Shuru
Apke Nagar Ki App…
ગાંધીધામ શહેર ભાજપના મંત્રીની આત્મહત્યાનો મામલો; એક આરોપીની ધરપકડ ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દિપેશ મિનાક્ષીબેન ભટ્ટે 5 માર્ચના રોજ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની પત્ની દીપાબેન દિપેશ ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે 18 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વ્યાજના વિષચક્રમાં ફસાવી મરવા મજબુર કરાયા હોવાનો ઘટસ્ફોટ કરતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે પોલીસે એક આરોપીની પ્રકાશ મોદીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
Bharti Makhijani
ગાંધીધામ શહેર ભાજપના મંત્રીની આત્મહત્યાનો મામલો; એક આરોપીની ધરપકડ ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દિપેશ મિનાક્ષીબેન ભટ્ટે 5 માર્ચના રોજ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની પત્ની દીપાબેન દિપેશ ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે 18 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વ્યાજના વિષચક્રમાં ફસાવી મરવા મજબુર કરાયા હોવાનો ઘટસ્ફોટ કરતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે પોલીસે એક આરોપીની પ્રકાશ મોદીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
More news from ગુજરાત and nearby areas
- પૂર્વ કચ્છમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા નેતાઓ સામે ગંભીર આક્ષેપો થતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ કાયનાત અંસારી આથા, દિગુભા તથા એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ મહિલાએ એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ ગણેશનગર વિસ્તારમાં આવેલા પ્લોટ નં. ૬૭૨ ખાતે મહિલાની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મહિલાના પુત્ર રોહિત ભાગી જવાની ઘટનાનો મનદુઃખ રાખી મહિલાના ઘરે પહોંચી તેના તેમજ તેમના વૃદ્ધ સાસુ લાલબાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહિલાને જાતિ અપમાનીત કરતા શબ્દો કહી ગુનાહિત ધમકીઓ આપી તેમજ વિસ્તારમાં રહેવા અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ મામલે મહિલાએ પોલીસમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા વિસ્તારમાં ભારે ચર્ચા જગાઈ છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી જિલ્લા પ્રમુખ કાયનાત અંસારી સહિત બે ને રાઉન્ડ અપ કરી વધુ પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.1
- સરકારી સૂત્રો અનુસાર, LPG સિલિન્ડરના સંગ્રહ અને કાળાબજારને રોકવા માટે બુકિંગનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. કેટલાક કિસ્સાઓમાં લોકો 55 દિવસમાં બુક કરાવતા હતા, પરંતુ હવે 15 દિવસમાં જ બુકિંગ શરૂ કરી દેતા હતા.રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. વાણિજ્યિક જોડાણો કરતાં ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવાનું નિર્દેશન છે.1
- Post by Dinesh Kalu bhai1
- ચિતલિયામાં માનવતા અને ગૌસેવાની મિસાલ કાયમ થઈ 30 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી, જીવ બચી જતાં લૌકોની મહેનત રંગ લાવી આટકોટ ચિતલીયા ગામે માનવતા અને ગૌસેવાની એક અદભૂત મિસાલ કાયમ થઈ હતી. ગામની સીમમાં આવેલ અંદાજે 30 ફૂટ ઊંડા કુવામાં એક ગાય અચાનક પડી જતાં સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. જોકે, ગ્રામજનોની સમયસૂચકતા અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમને કારણે ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગાય કૂવામાં પડી હોવાની જાણ થતા જ ચિતલીયા ગામના સરપંચ અશોકભાઈ બથવાર, ગૌપ્રેમી નરેશભાઈ દરેડ સહિત ગામના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કૂવો ઊંડો હોવાથી અને તેમાં પાણી પણ વધુ હોવાથી ગાયને બહાર કાઢવી પડકારજનક હતી, જેના માટે તાત્કાલિક ભારે મશીનરીની જરૂરિયાત જણાઈ હતી. તંત્ર અને ગ્રામજનોનું સંકલન આ કપરી પરિસ્થિતિમાં જસદણ મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વહીવટી અધિકારીઓએ વિલંબ કર્યા વગર તાત્કાલિક મશીનરીની વ્યવસ્થા કરી આપી, જેને પગલે રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો અને મશીનરીને સંયુક્ત પ્રયાસોથી કલાકોની મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ગૌમાતાનો જીવ બચી જતાં હાજર લોકો એ નગરપાલિકા અને મામલદાર નો આભાર માન્યો હતો તસવીરો કરશન બામટા આટકોટ4
- Post by Sajad Dhadha1
- Post by મનુભાઈ પ્રભુભાઈ ઠક્કર ડાભી વાળા1
- શ્રી પુરૂષોત્તમ લાલજી ગૌશાળા થાણાપીપળી દ્વારા નીર્માણ પામી રહી છે. જેમાં કંટ્રકશન,રોડ, પ્લમ્બર,કામ યુધ્ધ ના ધોરણે કામગીરી શરૂ છે.2
- ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દિપેશ મિનાક્ષીબેન ભટ્ટે 5 માર્ચના રોજ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની પત્ની દીપાબેન દિપેશ ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે 18 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વ્યાજના વિષચક્રમાં ફસાવી મરવા મજબુર કરાયા હોવાનો ઘટસ્ફોટ કરતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે પોલીસે એક આરોપીની પ્રકાશ મોદીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.1