મહીસાગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા, ગુજરાત)ના પ્રમુખ રાકેશભાઈ પંડ્યા (નંદન)ની આગેવાનીમાં લુણાવાડામાં ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, 500થી વધુ ભક્તોની ઉપસ્થિતિ.. લુણાવાડા, તા. 20એપ્રિલ 2026 મહીસાગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા, ગુજરાત)ના પ્રમુખ રાકેશભાઈ પંડ્યા (નંદન)ની આગેવાનીમાં લુણાવાડા ખાતે ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સાંજે 5:00 વાગ્યે ભગવાન પરશુરામ ચોક ખાતે પૂજા અને 51 દીવડાઓ સાથે ભવ્ય આરતી કરીને કરવામાં આવ્યો, ત્યારબાદ પ્રસાદીનું વિતરણ થયું. આ પ્રસંગે મહીસાગર જિલ્લા તેમજ લુણાવાડા નગરના વડીલો, બહેનો અને યુવાનોના વિશાળ જોડાણ સાથે શોભાયાત્રા ભવ્ય રીતે નીકળી. આશરે 500થી વધુ ભૂદેવો અને માતાઓની ઉપસ્થિતિએ યાત્રાને વિશેષ ભવ્યતા આપી. યાત્રાનો માહોલ એટલો ઉલ્લાસભર્યો રહ્યો કે નગરમાં નીકળતી પરંપરાગત રામજીની શોભાયાત્રાની યાદ તાજી થઈ ગઈ. શોભાયાત્રામાં અનેક આગેવાનો અને મહાનુભાવોએ હાજરી આપી, જેમાં પૂર્વ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ સેવક, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ શ્રી સમીરભાઈ મહેતા, ભાગવત કથાકાર શ્રી સતીશભાઈ સેવક, ડો. વસંતભાઈ જોશી, ઋષિરાજ પંડ્યા, અનિલભાઈ પંડ્યા, જગદીશભાઈ ત્રિવેદી સહિત અનેક સામાજિક આગેવાનો અને મહિલા પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ આપ્યું. લગભગ બે કલાક સુધી ચાલેલી આ શોભાયાત્રા શંભુદેવ મહાદેવ મંદિર સુધી પહોંચી, જ્યાં આરતી ઉતારી બાદ સૌએ પ્રસાદી સ્વીકારી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુવા ટીમે વિશેષ મહેનત કરી હતી, જેને કારણે આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું. કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ દાતાઓ, સેવાભાવી મિત્રો તેમજ વિવિધ વ્યવસ્થામાં સહભાગી બનેલા વ્યક્તિઓનો આયોજક મંડળ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) મહીસાગર જિલ્લા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
મહીસાગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા, ગુજરાત)ના પ્રમુખ રાકેશભાઈ પંડ્યા (નંદન)ની આગેવાનીમાં લુણાવાડામાં ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, 500થી વધુ ભક્તોની ઉપસ્થિતિ.. લુણાવાડા, તા. 20એપ્રિલ 2026 મહીસાગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા, ગુજરાત)ના પ્રમુખ રાકેશભાઈ પંડ્યા (નંદન)ની આગેવાનીમાં લુણાવાડા ખાતે ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સાંજે 5:00 વાગ્યે ભગવાન પરશુરામ ચોક ખાતે પૂજા અને 51 દીવડાઓ સાથે ભવ્ય આરતી કરીને કરવામાં આવ્યો, ત્યારબાદ પ્રસાદીનું વિતરણ થયું. આ પ્રસંગે મહીસાગર જિલ્લા તેમજ લુણાવાડા નગરના વડીલો, બહેનો અને યુવાનોના વિશાળ જોડાણ સાથે શોભાયાત્રા ભવ્ય રીતે નીકળી. આશરે 500થી વધુ ભૂદેવો અને માતાઓની ઉપસ્થિતિએ યાત્રાને વિશેષ ભવ્યતા આપી. યાત્રાનો માહોલ એટલો ઉલ્લાસભર્યો રહ્યો કે નગરમાં નીકળતી પરંપરાગત રામજીની શોભાયાત્રાની યાદ તાજી થઈ ગઈ. શોભાયાત્રામાં અનેક આગેવાનો અને મહાનુભાવોએ હાજરી આપી, જેમાં પૂર્વ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ સેવક, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ શ્રી સમીરભાઈ મહેતા, ભાગવત કથાકાર શ્રી સતીશભાઈ સેવક, ડો. વસંતભાઈ જોશી, ઋષિરાજ પંડ્યા, અનિલભાઈ પંડ્યા, જગદીશભાઈ ત્રિવેદી સહિત અનેક સામાજિક આગેવાનો અને મહિલા પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ આપ્યું. લગભગ બે કલાક સુધી ચાલેલી આ શોભાયાત્રા શંભુદેવ મહાદેવ મંદિર સુધી પહોંચી, જ્યાં આરતી ઉતારી બાદ સૌએ પ્રસાદી સ્વીકારી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુવા ટીમે વિશેષ મહેનત કરી હતી, જેને કારણે આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું. કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ દાતાઓ, સેવાભાવી મિત્રો તેમજ વિવિધ વ્યવસ્થામાં સહભાગી બનેલા વ્યક્તિઓનો આયોજક મંડળ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) મહીસાગર જિલ્લા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
- મોદી સાહેબની કલ્યાણ કારી યોજનાઓ કારણે પરીવારને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લાભો આપતી ભાજપ સરકાર ત્યારે લાભાર્થીઓ પોતે મોદી સાહેબના આભાર માન્યો હતો1
