Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુરમાં જંગલ જમીનના પ્રશ્ને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત, 20 વર્ષથી પેન્ડિંગ દાવાઓના નિકાલની માંગ છોટાઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના વર્ષોથી પડતર પ્રશ્નોને લઈને લોક સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્ષ 1980ની મર્યાદામાં મળેલી જંગલ જમીનના 7/12માં નકશા નોંધ, વર્ષ 2005-06ના વન અધિકાર અધિનિયમ હેઠળ મળેલી જમીનનો કબજો અને છેલ્લા અંદાજે 20 વર્ષથી પેન્ડિંગ વન અધિકારની ફાઈલોનો નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. #ChhotaUdepur #ChhotaudepurNews #ForestLand #VanAdhikar #Khedut #GujaratNews #EkrantiNews #ગુજરાતસમાચાર #છોટાઉદેપુર
E Kranti News
છોટાઉદેપુરમાં જંગલ જમીનના પ્રશ્ને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત, 20 વર્ષથી પેન્ડિંગ દાવાઓના નિકાલની માંગ છોટાઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના વર્ષોથી પડતર પ્રશ્નોને લઈને લોક સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્ષ 1980ની મર્યાદામાં મળેલી જંગલ જમીનના 7/12માં નકશા નોંધ, વર્ષ 2005-06ના વન અધિકાર અધિનિયમ હેઠળ મળેલી જમીનનો કબજો અને છેલ્લા અંદાજે 20 વર્ષથી પેન્ડિંગ વન અધિકારની ફાઈલોનો નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. #ChhotaUdepur #ChhotaudepurNews #ForestLand #VanAdhikar #Khedut #GujaratNews #EkrantiNews #ગુજરાતસમાચાર #છોટાઉદેપુર
More news from ગુજરાત and nearby areas
- છોટાઉદેપુરમાં જંગલ જમીનના પ્રશ્ને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત, 20 વર્ષથી પેન્ડિંગ દાવાઓના નિકાલની માંગ છોટાઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના વર્ષોથી પડતર પ્રશ્નોને લઈને લોક સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્ષ 1980ની મર્યાદામાં મળેલી જંગલ જમીનના 7/12માં નકશા નોંધ, વર્ષ 2005-06ના વન અધિકાર અધિનિયમ હેઠળ મળેલી જમીનનો કબજો અને છેલ્લા અંદાજે 20 વર્ષથી પેન્ડિંગ વન અધિકારની ફાઈલોનો નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. #ChhotaUdepur #ChhotaudepurNews #ForestLand #VanAdhikar #Khedut #GujaratNews #EkrantiNews #ગુજરાતસમાચાર #છોટાઉદેપુર1
- હાઈ વોલ્ટેજનો કહેર! બોડેલીના વાંટડા ગામે 35થી 40 ઘરોના વીજ ઉપકરણો બળી ગયા બોડેલી: તાલુકાના વાંટડા ગામે 25 ઓગસ્ટની રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે અચાનક હાઈ વોલ્ટેજ આવતા ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. હાઈ વોલ્ટેજના કારણે ગામના અંદાજે 35થી 40 જેટલા ઘરોમાં પંખા, ટીવી, ફ્રિજ, બલ્બ સહિતના અનેક વીજ ઉપકરણો બળી ગયા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે અચાનક વીજ વોલ્ટેજ વધી જતાં ઘરોમાં પંખા પૂરપાટ ફરવા લાગ્યા હતા અને લાઈટો વારંવાર ચાલુ-બંધ થવા લાગી હતી. ઘટનાથી ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થિતિ સામાન્ય થયા બાદ ઘરોમાં તપાસ કરતાં અનેક વીજ ઉપકરણો બળી ગયેલા જોવા મળ્યા હતા. હાઈ વોલ્ટેજના કારણે આશરે 35થી 40 ઘરોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો ગ્રામજનોનો દાવો છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં વીજ વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં વીજ પુરવઠાને લગતી સમસ્યાઓ વારંવાર સર્જાય છે. વીજ વિભાગને અગાઉ પણ જાણ કરવામાં આવી હોવા છતાં ફરિયાદો પ્રત્યે સમયસર ગંભીરતા દાખવવામાં આવતી નથી અને કર્મચારીઓ મોડા પહોંચતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે ગ્રામજનોએ વીજ વિભાગ પાસે સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. તેમજ હાઈ વોલ્ટેજના કારણે બળી ગયેલા વીજ ઉપકરણોનું સર્વે કરાવી થયેલા નુકસાન અંગે યોગ્ય વળતર આપવાની પણ માંગ ઉઠી છે. નોંધ: હાઈ વોલ્ટેજનું ચોક્કસ કારણ અને નુકસાનની સત્તાવાર પુષ્ટિ વીજ વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.1
- good morning sir BHIl Vishnubhai Kalidas भील विष्णुभाई कालिदास hii1
- હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મ દીન એટલે ઈદે મિલાદુન્નબીની ઉજવણી આજે બુધવારના રોજ હાલોલ નગર ખાતે ભારે ધાર્મિક વાતાવરણમા આનંદ ઉત્સાહથી કરવામા આવી હતી.હાલોલ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરના વિવિધ વિસ્તારોને રંગારંગ રોશની કરી ઝગમગતું કર્યું હતું.અને નગરની વિવિધ મસ્જિદોમાં ૧૧ દિવસ સુધી મહેફિલે મિલાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જ્યારે આજે બુધવાર ના રોજ ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ હાલોલ નગરના મુસ્લીમોમાં ભારે ઉત્સાહ સાથે બિરાદરો અને બાળકોએ અવનવા પોશાક પેહરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.જ્યારે આ ઉજવણી ને લઇ હાલોલ નગરના લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતેથી ભવ્ય જુલૂસ નીકળ્યું હતું.જે નગરના કસ્બા હુસેની ચોક,રહીમ કોલોની,ખોખર ફળીયા, કરીમ કોલોની,૧૦૧ કોલોની,૫૧ કોલોની,કોથીફલિયા,બાદશાહ બાબાની દરગાહ,પાવાગઢ રોડ,મહમદ સ્ટ્રીટ,કુંભાર વાળા,મોઘાવાલા,ઘોડાપીરની દરગાહ,બોમ્બે હાઉસ થઇ પરત લીમડી ફળિયા ખાતે પહોચ્યું હતું અને સલાતો સલામ બાદ નિયાઝ લંગર તકસીમ કરવામાં આવ્યું હતું.જ્યારે ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ નગરમાં ઠેર ઠેર પાણી તેમજ દૂધ કોલ્ડ્રિંક તેમજ વિવિધ ખાણીપીણી ની છબિલો લાગી હતી અને આવનારા તમામ લોકોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક માહોલમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.1
- દાહોદ જિલ્લાના અંતેલા PHC ખાતે પરિવાર નિયોજન સેવાઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે સંયુક્ત મુલાકાત અને સમીક્ષા કરાઈ દાહોદ જિલ્લાના અંતેલા PHC ખાતે પરિવાર નિયોજન સેવાઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે સંયુક્ત મુલાકાત અને સમીક્ષા કરાઈ આજે તારીખ 27/08/2026 ગુરુવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત રાજ્ય NHMના પરિવાર નિયોજન સલાહકાર ડૉ. દેવેશ ત્રિપાઠીએ PSI ઇન્ડિયાની ટીમ સાથે અંતેલા PHCની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પરિવાર નિયોજનને લગતા રેકોર્ડ, લાભાર્થીઓને આપવામાં આવતી કાઉન્સેલિંગ સેવા, જરૂરી સાધનો અને સામગ્રીની ઉપલબ્ધતા તેમજ આરોગ્ય કેન્દ્રની સેવા માટેની સજ્જતા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મળેલા નિરીક્ષણ અને માહિતીના આધારે આરોગ્ય કેન્દ્રના સ્ટાફને પરિવાર નિયોજન સેવાઓની ગુણવત્તામાં વધુ સુધારો લાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દાહોદની SDH ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે પરિવાર નિયોજન સેવાઓ અંગે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પરિવાર નિયોજન સેવાઓને વધુ વિસ્તૃત બનાવવા અને લોકોને ગુણવત્તાયુક્ત સેવાઓ સમયસર મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરિવાર નિયોજન સેવાઓને વધુ મજબૂત બનાવી આરોગ્ય કેન્દ્ર કક્ષાએ યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે આ મુલાકાત અને સમીક્ષા બેઠક યોજાઈ હતી.1
- જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેકશન કરાયુ. તેમજ લોકદરબાર યોજાયો લોકો સાથે સીધો સંવાદ. જિલ્લા પોલીસ અધિક્ષક ડો હરીશ દુધાત દ્વારા આજ રોજ કાલોલ પોલીસ સ્ટેશન નું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર તેમજ પીઆઈ આર ડી ભરવાડ અને પીએસઆઈ એમ આર મોહનીયા તથા પીએસઆઇ એસ આર મકવાણા હાજર રહ્યા હતા .જિલ્લા પોલીસ અધિક્ષકને પી આઈ આર ડી ભરવાડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતુ ત્યાર બાદ પોલીસ સ્ટાફ દ્વારા પરેડ કરવામા આવી હતી જેનુ પોલીસ અધિક્ષક દ્વારા નિરીક્ષણ કરવામા આવ્યુ હતું ત્યારબાદ પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઈન્સપેકસન કરવામા આવ્યુ હતુ. જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામ પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય અને ગણવેશ નું નિરીક્ષણ કરવામા આવ્યુ હતુ અને તમામ રેકર્ડ ની ચકાસણી કરી જરૂરી સૂચનાઓ આપી હતી.ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાલોલ નાયબ પોલીસ અધિક્ષક નવિન આહિર, એલસીબી પીઆઈ, કાલોલ પીઆઈ આર.ડી. ભરવાડ અને પીએસઆઇ આર એમ મોહનીયા, પીએસઆઇ એસ.આર.મકવાણા સહિત પોલીસ કર્મચારીઓ તેમજ કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ સહિત આજુબાજુ ગામના સરપંચ અને તાલુકા તેમજ કાલોલ શહેરના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઇ દુધાતે જણાવ્યું કે કાલોલ સાયબર ક્રાઈમથી સાવધ રહેવા, ડી.જે.ના ઉપયોગમાં સરકારી ગાઈડલાઈન અનુસરવા અને ગેરકાયદેસર નાણાં ધિરાણ કરતા ઈસમો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધાવવા, બહાર ગામ જતા સમયે કિંમતી ઘરેણાં ઘરમાં ના રાખવા તેમજ પ્રધાનમંત્રી વીમા યોજના, અટલ પેન્શન યોજના નો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો હતો જ્યાં આ લોક સંવાદ સેતુમાં કાલોલ વિસ્તારના બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં નાગરિકોએ કાલોલ ભાથીજી મંદિર પાસેના દબાણો, પોલીસ મહેકમ વધારવા, પકડાયેલા ભંગાર વાહનો,આઉટ પોસ્ટ ની સંખ્યા વધારવા જેવા પ્રશ્નો પૂછ્યા હતા પોલીસ-પ્રજા વચ્ચે સીધો સંવાદ સ્થપાયો હતો.4
- ફતેપુરા તાલુકાના એક ગામમાં કરિયાણાની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરતાં સગીર વયનાં બાળકો CCTV કેમેરામાં કેદ યાસીનભાભોર-FATEPURA LIVE MO.9825257995-9924257995 ફતેપુરા તાલુકાના એક ગામમાં કરિયાણા ની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરતાં સગીર વયનાં બાળકો CCTV કેમેરામાં કેદ,દુકાન માલિકે ફતેપુરા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી,ફતેપુરા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી.1
- HII FRIENDS GOOD MORNING SIR ME BHIL VISHNUBHAI KALIDAS good morning sir4