સાબરકાંઠા જિલ્લામાં 'રક્તદાન મહાદાન'નો અભિગમ વેગવંતો બન્યો,બેરણા ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૭૧ યુનિટ રક્ત એકત્ર તાલુકાના બેરણા ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ અનેરો ઉત્સાહ દાખવી કુલ ૭૧ યુનિટ રક્તનું દાન કર્યું હતું. આ કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેસાસણ, જી.એમ.એ.આર.એસ. મેડિકલ કોલેજ હિંમતનગર અને જાયન્ટ્સ સહિયર હિંમતનગરના સંયુક્ત સહયોગથી યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની સૂચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં “સેફ બ્લડ એન્ડ બ્લડ કોમ્પોનન્ટ થેરાપી”ને મજબૂત બનાવવાના ઉમદા હેતુથી આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.જિલ્લામાં રક્તની ઉપલબ્ધતા વધારવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત એપ્રિલ-૨૦૨૫ થી જાન્યુઆરી-૨૦૨૬ સુધીના સમયગાળામાં કુલ ૪૧૩ રક્તદાન કેમ્પો દ્વારા ૧૩,૬૦૯ યુનિટ રક્ત સંગ્રહિત કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થા દ્વારા ખાસ કરીને માતા-શિશુ આરોગ્ય, ગંભીર બીમારીઓનું સંચાલન અને તાત્કાલિક સારવારની સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવી રહી છે.બેરણા ખાતેના આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. પ્રવીણ અસારી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલ, મેડિકલ ઓફિસર ડો. કશ્યપ સહિત સ્થાનિક સરપંચશ્રી, અગ્રણીઓ અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રક્તદાતાઓના ઉત્સાહને બિરદાવી રક્તદાનના મહત્વ વિશે સમજ આપી હતી.
સાબરકાંઠા જિલ્લામાં 'રક્તદાન મહાદાન'નો અભિગમ વેગવંતો બન્યો,બેરણા ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૭૧ યુનિટ રક્ત એકત્ર તાલુકાના બેરણા ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ અનેરો ઉત્સાહ દાખવી કુલ ૭૧ યુનિટ રક્તનું દાન કર્યું હતું. આ કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેસાસણ, જી.એમ.એ.આર.એસ. મેડિકલ કોલેજ હિંમતનગર અને જાયન્ટ્સ સહિયર હિંમતનગરના સંયુક્ત સહયોગથી યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની સૂચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં “સેફ બ્લડ એન્ડ બ્લડ કોમ્પોનન્ટ થેરાપી”ને મજબૂત બનાવવાના ઉમદા હેતુથી આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.જિલ્લામાં રક્તની ઉપલબ્ધતા વધારવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત એપ્રિલ-૨૦૨૫ થી જાન્યુઆરી-૨૦૨૬ સુધીના સમયગાળામાં કુલ ૪૧૩ રક્તદાન કેમ્પો દ્વારા ૧૩,૬૦૯ યુનિટ રક્ત સંગ્રહિત કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થા દ્વારા ખાસ કરીને માતા-શિશુ આરોગ્ય, ગંભીર બીમારીઓનું સંચાલન અને તાત્કાલિક સારવારની સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવી રહી છે.બેરણા ખાતેના આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. પ્રવીણ અસારી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલ, મેડિકલ ઓફિસર ડો. કશ્યપ સહિત સ્થાનિક સરપંચશ્રી, અગ્રણીઓ અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રક્તદાતાઓના ઉત્સાહને બિરદાવી રક્તદાનના મહત્વ વિશે સમજ આપી હતી.
- શહેરની બાલાજી ગ્રીન પાર્ક સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરાયેલ મોટરસાયકલની ચોરીની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ સોસાયટીના મકાન નંબર 19 આગળ જીજે 09 ડીએલ 7899 નંબરનું અંદાજિત રૂ. 50 હજાર કિંમતનું મોટરસાયકલ પાર્ક કરવામાં આવ્યું હતું.વહેલી સવારે બે અજાણ્યા શખ્સો દ્વારા આ મોટરસાયકલ ચોરી કરી લઈ જવાયું હોવાનું જાણવા મળ્યું છે. સોસાયટી વિસ્તારમાં બનેલી આ ઘટનાથી રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે.આ મામલે હિમાંશુ મિસ્ત્રીએ તલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.1
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે લાંબડીયા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો પહેલા બનાવેલ પાણીની ટાંકીઓ જર્જરીત હાલતમાં થતા આ ટાંકીઓને હટાવવા માગણી ઉઠવા પામી છે લાંબડીયા ગામે જુના પ્રજાપતિ વાસ તેમજ પંચાલ ફળિયામાં આવેલ આ બંને ટાંકીઓ ડેમેજ થઈ ગઈ હોય જો કોઈપણ સમયે મોટી દુર્ઘટના બની શકે તેમ છે ત્યારે જવાબદાર વિભાગ દ્વારા આ ટાંકીઓની જર્જરીત હાલતને ધ્યાનમાં રાખી આ બંને ટાંકીઓને હટાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે.1
- ખેડબ્રહ્માના શ્યામનગર ખાતેની પ્રાથમિક શાળામાં વિશ્વ હિન્દુ પરિષદ ધ્વારા ચા અને નાસ્તો કરાવ્યો1
