Shuru
Apke Nagar Ki App…
હિંમતનગર ખાતે કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'સુજલામ સુફલની યોજાઈ હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૬' ના આયોજન અને અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ જિલ્લામાં જળ સંચયના કામોને વેગ આપવા અને ચોમાસા પૂર્વે તળાવો ઊંડા કરવા, ચેકડેમોની સફાઈ તેમજ જળ સંગ્રહ શક્તિ વધારવા માટેના વિવિધ કામોનું સમયબદ્ધ આયોજન કરવા સૂચન કર્યા હતા. તેમણે જળ અભિયાનમાં લોકભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, પાણીના દરેક ટીપાનો સંગ્રહ થાય તે દિશામાં વહીવટી તંત્ર અને નાગરિકોએ સાથે મળીને કામ કરવું અનિવાર્ય છે. આ બેઠકમાં વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Digesh kadiya
હિંમતનગર ખાતે કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'સુજલામ સુફલની યોજાઈ હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૬' ના આયોજન અને અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ જિલ્લામાં જળ સંચયના કામોને વેગ આપવા અને ચોમાસા પૂર્વે તળાવો ઊંડા કરવા, ચેકડેમોની સફાઈ તેમજ જળ સંગ્રહ શક્તિ વધારવા માટેના વિવિધ કામોનું સમયબદ્ધ આયોજન કરવા સૂચન કર્યા હતા. તેમણે જળ અભિયાનમાં લોકભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, પાણીના દરેક ટીપાનો સંગ્રહ થાય તે દિશામાં વહીવટી તંત્ર અને નાગરિકોએ સાથે મળીને કામ કરવું અનિવાર્ય છે. આ બેઠકમાં વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
More news from ગુજરાત and nearby areas
- હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૬' ના આયોજન અને અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ જિલ્લામાં જળ સંચયના કામોને વેગ આપવા અને ચોમાસા પૂર્વે તળાવો ઊંડા કરવા, ચેકડેમોની સફાઈ તેમજ જળ સંગ્રહ શક્તિ વધારવા માટેના વિવિધ કામોનું સમયબદ્ધ આયોજન કરવા સૂચન કર્યા હતા. તેમણે જળ અભિયાનમાં લોકભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, પાણીના દરેક ટીપાનો સંગ્રહ થાય તે દિશામાં વહીવટી તંત્ર અને નાગરિકોએ સાથે મળીને કામ કરવું અનિવાર્ય છે. આ બેઠકમાં વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- વિક્રમ સંવત ૨૦૮૨ ફાગણ સુદ પૂનમના પાવન દિવસે લાગેલા ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને વડાલી શહેર તેમજ તાલુકાના નાના-મોટા તમામ મંદિરો આજે બંધ રાખવામાં આવ્યા છે. ચંદ્રગ્રહણના સૂતક કાળને કારણે મંદિર ટ્રસ્ટો દ્વારા ભક્તો માટે દર્શન વ્યવસ્થા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.મંદિરો આજે સવારે ૧૦:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થે ખુલ્લા રાખવામાં આવ્યા બાદ દિવસ દરમિયાન સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના મંદિરોમાં પણ સમાન રીતે સૂચના અમલમાં મુકાઈ હતી.મંદિર સંચાલક મંડળોએ જણાવ્યું હતું કે ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ આવતીકાલથી તમામ મંદિરોમાં આરતી અને દર્શનનો નિયમિત સમય ફરી શરૂ કરવામાં આવશે.1
- રાજ્યમાં હોળીના તહેવારની ઉજવણી તારીખ 2 ના રોજ કરવામાં આવી હોય પણ પોશીના તાલુકામાં હોળી પર્વની ઉજવણી પૂનમના રોજ કરવામાં આવતા પોશીના તાલુકામાં આવેલ વેપારી મથક એવા લાંબડીયા પોશીના દેલવાડા કોટડા સમેતના સેન્ટરો પર લોકોની ભારે ભીડ જોવા મળેલ પોશીના તાલુકામાં આવેલ ગામોમાં પૂનમની રાત્રે હોળી પ્રગટાવવામાં આવશે ત્યારે બજારમાં લોકો દ્વારા ખરીદારી માટે ઉમટી પડતા તાલુકાના લાંબડીયા પોશીના દેલવાડા સમેતના ગામોમાં પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરતા બજારોમાં લોકોની ભારેભીડ1
