Shuru
Apke Nagar Ki App…
ઉચ્છલ કમલાપુર બસ સ્ટોપથી પશ્ચિમના ડુંગર સુધીના રસ્તાને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં સમાવવાની માંગ કરવામાં આવી છે.
MS NEWS VALSAD
ઉચ્છલ કમલાપુર બસ સ્ટોપથી પશ્ચિમના ડુંગર સુધીના રસ્તાને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં સમાવવાની માંગ કરવામાં આવી છે.
More news from ગુજરાત and nearby areas
- ઉચ્છલ કમલાપુર બસ સ્ટોપથી પશ્ચિમના ડુંગર સુધીના રસ્તાને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં સમાવવાની માંગ કરવામાં આવી છે.1
- Hindi naat naya naat Hindi shayari Hindi naat naya naat Hindi video naya video achcha lagta hai to like karo comment karo jyada Se jyada share karo1
- ડુમસમાં વીજળી પડવાની દુર્ઘટનાનો ભોગ બનેલા ૨૬ વર્ષીય તરુણ મારૂનું સારવાર દરમિયાન નિધન થયું હતું. ડોક્ટરો દ્વારા તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા બાદ, પુત્રને ગુમાવનાર માતા-પિતાએ અસહ્ય દુઃખની સ્થિતિમાં પણ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારની સંમતિ મળ્યા બાદ ડોનેટ લાઈફ સંસ્થાના સંકલનથી અંગદાનની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઉમદા નિર્ણયને કારણે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન શક્ય બન્યું, જેનાથી કુલ પાંચ લોકોને નવજીવન અને નવી દ્રષ્ટિ મળશે. દાનમાં મળેલી બંને કિડની અને લિવરને અમદાવાદની IKDRC હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવા માટે સુરત પોલીસે ગ્રીન કોરિડોર બનાવીને મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.1
- સુરતના સચિન જીઆઈડીસી રોડ નંબર-૫ સ્થિત પ્લોટ નંબર 546/2 પર કાર્યરત રાનીસતી ક્રિએશન નામની કંપની દ્વારા જાહેર નાળામાં કથિત રીતે કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકની સતર્કતાના કારણે આ પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘનનો ખુલાસો થયો છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને નાળામાં વહી રહેલા શંકાસ્પદ રાસાયણિક પાણીનું નિરીક્ષણ કર્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ટીમે સ્થળ પરથી પાણીના લાઈવ સેમ્પલ લીધા છે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે આ તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે પાણીમાં પ્રદૂષણનું સ્તર કેટલું છે અને કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે. આ સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા સેવવામાં આવેલા મૌન બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકો હવે ઉગ્ર સવાલો ઉઠાવી રહ્યા છે કે શું સરકારી અધિકારીઓ કોઈના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અથવા તો પછી આ ગંભીર ગુનામાં કોઈ ચમરબંધીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.1
- સુરતના તાતીથૈયામાંથી ચોરી થયેલી રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આરોપી પાસેથી ₹90 હજારની કિંમતનો મુદ્દામાલ પણ બરામદ કરવામાં આવ્યો છે.1
- વલસાડ SOGની ટીમે ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS અને આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ દ્વારા આ મહત્વની કાર્યવાહી હાથ ધરીને આરોપીને કાયદાની પકડમાં લેવામાં આવ્યો છે.1
- સુરતના ઉમરવાડા વિસ્તારમાં ૬ વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરવાના મામલે સલાબતપુરા પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઇ કાલ તારીખ ૧૦/૦૭/૨૦૨૬ ના રોજ આ કેસના ફરિયાદી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની ૬ વર્ષની પૌત્રી ઘર પાસે રમતી હતી તે સમયે આરોપી બાળકીને ફોસલાવીને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને બ્લીડિંગ થતાં આ બાબતની જાણ પરિવારના સભ્યોને થઈ હતી, જેના આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ૧૧૨૧૦૦૫૫૨૬ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ગંભીર મામલામાં પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જામીર સાહેબ, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ શ્રી કરણરાજ વાઘેલા સાહેબ, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ અને મદદનીશ પોલીસ કમિશ્નર સી ડીવીઝન શ્રી ચિરાગ વાડદોરીયા સાહેબ દ્વારા પોક્સો હેઠળ દાખલ થતા ગુનાઓમાં તાત્કાલિક આરોપીને ઝડપી પાડી અસરકારક કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવી હતી, જેને આધારે પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો છે.1