Shuru
Apke Nagar Ki App…
इन्डोनेशीया भुकंप।
રજની ભાઈ પરીખ
इन्डोनेशीया भुकंप।
More news from ગુજરાત and nearby areas
- ईरानजंग ताज़ा खबर।1
- જય દ્વારકાધીશ દ્વારકાધીશના મંદિર ઉપર સુદર્શન ચક્ર જેવા દર્શન થયાઠ ભગવાનના ચમત્કાર. જય દ્વારકાધીશ5
- અમરેલી ભાજપ ના પાયા ના કાર્યકર એવા અશોક માંગરોળીયા કાર્યકરોસાથે જોડાયા આમ એડમીપાર્ટી માં1
- બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ.આઈ મન્સૂરી સાહેબ તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબનાઓની દેખરેખ હેઠળ બોટાદ પી.બી.એસ.સી સેન્ટર કાર્યરત છે. મહિલા સુરક્ષા જેમની અગ્રતા રહી છે તથા મહિલા અને પારિવારિક એવી અનેક પ્રકારની ઘટનાઓના સમસ્યા નિરાકરણ પી.બી.એસ.સી સેન્ટર એક નિમિત્ત બન્યું છે. પી.બી.એસ.સી સેન્ટર દ્વારા નિરાકરણ આવતી તમામ ઘટનાઓ અને કિસ્સાઓ લોકોની જાગૃતિ અને અગમચેતીના ઉદ્દેશ્યથી સમાચારપપત્રોમાં પ્રકાશિત કરવામાં આવે છે. સમાચારપત્રોમાં પ્રકાશિત થતી પી.બી.એસ.સી સેન્ટરની સારી કામગીરી માંથી પ્રેરણા લઈને એક પરિવારની સમસ્યા નિકાલનો એક કિસ્સો બનવા પામેલ હતો. ઘટનાની વિગતે વાત કરીએ તો પી.બી.એસ.સી સેન્ટર પર દિયર-ભાભી સાથે આવીને રડતા રડતા પોતાની આપવીતી જણાવે છે, ઘટના એટલી ગંભીર જણાતી હતી કે સેન્ટર દ્વારા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ ભૂપતભાઈ વાલાણીની મદદ લેવી પડે છે જેથી પુરુષ પોતાની વાત ખુલ્લા મને કહી શકે. કાઉન્સેલર રીના બેન વ્યાસ અને રિંકલ બેન મકવાણા દ્વારા તેમની સમગ્ર વિગતો ધ્યાનપૂર્વક સાંભળી તેમણે માનસિક સાંત્વના આપવામાં આવે છે, આગળ તેઓ જણાવે છે કે તેમની પત્ની તેમના એકના એક દીકરાને સાથે લઈ ત્રીજી વાર તેમનાજ કુટુંબી મોટા ભાઇ સાથે પ્રેમ સબંધના કારણે નાસી ગયેલ છે. અગાઉ પણ આ ઘટના બે વાર પુનરાવર્તિત થઇ ચુકી હતી પણ છેલ્લે તેઓ પોતાની પાસે રહેલ મૂડી ખત્મ થઇ જતા પરત આવી ગયેલ હતા. છેલ્લા કિસ્સામાં પોતાના બાળકનું ભવિષ્ય નજર સમક્ષ રાખી વડીલોની સમજાવટથી એક પ્રકારની થયેલ ભૂલ સમજી પત્નીને સ્વીકારી લીધી હતી, આ સમગ્ર કિસ્સાની વિચિત્રતા જોઈએ તો પોતાની પોતાની સાથે લઇ જનાર કૌટુંબિક ભાઈને પણ પત્ની અને બે સંતાન છે છતાય સમાજને ખરાબ સંદેશ અપાય તેવા પ્રકારની ઘટના આ ત્રીજી વાર બની હતી. પુરુષ પોતે હજુ પણ પત્નીને પાછા લાવવા માંગતા હોવાથી સમાચારપત્રોમાં અવારનવાર પ્રકાશિત થયેલ પી.બી.એસ.સીની કામગીરીથી પ્રેરાઈને એકવાર ભરોશો મુક્યો હતો. કાઉન્સેલર દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ તેમના પત્નીનો સંપર્ક સ્થાનિક લોકો અને સગા વ્હાલાની મદદથી કર્યો હતો. સૌ પ્રથમ તેમના પત્નીનો ટેલીફોનીક સંપર્ક કરીને તેમણે ફોનથી કાઉન્સેલિંગ કરી સમજાવ્યા હતા. ભાઈના પત્નીએ પોતાનો પક્ષ જણાવતા કહ્યું હતું કે - તેઓ પોતે કુટુંબમાં પાછા આવવા માંગે છે પણ તેમનો અને તેમના સંતાનનો કુટુંબ દ્વારા સ્વીકાર થશે કે કેમ એ વાતથી ડરીને તેઓ ખુબ જ ડર મહેસુસ કરતા હતા. પી.બી.એસ.