Shuru
Apke Nagar Ki App…
PSI ગોહિલ સાહેબ આગણે લક્ષ્મીપ્રવેશ❤️❤️❤️🙏🙏🙏🙏💐💐❤️ “લખપત તાલુકાના નરા વિસ્તારમાંથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. નરા પોલીસ સ્ટેશનના PSI વી.ડી. ગોહિલ સાહેબના ઘરે દીકરીનો જન્મ થતાં પરિવાર તેમજ સમગ્ર પોલીસ સ્ટાફમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. દીકરીના આગમનને પરિવાર દ્વારા ‘લક્ષ્મી પ્રવેશ’ તરીકે માન આપવામાં આવ્યું છે અને મીઠાઈ વહેંચીને ખુશીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ સ્ટાફ તથા નરા–હાજીપીર વિસ્તારના સ્થાનિક લોકોએ પણ PSI ગોહિલ સાહેબ અને તેમના પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. દીકરીના જન્મને લઈને વિસ્તારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.” અંતમાં: “કેમેરામેન સાથે આદમ ઉમર નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ.”
Adam notiyar
PSI ગોહિલ સાહેબ આગણે લક્ષ્મીપ્રવેશ❤️❤️❤️🙏🙏🙏🙏💐💐❤️ “લખપત તાલુકાના નરા વિસ્તારમાંથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. નરા પોલીસ સ્ટેશનના PSI વી.ડી. ગોહિલ સાહેબના ઘરે દીકરીનો જન્મ થતાં પરિવાર તેમજ સમગ્ર પોલીસ સ્ટાફમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. દીકરીના આગમનને પરિવાર દ્વારા ‘લક્ષ્મી પ્રવેશ’ તરીકે માન આપવામાં આવ્યું છે અને મીઠાઈ વહેંચીને ખુશીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ સ્ટાફ તથા નરા–હાજીપીર વિસ્તારના સ્થાનિક લોકોએ પણ PSI ગોહિલ સાહેબ અને તેમના પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. દીકરીના જન્મને લઈને વિસ્તારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.” અંતમાં: “કેમેરામેન સાથે આદમ ઉમર નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ.”
More news from ગુજરાત and nearby areas
- “લખપત તાલુકાના નરા વિસ્તારમાંથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. નરા પોલીસ સ્ટેશનના PSI વી.ડી. ગોહિલ સાહેબના ઘરે દીકરીનો જન્મ થતાં પરિવાર તેમજ સમગ્ર પોલીસ સ્ટાફમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. દીકરીના આગમનને પરિવાર દ્વારા ‘લક્ષ્મી પ્રવેશ’ તરીકે માન આપવામાં આવ્યું છે અને મીઠાઈ વહેંચીને ખુશીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ સ્ટાફ તથા નરા–હાજીપીર વિસ્તારના સ્થાનિક લોકોએ પણ PSI ગોહિલ સાહેબ અને તેમના પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. દીકરીના જન્મને લઈને વિસ્તારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.” અંતમાં: “કેમેરામેન સાથે આદમ ઉમર નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ.”4
- જામનગરના અનેક પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી લાઈનો, યુદ્ધના કારણે લોકોમાં પેટ્રોલ સમાપ્ત થવાનો ખોટો ભય.1
- પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે ખેડૂત વાઘેલા પ્રવિણસિંહ ગામ મઢુત્રા #Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews #GroundReport1
- બગવદર પોલીસે બાવળવાવ કેનાલ કાંઠેથી બાવન કાનાભાઈ કટારાને ૯૬ બોટલ સાથે ઝડપી પાડી રૂ.૯૬,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો : આ દારૂ પરબત ઉર્ફે રાણા જીવણ મોરીએ વેચાણ માટે આપ્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી1
