logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નવલપુર ગામના પ્રગતિશીલ ખેડૂતે અપનાવી પ્રાકૃતિક ખેતી: 'ઝીરો બજેટ' થી મેળવી રહ્યા છે સમૃદ્ધિ વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખેતીના કારણે જમીન અને સ્વાસ્થ્ય બંને બગડી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નવલપુર ગામના ખેડૂત પૃથ્વીસિંહ પ્રહલાદસિંહ મકવાણાએ પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા ૭ વર્ષથી તેઓ કોઈ પણ જાતના મોંઘા રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના ઉપયોગ વગર સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે. પૃથ્વીસિંહ મકવાણા તેમના ખેતરમાં મુખ્યત્વે મગફળી, બાજરી, મકાઈ અને ઘઉં જેવા પાકોનું વાવેતર પ્રાકૃતિક પદ્ધતિથી કરે છે. આ પદ્ધતિમાં ખેતીનો ખર્ચ નહિવત થઈ જાય છે, જેને કારણે તેને 'ઝીરો બજેટ ખેતી' કહેવામાં આવે છે. ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવેલા જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થયો છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ‘ગાય નિભાવ સહાય યોજના’ હેઠળ પૃથ્વીસિંહને સહાય મળી રહી છે. આ યોજના અંતર્ગત તેમને દર મહિને રૂ.૯૦૦ લેખે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ સહાયથી ખેડૂતને દેશી ગાય રાખવામાં આર્થિક મદદ મળે છે, જે પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર છે. પૃથ્વીસિંહ જણાવે છે કે, "શરૂઆતમાં પ્રાકૃતિક ખેતી અઘરી લાગતી હતી, પણ છેલ્લા ૬-૭ વર્ષના અનુભવ પછી હવે ખર્ચ ઘટી ગયો છે અને ઉત્પાદન શુદ્ધ મળે છે. સરકાર તરફથી મળતી ગાય નિભાવ સહાય ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. દરેક ખેડૂતે ઝેરમુક્ત ખેતી તરફ વળવું જોઈએ."

2 hrs ago
user_રીપોર્ટર ધ્રુવ માળી
રીપોર્ટર ધ્રુવ માળી
Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
2 hrs ago

નવલપુર ગામના પ્રગતિશીલ ખેડૂતે અપનાવી પ્રાકૃતિક ખેતી: 'ઝીરો બજેટ' થી મેળવી રહ્યા છે સમૃદ્ધિ વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખેતીના કારણે જમીન અને સ્વાસ્થ્ય બંને બગડી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નવલપુર ગામના ખેડૂત પૃથ્વીસિંહ પ્રહલાદસિંહ મકવાણાએ પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા ૭ વર્ષથી તેઓ કોઈ પણ જાતના મોંઘા રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના ઉપયોગ વગર સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે. પૃથ્વીસિંહ મકવાણા તેમના ખેતરમાં મુખ્યત્વે મગફળી, બાજરી, મકાઈ અને ઘઉં જેવા પાકોનું વાવેતર પ્રાકૃતિક પદ્ધતિથી કરે છે. આ પદ્ધતિમાં ખેતીનો ખર્ચ નહિવત થઈ જાય છે, જેને કારણે તેને 'ઝીરો બજેટ ખેતી' કહેવામાં આવે છે. ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવેલા જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થયો છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ‘ગાય નિભાવ સહાય યોજના’ હેઠળ પૃથ્વીસિંહને સહાય મળી રહી છે. આ યોજના અંતર્ગત તેમને દર મહિને રૂ.૯૦૦ લેખે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ સહાયથી ખેડૂતને દેશી ગાય રાખવામાં આર્થિક મદદ મળે છે, જે પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર છે. પૃથ્વીસિંહ જણાવે છે કે, "શરૂઆતમાં પ્રાકૃતિક ખેતી અઘરી લાગતી હતી, પણ છેલ્લા ૬-૭ વર્ષના અનુભવ પછી હવે ખર્ચ ઘટી ગયો છે અને ઉત્પાદન શુદ્ધ મળે છે. સરકાર તરફથી મળતી ગાય નિભાવ સહાય ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. દરેક ખેડૂતે ઝેરમુક્ત ખેતી તરફ વળવું જોઈએ."

