Shuru
Apke Nagar Ki App…
ધ્રાંગધ્રામાં હાથીખાના પાસે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: એક ઝડપાયો, બે ફરાર ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે શહેરના દિલ્હી દરવાજા પાસે આવેલા હાથીખાના વિસ્તારમાં જુગાર અંગે સફળ રેઇડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જાહેર સ્થળે ગુડદી પાસા વડે હાર-જીતનો જુગાર રમતા લાલાભાઈ ગાંડાભાઈ મુંધવા નામના શખ્સને પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા ૧૪,૧૦૦/- તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડ્યો હતો. જોકે, અન્ય બે આરોપીઓ હબીબભાઇ મહમદભાઇ અને વિશાલભાઇ ભીખાભાઇ ગઢવી પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. સીટી પોલીસે પકડાયેલ મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Shailesh-SNR
ધ્રાંગધ્રામાં હાથીખાના પાસે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: એક ઝડપાયો, બે ફરાર ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે શહેરના દિલ્હી દરવાજા પાસે આવેલા હાથીખાના વિસ્તારમાં જુગાર અંગે સફળ રેઇડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જાહેર સ્થળે ગુડદી પાસા વડે હાર-જીતનો જુગાર રમતા લાલાભાઈ ગાંડાભાઈ મુંધવા નામના શખ્સને પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા ૧૪,૧૦૦/- તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડ્યો હતો. જોકે, અન્ય બે આરોપીઓ હબીબભાઇ મહમદભાઇ અને વિશાલભાઇ ભીખાભાઇ ગઢવી પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. સીટી પોલીસે પકડાયેલ મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
More news from Banas Kantha and nearby areas
- Post by LOK BANAS NEWS1
- માળીયા મીયાણા તાલુકાના અણિયારી ટોલનાકા નજીક આવેલી ધૈર્ય હોટલ ખાતે યુવકની નિર્દય હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મોરબી એલ.સી.બી. અને માળીયા (મી.) પોલીસની સંયુક્ત કામગીરીમાં 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મૃતક અનિલ હરિલાલ કંડિયા પોતાના મિત્ર સાથે નાસ્તો કરવા ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ અચાનક છરી વડે હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નિપજ્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં મોહન ઉર્ફે શીવમભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા (મોરબી), રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઈ રબારી (મૂળ કેશોદ, હાલ મોરબી), પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા (મોરબી), ગુલામહુસૈન મહેબુબભાઈ પઠાણ (મોરબી), કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ (મોરબી) અને હીરાભાઈ રવજીભાઈ ઉલવા (મોરબી)નો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- સરકાર ને અપીલ કે આ કામ જલ્દી થી જલ્દી પુણૅ કરે જય માતાજી 🙏1
- आज प्रशासन का पुतला बनाकर अर्थी निकालकर एसडीएम कार्यालय के सामने किया जाएगा दाह संस्कार, अपराधियों की गिरफ्तारी को लेकर एसडीएम कार्यालय के सामने धरना आज चौथे दिन भी रहेगा जारी, धरने में आज सैकड़ो लोग होंगे शामिल, जब तक आरोपियों की गिरफ्तारी नहीं होगी तब तक अनिश्चितकालीन धरना जारी रहेगा, मारोठ: मारोठ थाना क्षेत्र के भीवपुरा गांव के पास हुए जानलेवा हमले के मामले में 19 दिन बीत जाने के बाद भी आरोपियों की गिरफ्तारी नहीं होने से ग्रामीणों का आक्रोश फूट पड़ा। 20 अप्रैल को नावां उपखंड कार्यालय के समक्ष अनिश्चितकालीन धरना और प्रदर्शन शुरू किया गया। जिसको लेकर बुधवार को उपखंड कार्यालय के सामने आमजन द्वारा अनिश्चितकालीन धरना प्रदर्शन में अपने अपने उद्बोधन में कहा कि तीन दिन से शांति और शालीनता से धरने में बैठे हुए है पर प्रशाशन के जू तक नहीं रेंग रही जिसको लेकर गुरुवार को उग्र आंदोलन करते हुए प्रशासन का पुतला बनाकर अर्थी शहर में निकाली जाएगी ओर उपखंड कार्यालय के सामने दाहसंस्कार किया जाएगा आज गुरुवार को कई संगठन व राजनीतिक लोग धरने में शामिल होंगे। सैकड़ो महिला व पुरुष पुलिस प्रशासन हाय हाय ,मुर्दाबाद के नारे लगा रहे थे प्रशासन की ओर से धरने के तीसरे दिन ग्रामीणों से कोई समझाइश नहीं गई पर ग्रामीणों ने आरोपियों की गिरफ्तारी के बाद ही धरना समाप्त करने की बात कही जा रही है1