- અજાણ્યા પરપ્રાંતિય મજૂરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ગોવિંદપુરા ચોકડી પાસે આવેલ એક તમાકુની ખરી અંદર આવેલી ઓરડીમાં અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. સ્થાનિક સૂત્રોના અનુસાર મૃતક યુવક પરપ્રાંતિય મજૂર હતો અને મજૂરી કરવા માટે આ વિસ્તારમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર અગમ્ય કારણોસર યુવકે મહિલાની સાડીનો દુપટ્ટો ફાંસો બનાવીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ઘટના શુક્રવાર તા. 27 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રે 23:10 વાગ્યે બની હતી. યુવકની ઉંમર આશરે 35 વર્ષની હતી. લાશમાંથી કોઈ ઓળખપત્ર મોબાઈલ કે અન્ય વસ્તુ મળી નહોતી. માત્ર હાથ પર લખેલું ‘ગોવિંદ’ શબ્દ જોતાં પોલીસે તેનું નામ ગોવિંદ તરીકે નોંધ્યું છે. વિજાપુર પોલીસે ઘટનાસ્થળેથી લાશને કબજે કરી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ પછી લાશને મહેસાણા પોલીસ સ્ટોરેજમાં મોકલી દેવામાં આવી છે. હાલ સુધી યુવકના કોઈ વારસદારો કે પરિવારીજનો સંપર્કમાં આવ્યા નથી. પોલીસે આ કેસને અકસ્માતી મૃત્યુ તરીકે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. યુવકની ઓળખ અને પરિવારની શોધ માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ ચાલુ છે તેમજ ગુજરાત પોલીસની વેબસાઈટ પર વિગતો અપલોડ કરવામાં આવી છે.1
- અરવલ્લી જિલ્લામાં નકલી દૂધ કૌભાંડ: પશુપાલકોના હિતમાં કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું, હોળીના પર્વે નકલી દૂધની હોળી કરી અનોખો વિરોધ નોંધાવ્યો. ભ્રષ્ટાચાર વિરોધ મુદ્દે આગેવાનો એ સંકલ્પ લીધો. અરવલ્લી જિલ્લાની કેટલીક દૂધ મંડળીઓમાં આચરવામાં આવેલા નકલી દૂધ કૌભાંડ અને ભ્રષ્ટાચાર અંગે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું .આજે હોળીનો તહેવાર હોય જિલ્લા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ અરુણભાઈ પટેલઆગેવાની માં આગેવાનોમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેકટર શ્રી, પોલીસ અધિક્ષક શ્રી, અને જિલ્લા રાજીસ્ટાર શ્રી ને સુપ્રત કર્યું.પ્રતિકાત્મક હોળી સંકલ્પ કર્યો કે જ્યાં સુધી નકલી દૂધ નો કારો કારોબાર બંધ નહિ થાય ત્યાં સુધી કોંગ્રેસ ની લડત ચાલુ રહેછે . આ પ્રસંગે અરૂણભાઇ પટેલ,પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, કમલેન્દ્રસિંહ પુવાર, સુમિત્રાબેન ડામોર, વદનસિંહ મકવાણા, રાહુલભાઈ પટેલ, લાલાભાઈ , જયંતીસિંહ ચૌહાણ, હિંમતસિંહ, ગોવિંદભાઈ વણઝારા . હર્ષદસિંહ રહેવર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006504
- ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિર ફાગણી પુનમ નિમિતે માઇભક્તોનો ઘસારો, દર્શન કરી ધન્યતા અનુભવી1
- સોજીત્રા, આણંદ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં આવેલા ડભોઉ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો તહેવાર પરંપરાગત આસ્થા અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન હોલિકા દહનનો કાર્યક્રમ ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભક્તિમય માહોલ વચ્ચે પ્રગટી હોળી સાંજ પડતાની સાથે જ ડભોઉ ગામના પાદરે સમસ્ત ગ્રામજનો એકત્રિત થયા હતા. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી. અગ્નિદેવના પ્રાગટ્યની સાથે જ આકાશ 'આ સમાચાર આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડભોઉ ગામના છે: હેડલાઇન: સોજીત્રાના ડભોઉ ગામે પરંપરાગત રીતે હોલિકા દહનનું આયોજન, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા સોજીત્રા: આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડભોઉ ગામે હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગામના ચોક પર શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી. હોલિકા દહનના આ પવિત્ર પ્રસંગે સમસ્ત ગ્રામજનો એકત્રિત થયા હતા. ભક્તિમય વાતાવરણમાં લોકોએ હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરી હતી અને સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ડભોઉ ગામમાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ગ્રામજનોએ એકબીજાને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. વિષ્ણુ ઠાકોર4
- હિંમતનગર શહેરના ટાવર પાસે ચાલતા જઈ રહેલ વ્યક્તિનું અપહરણ કરી લૂંટ ચલાવવામાં આવી હતી જે બાદ બી ડિવિઝન પોલીસે ભોગ બનનાર ની ફરિયાદ આધારે સીસીટીવી ફૂટેજના સહારે આરોપી સુધી પહોંચવામાં પોલીસને મળી છે સફળતા1