More news from Gujarat and nearby areas
  • પોશીના તાલુકાના લાંબડીયા ગામે લાંબડીયા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો પહેલા બનાવેલ પાણીની ટાંકીઓ જર્જરીત હાલતમાં થતા આ ટાંકીઓને હટાવવા માગણી ઉઠવા પામી છે લાંબડીયા ગામે જુના પ્રજાપતિ વાસ તેમજ પંચાલ ફળિયામાં આવેલ આ બંને ટાંકીઓ ડેમેજ થઈ ગઈ હોય જો કોઈપણ સમયે મોટી દુર્ઘટના બની શકે તેમ છે ત્યારે જવાબદાર વિભાગ દ્વારા આ ટાંકીઓની જર્જરીત હાલતને ધ્યાનમાં રાખી આ બંને ટાંકીઓને હટાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે.
    1
    પોશીના તાલુકાના લાંબડીયા ગામે લાંબડીયા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો પહેલા બનાવેલ પાણીની ટાંકીઓ જર્જરીત હાલતમાં થતા આ ટાંકીઓને હટાવવા માગણી ઉઠવા પામી છે લાંબડીયા ગામે જુના પ્રજાપતિ વાસ તેમજ પંચાલ ફળિયામાં આવેલ આ બંને ટાંકીઓ ડેમેજ થઈ ગઈ હોય જો કોઈપણ સમયે મોટી દુર્ઘટના બની શકે તેમ છે ત્યારે જવાબદાર વિભાગ દ્વારા આ ટાંકીઓની જર્જરીત હાલતને ધ્યાનમાં રાખી આ બંને ટાંકીઓને હટાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે.
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    6 min ago
  • તાલુકાના બેરણા ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ અનેરો ઉત્સાહ દાખવી કુલ ૭૧ યુનિટ રક્તનું દાન કર્યું હતું. આ કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેસાસણ, જી.એમ.એ.આર.એસ. મેડિકલ કોલેજ હિંમતનગર અને જાયન્ટ્સ સહિયર હિંમતનગરના સંયુક્ત સહયોગથી યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની સૂચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં “સેફ બ્લડ એન્ડ બ્લડ કોમ્પોનન્ટ થેરાપી”ને મજબૂત બનાવવાના ઉમદા હેતુથી આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.જિલ્લામાં રક્તની ઉપલબ્ધતા વધારવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત એપ્રિલ-૨૦૨૫ થી જાન્યુઆરી-૨૦૨૬ સુધીના સમયગાળામાં કુલ ૪૧૩ રક્તદાન કેમ્પો દ્વારા ૧૩,૬૦૯ યુનિટ રક્ત સંગ્રહિત કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થા દ્વારા ખાસ કરીને માતા-શિશુ આરોગ્ય, ગંભીર બીમારીઓનું સંચાલન અને તાત્કાલિક સારવારની સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવી રહી છે.બેરણા ખાતેના આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. પ્રવીણ અસારી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલ, મેડિકલ ઓફિસર ડો. કશ્યપ સહિત સ્થાનિક સરપંચશ્રી, અગ્રણીઓ અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રક્તદાતાઓના ઉત્સાહને બિરદાવી રક્તદાનના મહત્વ વિશે સમજ આપી હતી.
