Shuru
Apke Nagar Ki App…
મધુવન ગીફ્ટ કેશોદ
More news from ગુજરાત and nearby areas
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લાના ધોરાજી જુનાગઢ રોડ પર અકસ્માત ની ઘટના નાં સી સી ટીવી આવ્યા સામે ધોરાજી નાં જુનાગઢ રોડ રીલાયન્સ મોલ પાસે દુધ ભરેલ વાહને મોટરસાયકલ ને હડફેટે લીધા ની ઘટના બની હતી આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણ વ્યક્તિઓ નેં ઈજા પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સ નેં જાણ કરવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ત્રણેય ઇજાગ્રસ્તો ને ધોરાજી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા ધોરાજી માં મોટા વાહનો બેફામ રીતે ચલાવતા હોય છે અને નાના વાહન ચાલકો અને રાહદારીઓ નેં ભોગ બનવું પડે છે2
- કાલાવડ ડબલ મર્ડર કેસમાં 19 વર્ષથી ફરાર આરોપીને LCBએ હરિયાણાથી ઝડપી પડ્યો... *રિપોર્ટર : શીરાજ સર્વદી (કાલાવડ)* મો. 96382969861
- જાફરાબાદના બાલાનીવાવ ગામના સ્વ.ધીરુભાઈ બદરૂભાઈ વરુના સુપુત્ર વરરાજા રવિરાજભાઈ વરૂ અશ્વ અને ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા ગામે પહોંચ્યાં...... બાબરીવાડના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામમાં વર્ષો જૂની પરંપરા જળવાઈ રહી છે. અહીં આ ગામનાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાન દ્વારા લગ્ન પ્રસંગે પરંપરા જાળવી રાખી હતી. બાલાનીવાવ ગામ થી ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામ સુધી વરરાજા રવિરાજભાઈ વરૂ પોતાના મલંગ નામના અશ્વ ઉપર સવારી કરી અને ભવ્ય ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રની અશ્વ સંસ્કૃતિની ભવ્ય દર્શન થયું હતું. વરરાજા રવિરાજભાઈ વરૂ રજવાડી પોશાક સાથે અશ્વ પર સવાર થઈ ગાડીઓના કાફલા સાથે પરંપરા અને વારસાની જીવન ઝલક જોવા મળી હતી. બાબરીયા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું હતું. અને આ અશ્વ પ્રદશન નિહાળવા માટે લોકો જોવાં ઊમટી પડ્યા હતાં.1
- જાફરાબાદ તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. જાફરાબાદ ના મીતીયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞન ની પોથીયાત્રા મિતયાળા ગામ થી વાજતે ગાજતે તપોવન ટેકરી ખાતે કથા મંડપ માં લાવવામાં આવી અસંખ્ય ભગતો પોથીયાત્રા માં જોડાયા. કથાના વક્તા શ્રી શાસ્ત્રી નિલકંઠભાઇ પી. વડીયા (ખાખબાઇ વાળા) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તપોવન ટેકરી તપસી આશ્રમ ખાતે દર વર્ષે ચૈત્ર રામકથા, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત નું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે તપસ્વી આશ્રમ ના મહંત શ્રી ૧૦૦૮ રાઘવદાસજી મહારાજ ( તપસ્વી બાપુ) દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક કાર્યો હાલ પણ તેમના સ્વયંસેવકો દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે અહીં તપોવન ટેકરી ખાતે દર મહિને સર્વજન હિતાય સર્વજન સુખાયની ઉમદા ભાવનાથી નેત્રયજ્ઞો, રક્તદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ તથા નિ શુલ્ક ચશ્મા વિતરણ ના કેમ્પો વારંવાર થતા રહે છે. અને વર્ષમાં બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામ ધુન, સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમો નું આયોજન કરેલ છે. કથાના પ્રારંભે સમુહ રાષ્ટ્ર ગીત નું આયોજન કરેલ. તેમજ કથા મંડપની અંદર નવે નવ દિવસ ગાય માતા સાનીધ્ય રહેશે અને નવે નવ દિવસ કથા દરમિયાન પુજા, સેવા નું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ શિવ મહાપુરાણ દરમિયાન સતીજીનુ પ્રાગટ્ય, પાર્વતીજી નું પ્રાગટ્ય, શ્રી શિવ વિવાહ, શ્રી ગણપતિજી પ્રાગટ્ય, શ્રી કાર્તિકસ્વામી પ્રાગટ્ય, શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, શ્રી શિવજી ના વિવિધ અવતારો ની કથા તેમજ શ્રી સુંદરકાંડ પાઠ તેમજ લોક ડાયરો નું આયોજન કરવામાં આવેલ. રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ10
- વિછીયા નાં લાલાવદર સીમમાં થી વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ જસદણ પંથકમાં વાયર અને ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધી હતી ગઢડા માંથી એલ્યુમિનિયમ વાયરને ચોરી કરી અને કબુલાત આપી હતી3. 28 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો લાલા દર સીમ માથી ચાર શખ્સે ને ઝડપી લીધા હતા1
- Post by Sultan Shaikh1
- જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાખવા ગામે એક ખેતરમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં આવી એક વ્યક્તિ ગંભીર રીતે સળગી જતાં તેનું મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આગ ઝડપથી ફેલાતા તેની જ્વાળા આજુબાજુ આવેલા કેટલાક મકાનો સુધી પણ પહોંચતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના બનતા જ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફાયર વિભાગ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા અને તપાસ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ5
- Post by Gadhadara Ankit1
- Post by Talo Baske1