સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં મોડી સાંજે સિગારેટ પીવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં 33 વર્ષીય અમર ઉર્ફે કાલુ દૌલતભાઈ પંજવાણીની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. સનસનાટીભરી આ ઘટના બાદ પોતાના વતન નેપાળ ભાગી જવાની તૈયારી કરી રહેલા એક સગીર અને એક આરોપી શ્રવણ ઉર્ફે ગોપાલ રાજેશભાઈ વસાવાને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અડાજણના આનંદ મહલ રોડ પર આવેલી પારસનગર સોસાયટીમાં રહેતા અમર પંજવાણી સાંજના સમયે એક પાનના ગલ્લા પર ગયો હતો. ત્યાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર અને તેનો મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલ પણ સિગારેટ પીવા માટે ભેગા થયા હતા. આ દરમિયાન સિગારેટ પીવા જેવી તદ્દન સામાન્ય બાબતે અમર અને બાળ કિશોર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. આ ઝઘડામાં બાળ કિશોરને માઠું લાગી આવતા તે ગુસ્સામાં ઘરે ગયો અને રસોડામાં વપરાતું તીક્ષ્ણ ચપ્પુ લઈને ફરી બહાર આવ્યો. ત્યારબાદ તેણે પોતાના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલનો સંપર્ક કર્યો અને મોપેડ પર ફરી સિગારેટ પીવા જવાનો પ્લાન બનાવ્યો. આ સમયે શ્રવણ ઉર્ફે ગોપાલ મૃતક અમર પંજવાણીને પણ પોતાની સાથે લઈ આવ્યો હતો. ત્રણેય જણા મોપેડ પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે ચાલુ બાઇકે ફરીથી તેમની વચ્ચે ઝઘડો શરૂ થયો. બોલાચાલી એટલી ઉગ્ર બની કે મોપેડ ચલાવી રહેલા અમરે રામનગર સરકારી વસાહત પાસે ગાડી રોડની સાઈડમાં ઊભી રાખી દીધી. ગાડી ઊભી રહેતા જ આવેશમાં આવેલા સગીરે ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે છુપાવેલું ચપ્પુ કાઢી અમરના છાતીના ભાગે ઝીંકી દીધું. ગંભીર ઈજાઓ થતા અમરનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. આ ગુનામાં શ્રવણ ઉર્ફે ગોપાલ પણ ઝઘડા દરમિયાન ત્યાં હાજર હતો અને તેણે પણ મૃતક સાથે બોલાચાલી કરીને ગુનામાં સાથ આપ્યો હતો. હત્યાના ગુનાને અંજામ આપીને બંને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લેતાં રાંદેર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી અને હત્યા કરીને નેપાળ ભાગી જવાની ફિરાકમાં રહેલા બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા.
સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં મોડી સાંજે સિગારેટ પીવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં 33 વર્ષીય અમર ઉર્ફે કાલુ દૌલતભાઈ પંજવાણીની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. સનસનાટીભરી આ ઘટના બાદ પોતાના વતન નેપાળ ભાગી જવાની તૈયારી કરી રહેલા એક સગીર અને એક આરોપી શ્રવણ ઉર્ફે ગોપાલ રાજેશભાઈ વસાવાને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અડાજણના આનંદ મહલ રોડ પર આવેલી પારસનગર સોસાયટીમાં રહેતા અમર પંજવાણી સાંજના સમયે એક પાનના ગલ્લા પર ગયો હતો. ત્યાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર અને તેનો મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલ પણ સિગારેટ પીવા માટે ભેગા થયા હતા. આ દરમિયાન સિગારેટ પીવા જેવી તદ્દન સામાન્ય બાબતે અમર અને બાળ કિશોર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. આ ઝઘડામાં બાળ કિશોરને માઠું લાગી આવતા તે ગુસ્સામાં ઘરે ગયો અને રસોડામાં વપરાતું તીક્ષ્ણ ચપ્પુ લઈને ફરી બહાર આવ્યો. ત્યારબાદ તેણે પોતાના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલનો સંપર્ક કર્યો અને મોપેડ પર ફરી સિગારેટ પીવા જવાનો પ્લાન બનાવ્યો. આ સમયે શ્રવણ ઉર્ફે ગોપાલ મૃતક અમર પંજવાણીને પણ પોતાની સાથે લઈ આવ્યો હતો. ત્રણેય જણા મોપેડ પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે ચાલુ બાઇકે ફરીથી તેમની વચ્ચે ઝઘડો શરૂ થયો. બોલાચાલી એટલી ઉગ્ર બની કે મોપેડ ચલાવી રહેલા અમરે રામનગર સરકારી વસાહત પાસે ગાડી રોડની સાઈડમાં ઊભી રાખી દીધી. ગાડી ઊભી રહેતા જ આવેશમાં આવેલા સગીરે ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે છુપાવેલું ચપ્પુ કાઢી અમરના છાતીના ભાગે ઝીંકી દીધું. ગંભીર ઈજાઓ થતા અમરનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. આ ગુનામાં શ્રવણ ઉર્ફે ગોપાલ પણ ઝઘડા દરમિયાન ત્યાં હાજર હતો અને તેણે પણ મૃતક સાથે બોલાચાલી કરીને ગુનામાં સાથ આપ્યો હતો. હત્યાના ગુનાને અંજામ આપીને બંને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લેતાં રાંદેર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી અને હત્યા કરીને નેપાળ ભાગી જવાની ફિરાકમાં રહેલા બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા.
- સુરતમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે ભારે હંગામો કર્યો. દૂધ, શાકભાજી, અનાજ, તેમજ પેટ્રોલ-ડીઝલની સતત વધી રહેલી કિંમતો સામે કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું.1
- સુરતમાં ચાલી રહેલા 'નો ડ્રગ ઇન સુરત' અભિયાન અંતર્ગત, સર્વેલન્સ ટીમે બાતમીના આધારે કાપોદ્રા વિસ્તારમાં દરોડો પાડી એક પેડલરને 1.34 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે સોમનાથ સોસાયટીના મકાન નંબર 55/56, પહેલા માળે આવેલા રૂમ નંબર 05માંથી આ ગાંજો જપ્ત કર્યો હતો અને આરોપી રોનક બેલડીયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ આરોપી રોનક બેલડીયા બેરોજગાર છે. તેની પાસેથી ગાંજો ભરવા માટે ઉપયોગમાં લેવાતી 77 ખાલી પ્લાસ્ટિકની થેલીઓ પણ મળી આવી હતી. આરોપી અજાણ્યા ઇસમ પાસેથી છૂટક ગાંજો લાવી નાની-મોટી પ્લાસ્ટિકની થેલીઓ બનાવી તેનું વેચાણ કરતો હતો. પોલીસે ગાંજો સપ્લાય કરનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે.1
- ડિડવાણાની પંજાબ નેશનલ બેંક શાખામાં આજે બપોરે લગભગ 2:45 વાગ્યે બેંકિંગ કામકાજ માટે આવેલા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યાં 2-3 કાઉન્ટરો પર લોકોની ભીડ જોવા મળી હતી, પરંતુ તે સમયે સંબંધિત કાઉન્ટરો પર એક પણ કર્મચારી હાજર નહોતો. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ઓપરેટરો જમવા ગયા હતા. આ બાબતે શાખા પ્રબંધક સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે બધા કાઉન્ટરો તૈયાર છે અને કામ થઈ જશે. જોકે, ગ્રાહકોનું સ્પષ્ટપણે કહેવું છે કે જ્યારે લોકો લાંબી કતારોમાં ઉભા હોય ત્યારે કોઈ પણ કાઉન્ટર પર કર્મચારીની ગેરહાજરી એ ગ્રાહકો માટે પરેશાનીનું મુખ્ય કારણ બને છે. ગ્રાહકોએ ભારપૂર્વક જણાવ્યું કે RBI ના નિયમો અને ગ્રાહક સેવા વ્યવસ્થા અનુસાર, કોઈ પણ કાઉન્ટરને કર્મચારી વિના છોડવું ન જોઈએ અને લોકોને બિનજરૂરી રીતે રાહ જોવડાવવી ન જોઈએ. વર્તમાન ભીષણ ગરમી દરમિયાન બેંકમાં આવતા લોકોનું કામ તાત્કાલિક થવું એ વધુ સારી સેવા વ્યવસ્થા ગણાય છે. તેથી, ગ્રાહકોએ માગણી કરી છે કે કર્મચારીઓનો ભોજન વિરામ એક પછી એક કરીને ગોઠવવામાં આવે જેથી બેંકિંગ કાર્ય સતત ચાલુ રહે અને સામાન્ય લોકોને અસુવિધાનો સામનો ન કરવો પડે. આ સમાચાર સાથે RBI સંબંધિત લિંક પણ જોડવામાં આવી રહી છે.1