સી દ્વારા તેઓની સુરક્ષાની બાંહેધરી આપતા તેઓ બે દિવસ બાદ તેમના પુત્ર સાથે હાજર થયા હતા, અને તેઓએ જણાવેલ કે સામે પક્ષ વાળા સાથે મૈત્રી કરાર કરી લીધેલ હોવાથી આ બાબતને હથિયાર બનાવી તેઓ પોતાની પાસે જ રાખવા માટે દબાણ કરતા હતા. આગળ જતા આવા કોઈ જ પ્રકારના મૈત્રી કરારનું અસ્તિત્વ નહોતું તેવી વિગત તેમના જ પરિવારના સભ્યો પાસેથી મળેલ હતી. સદર કિસ્સામાં નાસી ગયેલ બંને સ્ત્રી પુરુષ પરિણીત હોય જેથી બંને કુટુંબોના હિતો તથા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઇ કાયદાકીય માર્ગદર્શન આપેલ હતું અને આદર્શ કુટુંબના મુલ્યો વિશે સમજ આપી હતી. હાલમાં બંને સ્ત્રી અને પુરુષ ભૂતકાળ ભૂલીને પોતાના ઘરમાં બાળકો અને જીવનસાથી સાથે કોઇપણ પ્રકારની અડચણ વિના સુખદ રીતે દામ્પત્યજીવન જીવી રહ્યા છે. સેન્ટર દ્વારા સતત આઠ દિવસ સુધીના રોજે-રોજના ટેલીફોનીક મૂલ્યાંકનમાં બંને પક્ષો શાંતિથી જીવન ગુજારે છે તેવું જાણવા મળેલ છે જે એક સિદ્ધિ સમાન ગણી શકાય, *આમ પી.બી.એસ.સી સેન્ટર દ્વારા દરેક કેસોનું કરવામાં આવતું સમસ્યા-સમાધાન સ્થાનિક અને જાણીતા સમાચારપત્રોમાં પ્રકાશિત કરવામાં આવતું હોવાથી, કામગીરીથી અભિભૂત થઈને આ અરજદાર દ્વારા મુકવામાં આવેલો વિશ્વાસ પી.બી.એસ.સી સેન્ટર દ્વારા સાર્થક કરી બતાવ્યો છે.* પી.બી.એસ.સી સેન્ટરનો બેઉ કુટુંબના દામ્પત્યજીવન તૂટતા બચાવવા બાબતે બંને પક્ષો દ્વારા દિલથી આભાર વ્યક્ત કરેલ હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- સેન્સ પ્રક્રિયા સ્થળ પર મોટી સંખ્યામા ચૂટણી લડવા ઈચ્છુક કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો.. જો પક્ષ દ્વારા ત્રણ વર્ષ થી ચૂટણી લડેલા તેમજ ૬૦ વર્ષ ની ઉંમરની મર્યાદા મુકાય તો અનેક નેતાઓના પત્તાં કપાય તેવી સંભાવના..1
- *ધંધુકા રામ ટેકરીમાં ગુંજ્યો “જય શ્રી રામ” નો નાદ — શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહની ભવ્ય પૂર્ણાહુતી.* ધંધુકા રામ ટેકરીના પ .પુ મહંત 1008 દેવનારાયણદાસજી મહારાજ દ્વારા શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહ ભવ્ય ઉજવાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પવિત્ર ધાર્મિક સ્થલ શ્રી રામ ટેકરી મંદિર ખાતે યોજાયેલ શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહનો આજે ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે પૂર્ણાહુતી મહોત્સવ ઉજવાયો હતો. નવ દિવસ સુધી ચાલેલા આ યજ્ઞ દરમિયાન સમગ્ર વિસ્તાર ભક્તિરસમાં તરબોળ બની ગયો હતો અને “જય શ્રી રામ”ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. પ્રખર કથાવક્તા દ્વારા ભાવભીની કથા માં આ પવિત્ર યજ્ઞમાં પ.પૂ. ૧૦૦૮ શ્રી નરેશભાઈ પંડ્યા જસાપર હાલ ભાવનગર દ્વારા શ્રી રામચરિત્રના અમૂલ્ય પ્રસંગોનું હૃદયસ્પર્શી વર્ણન કરવામાં આવ્યું હતું. દરેક પ્રસંગ દરમિયાન પંડાલમાં ઉપસ્થિત ભક્તો ભક્તિમાં લીન થઈ જતા અને વારંવાર “જય શ્રી રામ”ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠતું હતું. દરરોજ બપોરે યોજાતા મહાપ્રસાદ લેવામાં આવ્યો હતો. આજે યોજાયેલી પૂર્ણાહુતી વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પૂજન, હવન અને આરતી સાથે સમગ્ર યજ્ઞને ભવ્ય રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટ, સેવાભાવી ભાઈઓ અને ગામજનોનો વિશેષ સહકાર રહ્યો હતો.1
- सुरत के उधना मे अस्पताल मेडिकल स्टोर भी सुरक्षित नहीं है वायरल सीसीटीवी... उधना के सनराइज अस्पताल के सीसीटीवी फुटेज में एक अज्ञात व्यक्ति को सनराइज अस्पताल के राज मेडिकल स्टोर से इंजेक्शन चुराकर भागते हुए दिखाया गया है। उधना पुलिस ने इस पूरे मामले की जांच शुरू कर दी है।1
- जरुरी जिनकिरी।1