Shuru
Apke Nagar Ki App…
Pooja patel
More news from Gujarat and nearby areas
- समर्थ कबीर जी के सुदामा का महल 🙏 संत रामपाल जी महाराज 🙏 की ओर से अन्नपूर्णा मुहिम के अंतर्गत एक गरीब परिवार को मिला पक्का आशियाना 🏠 📍 स्थान: गांव लक्ष्मीपुरा, तहसील व जिला वडोदरा, गुजरात 👤 परिवार के मुखिया: दिनेश भाई प्रजापति यह केवल मकान निर्माण नहीं, बल्कि मानवता, सेवा और सच्ची भक्ति का प्रमाण है ✨ जहाँ आज भी 🍞 रोटी 👕 कपड़ा 📚 शिक्षा 🏥 चिकित्सा 🏠 और मकान हर गरीब तक पहुँचाने का कार्य कबीर परमेश्वर जी की दया से संत रामपाल जी महाराज द्वारा किया जा रहा है। 👉 ऐसा संत, ऐसा समाज और ऐसी व्यवस्था आज के समय में एक मिसाल है।1
- ઉતરાયણ અભિયાન ગુજરાત માં ઉત્તરાયણ તહેવાર પોતાના બાઈક આગળ સેફટી એક સરિયો નાખો વિનંતી છે. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ1
- દિયોદર આદર્શ ચોકડી પાસે વાહન ચાલકોને સેફ્ટી માટે તાર લગાવાયા ઉતરાયણ ના હવે બે દિવસ બાકી રહ્યા છે જેમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી ને ભાગરૂપે ટુ વ્હીલર બાઈક ચાલકો ને સેફ્ટી માટે તાર લગાવી વાહન ચાલકો અને વેપારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરાયા હતા વાવ થરાદ જિલ્લાના દિયોદર પોલીસ પરિવાર અને જગદંબા માનવ સેવા ટ્રસ્ટ તેમજ ગૌ પ્રેમીઓ દ્વારા રવિવારે સાંજે દિયોદર આદર્શ ચોકડી પાસે ઉતરાયણ પૂર્વ વાહન ચાલકો ને દોરી ના કારણે કોઈ જાન હાની ના પહોંચે તે માટે 100 ઉપરાત ટુ વ્હીલર બાઈક ચાલકો ને સેફ્ટી તાર લગાવવામાં આવ્યા હતા જેમાં વાહન ચાલકો અને વહેપારીઓ ને ટ્રાફિક નિયમો નું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પોલીસ ટીમે નાગરિકો ને માર્ગ સલામતી નું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે પી આઈ વી જે પ્રજાપતિ ,જે બી દોશી,પ્રદીપભાઈ શાહ,લલિતભાઈ જોષી,રમેશભાઈ ભાટી વગેરે લોકો જોડાયા હતા2
- થરાદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત પોલીસ અને NGO દ્વારા હેલ્મેટ વિતરણ1
- બોલીવુડ અભિનેતા સોનુ સૂદે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલી પ્રખ્યાત ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગૌસેવા અને આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન આ સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને અભિનેતાએ ગૌશાળાના વિકાસ અને ઘાસચારા માટે ₹11 લાખનું દાન જાહેર કર્યું હતું.1
- આજરોજ કઠલાલ કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા નો લોક દરબાર નો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો... કઠલાલના સર્કિટ હાઉસ ખાતે કપડવંજ કઠલાલ ના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ નક્કી કર્યા મુજબ દર રવિવારે સવારે 9 થી એક દરમિયાન લોકજાગૃતિ માટે અને લોકોના પ્રશ્નો નિવારણ માટે રૂબરૂ મુલાકાત થાય અને અમુક પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિવારણ થાય તે માટે ભવ્ય આયોજન કર્યું. આજરોજ કઠલાલ નગર તેમજ કઠલાલ તાલુકાના 110 થી વધારે લોકોના પ્રશ્નો ને ન્યાય આપવા ઘનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવ્યા જેમાં રોડ/ રસ્તા/ પાણી /જમીન/રેવન્યુ ને લગતા કાર્યો તેમજ વિદ્યુત બોર્ડ ને લગતા પ્રશ્નો ની રજૂઆત લોકો દ્વારા કરવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ લાગતાવળતા અધિકારીઓને રૂબરૂ તેમ જ ફોન ઉપર ચર્ચા કરી આ પ્રશ્નો નિરાકરણ ત્વરિત કરી દેવામાં આવે તે માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું તેમજ વિવિધ પ્રશ્નો લઈ આવેલા દરેક વ્યક્તિઓને આશ્વાસન આપવામાં આવ્યું ખેડૂતોને લગતા પ્રશ્નોને અગ્રીમતા આપવામાં આવી તેમજ લોકોની વેદના જેના હૈયે વસેલી છે તેવા ધારાસભ્યશ્રીના આવા શનિષ્ટ કાર્ય બદલ લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી આ પ્રશ્નોનો ત્વરિત નિર્ણય આવી જશે તેવા તમામ પ્રયત્નો હું કરીશ તેવી હૈયાધારણા તેઓએ નગરજનોને આપી હતી આમ લગભગ છ કલાક જેટલો સમય લોકો જોડે પ્રશ્નોની ચર્ચા કરી તેને યોગ્ય નિર્ણય આપવા અને દર રવિવારે કઠલાલ કપડવંજ બંને તાલુકાના પ્રશ્નોને વાચા આપવા તેઓએ ખાતરી આપી હતી જેથી લોકોને પડતી અગવડ દૂર થાય તેમજ તેમની સુખાકારી જળવાઈ તે બાબતે પ્રત્યક્ષ રીતે ધ્યાન આપવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ1
