Shuru
Apke Nagar Ki App…
ગુજરાતનાં ગામડાઓ પણ કહી રહ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જરૂર છે.. આવનાર સમય માટે ઝા ડુ જ જોઈએ ગુજરાતનાં ગામડાઓ પણ કહી રહ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જરૂર છે..
દિવાકર બન્ના
ગુજરાતનાં ગામડાઓ પણ કહી રહ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જરૂર છે.. આવનાર સમય માટે ઝા ડુ જ જોઈએ ગુજરાતનાં ગામડાઓ પણ કહી રહ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જરૂર છે..
More news from ગુજરાત and nearby areas
- ગુજરાતનાં ગામડાઓ પણ કહી રહ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જરૂર છે..1
- વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પર આજે બપોરના સમયે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. વડાલીના જૂના પોલીસ સ્ટેશન નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ ડાલાએ આગળ જઈ રહેલા બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈક પર સવાર દંપતી ઘાયલ થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, મોટરસાયકલ (નંબર: GJ-09-CK-4577) પર પસાર થઈ રહેલા દંપતીને રાજસ્થાન પાસિંગના પીકઅપ ડાલા (નંબર: RJ-19-GJ-1244) ના ચાલકે અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર દંપતી રોડ પર પટકાયા હતા અને તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત દંપતીને ખાનગી વાહન દ્વારા તાત્કાલિક વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે, અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે બાઈકને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે. પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.1
- વિજાપુરમાં ઈદ-ઉલ-ફિત્ર શાંતિપૂર્ણ રીતે સંપન્ન: ખુશીઓ અને ભાઈચારાનો માહોલ રમઝાનના ૩૦ દિવસના રોઝા પૂરા થયા બાદ આજે શહેરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી ખુશીઓ, અમન-શાંતિ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થઈ ગઈ છે. ચાંદ ન દેખાતા ભારતમાં આ વર્ષે ઈદ ૨૧ માર્ચ શનિવારના રોજ મનાવવામાં આવી હતી. વિજાપુર સુન્નત જમાત મુસ્લિમ ઈદગાહ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ અનુસાર શાહી ઈદગાહમાં સવારે ૮ વાગ્યે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. જમાત સાથે જવા માટેની સવારી સુબ્હ ૭:૩૦ વાગ્યે રવાના થઈ હતી. હજારો મુસ્લિમ ભાઈ-બહેનો નવા કપડાં પહેરીને ઈદગાહ પહોંચ્યા હતા અને નમાઝ તથા ખુતબા બાદ એકબીજાને ગળે મળીને "ઈદ મુબારક"ની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે શાહી ઈદગાહના મુખ્ય ટ્રસ્ટી તલત મહેમુદ સૈયદે ઉપસ્થિત સમાજજનોને સંબોધન કર્યું હતું. તેમણે મુસ્લિમ સમાજ દ્વારા શરૂ થનારી નવી શાળાની માહિતી આપી હતી અને શિક્ષણના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે શિક્ષણ એ માત્ર જ્ઞાનનું માધ્યમ નથી, પરંતુ સમાજના વિકાસ, એકતા અને ભાઈચારાનું મજબૂત આધારસ્તંભ છે. આ નવી શાળા દ્વારા બાળકોને આધુનિક તેમજ ધાર્મિક શિક્ષણ આપવાનો ઉદ્દેશ્ય છે, જેથી નવી પેઢી સારા નાગરિક તરીકે તૈયાર થાય અને સમાજને આગળ વધારે. આ ઉજવણીમાં શહેરના મુસ્લિમ અને હિંદુ ભાઈઓએ પણ એકબીજાને મળીને ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ગળે મળવું, હાથ મિલાવવો અને ઘરે જઈને મીઠાઈઓ વહેંચવાની પરંપરાએ અંતરસમુદાયી ભાઈચારાને વધુ મજબૂત કર્યો છે. નમાઝ પછી લોકો પરિવાર સાથે સીવીયાં, શીરખુર્મા, બિરયાની જેવા વ્યંજનોનો આનંદ માણ્યો હતો. બાળકોને ઈદી આપવાની પરંપરા પણ ભરપૂર રીતે નિભાવવામાં આવી હતી. આ ઈદ પર વિજાપુરના મુસ્લિમ સમુદાયે ગરીબો અને જરૂરિયાતમંદોને ખાવાનું વહેંચીને ઉદારતા અને સેવાનો દાખલો બેસાડ્યો હતો. શહેરની ગલીઓમાં ખુશીઓની લહેર છવાઈ રહી હતી અને સમગ્ર વાતાવરણમાં શાંતિ, પ્રેમ તથા એકતાનો માહોલ રહ્યો હતો.1
- Post by Dr. Prince Parmar10
- Post by Nationgujarat.com1
- Post by Pooja patel1
- આ ગાડી નંબર પ્લેટ લગાવેલી ન હતી અને આ ગાડીએ ભાથીજીના મુવાડા પાસે બાઇક પર જતા અણિયોર કંપાના પ્રવિણભાઇ પટેલ નામના વ્યક્તિને પાછળથી ઠોકતાં પ્રવિણભાઇનું પ્રાણપંખેરુ ત્યાંજ ઉડી ગયું હતુંઆ ગાડી નંબર પ્લેટ લગાવેલી ન હતી અને આ ગાડીએ ભાથીજીના મુવાડા પાસે બાઇક પર જતા અણિયોર કંપાના પ્રવિણભાઇ પટેલ નામના વ્યક્તિને પાછળથી ઠોકતાં પ્રવિણભાઇનું પ્રાણપંખેરુ ત્યાંજ ઉડી ગયું હતું ગાડીનો ડ્રાઈવર ગાડી મૂકીને ભાગ્યો હતો પણ ગામ લોકોએ તેને પકડી પાડ્યો હતો. એને પૂછતા જણાવેલું કે હું મેઘરજનો છું અને ડ્રાઈવર તરીકે નોકરી કરું છું અને આ ગાડી બાયડની છે. અચરજ એ વાતનું થયું કે, થોડી વારમાં જ ત્યાં પોલીસ આવી ગઈ અને કોઈની કશું જ વાત સાંભળ્યા વગર બે જ મિનિટમાં આ નંબર પ્લેટ લગાવ્યા વગરની ગાડી લઈને માલપુર ભેગા થઈ ગયા હતા... સ્થળ પરના લોકોએ પોલીસને કહેલ કે ભોગ બનનાર વ્યક્તિ અહીં સ્થળ પર જ મૃત્યુ પામેલ હતો હવે જોવાનું રહ્યું મરણ પામનાર પરિવાર ને ન્યાય મળે છે કે નહીં તે જોવાનું રહ્યું. #highlightseveryonefollowers2025highlightseveryonefollowers2025 #accdan #news #NewsUpdate #comunityevent #arvallinews1
- અંબાજી હાઇવે પર એન્ટીગ્લેર તૂટ્યા, કામગીરી પર સવાલ રાત્રીના વાહન ચાલકોને લાઈટથી બચાવવા લગાડેલા ડિવાઇસ ક્ષતિગ્રસ્ત ખેડબ્રહ્માથી અંબાજી તરફ જતા હાઇવે પર આર એન્ડ બી વિભાગ દ્વારા રાત્રીના સમયે વાહનચાલકોને સામેથી આવતી ગાડીઓની લાઈટથી થતી અગવડતાથી બચાવવા માટે ડિવાઇડરની વચ્ચે એન્ટીગ્લેર ડિવાઇસ લગાવવામાં આવ્યા હતા. જોકે, આ ડિવાઇસ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે. આર.એન્ડ બી વિભાગ દ્વારા ખેડબ્રહ્માથી શરૂ કરીને ખેરોજ સુધીના સ્ટેટ હાઇવે પર એન્ટીગ્લેર ડિવાઇસ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી ખેરોજ સુધી પહોંચી છે. પરંતુ, આગિયા ગામ પાસે ડિવાઇડરની વચ્ચે લગાડેલા કેટલાક ડિવાઇસ તોડી નાખીને નીચે વાળી દેવામાં આવ્યા છે અને તેના પર વજન મૂકી દેવાયો છે, જેથી તે ફરીથી ઊભા ન થઈ શકે. આ સ્થિતિ ચિંતાજનક છે કારણ કે એક તરફ હજુ ડિવાઇસ લગાવવાનું કામ પૂરું થયું નથી, ત્યાં બીજી તરફ લગાડેલા ડિવાઇસ તૂટવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. આના કારણે કામગીરીની ગુણવત્તા અને તેની જાળવણી પર સવાલો ઉભા થયા છે.1