    1
    તાલુકાના બેરણા ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ અનેરો ઉત્સાહ દાખવી કુલ ૭૧ યુનિટ રક્તનું દાન કર્યું હતું. આ કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેસાસણ, જી.એમ.એ.આર.એસ. મેડિકલ કોલેજ હિંમતનગર અને જાયન્ટ્સ સહિયર હિંમતનગરના સંયુક્ત સહયોગથી યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની સૂચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં “સેફ બ્લડ એન્ડ બ્લડ કોમ્પોનન્ટ થેરાપી”ને મજબૂત બનાવવાના ઉમદા હેતુથી આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.જિલ્લામાં રક્તની ઉપલબ્ધતા વધારવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત એપ્રિલ-૨૦૨૫ થી જાન્યુઆરી-૨૦૨૬ સુધીના સમયગાળામાં કુલ ૪૧૩ રક્તદાન કેમ્પો દ્વારા ૧૩,૬૦૯ યુનિટ રક્ત સંગ્રહિત કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થા દ્વારા ખાસ કરીને માતા-શિશુ આરોગ્ય, ગંભીર બીમારીઓનું સંચાલન અને તાત્કાલિક સારવારની સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવી રહી છે.બેરણા ખાતેના આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. પ્રવીણ અસારી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલ, મેડિકલ ઓફિસર ડો. કશ્યપ સહિત સ્થાનિક સરપંચશ્રી, અગ્રણીઓ અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રક્તદાતાઓના ઉત્સાહને બિરદાવી રક્તદાનના મહત્વ વિશે સમજ આપી હતી.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    51 min ago
  • ખેડબ્રહ્માના શ્યામનગર ખાતેની પ્રાથમિક શાળામાં વિશ્વ હિન્દુ પરિષદ ધ્વારા ચા અને નાસ્તો કરાવ્યો
    1
    ખેડબ્રહ્માના શ્યામનગર ખાતેની પ્રાથમિક શાળામાં વિશ્વ હિન્દુ પરિષદ ધ્વારા ચા અને નાસ્તો કરાવ્યો
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    3 hrs ago
  • 📍वेणपुर शामलाजी अरवल्ली 📌 (हाईवे नंबर 48) वेणपुर गांव के आगे से हाईवे निकलता है। वहां पर ब्रिज ना होने के कारण बहुत तकलीफ होती है। बच्चों को हाईवे के उस पार से आने में दिक्कत होती हैं। आप सभी वीडियो में देख ही सकते है ओर दूसरी समस्या वेणपुर गांव में गौशाला है जिस में कई सारी गाय माता है उनका चारा । हाईवे के उस पार होता है तो चारा लेने के लिए उन लोगों को 3km दूर जाना पड़ता है। ओर मेन बात इस हाईवे पर कई सारे एक्सीडेंट हो चुके है । मगर कोई इसको सीरियसली लेता ही नहीं। मेरा सरकार से निवेदन है कि यहां पर ब्रिज की समस्या दूर हो ताकि गांव वालों को आने जाने में दिक्कत ना हो। धन्यवाद 🙏
    1
    📍वेणपुर शामलाजी अरवल्ली 📌 (हाईवे नंबर 48)
वेणपुर गांव के आगे से हाईवे निकलता है। वहां पर ब्रिज ना होने के कारण बहुत तकलीफ होती है। बच्चों को हाईवे के उस पार से आने में दिक्कत होती हैं। आप सभी वीडियो में देख ही सकते है ओर दूसरी समस्या वेणपुर गांव में गौशाला है जिस में कई सारी गाय माता है उनका चारा ।  हाईवे के उस पार होता है तो चारा लेने के लिए उन लोगों को 3km दूर जाना पड़ता है। 
ओर मेन बात इस हाईवे पर कई सारे एक्सीडेंट हो चुके है । मगर कोई इसको सीरियसली लेता ही नहीं।
मेरा सरकार से निवेदन है कि यहां पर ब्रिज की समस्या दूर हो ताकि गांव वालों को आने जाने में दिक्कत ना हो। धन्यवाद 🙏
    user_Uj Banna
    Uj Banna
    Indian Grocery Shop ભિલોડા, અરવલ્લી, ગુજરાત•
    6 hrs ago
  • રણાસણ રેપડી માતાજી મંદિરે મહાશિવરાત્રી ૨ મહોત્સવમાં મહાલઘુરૂદ્ર યજ્ઞ, કાલ ભૈરવ યજ્ઞ, ભંડારા અને ભજન-સત્સંગ સહિતના તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામમાં આવેલ રેપડી માતાજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ દરમિયાન શિવ ગોરખ અઘોર અખાડા દ્વારા આયોજિત મહાશિવરાત્રી ૨ મહોત્સવ તથા મહા લઘુરૂદ્ર યજ્ઞ હવે સમાપ્ત થઈ ગયો છે. આ ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમમાં હજારો ભક્તો, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેના કારણે ગોરખ ધુણા ખાતે પ્રભુનાથજી ગિરનારી બાપાની સમાધિ પાસે ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં મહા