- કઠલાલ પબ્લિક સ્કૂલમાં 'સ્કોલર સર્ચ ટેલેન્ટ એક્ઝામ' યોજાઈ: પીઠાઇ, લાલ માંડવા સહિતના ગામોના ૯૦થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી કઠલાલ: કઠલાલ સ્થિત કઠલાલ પબ્લિક સ્કૂલ ખાતે આજરોજ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમની બૌદ્ધિક ક્ષમતાને ચકાસવાના ઉમદા હેતુથી 'સ્કોલર ટેલેન્ટ સર્ચ એક્ઝામ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને ભવિષ્યની મોટી પરીક્ષાઓ માટે અત્યારથી જ સજ્જ કરવાનો હતો. આ પરીક્ષામાં કઠલાલ શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો જેવા કે દહીંઅપ, વડથલ, અનારા, પીઠાઇ, તોરણા, રુદણ, લાલ માંડવા અને જાળીયાના ૯૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર પરીક્ષા સંપૂર્ણ શિસ્તબદ્ધ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. પરીક્ષા બાદ શાળા દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી મંડળ, આચાર્ય અને શિક્ષકગણે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા દ્વારા હાથ ધરાયેલા આ નવતર પ્રયોગને વાલીઓએ પણ બિરદાવ્યો હતો. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- કઠલાલ: ઉતરાયણ પર્વ નિમિત્તે પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધની તાકીદ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. જી.એન. પરમારની અધ્યક્ષતામાં ઉતરાયણ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ અને કોમી એખલાસ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ડીજેના અવાજ અને સમય મર્યાદા અંગે તેમજ જીવલેણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસે નાગરિકોને કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે ઉતરાયણની ઉજવણી કરવા અપીલ કરી હતી.1
- વાવ-થરાદ સુથાર યુવા ટીમ દ્વારા ‘સમાજ ગૌરવ’ સન્માન સમારોહનું ભવ્ય આયોજન વાવ–થરાદ જિલ્લાના સુથાર સમાજમાં શૈક્ષણિક જાગૃતિ અને સામાજિક ચેતનાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ સાથે વાવ-થરાદ સુથાર યુવા ટીમ (VTSY) દ્વારા થરાદ ખાતે ‘સમાજ ગૌરવ’ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના એવા તેજસ્વી યુવાનો, જેઓ સરકારી સેવાઓમાં પસંદગી પામ્યા છે અથવા હાલ વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે, તેમનું આ પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાવ અને થરાદ તાલુકાના સુથાર સમાજના ક્લાસ-૧, ક્લાસ-૨ તથા ક્લાસ-૩ કક્ષાના અધિકારી અને કર્મચારીઓ તરીકે સેવા આપતા યુવાનોને શીલ્ડ, વિશ્વકર્મા દાદાના ફોટા તેમજ ભાગવત ગીતાનું પુસ્તક અર્પણ કરી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોને શિક્ષણ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ પ્રેરિત કરવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સન્માનિત યુવાનોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, “યુવાનો સમાજની કરોડરજ્જુ છે. જ્યારે સમાજનો યુવાન સરકારી સેવામાં જોડાય છે, ત્યારે માત્ર વ્યક્તિ નહીં પરંતુ આખા સમાજનું ગૌરવ વધે છે.” વાવ-થરાદ સુથાર યુવા ટીમના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવનારા સમયમાં પણ શિક્ષણ, માર્ગદર્શન અને સામાજિક ઉત્થાન માટે આવા પ્રેરણાદાયી કાર્યક્રમો સતત યોજવામાં આવશે. આ પ્રથમ પ્રયાસને સમગ્ર સુથાર સમાજ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમના અંતે તમામ સન્માનિત યુવાનોએ સમાજના સર્વાંગી વિકાસ માટે સતત યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.1