- ઝાલોદ નગરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ સવારે 10 કલાકે આપેલ માહિતી અનુસાર રામદ્વારા મંદિર ખાતે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશનના આયોજન હેઠળ આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ વર્ષે પ્રથમ વખત કાર્યક્રમ રામદ્વારા મંદિરના પરિસરમાં યોજાયો હતો. અગાઉ આ ઉજવણી સોમનાથ મહાદેવ મંદિરે યોજાતી હતી, પરંતુ મંદિરના નવીનીકરણ અને ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપનાના હેતુસર સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સમાજના લોકો મંદિર સાથે વધુ જોડાઈ શકે તેવો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન પરશુરામની પૂજા, અર્ચના અને આરતી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે માનવામાં આવે છે અને તેમના જીવનમાંથી શૌર્ય, સંસ્કાર અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે. ઝાલોદ નગર રાજસ્થાનની સીમા પર આવેલું હોવાથી ગુજરાત અને રાજસ્થાનના બ્રાહ્મણ સમાજ વચ્ચે એકતા વધારવા માટે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશન કાર્યરત છે. આ પ્રસંગે બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં એકતા અને સંગઠનની ભાવના મજબૂત બનાવી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ, ઉત્થાન અને સમરસતા જાળવવા અંગે ચર્ચાઓ યોજાઈ હતી. વિપ્ર ફાઉન્ડેશનના આગેવાનો દ્વારા વર્ષ દરમિયાન થયેલા કાર્યોનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં સમાજને વધુ સશક્ત બનાવવા માટેના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના ઉત્તમ પરિણામોથી સમાજનું ગૌરવ વધાર્યું છે અને અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. અંતે તમામ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાથે જ સમાજના નિધન પામેલા સભ્યોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી સીમિત રહી નથી, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર અને વિકાસના સંકલ્પને મજબૂત બનાવતી પ્રેરણાદાયી પહેલ બની છે.1
- Post by Eagle.479991
- કાલોલ મા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી, મહા આરતી યોજાઈ અક્ષય તૃતિયા અને બ્રાહ્મણોના પૂર્વજ, ભૃગુશ્રેષ્ઠ અને ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મદિવસ. પરશુરામ કે જે ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય છે, અને તે અમર છે. ભગવાન પરશુરામ જયંતિ વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે છે. આ દિવસે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ પણ ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. આજે પણ ભારતભરમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.શનિવારના રોજ સાંજે ઘોડા ગામના ગણેશ ભજન મંડળ દ્વારા ભજન સંતસંગ યોજાયું હતુ કાલોલ નગરમા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ ના જન્મોત્સવ નિમિત્તે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે થી પાંચમાં વર્ષેમાં પ્રવેશ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમા પરશુરામ યુવા સંગઠન ના યુવાનો તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ ના આગેવાનો, વડીલો, યુવાનો, માતા, બહેનો પરંપરાગત વસ્ત્રો મા હાજર રહ્યા હતા. શોભાયાત્રા કાલોલ નગરમાં ફરી ને પુનઃ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પરત આવી હતી.શોભાયાત્રા બાદ મહા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બ્રહ્મ ભોજન નું આયોજન કરાયું હતુ.3
- ગની મોટી ફરિયાડો કરી ત્યાર પછી સફાઈ નુ કામ ચાલુ કરયુ પણ મનસો ને કે સાધનો આપવમા આવેલા નતા. ખરેખર ભ્રષ્ટાચાર નૂ પ્રમાન વધી ગયો છે1
- હાલોલ નગર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ વિભાગ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ.. મિત્રો આવી તમામ લેટેસ્ટ ખબરોના વિડિઓ જોવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો અને આપના મિત્રોને પણ ફોલો કરાવજો.. આ વીડિયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી1
- હાલોલ નગર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ વિભાગ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ.. મિત્રો આવી તમામ લેટેસ્ટ ખબરોના વિડિઓ જોવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો અને આપના મિત્રોને પણ ફોલો કરાવજો.. આ વીડિયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી1
- દાહોદના ફતેપુરામાં માર્ગ અકસ્માત:112 જનરક્ષક ટીમની તાત્કાલિક કામગીરીથી ઈજાગ્રસ્તોને મળી સમયસર સારવાર આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ સવારે 11 કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં ફરી એક વખત માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ફતેપુરા તાલુકાના કુમારના મુવાડા ગામ નજીક હાઈવે પર બે બાઈક વચ્ચે સામસામે અથડામણ થતા બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ આજે સવારે અંદાજે 10 વાગ્યે અજાણ્યા વ્યક્તિ દ્વારા 112 ઇમરજન્સી સેવા પર કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ સુખસર પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક પીસીઆર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટના સ્થળે પહોંચ્યા બાદ ટીમે રોડની બાજુમાં પડેલા ઈજાગ્રસ્તોને સલામત રીતે બહાર કાઢ્યા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ફતેપુરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અને ઇમરજન્સી સેવાઓની ઝડપી કામગીરીને કારણે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી શકી છે. આ સમગ્ર ઘટનામાં 112 જનરક્ષક ટીમની સતર્કતા અને માનવતાપૂર્ણ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.1