સદાબહાર ગ્રુપ સંચાલિત ‘શ્રી અન્નપૂર્ણા રસોડું’ની ત્રણ મહિનાની અવિરત સેવાયાત્રા પૂર્ણ : સદાબહાર ગ્રુપ સંચાલિત ‘શ્રી અન્નપૂર્ણા રસોડું’ની ત્રણ મહિનાની અવિરત સેવાયાત્રા પૂર્ણ માત્ર રૂ. 20ના ટોકનમાં ભોજન, ઉપવાસના દિવસે ફરાળી વાનગી અને દાતાઓના સહયોગથી મીઠાઈનો પ્રસાદ; પૂર્ણાહુતિ પ્રસંગે 225થી વધુ લોકોએ લીધો પ્રસાદનો લાભ સિદ્ધપુરમાં સદાબહાર ગ્રુપ દ્વારા સંચાલિત **‘શ્રી અન્નપૂર્ણા રસોડું’**ની ત્રણ મહિનાની અવિરત સેવાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમાજસેવાના ઉત્તમ ઉદાહરણરૂપ આ રસોડાએ સતત ત્રણ મહિના સુધી જરૂરિયાતમંદો, શ્રમિકો, મુસાફરો તેમજ સામાન્ય નાગરિકોને માત્ર રૂ. 20ના ટોકનમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન ઉપલબ્ધ કરાવી માનવસેવાનો અનોખો સંદેશ આપ્યો હતો. રસોડામાં દરરોજ ખીચડી-કઢી સહિતનું ભોજન પીરસવામાં આવતું હતું. ઉપવાસના દિવસોમાં ફરાળી વાનગીઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હતી. ઉપરાંત વિવિધ દાતાશ્રીઓના સહયોગથી અમુક દિવસોએ મીઠાઈનો પ્રસાદ પણ પીરસવામાં આવતો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો આ સેવાનો લાભ લઈ શક્યા હતા. તા. 31 જુલાઈ, 2026ના રોજ યોજાયેલી સેવાયજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે 225થી વધુ પ્રસાદાર્થીઓએ પ્રસાદીનો લાભ લીધો હતો. આ અવસરે સમગ્ર સેવાકાર્યને સફળ બનાવવા માટે નિઃસ્વાર્થ સેવા આપનાર સેવાભાવી મિત્રો, દાતાશ્રીઓ, સહયોગી સંસ્થાઓ તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા તમામ શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે શ્રી અન્નપૂર્ણા રસોડું માત્ર ભોજન વિતરણનો કાર્યક્રમ નહોતો, પરંતુ માનવતા, કરુણા અને સેવાભાવને જીવંત રાખવાનો પવિત્ર સેવાયજ્ઞ હતો. સમાજના વિવિધ વર્ગોના સહયોગ, વિશ્વાસ અને આશીર્વાદથી આ સેવા સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકી છે. કાર્યક્રમના અંતે અન્નપૂર્ણા માતાજીના આશીર્વાદથી સૌના સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત સેવાભાવ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. "સેવા પરમો ધર્મ" ના સંદેશને સાકાર કરતી આ પહેલ સિદ્ધપુર શહેરમાં માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
સદાબહાર ગ્રુપ સંચાલિત ‘શ્રી અન્નપૂર્ણા રસોડું’ની ત્રણ મહિનાની અવિરત સેવાયાત્રા પૂર્ણ : સદાબહાર ગ્રુપ સંચાલિત ‘શ્રી અન્નપૂર્ણા રસોડું’ની ત્રણ મહિનાની અવિરત સેવાયાત્રા પૂર્ણ માત્ર રૂ. 20ના ટોકનમાં ભોજન, ઉપવાસના દિવસે ફરાળી વાનગી અને દાતાઓના સહયોગથી મીઠાઈનો પ્રસાદ; પૂર્ણાહુતિ પ્રસંગે 225થી વધુ લોકોએ લીધો પ્રસાદનો લાભ સિદ્ધપુરમાં સદાબહાર ગ્રુપ દ્વારા સંચાલિત **‘શ્રી અન્નપૂર્ણા રસોડું’**ની ત્રણ મહિનાની અવિરત સેવાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમાજસેવાના ઉત્તમ ઉદાહરણરૂપ આ રસોડાએ સતત ત્રણ મહિના સુધી જરૂરિયાતમંદો, શ્રમિકો, મુસાફરો તેમજ સામાન્ય નાગરિકોને માત્ર રૂ. 20ના ટોકનમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન ઉપલબ્ધ કરાવી માનવસેવાનો અનોખો સંદેશ આપ્યો હતો. રસોડામાં દરરોજ ખીચડી-કઢી સહિતનું ભોજન પીરસવામાં આવતું હતું. ઉપવાસના દિવસોમાં ફરાળી વાનગીઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હતી. ઉપરાંત વિવિધ દાતાશ્રીઓના સહયોગથી અમુક દિવસોએ મીઠાઈનો પ્રસાદ પણ પીરસવામાં આવતો હતો, જેના કારણે મોટી સંખ્યામાં
લોકો આ સેવાનો લાભ લઈ શક્યા હતા. તા. 31 જુલાઈ, 2026ના રોજ યોજાયેલી સેવાયજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે 225થી વધુ પ્રસાદાર્થીઓએ પ્રસાદીનો લાભ લીધો હતો. આ અવસરે સમગ્ર સેવાકાર્યને સફળ બનાવવા માટે નિઃસ્વાર્થ સેવા આપનાર સેવાભાવી મિત્રો, દાતાશ્રીઓ, સહયોગી સંસ્થાઓ તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા તમામ શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે શ્રી અન્નપૂર્ણા રસોડું માત્ર ભોજન વિતરણનો કાર્યક્રમ નહોતો, પરંતુ માનવતા, કરુણા અને સેવાભાવને જીવંત રાખવાનો પવિત્ર સેવાયજ્ઞ હતો. સમાજના વિવિધ વર્ગોના સહયોગ, વિશ્વાસ અને આશીર્વાદથી આ સેવા સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકી છે. કાર્યક્રમના અંતે અન્નપૂર્ણા માતાજીના આશીર્વાદથી સૌના સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત સેવાભાવ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. "સેવા પરમો ધર્મ" ના સંદેશને સાકાર કરતી આ પહેલ સિદ્ધપુર શહેરમાં માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
- ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાના સ્વાગત માટે સિદ્ધપુરમાં તૈયારીઓ તેજ- ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતાને યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાના સ્વાગત માટે સિદ્ધપુરમાં તૈયારીઓ તેજ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતાને યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું સિદ્ધપુર: ગુરુ રવિદાસ મહારાજની ભવ્ય શોભાયાત્રા આવતીકાલે સિદ્ધપુર થઈ પાટણ જિલ્લામાં પ્રવેશ કરવાની હોવાથી સમગ્ર વિસ્તારમાં સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યાત્રાને લઈને સમાજજનો અને આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તૈયારીઓના ભાગરૂપે સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે પ્રજાજોગ સંદેશ પાઠવી જિલ્લાના તેમજ તાલુકાના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવા અને ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગુરુ રવિદાસ મહારાજના જીવન અને ઉપદેશો સમાજમાં સમરસતા, સમાનતા અને માનવસેવાનો સંદેશ આપે છે. આ પવિત્ર યાત્રાના પાટણ જિલ્લામાં આગમનને લઈને વિવિધ સ્થળોએ સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતીકાલે શોભાયાત્રા સિદ્ધપુરમાં પ્રવેશ કરીને પાટણ જિલ્લામાં પ્રવેશ કરશે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ઉત્સવમય વાતાવરણ સર્જાયું છે.1
- *સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરીના અપહરણ અને મારપીટ મામલે ન્યાયની ગર્જના"1
- જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ1
- Cm bhupendra patel |યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સાવધાન, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કાર્યવાહી1
- સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' હેઠળ 'અંબાજીથી જગન્નાથ મંદિર(અમદાવાદ)' સુધી યોજાશે ભવ્ય કળશ યાત્રા. 📍શુભારંભ તારીખ: 1 ઓગસ્ટ, 2026 - શનિવાર સમય: સવારે 8:30 કલાકે સ્થળ: ગબ્બર ચોક, અંબાજી1
- 🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨 સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સાવચેતી: બિનજરૂરી બહાર ન નીકળો. ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો. સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.4
- મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન, જનજીવન પ્રભાવિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.1
- પાટણમાં દોઢ ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત- શહેર જળબંબાકાર બન્યું, રેલવે ગરનાળા બંધ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા – દીવાલ ધરાશાયી થતાં વાહનોને નુકસાન પાટણમાં દોઢ ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત શહેર જળબંબાકાર બન્યું, રેલવે ગરનાળા બંધ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા – દીવાલ ધરાશાયી થતાં વાહનોને નુકસાન પાટણ શહેર, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં મોન્સૂનનો જોરદાર વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. દોઢ ઇંચ જેટલા વરસાદે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સમગ્ર શહેર જળબંબાકાર બન્યું હતું. ભારે વરસાદને પગલે સિદ્ધપુર ચાર રસ્તા સહિતના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચેનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેનું પ્રથમ ગરનાળું અવરજવર માટે બંધ કરવામાં આવ્યું હતું. વરસાદના કારણે આનંદ સરોવરમાં નવા નીરની આવક થતાં જળસ્તરમાં વધારો નોંધાયો હતો. બીજી તરફ ભારે વરસાદ દરમિયાન રેલવે ગરનાળા નજીક દિવ્યા આશિષ કોમ્પલેક્ષ પાછળ આવેલી રેલવેની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દીવાલ તૂટી પડતાં ત્યાં પાર્ક કરેલી એક પલ્સર બાઈક અને એક બોલેરો ગાડીને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક અવરોધ અને અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાતાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ: અનિલ રામાનુજ, પાટણ4