Shuru
Apke Nagar Ki App…
ગુજરાત રાજ્યના માછીમારોના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વૈશ્વિક પરિસ્થિતિને કારણે ડીઝલના ભાવમાં થયેલા વધારા વચ્ચે, ગુજરાતના માછીમારોને મળતી સબસિડી યથાવત રાખવાનો મહત્વકાંક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના માર્ગદર્શન હેઠળ લેવામાં આવ્યો છે.
Nationgujarat.com
ગુજરાત રાજ્યના માછીમારોના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વૈશ્વિક પરિસ્થિતિને કારણે ડીઝલના ભાવમાં થયેલા વધારા વચ્ચે, ગુજરાતના માછીમારોને મળતી સબસિડી યથાવત રાખવાનો મહત્વકાંક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના માર્ગદર્શન હેઠળ લેવામાં આવ્યો છે.
More news from ગુજરાત and nearby areas
- Post by Dr. Prince Parmar10
- દિયોદર આદશૅ ચોકડી થી પુલ ના છેડા થી બી એન એસ 109 ના એક આરોપી નસતો ફરતો ઝડપાતા પોલિસ દ્વારા રિકસ્નટ કરવામાં આવેલ દિયોદર પોલિસ1
- Post by Vishal vamaiya Darbar1
- Post by Pooja patel1
- વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પર આજે બપોરના સમયે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. વડાલીના જૂના પોલીસ સ્ટેશન નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ ડાલાએ આગળ જઈ રહેલા બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈક પર સવાર દંપતી ઘાયલ થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, મોટરસાયકલ (નંબર: GJ-09-CK-4577) પર પસાર થઈ રહેલા દંપતીને રાજસ્થાન પાસિંગના પીકઅપ ડાલા (નંબર: RJ-19-GJ-1244) ના ચાલકે અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર દંપતી રોડ પર પટકાયા હતા અને તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત દંપતીને ખાનગી વાહન દ્વારા તાત્કાલિક વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે, અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે બાઈકને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે. પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.1
- ગુજરાતનાં ગામડાઓ પણ કહી રહ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જરૂર છે..1
- થરામાં ઈદની ખુશીઓ છલકાઈ: ભાઈચારાના રંગે રંગાયું વેપારીઓ નું મથક બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના વેપારીઓ મથક તરીકે ઓળખાતા થરા શહેરમાં પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયા બાદ ઈદ-ઉલ-ફિત્રનો પાવન પર્વ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન ખાતે એકત્રિત થઈ પરંપરાગત આસ્થા સાથે ઈદની નમાઝ અદા કરી અને દેશ માટે અમન-શાંતિની દુઆ માંગી હતી. આ પ્રસંગે પેશ ઈમામ અબ્દુલ સમદ અકબરી અને મોલાના સિદિક ફેઝાની દ્વારા નમાઝ અદા કરાવવામાં આવી હતી. તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. નમાઝ પૂર્ણ થયા બાદ બિરાદરોએ એકબીજાને ગળે મળી ‘ઈદ મુબારક’ પાઠવી અને ખુશીઓ વહેંચી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે થરા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઈદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા મુસ્લિમ બિરાદરો દ્વારા થરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી. દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઉજવણીમાં હિન્દુ સમાજના ભાઈઓએ પણ સહભાગી બની મુસ્લિમ મિત્રોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી, જેના કારણે કોમી એકતા અને સૌહાર્દના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા.2
- અંબાજી હાઇવે પર એન્ટીગ્લેર તૂટ્યા, કામગીરી પર સવાલ રાત્રીના વાહન ચાલકોને લાઈટથી બચાવવા લગાડેલા ડિવાઇસ ક્ષતિગ્રસ્ત ખેડબ્રહ્માથી અંબાજી તરફ જતા હાઇવે પર આર એન્ડ બી વિભાગ દ્વારા રાત્રીના સમયે વાહનચાલકોને સામેથી આવતી ગાડીઓની લાઈટથી થતી અગવડતાથી બચાવવા માટે ડિવાઇડરની વચ્ચે એન્ટીગ્લેર ડિવાઇસ લગાવવામાં આવ્યા હતા. જોકે, આ ડિવાઇસ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે. આર.એન્ડ બી વિભાગ દ્વારા ખેડબ્રહ્માથી શરૂ કરીને ખેરોજ સુધીના સ્ટેટ હાઇવે પર એન્ટીગ્લેર ડિવાઇસ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી ખેરોજ સુધી પહોંચી છે. પરંતુ, આગિયા ગામ પાસે ડિવાઇડરની વચ્ચે લગાડેલા કેટલાક ડિવાઇસ તોડી નાખીને નીચે વાળી દેવામાં આવ્યા છે અને તેના પર વજન મૂકી દેવાયો છે, જેથી તે ફરીથી ઊભા ન થઈ શકે. આ સ્થિતિ ચિંતાજનક છે કારણ કે એક તરફ હજુ ડિવાઇસ લગાવવાનું કામ પૂરું થયું નથી, ત્યાં બીજી તરફ લગાડેલા ડિવાઇસ તૂટવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. આના કારણે કામગીરીની ગુણવત્તા અને તેની જાળવણી પર સવાલો ઉભા થયા છે.1