- Post by मानव सेवा केंद्र अहमदाबाद1
- સત્તાનો અહંકાર કે લોકશાહી પર ઘા? ભાજપ સંસદના નિવેદનથી રાજકીય તાપમાન ઉંચું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓના નિવેદનો લોકશાહી મૂલ્યો પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આણંદ ના સંસદ મિતેષ પટેલે એક જાહેર સભામાં, ઉપ મુખ્યમંત્રીની હાજરીમાં, જે ભાષા ઉપયોગ કરયો છે તે માત્ર વિવાદાસ્પદ જ નહીં પરંતુ ધમકીભર્યું ગણાય તેવું છે. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે જો લોકો કોંગ્રેસને મત આપશે અને તેઓ જીતશે તો તે વિસ્તાર, તાલુકા અથવા જિલ્લામાં સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં નહીં આવે. આ પ્રકારનું નિવેદન સીધું-સીધું મતદાતાઓને ડરાવવા અને દબાણમાં રાખવાનો પ્રયાસ છે, જે લોકશાહી માટે અત્યંત ખતરનાક છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સરકાર વિકાસને લોકોના મત સાથે જોડીને ‘સજા’ અને ‘ઇનામ’ની નીતિ અપનાવી રહી છે? શું વિકાસ હવે રાજકીય વફાદારી પર આધારિત રહેશે? આવા નિવેદનો બતાવે છે કે ભાજપના કેટલાક નેતાઓ સત્તાના નશામાં લોકશાહી સિદ્ધાંતોને ભૂલી રહ્યા છે. આ સમગ્ર મામલો હવે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને ભાજપની કાર્યપદ્ધતિ સામે લોકોમાં અસંતોષ અને રોષ વધતો જોવા મળી રહ્યો છે. લોકશાહીમાં મતદાતાઓને ધમકી આપવી એ લોકશાહી પર સીધી ચોટ સમાન છે — અને હવે લોકો જ નક્કી કરશે કે આવી રાજનીતિને સ્વીકારવી કે નકારી કાઢવી. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ1
- Dil to pagal hai song | Madhuri Dixit|Shahrukh Khan| hritik roshan #diltopagalhai #madhuridixit #shahrukhkhan #rhitikroshan1
- સુરેન્દ્રનગર લખતર ગામની વડવાળી શેરીમાં રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અનેકવાર ઉગ્ર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં મહિલાઓએ “રોડ નહીં તો મત નહીં”ના નારા સાથે સામૂહિક ચૂંટણી બહિષ્કાર જાહેર કર્યો છે. મહિલાઓએ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ, સભ્ય અને સચિવને બે વખત રજૂઆત કરી હોવા છતાં સમસ્યાઓ યથાવત છે. ગામમાં છેલ્લા ચાર વર્ષથી ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠી રહ્યા છે અને ગટર ઉપર ગટર તેમજ રોડ ઉપર રોડ બનાવવાના કામો થવાના આરોપો પણ લાગી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તલાટી દ્વારા તમામ વોર્ડમાં સમાન ગ્રાન્ટ ફાળવવાના બદલે પસંદગીના વોર્ડમાં જ કામો કરવામાં આવી રહ્યા છે. હાલ ઓક્ટ્રોયની ગ્રાન્ટ હોવા છતાં વડવાળી શેરીને અવગણવામાં આવી રહી છે. મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેલી મહિલાઓએ અંતે ચૂંટણી બહિષ્કારનું એલાન કરતા જિલ્લા વહીવટી તંત્રમાં ચકચાર મચી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- નિયમોનો ભંગ કે શક્તિ પ્રદર્શન? ભાજપ કાર્યકર્તાઓનો જાહેરમાં બેફામ શો આચારસંહિતાને ઠેંગો:જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનો કેશોદ ખાતે જાહેરમાં બેફામ જન્મદિવસ શો કેશોદમાં કાયદા અને આચારસંહિતાના ખુલ્લેઆમ ભંગના દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર રસ્તા પર જ ઉજવણી કરીને નિયમોને અવગણ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. કેશોદના ચાર ચોક ખાતે જાહેરમાં કેક કટીંગ કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. આચારસંહિતા લાગુ હોવા છતાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી, જેનાથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે. આ સમગ્ર ઘટનામાં કેશોદના ધારાસભ્ય દેવા માલમની હાજરી પણ ચર્ચાનો વિષય બની છે. સાથે અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે આચારસંહિતાના ખુલ્લા ભંગના આરોપો વધુ ગાઢ બન્યા છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે નહીં તે અંગે ચર્ચા ગરમાઈ છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ1