાન દેશ તરીકે વર્લ્ડ કપ જીતનાર ભારત પ્રથમ દેશ બન્યો હોવાને કારણે દેશભરમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ફાઈનલ મુકાબલામાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં જસપ્રીત બુમરાહે 4 વિકેટ લઈને કિવી ટીમની કમર તોડી દીધી હતી, જ્યારે અક્ષર પટેલે 3 વિકેટ ઝડપીને જીતમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. ભારતની આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીધામ શહેરમાં પણ ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.મોડી રાત સુધી ફટાકડા ફોડી, તિરંગા લહેરાવી અને “ભારત માતા કી જય”ના નારા લગાવી વિજયોત્સવ ઉજવાયો હતો, જેના કારણે શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત ખડે પગે રહી હતી.
ભારત બન્યું T20 વર્લ્ડ ચેમ્પિયન, મોડી રાત્રે ગાંધીધામમાં દિવાળી જેવો માહોલ તારીખ 8 માર્ચના રોજ અમદાવાદમાં રમાયેલી T20 વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. ભારતે અત્યાર સુધીમાં કુલ ત્રણ વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. યજમાન દેશ તરીકે વર્લ્ડ કપ જીતનાર ભારત પ્રથમ દેશ બન્યો હોવાને કારણે દેશભરમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ફાઈનલ મુકાબલામાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં જસપ્રીત બુમરાહે 4 વિકેટ લઈને કિવી ટીમની કમર તોડી દીધી હતી, જ્યારે અક્ષર પટેલે 3 વિકેટ ઝડપીને જીતમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. ભારતની આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીધામ શહેરમાં પણ ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.મોડી રાત સુધી ફટાકડા ફોડી, તિરંગા લહેરાવી અને “ભારત માતા કી જય”ના નારા લગાવી વિજયોત્સવ ઉજવાયો હતો, જેના કારણે શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત ખડે પગે રહી હતી.
- પૂર્વ કચ્છમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા નેતાઓ સામે ગંભીર આક્ષેપો થતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ કાયનાત અંસારી આથા, દિગુભા તથા એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ મહિલાએ એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ ગણેશનગર વિસ્તારમાં આવેલા પ્લોટ નં. ૬૭૨ ખાતે મહિલાની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મહિલાના પુત્ર રોહિત ભાગી જવાની ઘટનાનો મનદુઃખ રાખી મહિલાના ઘરે પહોંચી તેના તેમજ તેમના વૃદ્ધ સાસુ લાલબાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહિલાને જાતિ અપમાનીત કરતા શબ્દો કહી ગુનાહિત ધમકીઓ આપી તેમજ વિસ્તારમાં રહેવા અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ મામલે મહિલાએ પોલીસમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા વિસ્તારમાં ભારે ચર્ચા જગાઈ છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી જિલ્લા પ્રમુખ કાયનાત અંસારી સહિત બે ને રાઉન્ડ અપ કરી વધુ પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.1
- સરકારી સૂત્રો અનુસાર, LPG સિલિન્ડરના સંગ્રહ અને કાળાબજારને રોકવા માટે બુકિંગનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. કેટલાક કિસ્સાઓમાં લોકો 55 દિવસમાં બુક કરાવતા હતા, પરંતુ હવે 15 દિવસમાં જ બુકિંગ શરૂ કરી દેતા હતા.રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. વાણિજ્યિક જોડાણો કરતાં ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવાનું નિર્દેશન છે.1
- Post by Dinesh Kalu bhai1
- ચિતલિયામાં માનવતા અને ગૌસેવાની મિસાલ કાયમ થઈ 30 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી, જીવ બચી જતાં લૌકોની મહેનત રંગ લાવી આટકોટ ચિતલીયા ગામે માનવતા અને ગૌસેવાની એક અદભૂત મિસાલ કાયમ થઈ હતી. ગામની સીમમાં આવેલ અંદાજે 30 ફૂટ ઊંડા કુવામાં એક ગાય અચાનક પડી જતાં સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. જોકે, ગ્રામજનોની સમયસૂચકતા અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમને કારણે ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગાય કૂવામાં પડી હોવાની જાણ થતા જ ચિતલીયા ગામના સરપંચ અશોકભાઈ બથવાર, ગૌપ્રેમી નરેશભાઈ દરેડ સહિત ગામના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કૂવો ઊંડો હોવાથી અને તેમાં પાણી પણ વધુ હોવાથી ગાયને બહાર કાઢવી પડકારજનક હતી, જેના માટે તાત્કાલિક ભારે મશીનરીની જરૂરિયાત જણાઈ હતી. તંત્ર અને ગ્રામજનોનું સંકલન આ કપરી પરિસ્થિતિમાં જસદણ મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વહીવટી અધિકારીઓએ વિલંબ કર્યા વગર તાત્કાલિક મશીનરીની વ્યવસ્થા કરી આપી, જેને પગલે રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો અને મશીનરીને સંયુક્ત પ્રયાસોથી કલાકોની મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ગૌમાતાનો જીવ બચી જતાં હાજર લોકો એ નગરપાલિકા અને મામલદાર નો આભાર માન્યો હતો તસવીરો કરશન બામટા આટકોટ4
- Post by Sajad Dhadha1
- Post by મનુભાઈ પ્રભુભાઈ ઠક્કર ડાભી વાળા1
- Post by Vopul luhar1
- ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દિપેશ મિનાક્ષીબેન ભટ્ટે 5 માર્ચના રોજ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની પત્ની દીપાબેન દિપેશ ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે 18 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વ્યાજના વિષચક્રમાં ફસાવી મરવા મજબુર કરાયા હોવાનો ઘટસ્ફોટ કરતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે પોલીસે એક આરોપીની પ્રકાશ મોદીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.1