- *પોરબંદર તાલુકાના ભડ ગામના સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડની કામગીરી સુગમ બનતા લાભાર્થીએ સરકારનો આભાર માન્યો* ૦૦૦ *સેવાસેતુ કાર્યક્રમ થકી મારું કામ ખૂબ જ ઝડપથી અને તાત્કાલિક થયુ - શ્રી ભરતભાઈ વાળા (સ્થાનિક લાભાર્થી)* ૦૦૦ પોરબંદર.તા.૧૦; પોરબંદર તાલુકાના ભડ ગામ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અનેક નાગરિકોને તેમના ઘરઆંગણે જ સરકારી સેવાઓનો લાભ મળ્યો હતો. આ કાર્યક્રમમાં ભડ ગામના જ રહેવાસી શ્રી ભરતભાઈ વાળા એ પણ પોતાનું રેશનકાર્ડને લગતું કામ કરાવ્યું હતું. પોતાનો પ્રતિભાવ આપતા ભરતભાઈએ જણાવ્યું હતું કે, "અમારા ગામમાં જ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન થવાથી મારે રેશનકાર્ડના કામ માટે બહાર ક્યાંય ધક્કા ખાવા પડ્યા નથી. અહીં મારું કામ ખૂબ જ ઝડપથી અને તાત્કાલિક થઈ ગયું છે." વધુમાં તેમણે વહીવટી તંત્ર અને સરકારના આ પ્રયાસની પ્રશંસા કરતા કહ્યું કે, સેવાસેતુને કારણે સામાન્ય માણસનો સમય અને શક્તિ બચે છે અને ઘરઆંગણે જ વિનામૂલ્યે કામગીરી પૂર્ણ થાય છે. નોંધનીય છે કે આ સેવાસેતુ કાર્યક્રમમાં ભડ સહિત ગરેજ, ચિકાસા, નવીબંદર, કેશોદ (લુશાળા), મિત્રાળા, એરંડા અને દેળોદર ગામોના અનેક લોકોએ આવકના દાખલા, આધાર કાર્ડ સુધારા, રેશનકાર્ડ અને લગ્ન નોંધણી જેવી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. વહીવટી તંત્રના સુચારૂ આયોજનને કારણે લોકોને સુગમ સુવિધા ઉપલ્બધ થઈ હતી.1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં માર્કેટીંગ યાર્ડ માં ખુલ્લી બજાર માં ઘઉ નાં ભાવ યોગ્ય ન મળતાં ખેડૂતો અસંતુષ્ટ : વિઓ : ધોરાજી તાલુકાના પંથકના ખેડૂતો એ પોતાના ખેતરમાં સારી અપેક્ષા એ ખેતર માં ઘઉ નું વાવેતર કરવામાં આવ્યું હોય મોંધા ભાવના જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ને મોંઘુ બિયારણ અને ખાતર અને તનતોડ મહેનત કરી અને સારૂં વાવેતર થાય અને સારો ભાવ મળે તે માટે ઘઉં નું વાવેતર કરવામાં આવેલ પણ જ્યારે ઘઉં પાકી નેં તૈયાર થયા બાદ ઘઉં લઈને ધોરાજી ના માર્કેટીંગ યાર્ડ ખાતે પોતાની જણસી કે ઓ ઘઉં ધોરાજી માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા બાદ જ્યારે ખુલ્લી બજાર માં હરરાજી બોલાવવામાં આવે છે ત્યારે ઘઉં ના એક મણ નો ભાવ ચારસો કે ચારસો પચાસ રૂપિયા પેટે ભાવ મળતાં ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવે છે અને ખેડૂતો માટે પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય છે ખેડૂતો ની ચિંતા માં વધારો જોવા મળી છે સરકારે યોગ્ય સમયે જણસી ની ખરીદી કરવી જોઈએ અને ખેડૂતો ને જણસી નાં ભાવ પણ યોગ્ય મળવા જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ જણસી બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવે છે પણ ખેડૂતો ને જે જણસી નાં પોક્ષણભાવ નથી મળતા તેથી ખેડૂતો માં નારાજગી જોવા મળી રહી છે : બાઈટ ૧ કિશોર ભાઇ હિરપરા ખેડૂત ધોરાજી બાઈટ ૨ સંજય ભાઇ ઠુમ્મર ખેડૂત ધોરાજી સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી2
- Post by Vaghela Janak2
- દુબઈ ઇન્ટરનૅશનલ એરપોર્ટ પર ઈરાન દ્વારા ડ્રોન હુમલો, 1 ભારતીય સહીત 4 ઘાયલ...1