લઘુરૂદ્ર યજ્ઞનો આરંભ પ્રથમ દિવસે સવારે ૯ વાગ્યે થયો હતો. કાર્યક્રમના બીજા દિવસે સાધુ-સંતો તથા મહેમાનો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. તે જ દિવસે રાત્રે ૯ વાગ્યે ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તોને ભક્તિરસનો અનુભવ થયો હતો. છેલ્લા દિવસે સાંજે ૪ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે સમગ્ર મહોત્સવનું સમાપન થયું હતું. આ મહોત્સવમાં કાલ ભૈરવ યજ્ઞ, પ્રભુનાથજીની સમાધિ તિથિ તથા અઘોરી બાપુના ધુણા સાથે જોડાયેલા તમામ પરંપરાગત વિધિ-વિધાનો પણ સંપન્ન થયા હતા. આયોજનમાં અઘોરી યોગી સાગરનાથ બાપુએ અધ્યક્ષ/પ્રમુખ તરીકે, સાવરીયા શેઠે સનરક્ષક તરીકે અને એડવોકેટ હાર્દિક પટેલ હીરાનાથે ઉપાધ્યક્ષ તરીકે મુખ્ય જવાબદારી નિભાવી હતી. યોગી બાબા સાગરનાથજી તથા માતાજી નિર્મલનાથજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ સુરક્ષિત, શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
    1
    રણાસણ રેપડી માતાજી મંદિરે મહાશિવરાત્રી ૨ મહોત્સવમાં મહાલઘુરૂદ્ર યજ્ઞ, કાલ ભૈરવ યજ્ઞ, ભંડારા અને ભજન-સત્સંગ સહિતના તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામમાં આવેલ રેપડી માતાજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ દરમિયાન શિવ ગોરખ અઘોર અખાડા દ્વારા આયોજિત મહાશિવરાત્રી ૨ મહોત્સવ તથા મહા લઘુરૂદ્ર યજ્ઞ હવે સમાપ્ત થઈ ગયો છે. આ ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમમાં હજારો ભક્તો, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેના કારણે ગોરખ ધુણા ખાતે પ્રભુનાથજી ગિરનારી બાપાની સમાધિ પાસે ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં મહા લઘુરૂદ્ર યજ્ઞનો આરંભ પ્રથમ દિવસે સવારે ૯ વાગ્યે થયો હતો. કાર્યક્રમના બીજા દિવસે સાધુ-સંતો તથા મહેમાનો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. તે જ દિવસે રાત્રે ૯ વાગ્યે ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તોને ભક્તિરસનો અનુભવ થયો હતો. છેલ્લા દિવસે સાંજે ૪ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે સમગ્ર મહોત્સવનું સમાપન થયું હતું.
આ મહોત્સવમાં કાલ ભૈરવ યજ્ઞ, પ્રભુનાથજીની સમાધિ તિથિ તથા અઘોરી બાપુના ધુણા સાથે જોડાયેલા તમામ પરંપરાગત વિધિ-વિધાનો પણ સંપન્ન થયા હતા. આયોજનમાં અઘોરી યોગી સાગરનાથ બાપુએ અધ્યક્ષ/પ્રમુખ તરીકે, સાવરીયા શેઠે સનરક્ષક તરીકે અને એડવોકેટ હાર્દિક પટેલ હીરાનાથે ઉપાધ્યક્ષ તરીકે મુખ્ય જવાબદારી નિભાવી હતી. યોગી બાબા સાગરનાથજી તથા માતાજી નિર્મલનાથજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ સુરક્ષિત, શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    20 hrs ago
  • લાંબડીયા ગામે આવેલ પાણીની જર્જરી ટાંકીઓ દૂર કરવા માગણી
    1
    લાંબડીયા ગામે આવેલ પાણીની જર્જરી ટાંકીઓ દૂર કરવા માગણી
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    8 min ago
  • અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર, માલવણ કેશાપુર, રખિયાલ, દાવલી, સહીત ના ગ્રામ્ય વિસ્તાર ના રોડ ભંગાર હાલત થી લોકો વાહન ચાલકો પરેશાન થઈ ચુક્યા છે. ત્યારે અરવલ્લીજિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ ના તમામ હોદેદારો મહિલા ભજન મંડળની મહિલાઓ સાથે લગતા તંત્ર ને સદબુદ્ધિ આપે અને સત્વરે આ વિસ્તાર ના રોડ રસ્તા પાકા બંને તેવી ઉગ્ર માંગ સાથે કાર્યક્રમ યોજાયો. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650
    3
    અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર, માલવણ કેશાપુર, રખિયાલ, દાવલી, સહીત ના ગ્રામ્ય વિસ્તાર ના રોડ ભંગાર હાલત થી લોકો વાહન ચાલકો પરેશાન થઈ ચુક્યા છે. ત્યારે અરવલ્લીજિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ ના તમામ હોદેદારો મહિલા ભજન મંડળની મહિલાઓ સાથે  લગતા તંત્ર  ને સદબુદ્ધિ આપે અને સત્વરે આ વિસ્તાર ના રોડ રસ્તા પાકા બંને તેવી ઉગ્ર માંગ સાથે કાર્યક્રમ યોજાયો.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    5 hrs ago