- સુરત શહેરને નશામુક્ત કરવા માટે ચાલી રહેલા "NO DRUGS IN SURAT CITY" અભિયાન અંતર્ગત લિંબાયત પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે મીઠીખાડી વિસ્તારમાંથી નશાકારક ટેબ્લેટ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી રઇસ નબી શાહ પાસેથી કુલ ૭૦ નંગ પ્રતિબંધિત નશાકારક ગોળીઓ જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત ₹૩,૫૦૦/- થાય છે.1
- સુરતના પોદાર આર્કેડ નજીક, 35 ડિગ્રી સેલ્સિયસના તાપમાન અને ભીષણ ગરમી વચ્ચે પણ સૈનિકો ટ્રાફિકને સુચારુ રાખવામાં મદદરૂપ કાર્ય કરી રહ્યા છે.1
- સુરતમાં બકરી ઈદના તહેવાર નિમિત્તે બકરી ખરીદવા માટે આરોપીઓએ એક તરકટ રચ્યું હતું. તેમણે ફરિયાદીને નકલી ચલણી નોટો પકડાવીને અસલી બકરી ખરીદી લીધી હતી, અને આ રીતે અસલી બકરી લઈ જવામાં સફળ રહ્યા હતા. આરોપીઓ દ્વારા બકરીની ખરીદી કરવા જતાં જ તેમના નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ થયો હતો. આ ઘટના બાદ સચિન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ નકલી ચલણી નોટના રેકેટમાં સંડોવાયેલા 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.1
- સુરતના ઉધના વિસ્તારમાં થયેલી એક મોટી ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને સફળતા મળી છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ ₹3,01,893/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તારીખ 21/05/2026 ના રોજ રાત્રિના સમયે ઉધનાના અશોક સમ્રાટનગર, મોરારજી વસાહત વિસ્તારમાં આવેલા એક મકાનમાં ટેરેસ પરથી પ્રવેશ કરીને અજાણ્યા ચોરે રોકડ ₹5 લાખ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી, જેનો કુલ મુદ્દામાલ ₹7,10,493/- હતો. આ બનાવ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305(એ) અને 331(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી બલરામ મીણા, ડીસીપી ઝોન-2 ડો. કાનન દેસાઈ અને એસીપી સી.જી. વાડદોરિયાના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે સુનિલ ઉર્ફે સમો મુકુંદભાઈ રાઠોડ (ઉ.વ. 27), રહે. મોરારજી વસાહત રોડ નં. 9, ઉધના, સુરતને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹1,03,000/- રોકડા, ₹1,45,811/- ના સોનાના દાગીના, ₹23,400/- નો ચાંદીનો કમરબંધ, ₹11,182/- નું ચાંદીનું કડું અને ₹18,500/- ની ચાંદીની પાયલ મળી કુલ ₹3,01,893/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કામગીરી ઉધના પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.એમ. ઠાકોર, સેકન્ડ પો.ઈન્સ. જે.કે. ગઢવી, પો.સ.ઈ. એમ.કે. ઈશરાણી, પો.સ.ઈ. એચ.ઝેડ. પટેલ અને સર્વેલન્સ સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી, જેને કારણે ઉધના પોલીસ ટીમની પ્રશંસા કરવામાં આવી રહી છે.1
- સુરત ખાતે ઇલેક્ટ્રિક કામ કરતી વખતે એક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.1