- 📍वेणपुर शामलाजी अरवल्ली 📌 (हाईवे नंबर 48) वेणपुर गांव के आगे से हाईवे निकलता है। वहां पर ब्रिज ना होने के कारण बहुत तकलीफ होती है। बच्चों को हाईवे के उस पार से आने में दिक्कत होती हैं। आप सभी वीडियो में देख ही सकते है ओर दूसरी समस्या वेणपुर गांव में गौशाला है जिस में कई सारी गाय माता है उनका चारा । हाईवे के उस पार होता है तो चारा लेने के लिए उन लोगों को 3km दूर जाना पड़ता है। ओर मेन बात इस हाईवे पर कई सारे एक्सीडेंट हो चुके है । मगर कोई इसको सीरियसली लेता ही नहीं। मेरा सरकार से निवेदन है कि यहां पर ब्रिज की समस्या दूर हो ताकि गांव वालों को आने जाने में दिक्कत ना हो। धन्यवाद 🙏1
- રણાસણ રેપડી માતાજી મંદિરે મહાશિવરાત્રી ૨ મહોત્સવમાં મહાલઘુરૂદ્ર યજ્ઞ, કાલ ભૈરવ યજ્ઞ, ભંડારા અને ભજન-સત્સંગ સહિતના તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામમાં આવેલ રેપડી માતાજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ દરમિયાન શિવ ગોરખ અઘોર અખાડા દ્વારા આયોજિત મહાશિવરાત્રી ૨ મહોત્સવ તથા મહા લઘુરૂદ્ર યજ્ઞ હવે સમાપ્ત થઈ ગયો છે. આ ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમમાં હજારો ભક્તો, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેના કારણે ગોરખ ધુણા ખાતે પ્રભુનાથજી ગિરનારી બાપાની સમાધિ પાસે ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં મહા લઘુરૂદ્ર યજ્ઞનો આરંભ પ્રથમ દિવસે સવારે ૯ વાગ્યે થયો હતો. કાર્યક્રમના બીજા દિવસે સાધુ-સંતો તથા મહેમાનો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. તે જ દિવસે રાત્રે ૯ વાગ્યે ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તોને ભક્તિરસનો અનુભવ થયો હતો. છેલ્લા દિવસે સાંજે ૪ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે સમગ્ર મહોત્સવનું સમાપન થયું હતું. આ મહોત્સવમાં કાલ ભૈરવ યજ્ઞ, પ્રભુનાથજીની સમાધિ તિથિ તથા અઘોરી બાપુના ધુણા સાથે જોડાયેલા તમામ પરંપરાગત વિધિ-વિધાનો પણ સંપન્ન થયા હતા. આયોજનમાં અઘોરી યોગી સાગરનાથ બાપુએ અધ્યક્ષ/પ્રમુખ તરીકે, સાવરીયા શેઠે સનરક્ષક તરીકે અને એડવોકેટ હાર્દિક પટેલ હીરાનાથે ઉપાધ્યક્ષ તરીકે મુખ્ય જવાબદારી નિભાવી હતી. યોગી બાબા સાગરનાથજી તથા માતાજી નિર્મલનાથજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ સુરક્ષિત, શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.1
- લાંબડીયા ગામે આવેલ પાણીની જર્જરી ટાંકીઓ દૂર કરવા માગણી1
- અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર, માલવણ કેશાપુર, રખિયાલ, દાવલી, સહીત ના ગ્રામ્ય વિસ્તાર ના રોડ ભંગાર હાલત થી લોકો વાહન ચાલકો પરેશાન થઈ ચુક્યા છે. ત્યારે અરવલ્લીજિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ ના તમામ હોદેદારો મહિલા ભજન મંડળની મહિલાઓ સાથે લગતા તંત્ર ને સદબુદ્ધિ આપે અને સત્વરે આ વિસ્તાર ના રોડ રસ્તા પાકા બંને તેવી ઉગ્ર માંગ સાથે કાર્યક્રમ યોજાયો. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006503
- તાલુકાના બેરણા ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ અનેરો ઉત્સાહ દાખવી કુલ ૭૧ યુનિટ રક્તનું દાન કર્યું હતું. આ કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેસાસણ, જી.એમ.એ.આર.એસ. મેડિકલ કોલેજ હિંમતનગર અને જાયન્ટ્સ સહિયર હિંમતનગરના સંયુક્ત સહયોગથી યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની સૂચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં “સેફ બ્લડ એન્ડ બ્લડ કોમ્પોનન્ટ થેરાપી”ને મજબૂત બનાવવાના ઉમદા હેતુથી આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.જિલ્લામાં રક્તની ઉપલબ્ધતા વધારવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત એપ્રિલ-૨૦૨૫ થી જાન્યુઆરી-૨૦૨૬ સુધીના સમયગાળામાં કુલ ૪૧૩ રક્તદાન કેમ્પો દ્વારા ૧૩,૬૦૯ યુનિટ રક્ત સંગ્રહિત કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થા દ્વારા ખાસ કરીને માતા-શિશુ આરોગ્ય, ગંભીર બીમારીઓનું સંચાલન અને તાત્કાલિક સારવારની સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવી રહી છે.બેરણા ખાતેના આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. પ્રવીણ અસારી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલ, મેડિકલ ઓફિસર ડો. કશ્યપ સહિત સ્થાનિક સરપંચશ્રી, અગ્રણીઓ અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રક્તદાતાઓના ઉત્સાહને બિરદાવી રક્તદાનના મહત્વ વિશે સમજ આપી હતી.1