  • સાબરકાંઠા જિલ્લા પોલીસની વાહન ચોરી વિરોધી ઝુંબેશ અંતર્ગત વડાલી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં નોંધાયેલા બાઇક ચોરીના કુલ ૮ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આ કાર્યવાહીમાં ₹૩.૮૩ લાખની કિંમતના ૮ ચોરાયેલા મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યા છે. વડાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એલ. જાડેજા અને તેમની ટીમે આ કામગીરી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો અનુસાર, ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નવાનગર ત્રણ રસ્તા (ધરોઈ રોડ) નજીક વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈને મળેલી બાતમીના આધારે ડોભાડા તરફથી નંબર પ્લેટ વિના આવી રહેલા હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પર સવાર બે શંકાસ્પદ યુવકોને અટકાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, બંને યુવકો મોટરસાયકલના કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા. પોલીસે 'પોકેટકોપ' એપ દ્વારા એન્જિન અને ચેસીસ નંબરની ચકાસણી કરતાં જાણવા મળ્યું કે મોટરસાયકલ (નં. GJ-09-DR-4688) વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સામેલ હતું. વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં, આરોપીઓએ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી અન્ય ૭ મોટરસાયકલ ચોર્યાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ કિરપાલસિંહ કનુસિંહ ગઢીયા (ઉંમર ૧૯, રહે. ગાજીપુર, તા. વડાલી) અને અજીતસિંહ મનહરસિંહ ગઢીયા (ઉંમર ૧૯, રહે. ગાજીપુર, તા. વડાલી) તરીકે થઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹૩,૮૩,૦૦૦ની કિંમતના ૮ મોટરસાયકલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ સફળ કામગીરીમાં વડાલી પોલીસ સ્ટાફના હિરેનસિંહ જગતસિંહ, વિક્રમભાઈ મગનભાઈ, નરેશભાઈ મોતીભાઈ, સુરેશસિંહ અને વિરેન્દ્રસિંહ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
    1
    સાબરકાંઠા જિલ્લા પોલીસની વાહન ચોરી વિરોધી ઝુંબેશ અંતર્ગત વડાલી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં નોંધાયેલા બાઇક ચોરીના કુલ ૮ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આ કાર્યવાહીમાં ₹૩.૮૩ લાખની કિંમતના ૮ ચોરાયેલા મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યા છે.
વડાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એલ. જાડેજા અને તેમની ટીમે આ કામગીરી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો અનુસાર, ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નવાનગર ત્રણ રસ્તા (ધરોઈ રોડ) નજીક વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું.
આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈને મળેલી બાતમીના આધારે ડોભાડા તરફથી નંબર પ્લેટ વિના આવી રહેલા હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પર સવાર બે શંકાસ્પદ યુવકોને અટકાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, બંને યુવકો મોટરસાયકલના કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા.
પોલીસે 'પોકેટકોપ' એપ દ્વારા એન્જિન અને ચેસીસ નંબરની ચકાસણી કરતાં જાણવા મળ્યું કે મોટરસાયકલ (નં. GJ-09-DR-4688) વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સામેલ હતું. વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં, આરોપીઓએ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી અન્ય ૭ મોટરસાયકલ ચોર્યાની કબૂલાત કરી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ કિરપાલસિંહ કનુસિંહ ગઢીયા (ઉંમર ૧૯, રહે. ગાજીપુર, તા. વડાલી) અને અજીતસિંહ મનહરસિંહ ગઢીયા (ઉંમર ૧૯, રહે. ગાજીપુર, તા. વડાલી) તરીકે થઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹૩,૮૩,૦૦૦ની કિંમતના ૮ મોટરસાયકલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આ સફળ કામગીરીમાં વડાલી પોલીસ સ્ટાફના હિરેનસિંહ જગતસિંહ, વિક્રમભાઈ મગનભાઈ, નરેશભાઈ મોતીભાઈ, સુરેશસિંહ અને વિરેન્દ્રસિંહ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.